________________
પ્રસ્તાવના
સાસાઇટીની નેાકરીમાં જોડાયા પછી તુરતજ આન. સેક્રેટરી સ્વ. રા. અ. લાલશંકરભાઇએ સન ૧૮૬૪ સુધીમાં પ્રસિદ્ધ થયેલાં ગુજરાતી પુસ્તકાની છાપેલી યાદી બતાવી તે ધેારણે ગુજરાતીમાં છપાયલાં સઘળાં પુસ્તકાની એક વર્ગીકૃત સૂચિ તૈયાર કરવાનું મને સૂચવ્યું; પણ ચાલુ આપીસ કામ એટલું બધું વ્યવસાયવાળું અને જવાબદારીભર્યું કે તે કા` પાછળ ધ્યાન આપવાને ભાગ્યેજ સમય મળતા; અને એકાદ માસમાં તે પડતું મૂકવું પડેલું; પણ ત્યારથી એ કામાં મારૂં ચિત્ત પરાવાયલું; વળી પૂણામાં ડક્કન વર્નાક્યુલર ટ્રાન્સલેશન સાસાઈટી, છાપેલી સરકારી ત્રિમાસિક યાદી પરથી એવી એક સૂચિ મરાઠી ગ્રંથાની કરાવતી હતી તે જાણવામાં હતું. એટલે એ કા કેવી રીતે આટાપાય એના વિચાર આવ્યા જ કરતા. અને પ્રસંગેાપાત વડાદરા સેન્ટ્રલ લાઇબ્રેરીના આસિ. ક્યુરેટર શ્રીયુત મેાતીભાઇ અમીનને ભેટા થતા, તેના લાભ લઇ, એ વિષય એમની સાથે ચર્ચા પણ ખરા. તેની ઉપયેાગિતા એમના લક્ષમાં પૂરેપૂરી સેલી હતી અને એમના ખાતા તરફથી એવું કાર્ય ઉપાડી લેવાય તેા સેાસાટી સહકાર કરે, એમ એમને મે'વાતમાં જણાવેલું, પણ એ નરરત્ને જેમ પુસ્તકાલયના અંગના અનેક પ્રશ્ન ઉકેલી ગુજરાતમાં પુસ્તકાલયની હિલચાલને, તેનાં મૂળ ઉંડાં નાંખીને, આગળ વધારી છે, તેમ એ સૂચિનું કાર્ય એમણે જાતજવાબદારી પર ઉપાડી લીધું, અને મને તાંધતાં આનંદ અને સંતોષ થાય છે કે એ પ્રશસ્ય પણ ભગીરથ કાય એમના શુભ પ્રયાસ અને આગ્રહથી સફળ થઇ આપણે આઠ હજાર ગુજરાતી પુસ્તકાની એક વર્ગીકૃત સૂચિ' એ નામનું એક માઢું દળદાર, મહત્ત્વનું અને ઉપયેાગી રેફરન્સ પુસ્તક મેળવવાને ભાગ્યશાળી થયા છીએ; એ પણ વળી એક સુયેાગ છે કે સદરહુ સૂચિ સન ૧૯૨૮ સુધી આવીને અટકે છે અને પછીનાં સન ૧૯૨૯ નાં પ્રકાશનની નોંધ કરવાના અવસર સાસાઇટીને સાંપડયા છે; પ્રસ્તુત ગ્રંથ અને ગ્રંથકાર”નું પુસ્તક પ્રતિ વર્ષ નિયમિત રીતે નિકળતું રહે તે વાર્ષિક પ્રકાશનની નોંધ કરવાનું ચાલુ રહેવા સંભવ છે.
ઈસુનું વર્ષ ૧૯૦૭ એ નામથી લેખ લખી સ્વ. રણજીતરામે સાહિત્યમાં અને અન્ય સંસ્કૃતિના ક્ષેત્રમાં પ્રગતિની વાર્ષિક સમાલોચનાનું કા આદરેલું અને એ પ્રથા આગળ ચાલુ રહે એ ઉદ્દેશથી સાસાઇટીના મણિ મહાત્સવના Catalogue of Native Publications in the Bombay Presi dency up to 1864.
*