________________
જે નોંધવાથી સમજાશે. આજથી ઘણાં વર્ષ પૂર્વે અમદાવાદ પ્રાર્થના સમાજ તરફથી પ્રાનામાળાનું પુસ્તક છપાએલું તેની પાછળ કઠણ શબ્દોને એક કાષ આપેલા છે. એ કાષના અડધા ઉપરના શબ્દો હવે એટલા પ્રચલિત થઇ ગયા છે કે તેના અથ જણાવવાની અત્યારે જરૂર પણ ન રહે. ગુજરાતી ભાષાની સમૃદ્ધિ એટલે શબ્દસમૃદ્ધિ પણ વધતી જાય છે એ સાહિત્યના વિકાસનું શુભ ચિહ્ન છે. ભાષામાં વિચાર પ્રદર્શિત કરવાની જેમ જેમ વધારે જરૂર પડે છે તેમ શધ્યેાજના વિસ્તૃત થતી જાય છે.
ગુજરાત વર્નાક્યુલર સેાસાઇટીએ આ પુસ્તક પ્રકટ કરી જે કાય કરવાના પ્રયત્નને શુભ આર્ભ કર્યાં છે તેની સફળતાનેા તમામ આધાર ગ્રંથકર્તીના સહકાર ઉપર રહેલા છે. જેટલે જેટલે અંશે એ સહકાર વધશે તેટલે અંશે ભવિષ્યની આવૃત્તિએ વધારે મહત્ત્વવાળી થશે. જે ગ્રંથકારાને આમંત્રણ આપવાનું રહી ગયું હાય અથવા જેમણે આમંત્રણના જવાબ ન આપ્યા હોય તેમને આગ્રહપૂર્વક વિનંતિ કરવાની કે આ કાર્ય જાત— માહિતીની જાહેરાતનું નથી; પરંતુ એક વિશિષ્ટ પુસ્તક, ગુજરાતી સાહિત્યની સેવા બજાવવાની ઇચ્છા રાખે છે તેને સહાયતા કરવાનું છે એમ માની હકીકત પેાતાની તેમ જ પેાતાની જાણુના ખીજા ગ્રંથકારાની મેાકલાવી સહકાર કરવા.
આ પુસ્તકની અપૂર્ણતાએ પુરી કરવા લેખક વ તરફથી વિશેષ સહાયતાની આશા સાથે ગુજરાતી ભાષાના વાંચનારા સમક્ષ તે રજુ કરવાની રજા લઇએ છીએ.
અમદાવાદ. તા. ૨૦-૮-૧૯૩૦
}
વિદ્યાખહેન રમણભાઇ નીલક