________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નામથી એમણે સન ૧૯૨૫ માં પ્રકટ કરેલો છે; અને તે પુસ્તક લોકદર પામ્યું છે. એના આગલા વર્ષે સન ૧૯૨૪ માં “અનંતા” નામનું તેમનું બીજું એક નાટક પણ “આરણ્યક' ના નામથી યુગધર્મ ગ્રન્થમાળામાં પ્રસિદ્ધ થયું હતું, પણ તેમાંની વિષય-વસ્તુ કંઈક કઠિન હોઈને “ઢીંગલી” જેટલું તે જાણીતું થયું નથી.
એમના લેખમાં ચિંતન અને અભ્યાસ બને નજરે પડે છે અને એમનાં એકાંકી નાટકોને સંગ્રહ થઈ એક પુસ્તક રૂપે બહાર પડે તે તે જરૂર જનતાનું-વાચકનું ધ્યાન ખેંચે અને લોકપ્રિય નિવડે.
એમના ગ્રંથની યાદી: અનંતા (આરણ્યક) નાટક]
સન ૧૯૨૪ ઢીંગલી (અનુવાદ) [નાટક]
સન ૧૯૨૫