SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી હિમતલાલ ગણેશજી અંજારિયા એમને જન્મ ઈ. સ.૧૮૭૭માં ઓકટોબર મહિનાની રજી તારીખે (સંવત ૧૯૩૩ના ભાદરવા વદ ૧૦) રાજકોટમાં થયેલો; જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. માતાનું નામ નરભેકુંવર હતું. તેઓ સન ૧૮૯૮માં બી.એ., સન ૧૯૦૫માં એમ. એ; અને ત્યારપછી ૧૯૧૩માં એલ એલ.બી; સને ૧૮૯૯થી ગોંડલ રાજ્યના કેળવણી ખાતાની નોકરીમાં જોડાયા, અને એમ. એ થયા પછી સન ૧૯૦૬થી મુંબાઈ કેરપરેશનમાં સ્કુલ કમિટીમાં મુંબાઈની સ્કુલોના પ્રથમ આસીસ્ટંટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અને ૧૯૧૫થી ગુજરાતી સ્કૂલોના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમાયેલા અને તે હોદ્દા પર હજુ ચાલુ છે. ગોંડલ રાજ્યમાં તે વખતે સન ૧૯૦૩માં ગાંડલ રાજ્યનો ઈતિહાસ પ્રકટ કરેલો અને તે અરસમાં જ “કાવ્ય માધુર્ય” નામનું અર્વાચીન કવિતામાંથી સારી સારી કવિતાઓના સંગ્રહનું પુસ્તક પાલ્ગવની ગેલ્ડન ટ્રેઝરીના ધોરણે એડિટ કરી સારી ખ્યાતિ મેળવી હતી. તે પછી “કવિતા પ્રવેશ', સંગીત મંજરી, “સાહિત્ય પ્રવેશિકા,” પદ્યસંગ્રહ અને શાળાશિક્ષણને લગતાં પાઠય પુસ્તક ભૂગોળ અને કેળવણીના વિષયો પર લખેલાં છે. એમના ગ્રંથોની યાદી ગેડલનો વાતારૂપ ઇતિહાસ ૧૯૦૩ કાવ્ય માધુર્ય ૧૯૦૩ દેશભક્તિનાં કાવ્યો ૧૯૦૫ ગદ્યશૈલીના બે શિષ્ટ લેખકો (“વસન્ત' માસિકમાં) ૧૯૦૫ કવિતા પ્રવેશ (કરીમ મહમદ માસ્તર સાથે) ૧૯૦૮ સંગીત મંજરી ૧૯૦૯ મુંબઈ બેટની ભૂગોળ ૧૯૧૪ હિંદુસ્તાનની ભૂગોળ ૧૯૧૫ મધ્યબિન્દુ ૧૯૧૫ કિન્ડરગાર્ટન સંબંધી ૬ લેખ. ૧૯૧૬ બાળ સ્વભાવ અને બાળઉછેર ૧૯૨૦ સાહિત્ય પ્રવેશિકા. ૧૯૨૨ શિક્ષણ ચંદ્રિકા ૧૯૨૩ પદ્ય સંગ્રહ (શ્રી ગુ. વ. સોસાઇટી તરફથી) કવિતા વિનાદ. ૧૯૨૬ ૧૯૨૬ ૨૧૦
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy