________________
રતિલાલ હરિલાલ પંડયા
રંજિતલાલ હરિલાલ પંડયા
જાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ નડિયાદમાં સન ૧૮૯૬ માં આશે વદ ૧૪ ના રોજ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધેલું. તેઓ એલ એલ. બી. ની પરીક્ષા પાસ કર્યા પછી ઇગ્લાંડ જઈને બારિસ્ટર થઈ આવેલા. અત્યારે મુંબાઇની હાઈકોર્ટમાં તેઓ વકીલાત કરે છે. એમના પ્રિય વિષયો ચિત્રકળા અને તત્ત્વ જ્ઞાન છે. ગુજરાતી કવિતા પણ સારી લખે છે. તેમને સુરત સાહિત્ય પરિષદ તરફથી આધુનિક અને પ્રાચીન કાવ્ય પર નિબંધ લખવા માટે પારિતોષિક મળ્યું હતું. સન ૧૯૧૭ માં સ્વ. દેલતરામ વિષે એમણે બુદ્ધિ પ્રકાશ” માં લેખ લખેલો. સન ૧૯૨૬ માં “રામની કથા” એ નામનું કાવ્ય પ્રસિદ્ધ થયું હતું, જેને સાહિત્યકાર તરફથી સારો સત્કાર થયા હતા.
નવા લેખકેમાં એમનું સ્થાન આગળ પડતું છે. રામની કથા” કાવ્ય
સને ૧૯૨૬
૧૫