________________
ગ્રંથકાર ચરિત્રાવળી
જન્મશકર મહાશંકર મુચ (ઉર્ફે લલિત)
તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે. તેમના જન્મ ઈ. સ. ૧૮૭૭ માં તા. ૩૦ જૂને (સંવત ૧૯૩૩ ના બીજા જેઠ વદ ૫ ને શનિવારે) જુનાગઢમાં થયા હતા. માતાનું નામ સાક ગૌરી હતું. તેમણે સંગીત પાયેલું ને પિતાજીએ સાહિત્યનાં અંજન આંજેલાં. ગાંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઇસ્કુલમાં પ્રથમ સને ૧૯૦૩ માં કરી લીધેલી; તે પછી સને ૧૯૦૮ થી ૧૯૧૦ સુધી રાજકાટના તે વખતના અંગ્રેજી દૈનિક કાઠિયાવાડ ટાઈમ્સનું તંત્રીપદ લીધેલું અને તે સાથે એજંસીની સનદથી અદાલતેામાં ભાષાંતર કરી આપવાનું કાર્યાં પણ તેઓ કરતા. પ્રથમ ચંદ્ર' માસિકમાં કવિતા લખી મેાકલવાનું સને ૧૮૯૫ થી શરૂ કરેલું; જો કે પ્રથમ કવિતાના છુવારા સને ૧૮૯૩ માં છુટેલા અને તે પછી ઘણાંખરાં ગુજરાતી માસિકે! અને વર્તમાન પત્રામાં એમની સ્વદેશભક્તિ, લગ્નસ્નેહ, બાલભાવ, પ્રભુની પ્રેમભક્તિ, જીવન સાંધ્ય વગેરે અનેક વિષયા સંબંધી કવિતા અવારનવાર આવતી રહે છે. એમના કાવ્યસંગ્રહો વડાદરાને વડલે” અને “લલિતનાં કાવ્યેા’ એ નામથી છપાયલા છે; પણ તે પછી એમની રચેલી છૂટક પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ કવિતા ઘણી મળી આવશે. અસહકારની હિલચાલ વખતે તેમણે મુંબાઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપકનું કાર્ય સને ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી કરેલું અને તે પહેલાં કેટલાંક વર્ષો સુધી વડેદરા રાજ્યમાં લાયબ્રેરી ખાતામાં તેમને લેાકેાપદેશ તરીકે સને ૧૯૧૩ થી ૧૯૨૦ સુધી રાકવામાં આવ્યા હતા.
એમના મૃદુ અને સ્નેહાળ સ્વાભાવથી અને એમના માય ભા સાહિત્યરસિક કીતના-કાવ્ય સંગીતથી અનેકનાં મન હરી લેતાજ નિહ પણ જીવન રસભર્યા પાછા કરી દેતા તે જણાશે.
એમના ગ્રંથાની યાદીઃ
ગીત સંગીત–સીતા વનવાસ લલિતનાં કાવ્યેા.
વડાદરાને વડલે.
૭૨
૧૯૦૩
૧૯૧૨
૧૯૧૪