________________
ગ્રંથકાર ચરિત્રાવળી
મણિલાલ છબારામ ભટ્ટ
એમના પિતા છમ્મારામ નૃસિંહરામ જ્ઞાતિએ રાયકવાળ બ્રાહ્મણ હતા; અને અમદાવાદની પાસે આવેલા કુબડથલ ગામમાં રહી, ગામઠી નિશાળ ચલાવતા અને પુરાણ કથા વાત્તાંના ઉદ્યાગ કરતા. સન ૧૮૬૯-૭૦ માં તેમને ઘેર મણિલાલને જન્મ થયે!. શરૂઆતમાં ન્હાનપણથી જ તેમને સ્તોત્રપ્રકીણ ક્ષેાક વગેરે ગામડાના બ્રાહ્મણભટુએને મુખપાઠ કરાવવામાં આવે છે તેમ મેઢે કરાવવામાં આવેલા અને ઉપનીત પહેલાં ગુજરાતીને શાળામાં અને સંસ્કૃત વ્યાકરણના (સારસ્વતને!) ઘેર અભ્યાસ કરાવવામાં આવ્યા. સારસ્વત પછી રહ્યુ અને બીજા કાવ્યેાને અભ્યાસ ચાલતે હતા એવામાં તેમનાં માતા અને પછી એકાદ વર્ષોમાં તેમના પિતા પરલેાકવાસી થયા; તેથી તેવા અમદાવાદમાં સ્વ॰ ભાઈશંકર નાનાભાઇને ઘેર તેમના મેાસાળમાં ઉછર્યાં. અહિં શિષ્ટ અને ઉચ્ચ નાગરમિત્રાના સહવાસથી નાગરિક ઉચ્ચ સંસ્કાર સાથે ઈંગ્રેજીના સાતમા ધારણ સુધીના અભ્યાસ સુધી પહોંચવાને તેમને અત્યુત્તમ પ્રસંગ પ્રાપ્ત થયા. હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા તેની જ સાથે સાથે ફાજલ સમયમાં ભાસ્કરશાસ્ત્રીને ત્યાં જઇ નૈષધ ચરિત ’ જેવા કઠિન કાવ્યનું તેમજ કૌમુદીનું અધ્યયન કરવા માંડયું; પણ તે પૂરું શિખી રહે તે પહેલાં અને મેટ્રીકની પરીક્ષામાં બેસવાને સમય આવી પહેાંચે તે પહેલાં એમનાં દાદી દેવલેાક પામ્યાં અને તેમના મેટા ભાઇ એક ભાડાનું ઘર રાખી જૂદા રહેવા લાગ્યા. આ સાંસારિક વિટંબણામાં આવી પડવાથી તેમની કેળવણીની પણ સમાપ્તિ થઈ; અને મુંબાઈમાં સેાલીસીટરની આપીસામાં કારકુન તરીકે નેાકરી સ્વીકારવી પડી. સંસ્કૃતના શેખ મૂળથી એટલે બાકીના વખતમાં ૫. ગટુલાલજીની સંસ્કૃત શાળામાં પણ જતા હતા. થોડા મહિના પછી રેલ્વેતારનું શિખવાના ઇરાદે તે સુરત ગયા; પણ ત્યાં તાવના સકંજામાં સપડાવાથી અને નાદુરસ્ત તબિયત રહેતી હાવાથી, અમદાવાદ પાછા ફર્યાં. ત્યાર પછી દોઢેક વર્ષે ગુજરાત ગેઝીટ' સાપ્તાહિક વર્તમાનપત્રમાં ભાગીદારો તરીકે જોડાયા; અને પેાતાની કલમ ચલાવા માંડી. સંસ્કૃત, ગુજરાતી, ઈંગ્રેજી, મરાઠી અને હિન્દી પુસ્તકાના વાચનથી તેમનું જ્ઞાન સર્વદેશીય બન્યું હતું. જન્મસિદ્ધ કાવ્યલેખન શક્તિમાં કઈ આર ઉમેરા થવા લાગ્યા. ‘બુદ્ધિપ્રકાશ’માં “સીતાહરણ' નાટક (અપૂર્ણ) તેમજ ૮ ભારતી ભૂષણ’માં “મૃગાવતી”ના ત્રણ અંકે લખ્યા. વળી એ અરસામાં
૧૪૮
((