________________
મંજુલાલ જમનારામ દવે
દીપ સુધી પશ્ચિમ પૂર્વ તેમણે મુસાફરી આદરી છે, અને અનેકવિધ અનુભવો ઝીલી પશ્ચિમના મહાન સ્ત્રી પુરૂષોના નિકટ સંબંધમાં આવ્યા છે.
વિલાયતથી પાછા ફરતાં તેઓ મુંબઈની વિલસન કોલેજમાં કેન્ચ ભાષા સાહિત્યના મુખ્ય અધ્યાપક નિમાયેલા અને મુંબઈ યુનિવર્સીટી તરફથી સ્થપાયેલા ઈન્ટર–કોલેજીએટ વર્ગોમાં તેમણે પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સમક્ષ ફેન્ચ વાલ્મય તે સંસ્કૃતિ વિષયક વ્યાખ્યાનમાળા દીધેલ. સન ૧૯૨૯-૩૦ માં કલકત્તા યુનિવર્સીટીના ડો. કાલિદાસ નાગ સાથે ડો. મંજુલાલ દવે પણ મુંબઈ વિદ્યાપીઠના એકસ્ટેન્શન લેકચરર તરીકે નિમાયેલા; અને ફ્રાન્સના લક્ષ્ય સાહિત્ય (Symbolism) પર છ વ્યાખ્યાનો આપેલાં. સેન્ટ ઝેવીઅર કોલેજના પ્રીન્સીપાલ ફાધર ધુર તથા મુંબઈમાં રહેતા ફ્રેન્ચ કેન્સલ મ. શાલાં ઇત્યાદિ ફેન્ચવાડમય વિશારદો તરફથી એ વ્યાખ્યાને પ્રશંસાને પામેલાં.
સન ૧૯૦૮ માં તેમને પ્રથમ લેખ વડેદરા કોલેજ મિસેલેરીમાં છપાયલો. ત્યારબાદ ટાગોરના ડાક-ઘર–પોસ્ટ ઑફીસ નાટકને અનુવાદ કરેલ. ટાગોર વિષે એમણે ઉંડો અભ્યાસ કરેલો છે; અને પુરાણકાળથી પ્રખ્યાત એવી દક્ષિણ કાન્સના મુખ્ય નગર મેંપીલી એની યુનિવસીટીની સાહિત્યવિશારદ (ડૉકટર ઑફ લેટર્સ) ની પદવી, “લા પોઝી દ રવીન્દ્રનાથ ટાગોર”-રવીન્દ્રનાથ ટાગોરની કવિતાકલા–નામનો કેન્ય ભાષામાં અઢીસે પાનાને એક નિબંધ રજુ કરીને મેળવી છે. આ નિબંધ યુરોપ અમેરિકાના જાણીતા વિદ્વાનો તથા આંતરરાષ્ટ્રિય સન્માનને પામેલ સાક્ષરજનો તરફથી ઘણજ પ્રશંસાને પામેલ છે. ગાંધીજી જેમને “પશ્ચિમના પ્રજ્ઞ” એ નામે સંબોધે છે અને જેઓ સાચા જ સ્થિતપ્રજ્ઞ ને સાગ સિધ્ધ પુરૂષ છે, તેવા મ. રમેં રોલાંને એ નિબંધ (જે પુસ્તક રૂપે પ્રસિધ્ધ છે) પરને પ્રશંસાપત્ર આ રીતને છેવહાલા મિત્ર,
રવીન્દ્રનાથ ટાગોરની કવિતા” નામક સુસુન્દર પુસ્તક તમે મને મોકલાવ્યું તે માટે તમારો અત્યંત આભાર માનું છું. અતીવ ઉંડેરા ભાવે મેં તેને ઉકેલ્યું છે: કાન્સમાં તો તેની ખાસ જરૂર જ હતી, કારણ ત્યાં જેટલા ટાગોર પ્રખ્યાત છે તેટલા પરિચિત નથી જ. સારું થએ તમારું પુસ્તક એ મહાનુભાવ સાહિત્યકારને તેના સર્વોત્કૃષ્ટ પ્રકાશમાં તેની સર્વ
૧૫૩