________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
મંજુલાલ જમનારામ દવે
એ મૂળ પેટલાદના વતની; જાતે વડનગરા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ સંવત ૧૯૪૬ ના જેઠ વદી ૧૧ (તા. ૧૩–૬–૯૧) ના રોજ પેટલાદ ગામમાં થયો હતો. એમના પિતાનું નામ જમનારામ લાલરામ દવે તથા માતાનું નામ ઝીણુબા છે.
એમણે પ્રાથમિક અને માધ્યામિક કેળવણી પેટલાદ તથા વડોદરામાં લીધી હતી. સન ૧૯૦૬ માં મેટ્રિક થઈ વડોદરા કોલેજમાં જોડાયેલા. સન ૧૯૧૧ માં નેચરલ સાયન્સ-વનસ્પતિ શાસ્ત્ર તથા પ્રાણું વિજ્ઞાન શાસ્ત્રના ઐચ્છિક વિષય લઈને બીજા વર્ગમાં બી. એ., પાસ થયેલા. સન ૧૯૧૫ માં ગુજરાતી તથા ઈગ્રેજી ભાષાસાહિત્યના એચ્છિક વિષય લઈ અંગ્રેજીમાં પહેલા વર્ગના માર્કસ મેળવી એમ. એ. ની ડીગ્રી મેળવેલી.
ગુજરાતી, ઈંગ્રેજી તથા ફેન્ચ સાહિત્યના અધ્યાપક તરીકે તેમણે કાર્ય કરેલું છે.
ભિન્ન ભિન્ન દેશનાં સાહિત્ય તથા સંસ્કૃતિ, એ એમનો પ્રિયતમ અભ્યાસક વિષય છે.
સન ૧૯૧૬ માં તેઓ પ્રથમ પાટણની ન્યુ ટ્રેનિગ કેલેજમાં ગુજ. રાતી ભાષાસાહિત્યના અધ્યાપક નીમાયેલા; અને તેજ સમયથી ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિની કે કે ભાવનાએ તેમણે સકુટુમ્બ સેવેલી: જે આજ નાટયે, નિબંધ, કાવ્યો, સમીક્ષાઓ, વાર્તાઓ, ચરિત, સંવેદને, વિગેરે રૂપે પ્રસિદ્ધ છે.
સન ૧૯૧૮ માં તેઓ સુરત એમ. ટી. બી. આર્ટસ કોલેજમાં ઈગ્રેજીના અધ્યાપક નિમાયા હતા. પાછળથી સન ૧૯૨૧ માં તેઓ કોલ્હાપરમાં રાજારામ કેલેજમાં ગયેલ. તે પછી ૧૯૨૬ માં ઇંગ્લેંડ, ફ્રાન્સ ઇત્યાદિ પાશ્ચાત્ય દેશોમાં વધુ અભ્યાસ માટે, તેમ તે તે દેશની સાર્વદેશીય સુસંસ્કૃત પ્રવૃત્તિ પ્રગતિના નિરીક્ષણ-સમીક્ષણ કાજે, જઈ ત્યાંથી પી. એચ ડી અને ડી. લીટ (ડોકટર ઑફ ફીલોસોફી તથા ડોકટર ઓફ લીટરે ચર) ની માનવંતી પદ્ધીઓ મેળવી આવ્યા છે. ઉપરાંત યુરોપખંડને એક છેડેથી બીજે છેડે–આટલાંટીક મહાસાગરમાંના એરન દ્વીપના જૂના જગતને ચારેથી તે તે ખંડની પ્રાચીન સંસ્કૃતિને વહતા ગ્રીસદેશના ક્રીટના
૧૫૨