SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ નવલરામ જગન્નાથ ત્રિવેદી નવલરામ જગન્નાથ ત્રિવેદી એએ જ્ઞાતિએ ઔદિચ્ય બ્રાહ્મણ છે; એમના પિતાનું નામ જગન્નાથ ઉમિયાશંકર ત્રિવેદી અને માતાનું નામ ખાઈ ઉજમ છે. એમનું વતન વઢવાણ સીટી છે; અને એમને જન્મ તા. ૧૧ મી એકટેમ્બર ૧૮૯૫ ના રાજ થયા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે વઢવાણ કેમ્પની શાળામાંજ લીધું હતું. સન ૧૯૧૪ માં તેઓ મેટ્રિકમાં પાસ થઇ, ગુજરાત કાલેજઅમદાવાદ-માં વધુ અભ્યાસ માટે જોડાયા હતા. સન ૧૯૨૦ માં તે બી. એ., થયા; ને તે પછી લાલશ ંકર ગુજરાત મહિલા પાઠશાળામાં અધ્યાપક તરીકે રહ્યા, જ્યાં હજી કામ કરે છે. પાઠશાળાના કામકાજ સાથે એમ. એ., ને આગળ અભ્યાસ કરી સન ૧૯૨૬ માં તે ડીગ્રી મેળવી હતી; અને વચગાળે સન ૧૯૨૩માં મુંબાઇ યુનિવર્સિટીના ઇનામી નિબંધ “ગુજરાતમાં સને ૧૮૪૮ થી ૧૯૧૪ સુધીમાં થયેલ સમાજ સુધારાની પ્રગતિ” એ માટે હરીફાઇ કરી નારાયણુ પરમાનંદ પ્રાઈઝ મેળવ્યું હતું. એમના પ્રિય વિષયા સાહિત્ય, સમાજશાસ્ત્ર અને પોલિટીક્સ છે; તેમજ અંગાળી, મરાઠી, હિંદી અને સંસ્કૃત વગેરેને સારે। પરિચય ધરાવે છે. સાહિત્ય પ્રતિની એમની અભિરુચિ અને ગાઢ અભ્યાસના કારણે તેમને ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી નિમવામાં આવ્યા હતા, જે પદે ગયે વર્ષે માંદા પડી, પેાતાના ગામ ગયા ત્યાં સુધી રહ્યા હતા. માસિકેામાં તેઓ અવારનવાર લેખ લખી મેાકલે છે. એમના ગ્રંથામાં “ કારાવાસની કહાણી,'' શ્રૃંગાળી પુસ્તકાના આધારે લખાયલું રાજકીય વિષયનું પુસ્તક જાણીતું અને વાંચવા જેવું છે. એમના ગ્રંથાની યાદીઃ કારાવાસની કહાણી ખાટાદકરનાં કાવ્યા ૧૧૫ સન ૧૯૨૧ સન ૧૯૨૩
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy