________________
ગ્રંથકાર ચરિત્રાવળી.
છોટાલાલ નરભેરામ ભટ્ટ
એમને જન્મ મહેમદાવાદમાં ઈ. સ. ૧૮૫૦ માં થયો હતો; જો કે તેમનું વતન અલીંદ્રામાં (તાલુકે માતર) છે. તેમના પિતાના સાધને સંકુચિત હોવાથી નાનપણમાં કેળવણી પિતાના મોસાળમાં–મહેમદાવાદમાં લીધી હતી. ગુજરાતી અભ્યાસ પૂર્ણ કરી શિક્ષકની નોકરી લીધેલી. તેમણે થોડે ઘણે અંગ્રેજી અભ્યાસ પણ કર્યો છે. સુરતની ટ્રેનિંગ સ્કુલમાં પાસ થઈ, ભરૂચ છલામાં નોકરી લીધી. તે વખતે કોઈ વિદ્વાનનો સમાગમ થવાથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, વૈદ્યક અને પુરાણોને અભ્યાસ તેમણે કરી લીધું. બચપણથી જ તેમને કવિતા કરવાને શેખ હતા અને તેને લીધે તેમને તે સમયમાં કવિ ગણપતરામ રાજારામ ભટ્ટ સાથે મૈત્રી થઈ હતી. તેમણે એક શાસ્ત્રીની પાસેથી તક સંગ્રહાદિ તથા નાટક, ચંપુ વગેરે ગ્રન્થને અભ્યાસ કર્યો હતો. આ વખતથી તેમણે સંસ્કૃત કવિતાઓ લખવા માંડેલી. સાથે સાથે પોતાનો શિક્ષક ધર્મ પણ યથાર્થ બજાવતા હતા. એક ભીખ માગવા આવતા ફકીર પાસેથી થોડે ઉદુને અભ્યાસ કર્યો. પ્રથમ તેમણે સંવત, ૧૯૩૪ માં “સ્વદેશ વત્સલ'માં લેખ લખવાની શરૂઆત કરી. ત્યાર પછી તેમણે પહેલું પુસ્તક “કામકટાક્ષ” લખ્યું. તેમને ભરૂચવાળા અદ્વૈતાનંદ
સ્વામીની પાસેથી વેદાન્તના ગ્રન્થ વાંચવાનો સારો લાભ મળેલો. ગાયકવાડી રાજ્યમાં તેમણે કેટલીક મુદત સંસ્કૃત શિક્ષક અને હેડમાસ્તરની નોકરી કરી છે. હાલમાં તેઓ પેન્શનર થયા છે; અને પિતાનું શાન્ત જીવન વેદાન્ત મનન અને લેખનમાં વડોદરામાં ગાળે છે. “કેળવણું’ નામના માસિકના તેઓ અધિપતિ હતા; અને અત્યારે પણ વેદાન્તનાં જે જે પુસ્તક પિતે વાંચે છે, તેમના ઉપર સરલ ટીકા લખતા જાય છે. હાલ તેમને ચાર પુત્રો છે. પ્રાચીન કાવ્યમાળામાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકની ટીકા લખવા ઉપરાંત તેમણે લખેલાં ગ્રન્થને કંઇક ખ્યાલ, એમના એક શિષ્ય દયાશંકર રવિશંકરે લખેલા નીચેના છપ્પા પરથી મળી આવે છે.
છ પેય, સ્વતંત્ર ગ્રન્થ અઢાર રચ્યા રસભાવ ભરેલા, વિવિધ વિષયમય વિશદ કલ્પના યુક્ત કરેલા, બહુ વર્ષો લગી રહ્યા ત્રણ માસિકના સ્વામી, બે હઝાર લગી લેખ લખ્યા નહીં જેમાં ખામી,
(9