________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાર્નિ,
ક અવલોકન
પ્રસ્તુત લેખને છેડે સન ૧૯૨૯માં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત
યાદી આપી છે, તે પુસ્તકની સંખ્યા આશરે ૬૧૦ની સંખ્યા થવા જાય છે; પણ એ સિવાય એવાં બીજાં કેટલાંક
પુસ્તકો બાકી રહેલાં હશે, જે સાધનના અને માહિતીના અભાવે સદરહુ ગણત્રીમાં આવ્યાં નહિ હોય; અને તે ઉપરાંત શાળાપયોગી અર્થ અને નોસની ચોપડીઓ, નાટકોનાં ગાયનોની ચોપડીઓ, અને અલાઉ બજારૂવાર્તાઓ અને કવિતાની ચોપડીઓ, જેની નોંધ એમાં કરવામાં આવી નથી; એ બધી પ્રસિદ્ધિઓને ઉપરની સંખ્યામાં અડસટે ઉમેરીએ તે તેની કુલ સંખ્યા લગભગ સાડી સાતમેં પુસ્તકોની થવા જાય; એટલે કે, દરરોજનાં બે પુસ્તકે સરેરાશ પ્રસિદ્ધ થયાં છે, એવું અનુમાન તે પરથી ખેંચી શકાય; અને તેને બીજી રીતે સમર્થન પણ મળે છે. તાજા બહાર પડેલા મુંબાઈ ઇલાકાના સન ૧૯૨૮-૨૯ના વાર્ષિક
રીપોર્ટમાં સન ૧૯૨૮માં ગુજરાતી ગ્રંથ પ્રકાશનની સાધન સંખ્યા ૫૦૬ની આપી છે, અને એ તે પ્રસિદ્ધ વાત
છે કે એ નોંધમાં દેશી રાજ્યો-જેમકે, વડોદરા, ભાવનગર, રાજકોટ, ગોંડલમાં પ્રકટ થતાં પુસ્તકોનો સમાવેશ થતો નથી; અને હમણું હમણું ત્યાંથી ચેકબંધ પુસ્તકો પ્રસિદ્ધ થાય છે, એમ કે પણ સામાન્ય વાચક કહી શકશે.
વળી બીજી ભાષાઓ-મરાઠી, હિન્દી, કાનડી, બંગાળી વગેરેમાં પ્રતિ ગ્ર ટી આ વર્ષે પ્રકટ થતાં પુસ્તકોની સંખ્યા અને તેની વર્ગીકૃત એનાં પ્રકાશન સાથે યાદી ઉપલબ્ધ થાય, તે હિન્દની મુખ્ય મુખ્ય દેશી સરખામણી
** ભાષાઓમાં કયી દિશામાં અને શી પ્રગતિ થતી રહે
' છે, તેનું માપ કાઢવાનું સુગમ બને. ઉપર ઉલેખ કરેલા સરકારી વાર્ષિક રીપોર્ટમાં મરાઠી પુસ્તકોની સંખ્યા ૬૭૭, કાનડીની ૮૫ અને હિન્દીની ૧૦૧ બતાવેલી છે. પરંતુ