________________
ગ્રંથકાર ચરિત્રાવળી
નૃસિ’હપ્રસાદ કાલિદાસ ભટ્ટ
એએ જ્ઞાતિએ પ્રશ્નારા બ્રાહ્મણ; વતની ભાવનગરના અને જન્મ પણ ત્યાંજ સંવત્ ૧૯૩૯ ના કાર્તિક શુદ એકમ-નવા એસતા વર્ષે થયે હતા. એમના પિતાનું નામ કાલિદાસ છેટાલાલ ભટ્ટ અને માતાનું નામ આદિમ્હેન હીરાલાલ પડયા છે. એએએ ભાવનગરમાં જ બધું શિક્ષણ લીધેલું. સન ૧૮૯૯ માં મેટ્રીક થયા પછી શામળદાસ કાલેજમાં તેએ જોડાયલા. સન ૧૯૦૩ માં બી. એ. ની પરીક્ષા વેદાન્ત અને અંગ્રેજી સાહિત્ય ઐચ્છિક વિષય લઇને પાસ કરી હતી. એમ. એ. માં એમને ઐચ્છિક વિષય શાંકરવેદાન્ત અને અંગ્રેજી સાહિત્ય હતા અને તે ડીગ્રી સન ૧૯૮૭માં લીધી, તે પછી તેઓએ કેળવણી ખાતા તરફથી એસ. ટી. સી. ડી. ને ડિપ્લામા મેળવ્યા હતા. સન ૧૯૦૮ માં એમની નિમણુંક ભાવનગરની શામળદાસ કાલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે થઈ હતી; પણ ચાલુ શિક્ષણપદ્ધતિ ખામીભરેલી અને અપૂણૅ જણાવાથી, તેમ તેમાં ધાર્મિક સંસ્કાર પાષવાને કંઇ પણ વ્યવસ્થા વા યેાજના નહિ હોવાથી તેમનું મન તે પરથી ઉઠી ગયલું; અને જેમણે એમના જીવન પર પ્રબળ અસર કરેલી અને એમના ધાર્મિક જીવનના વિકાસ કરેલા એવા જાણીતા આચાર્ય શ્રીમન્ નથુરામ શર્માની સહાનુભૂતિ અને સક્રિય સહાયતા મેળવી, સન ૧૯૧૦ માં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શરૂઆત કરેલી. તે કાય માટે એમણે પેાતાની અધ્યાપક તરીકેની માનવાળી જગા છેાડી દઇ, સદરહુ સેવાકાર્યં એક જીવનકર્ત્તવ્ય તરીકે સ્વીકાર્યું; અને તે પાછળ એમને ભાગ-સ્વાપણુ-ખચિત એમના માટે અત્યંત માનની લાગણી તેમ પૂજ્ય
ભાવ પ્રકટ કરે છે.
તે પછી એ સંસ્થા એમના નેતૃત્વ નીચે ફૂલીફાલી છે; તે એક કેળવણીની પ્રયાગશાળા થઇ પડી છે; અને એ સંસ્થામાં થતું કાય નવી કેળવણી પ્રવૃત્તિનું એક કેન્દ્ર બની રહી, તેની અસર અને પ્રભાવ સમસ્ત ગુજરાત પર પડતા રહ્યા છે, તેને યશ વાસ્તવિક રીતે એમને અને એમના સાથીઓને ઘટે છે.
દક્ષિણામૂર્તિ ભવન એક સ્વતંત્ર શિક્ષણસંસ્થા છે. તે ગુજરાત વિદ્યાપીઠ સાથે નિકટ સંબંધ ધરાવે છે, જેના તેએ એક વખતે વાઇસ ચાન્સે લર-કુલનાયક હતા. દક્ષિણામૂર્તિ ભવનના ગૃહપતિ તરીકે એમને જે અનુ
૧૨૦