SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ શરૂઆતમાં તેઓ સ્વ. મણિલાલ નભુભાઈના “સુદર્શનમાં લેખો લખતા અને પાછળથી એમના મૃત્યુ બાદ કેટલોક સમય તે માસિકને ચલાવેલું; પણ સ્વદેશ અને માતૃભાષાની જરૂરિયાત લક્ષમાં લઈને સન ૧૯૦૨ માં “વસન્ત” નામનું નવું માસિક કાઢયું, જેને રજત મહોત્સવ સન ૧૯૨૭ માં ભારે દબદબાથી ઉજવવામાં આવ્યો હતો. સન ૧૯૨૮ માં તેઓ નવમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમાયા હતા અને તેના આગલા વર્ષે બીજી ગુજરાતી પત્રકાર પરિષદના સ્વાગત મંડળના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું. તેમજ સન ૧૯૨૦ માં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદમાં મળેલી તેનું સ્વાગત કરવાનું માન પણ એમને મળેલું. | ગુજરાતમાં જ નહિ પણ અખિલ ભારતવર્ષમાં એક પ્રતિષ્ઠિત તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે તેમણે સારી ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે; અને એથી જ સન ૧૯૨૮ માં મદ્રાસમાં મળેલી ચોથી ફિલોસોફિકલ કોગ્રેસના તેમને પ્રમુખ નિમવામાં આવ્યા હતા અને તે આગમચ બનારસમાં મળેલી બીજી ફિલોસોફિકલ કોગ્રેસના ઈન્ડિયન સેકશનના તત્ત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ચુંટાયા હતા. તેઓ હિન્દુસ્થાનની સર્વ યુનિવર્સિટીના મંડળના (ઇન્ટર યુનિવર્સિટી બોર્ડના) આ વર્ષે ચેરમેન નીમાયા છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં તેઓ ઉંચું સ્થાન લેંગવે છે અને તેમના લખેલા ગ્રંથે અને લેખો અનેક છે. એમના ગ્રંથની યાદી: શ્રીભાષ્ય ભા. ૧, ૨ સન ૧૯૧૩ ધર્મવર્ણન ૧૯૧૩ નીતિશિક્ષણ ૧૯૧૪ આપણો ધર્મ ૧૯૧૬ હિન્દુ ધર્મની બાળપોથી ૧૯૧૮ હિન્દુ વેદધર્મ ક ૧૯૧૯
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy