________________
નર્મદાશંકર દેવશંકર મહેતા
કારપરેશને એમની તેના ડેપ્યુટી કમિશનર તરીકે પસંદગી કરી હતી. ત્યાંનું કામકાજ એટલું સંતોષકારક નિવડયું હતું કે તેઓ નિવૃત્ત થયા પછી પણ કેરપરેશને તેમને રિફ્રેન્ચમેન્ટ (ખર્ચમાં કાપકુપ)ના કામ માટે ફરી નિમ્યા હતા, જે એક ઉત્તમ પ્રમાણપત્ર લેખાય; અને તેની વિશેષ પ્રતીતિ સિટિ
મૂવમેન્ટ બેડે રૂ. ૨૦૦૦ ના માસિક પગારથી એમને મુંબાઈ છોડી જતાં જતાં તેના એકિટંગ ચિફ ઓફીસર તરીકે નિમણુંક કરી હતી, તેથી થાય છે.
આથી જ્યાં જ્યાં અને જેમની હાથ નીચે અને જેમની સાથે એમને નોકરી કરવાના અને કામ કરવાના પ્રસંગો પડેલાં છે. ત્યાં ત્યાં એમને હિમેશ યશ મળેલો છે અને એમના કાર્યની ને સેવાની પ્રશંસા થયેલી છે, જેની ખાત્રી એમને મળેલાં સંખ્યાબંધ ઉપલા અધિકારીઓના પત્રો, ઠરાવ અને સરટીફીકેટ કરી આપશે.
રેવન્યુ ખાતું જ એવું છે કે ત્યાં ભલભલો સરસ્વતી દેવીને ઉપાસક, તેની આરાધના અને સેવામાં શિથિલ થઈ જાય; એટલી બધી તે કરી વ્યવસાયી, શ્રમભરી અને વ્યગ્રતા કરનારી છે. પણ એમના સંબંધમાં ખુશી થવા જેવું એ છે કે ચાલુ નિયત કાર્યો અને અન્ય વ્યવસાયમાંથી સમય મેળવી, સરસ્વતી દેવીની સતત આરાધના કરવાનું તેઓ વિસર્યા નથી.
દક્ષિણ ફેલ હતા ત્યારે સુજ્ઞ ગેકુળજી ઝાલા નિબંધ ઈનામ મળેલું તે પછી સન ૧૮૯૯ માં ચાલુ નોકરી સાથે ફરી હરીફાઈમાં ઉતરી “અદ્વૈત બ્રહ્મસિદ્ધિ' એ કઠિન ગ્રંથનો અનુવાદ કરી, સદરહુ ઇનામ બીજીવાર મેળવેલું.
આ વેદાંત પ્રાઇઝ બેવાર મેળવનાર તેજ ઇનામના સંબંધમાં પ્રિન્સિપાલ આનંદશંકરભાઈ સાથે સને ૧૯૧૮--૧૮ ના અરસામાં મુંબઈ યુનીવસટી તરફથી પરીક્ષક નીમાયા હતા.
ત્યાર પછી એમને લેખિનિ પ્રવાહ સતત વહેતે રહ્યો છે. એમના પ્રકીર્ણ લેખેને સંગ્રહ સે સવાસોથી વધુ થવા જાય છે, જેમાંના ઘણખરા લેખે ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતાં છે. આ લેખ ઘણાખરા શ્રેયઃ સાધક અધિકારી વર્ગ તરફથી વર્ષમાં બે વાર પ્રકટ થતી “સદુપદેશ શ્રેણી” માં પ્રસિદ્ધ થયા છે.
શ્રીમન નૃસિંહાચાર્યને તેઓ પિતાના પૂજ્યગુરૂ માને છે અને શ્રી શ્રેયઃ સાધક અધિકારી વર્ગ-મંડળની પ્રવૃત્તિમાં ભાવપૂર્વક મુખ્ય ભાગ લે છે,
૧૦૯