________________
દેશળજી કહાનજી પરમાર
નવું અને ઉગતું ગુજરાત કેવી ભાવના અને મને સેવી રહ્યું છે; તેના આદર્શ અને અભિલાષ શા શા છે, એનું ચિત્ર એમના લેખે અને કામાંથી મળી આવશે અને નવ ગુજરાતના પ્રતિનિધિ કવિ અને લેખક તરીકે એમને ઓળખવામાં એક પ્રકારનું જેમ માન છે, તેમ એમના લખાણની યોગ્ય કસેટી છે.
મહાત્માજી વિષે તેમજ શહીદ જતીન્દ્રનાથદાસ વિષે એમણે બે ખંડ કાવ્યો રચેલાં છે; અને પ્રકીર્ણ કાવ્ય “ગૌરીનાં ગીત” એ નામથી પ્રકટ થયેલાં છે. એમનું ગદ્ય લખાણ, એમના પદ્યની પેઠે ભાવનાભર્યું અને કવિત્વમય છે.
એમને ગ્રંથઃ
ગૌરીનાં ગીત