________________
ગ્રંથકાર ચરિત્રાવળી
રામલાલ ચુનીલાલ મેાદી
એએ પાટણના વતની અને જ્ઞાતિએ દશા વાયડા વિણક કામના છે. એમને જન્મ સંવત ૧૯૪૬ના શ્રાવણ સુદ ૭ ના દિન થયા હતા. એમના પિતાનું નામ ચુનીલાલ નરભેરામ અને માતાનું નામ ખાઇ જડાવ-તે ઇશ્વરદાસ રતનજીની પુત્રી છે. તેમના મામા પેાતાની પરમ વૈષ્ણવતા માટે ગુજરાતમાં જાણીતા થયેલા કેશવલાલ ઈશ્વરદાસ હતા. એમના ધાર્મિક વિચાર ઉપર તેમની ઊંડી અસર થઇ છે.
એમણે બધું શિક્ષણ પાટણમાં લીધું છે. તેમણે સન ૧૯૦૮માં પાટણ હાઇસ્કુલમાંથી મેટ્રિક્યુલેશન અને સ્કુલફાઇનલની પરીક્ષા પાસ કરી હતી. તે પછી તે વડેદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા હતા અને હાલમાં પાટણ હાઇસ્કુલમાં શિક્ષક છે. ઘેાડાં વર્ષ તેએ ઉંઝા અને ચાણુસ્માની મીડલ સ્કૂલમાં હેડમાસ્તર પણ હતા.
એમના પ્રિય વિષયે પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસનું સાધન છે અને એ ક્ષેત્રમાં કેટલુંક મહત્વનું તેમ ઉપયેાગી કાય કરવા તેએ શક્તિમાન થયા છે. એમનેા પ્રથમ લેખ “ ગુજરાતી શબ્દકોષ'' એ નામના સન ૧૯૦૯ ના મે અંકમાં “બુદ્ધિપ્રકાશ’'માં પ્રકટ થયા હતા. તે પછી એમના પ્રકણ લેખે, સાહિત્ય અને ઇતિહાસ વિષયક, જૂદા જૂદા માસિકા અને ગુજરાતી અઠવાડિકમાં પ્રકટ થયેલા છે; અને તેમાં ક છને કંઈ વિચારવાયેાગ્ય મુદ્દાઓ મળી આવશે.
પાટણના વતની હોઈ તે સ્થાનિક ગ્રંથકારા અને કવિએ માટે વિશેષ મમત્વ ધરાવે એ સ્વાભાવિક છે. અને એમના વિષે એમનું જ્ઞાન અને માહિતી પણ મહેાળી છે, તેની પ્રતીતિ એમણે પાંચમી વડાદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ, જે હમણાં પાટણમાં મળી હતી તે માટે તૈયાર કરેલા લેખ પરથી થશે. તેઓ ભાલણનાં કાવ્યેાના ખાસ અભ્યાસી છે. એમણે લખેલું ભાલણચરિત્ર પ્રાચીન કવિએના ચરિત્રગ્રંથામાં, પ્રમાણભૂત ગણાઇ, ઉંચુ સ્થાન લે છે. વળી ભાલકૃત ‘એ નળાખ્યાન 'નું સંશોધન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એમને રૂ. ૧૦૦)નું પારિતાષિક મળ્યું હતું. ગુ. વ. સાસાઇટી તરફથી ‘જાલંધર આખ્યાન, ભાલણ, વિષ્ણુદાસ અને શિવદાસ એ કવિઓએ લખેલું, એડિટ કરવાનું કાર્ય, એમને સોંપાયું હતું, જે લગભગ પુરૂં થવા આવ્યું છે.
૧૬૮
"