________________
ગ્રંથકાર ચરિત્રાવળી
એ સંસ્થાના–Bombay Anthropological society ના–આસરે ૩૦ વર્ષો સુધી તેઓ ઓનરરી સેક્રેટરી હતા. એ અરસામાં બે વખત તેના પ્રમુખ નિમાયા હતા.બેબે બ્રાંચ ઓફ રોયલ એશીઆટીક સોસાએટીના આસરે ૧૭ વર્ષ ઉપ-પ્રમુખ રહ્યા હતા અને હાલ બે વર્ષ થયાં પ્રમુખ છે. એ
સાઈટી સમક્ષ આશરે પ૦) વિષયો વાંચ્યા છે, જે ચાર પુસ્તકોમાં પ્રગટ થયાં છે.
ઈરાનની તવારિખને પણ એમણે સારો અભ્યાસ કરેલો છે. યુરોપ, એશિયા, આફ્રીકા અને તેમાં હિંદુસ્તાન, બરમા, ફ્રેંચ ચાના, ચીન અને જાપાનના જુદા જુદા ભાગોની અનેક વાર લાંબી મુસાફરી કરેલી છે; અને ત્યાંથી જાતમાહિતી મેળવેલી છે, એ જેમ માનસ્પદ તેમ મગરૂરી લેવા જેવી બીના છે. છેલ્લી ૧૯૨૫ માં કરેલી યુરોપ, આફ્રીકા અને એશિયા–અને તેમાં રશીઆ અને ઇરાનની મુસાફરીનું વર્ણન એક પુસ્તકમાં પ્રગટ કર્યું છે.
એઓ પ્રસ્તુત વિષયોમાં એટલા પારંગત થયેલા છે; એમણે એટલી બધી વિદ્વત્તા અને જ્ઞાન પ્રાપ્ત કરેલાં છે કે પૌર્વાત્ય વિષયોના અભ્યાસ કરનારી, યુરેપની જૂદી જૂદી જાણીતી મંડળીઓએ, એમને પિતાની સંસ્થાના ઓનરરી સભાસદ નીમીને અપૂર્વ માન આપ્યું છે તેમજ માન ભરી પીઓ બક્ષેલી છે, એ બધું એક હિન્દી વિદ્વાન માટે ખરે, અભિનંદનીય કહેવાય.
સ્વ ખરશેદજી રૂરતમજી કામા પછી જરસ્તી અને ઇરાનિયન વિષયમાં કેઈએ ઉંચું માનભર્યું સ્થાન મેળવ્યું હોય તે તે એઓ જ છે. હિન્દના વિદ્વાન વર્ગ એમને ચોથી ઓરિયંટલ કોન્ફરન્સ સન ૧૯૨૬માં અલ્હાબાદમાં મળેલી તેના પ્રમુખ નીમી, એમના પ્રત્યેનો પોતાનો અભાવ અને માનની લાગણી પ્રદર્શિત કર્યા હતા.
તેઓ ઉપર જણાવ્યું તેમ મુંબાઈ એશિયાટિક સોસાઈટીના પ્રમુખ છે; અને બીજી ઘણી સંસ્થાઓ સાથે નિકટ જોડાયેલા છે. કામા ઓરિયંટલા ઇન્સ્ટીટયુટની કૃતિમાં એમને મોટો હાથ રહેલો છે.
એમના ગ્રંથેની ટીપ માત્ર જેવાથી એમની પ્રવૃતિ કેટલી વિશાળ અને વિધવિધ છે, તે સમજાશે.
એમના મિત્ર, પ્રશંસકે અને વિદ્વ૬ વર્ગ તરફથી એમની સેવાની