SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિત્રાવળી વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય એએ જ્ઞાતિએ પ્રશ્નારા નાગર-બ્રાહ્મણ અને પારઅંદરના વતની છે; પણ લાંબી મુદતથી મુંબઈમાં રહે છે. એમનેા જન્મ સંવત ૧૯૧૯ ના ફાલ્ગુન સુદ ૮ તે દિને પોરબંદર ગામે થયા હતા. એમનાં માતાનું નામ સા. રળિઆત અને પિતાનું નામ પ્રભુરામ જીવનરામ વૈદ્ય, જેમણે એક અનુભવી અને કુશળ વૈદ્ય તરીકે સારી પ્રતિષ્ઠા અને નામના મેળવ્યાં હતાં. પ્રાથમિક અને માધ્યમિક કેળવણી એમણે પારઅંદર અને મુંબાઈમાં અનુક્રમે લીધેલી. સને ૧૮૯૩ માં મેટ્રીકયુલેશનની પરીક્ષા પાસ કરી, સને ૧૮૮૪ માં એક્ષ્પીનસ્ટન કાલેજમાં જેડાયેલા. ખી. એ., ની પરીક્ષા (૧) ન્યાય (Logic) અને નીતિશાસ્ત્ર (Moral Philosophy), તેમજ (૨) અંગ્રેજી અને સંસ્કૃત (શાંકરભાષ્ય સાથે) અચ્છિક વિષય લખતે ત્રીજા વર્ગોમાં પાસ કરી હતી. સને ૧૮૯૪માં સેાલીસીટર થવા મેસસ ભાઈશંકર અને કાંગાની આફ્સિમાં જોડાયલા. પણ પછીથી સને ૧૯૦૧ માં ખારિષ્ટર થવા ઈંગ્લાંડ ગયા. સને ૧૯૦૨ માં એરિએન્ટલ કોંગ્રેસમાં ગયા અને સને ૧૯૦૪ માં ખારિષ્ટર થઇ મુંબઈ હાઇકામાં જોડાયા. એમણે અન્ય રાકાણેા છતાં સાહિત્ય વાચન અને લેખન કા છેડયું નહતું.એમનું પ્રથમ પુસ્તક ‘સરસ્વતીચન્દ્રનું અવલોકન' સને ૧૮૯૦માં પ્રસિદ્ધ થયું હતું. એમણે એક પુરાતત્વજ્ઞ તરીકે સારી કીતિ મેળવેલી છે. તેએ મુંબાઈની ર્ાયલ એશિયાટિક સાસાયટીના ઘણા વર્ષોંથી સભ્ય છે અને તેના ઉપ-પ્રમુખ તરીકે પણ આજ દશ વર્ષ થયાં કામ કરી રહ્યા છે. એમની વિદ્વતા અને પુરાતત્વ વિષયેની પ્રીતિના કારણે પહેલી એરિયન્ટલ કાંગ્રેસ પૂણામાં સને ૧૯૧૯ માં મળેલી તેના સ્વાગતમડળના અધ્યક્ષનું પદ એમને અપાયું હતું, હમણાંજ સતે ૧૯૨૬ માં લડાઈ પછી ભરાયેલી ૧૭ મી ઈન્ટરનેશનલ એરિયન્ટલ કાંગ્રેસ (જે. આક્ષ –ઈંગ્લાંડ) માં ભરાઇ ત્યાં એએએ જાતે હાજર થઇને ફસાવાયો પનિષદૂ ઉપર નિબંધ વાંચ્યા હતા; જેમાંતે થોડાક ભાગ બહુ પ્રાચીન છે એવું બતાવવા તેમાં પ્રયત્ન કર્યાં હતા. વળી મહાભારતતી સંસ્કારવાળી સંશોધિત આવૃત્તિનું કામ તૈયાર કરાવવામાં હિન્દુસ્થાનના વિદ્રાને સારી રીતે કામ કરી શકે અને તેથી તેમના કામને ઉત્તેજન મળવું જોઇએ, એવું દર્શાવવા એવા ૧૭ મી ઈન્ટરનેશલ એરિએન્ટલ કાંગ્રેસમાં ગયા હતા. અને ત્યાં આગળ તેમના પ્રયાસથી કૉંગ્રેસના હિન્દી વિભાગની મદદથી ૧૭૮
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy