________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેબ્રિજ, એલફિન્સ્ટન, બર, બાર્થ આદિ વિદ્વાનેએ જૈન ધર્મની ઉત્પત્તિ બૌદ્ધધર્મથી માની છે. આ ઉપરથી એમ કહી શકાય કે–આ પ્રેફેસરેને જૈન, હિંદુ, કે બૌદ્ધ શાસ્ત્રનું જ્ઞાન જ ન હતું. આવી જ રીતે જે વિદ્વાને, જૈનધર્મને વિશેષ પ્રાચીન હિંદુ ધર્મની શાખા માને છે, તે વિદ્વાને પણ હિંદુ અને જૈનશાસ્ત્રો સંબંધીની તેમની અજ્ઞાનતાજ જાહેર કરે છે.
આ ભ્રમના કારણ
આય ભાષાઓનું જ્ઞાન રાખવાવાળા કેટલાક વિદ્વાનેએ જૈનધર્મને બૌદ્ધધર્મની શાખા ફક્ત એટલા ઉપરથી જ માની લીધી કે-આ બને ધર્મોના કેટલાક સિદ્ધાન્ત અરસપરસ મળતાં છે, પરંતુ હવે બૌદ્ધશાસ્ત્રોમાં જ એવા પ્રમાણે મળે છે કે-જે પ્રમાણેથી ઉપરના વિદ્વાનને ઉપરને મત જુઠેકઢિપત ઠરે છે. આજ કારણથી કઈ વિદ્વાનોએ જૈન ધર્મને હિંદુ ધર્મની શાખા માની છે.
ખરેખર, આ બધા વિદ્વાનોએ આ વિષયમાં બહુજ ભારે ભૂલ કરી છે. પિતાના ખોટા વિચારેના ટેકામાં, નથી તો તેઓએ કઈ સંતોષકારક પ્રમાણે આપ્યાં, કે નથી તો તેઓએ બતાવ્યું કે હિન્દુ કે બૌદ્ધ ધર્મમાંથી જૈનધર્મની ઉત્પત્તિ કેમ, ક્યારે અને કેવી રીતે થઈ ? મને તે એમ લાગે છે કે-આ વિદ્વાનોએ જેન, હિન્દ, કે બોદ્ધ ધર્મના સિદ્ધાન્તનું વાંચન જેવું જોઈએ તેવી રીતે કર્યું જ ન હતું. તેઓએ આ ધર્મના વિષયમાં ફક્ત ઉપરાટીયું જ્ઞાન પ્રાપ્ત
For Private and Personal Use Only