________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું માનું છું કે, આ નાના પુસ્તકમાં દેરાવાસીઓએ ઈર્ષા અને ધૃણાથી જે જે મુશ્કેલીઓ અને સંકટ સ્થાનકવાસીઓ પર વરસાવ્યાં છે, અને સ્થાનકવાસીઓએ શાંતિપૂર્વક સહન કર્યા છે, તેને હેવાલ ટૂંકમાં કહી દીધું છે. સાથે સાથે એ પણ બતાવી ચૂક્યો છું કે, સ્થા. સંપ્રદાયની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ. હવે મારા સુજ્ઞ પાઠકોને માટે બે શબ્દ લખીને આ વિષય સમાપ્ત કરીશ.
સ્થા. ધર્મની સત્યતા અને પ્રાચીનતા બાબતનું મેં જે ઉપર વિવેચન કર્યું છે, તે કોઈ પણ જાતના પક્ષપાત વગરજ, અને દરેક બાબતેને વિચાર કરીને જ કર્યું છે. આ બાબતમાં મેં જે જે પ્રમાણે આપ્યાં છે, તેમાંથી કદાચ કઈ પ્રમાણે વાદવિવાદવાળાં હોય, પરંતુ તેથી કરીને મેં જે જે દલીલે, જેન, બૌદ્ધ અને હિન્દુ શાસ્ત્રોનાં પ્રમાણથી આપી છે, તે દલીલને જરા પણ બાધા આવી શકતી નથી. આ વિષયના વિવેચનમાં જે જે વાતેથી મેં પ્રકાશ પાડે છે. તે બધી વાતોને અને ઘટનાઓને મેં પૂરેપૂરો વિચાર કર્યો છે, અને પછી મેં મારા મત કાયમ કર્યો છે. સંભવ છે કે, મેં આપેલી દલીલેમાં કોઈ એવી પણ હોય, કે જે બધાને સમાધાનકારક ન લાગે, પરંતુ મને એટલો તો દઢ વિશ્વાસ છે કે, આ દલીલ એવી તો જરૂરી છે કે, જેના ઉપર મારા સુજ્ઞ પાઠકેને વિચાર તો કરે જ પડશે. હવે જે થોડા સમયને માટે આ વિવાદગ્રસ્ત વિષય હું અલગ રાખી દઉં, તે પણ મારા આ મુખ્ય વિષયની સત્યતા સિદ્ધ કરવામાં કઈ જાતની હરકત આવતી નથી કે, સ્થાનકવાસી જ મહા
For Private and Personal Use Only