________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થકર ભવિષ્યની પ્રજા માટે અખૂટ આદર અને માન-પાનને પાત્ર છે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવાની જરૂર છે કે, તેઓનું આ મહાન પદ તેઓના આત્મનિધને, તેઓની દીનતાને અને પિતાને પણ ભૂલી જવાના ગુણને જ આભારી હતું. તેમનામાં આવા દૈવી ગુણો ન હોત, તો કરે મનુષ્યના હૃદય પર અધિકાર જમાવવા તેઓ કઈ કાળે પણ સમર્થ કે યોગ્ય થઈ શક્ત નહિ. તેઓ બીજાને (જ્ઞાન, અભયદાન) દેતા હતા, પરંતુ તેઓની પાસેથી (પૈસા વગેરે) કાંઈ પણ લેવાને ખ્યાલ તેઓને કદી હતો જ નહિ. તેઓએ કઈ પણ દિવસ પિતાની પ્રતિષ્ઠા કે પૂજાનો ખ્યાલ પણ કર્યો નથી. ઉલટુ પ્રાણુમાત્રથી પ્રેમ કરવાના ભાવમાં રહીને તેઓ પિતાને જ ભૂલી ગયા, અને પિતાનું મહત્વાકાંક્ષા વગરનું જીવન, દુઃખી જેના ઉદ્ધારમાં વિતાવ્યું.
એક બાજુથી તો આ વાતને કબુલ કરવી અને તેની પ્રશંસા કરવી, જ્યારે બીજી બાજુથી એમ કહેવું કે, તીર્થકરેએ મૂર્તિના રૂપમાં પોતાની પૂજા કરાવી અને આ પૂજને મોક્ષપ્રાપ્તિનું સાધન બતાવ્યું, તે વાતથી તે તેમના અસાધારણ અને નિસ્વાર્થ જીવન, તેમજ તેમના પવિત્ર અને સ્વાર્થ રહિત સિદ્ધાંતનું ખૂન કરવા બરાબર છે-કલંકિત કરવા જેવું છે. આ બન્ને વાતે એટલી અસંગત (વદતે વ્યાઘાત) છે કે, મનુષ્યની બુદ્ધિ તે આ વાતને કઈ રીતે પણ માની શકે તેમ નથી.
હવે જો કોઈ પોતાના વિચારમાંથી પક્ષપાત કાઢીને, પિતાના હૃદયમાંથી સાંપ્રદાયિક ઈર્ષ્યા દૂર કરીને, અને એક
For Private and Personal Use Only