________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી વિરૂદ્ધ ચાલે છે. એટલા માટે એ કહેવું યુક્તિયુક્ત છે , આ દેરાવાસી સંપ્રદાય એ પ્રાચીન ધર્મની (સ્થાનકવાસીની) એક શાખા છે, અને અસલી તથી વિમુખ થઈ ગએલ છે. ફક્ત સ્થાનકવાસી સંપ્રદાયજ તીર્થકરોના અસલી ઉપદેશેને માન આપે છે અને તેથી કઈ પણ એમ કહી ન શકે કે, સ્થા. સંપ્રદાય બીજા કેઈ પણ ધર્મની શાખા છે.
આવા સંજોગોમાં કોઈ પણ નિષ્પક્ષપાત પાઠક મારી આ વાતની સાથે જરૂર મળતા થશે કે, જેમાં જે કોઈ પણ સંપ્રદાય મહાવીરના અસલી અને સાચા અનુયાયી હોવાને દા કરી શકતો હોય તો તે એક ફક્ત સ્થાનકવાસી સંપ્રદાયજ છે.
સ્થાનકવાસી જૈન ધર્મના અસલી અને સાચા અનુયાયી છે, અને શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય મૂળ રાંઘની એક શાખા માત્ર છે, તે વાતને વધારે મજબુત કરવા માટે એ વાત જરૂરી છે કે, આપણે તે લક્ષણો (સિદ્ધાંતો) ની તપાસ કરીએ કે જે લક્ષણો મહાવીરના સાચા અનુયાયી બનાવી શકે, અને પછી આ સિદ્ધાંતોની કસોટી પર કસી પરીક્ષા કરીએ કે, આ બને સંપ્રદાયમાંથી એક સંપ્રદાય છે કે જે ખરી રીતે અસલી જેન કહી શકાય. મૂર્તિપૂજક અને સ્થાનકવાસીઓની તુલના.
*દેરાવાસીઓ ૪૫ સૂત્રને માને છે, ત્યારે રસ્થાનકવાસીએ ફક્ત ૩૨ નેજ માને છે. સ્થાનકવાસીઓની આ માન્યતા
* જ્યાં જ્યાં દેરાવાસી શબ્દ મૂકે છે ત્યાં ત્યાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમજવું.
For Private and Personal Use Only