________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીએ, સ્વાર્થ તરફ લઈ જનારી ઈચ્છાઓ, તેમજ પાપી વિચારીને ત્યાગ કરીએ, અને પરિગ્રહથી મુક્ત થઈ જઈએ. આ પ્રમાણે કરવાથી જ આપણે મહાવીરના સાચા શિષ્ય કહેવરાવી શકીએ. જૈન ધર્મની માન્યતા છે કે, સદાચાર એજ પરમ ધર્મ છે અને આ સદાચાર મેળવવા માટે પ્રેમ, પવિત્રતા, દયા, આત્મત્યાગ વગેરે લકત્તર (દેવી)ગુણોને વિરોધ કરવાવાળી માનસિક અને શારીરિક વાતને ત્યાગ કરી દેવો જોઈએ. જ્યાં સુધી મનુષ્ય વિષય વાસનાઓમાં લુબ્ધ રહે છે, અને સંસારથી દૂર થતું નથી, ત્યાં સુધી આપણે તેને સાચો શિષ્ય કહી શકીએ નહિ.
તીર્થકરોના ઉપદેશોને એજ ઉદ્દેશ છે કે, મનુષ્ય સદ્ગણ અને પવિત્રતા શીખે, અને મન, વચન, કાયાથી પ્રેમ અને દયામય થઈ જાય, જેથી તેને આત્મા સંસારથી મુક્ત થઈ જાય. તીર્થકરો હમેશાં દયા, પવિત્રતા અને સદાચારવાળા હતા, એટલું મનમાં સમજીને બેસી રહેવાથી કાંઈ કામ થઈ શકે નહિ, પરંતુ તેમના જેવા સદ્ગણી થવાની મહેનત કરવી જોઈએ. તેમજ એટલું જાણી લેવું પણ બસ નથી કે, તીર્થકર ક્ષમાના સાગર અને સંપૂર્ણતાની મૂર્તિ હતા, પણ તેની સાથે એ જાણવું જરૂરી છે કે, હું પણ તીર્થકરે બતાવેલી દરેક વાતને મારાથી બની શકે તેટલી પાળવાની મહેનત કરું. સાથે સાથે એ પણ જરૂરનું છે કે, હું પણ તીર્થકર જેજ દયાળુ અને સર્વગુણસંપન્ન બને અને તેઓએ પિતાના જીવનમાં જે જે દૈવી ગુણેનું અનુકરણ કર્યું હતું તે ગુણે હું મેળવું.
For Private and Personal Use Only