________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાશાહ દ્વારા મૂર્તિપૂજાને નિષેધ.
આવી હાલતમાં પરિવર્તન થવું તદ્દન સ્વાભાવિક હતું. નીચે લખેલ ઘટના મુજબ અમદાવાદના લંકાશાહ નામના એક મોટા વેપારીના સંબંધમાં એવો એક બનાવ બન્ય, જેથી તેમના દિલમાં મૂર્તિપૂજાની નિરર્થક્તા બતાવવાની પ્રશંસનીય ઈચ્છા ઉત્પન્ન થઈ આવી, અને તેઓ મુંઝાયેલા મનુબેની રક્ષા કરવા તત્પર થયા. આ ઘટના નીચે મુજબ છે –
જ્યારે લંકાશાહ એકવાર મંદિરમાં ગયા, ત્યારે તેઓએ એક સાધુને પુસ્તક ભંડારની વ્યવસ્થા કરતાં જોયા, અને પુસ્તકોની જીર્ણ-શીર્ણ (ફાટેલ તુટેલ) અવસ્થા પર નિ:શ્વાસ નાખતા જોયા. આ સાધુએ જીર્ણ થએલાં પુસ્તકોની રક્ષા કરવાના કામમાં લંકાશાહની મદદ માગી. લંકાશાહના અક્ષર ઘણાજ સુંદર હતા તેમજ તેઓ ધર્માત્મા પણ હતા, એટલે તેઓએ પુસ્તકની નકલે કરી દેવાનું કબૂલ કર્યું અને તરત જ કામ શરૂ કરી દીધું. જ્યારે તેઓએ લખતાં લખતાં એ જેયું કે, સૂત્રમાં લખેલા સિદ્ધાંત ઘણી જ ઉંચી કોટિના છે, તેમજ સૂત્રમાં મૂર્તિપૂજા કરવાનું કયાંય પણ વિધાન (આજ્ઞા) નથી, તથા જૈન સાધુઓને પરિગ્રહ રાખવાનું કે લોકિક સુખ લોગવવાનું કયાંય લખ્યું જ નથી, ત્યારે તેમને આશ્ચર્ય થયું. તેમને ખબર પડી કે, આજ કાલના સાધુએ જે વાતોની સ્થાપના કરે છે, તે વાત તે શાસ્ત્રોમાં બિલકુલ છેજ નહિ.
આ બનાવથી તેમના દિલમાં અચાનક એક કાંતિ પેદા થઈ ગઈ અને તેમના વિચારો તદ્દન બદલાઈ ગયા. તેમણે
For Private and Personal Use Only