________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિગંબરેને જૈનધર્મના સાચા અનુયાયી માની ન શકાય. (મૂર્તિપૂજાનું વિગતવાર વર્ણન વેતાંબરેનું વર્ણન કરતી વખતે આપણે કરશું.)
હવે જૈન મૂર્તિઓના લેખે ઉપરથી સિદ્ધ કરીશ કે, દિગંબરે અર્વાચીન છે.
અત્યારે મળતી જેન મૂર્તિઓમાં સહુથી જુનામાં જુની મૂર્તિઓ ફક્ત ૧૮૦૦ વર્ષની જુની છે. પરંતુ તે મૂર્તિઓ પણ દિગંબરોની નથી. આ વાત કહેતાંબરોના ૭મા અંગસૂત્ર
ઉપાસકદશાંગ” સૂત્રની પ્રસ્તાવનામાં રૂડેલ્ફ હૈર્નલ સાહેબે નીચે લખ્યા મુજબ સ્પષ્ટ કરી છે –
મથુરાથી થોડા એવા લેખે મળ્યા છે કે જે લેખથી આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ મળે છે કે, ઈસ્વીસનની પહેલી સદીમાં શ્વેતાંબર સંપ્રદાયનું અસ્તિત્વ હતું. આ લેખ જૈન તીર્થકરની મૂર્તિઓના પગલાં (પદેapedestals) પર મળે છે અને તેમાં કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવ નામના પ્રખ્યાત રાજાઓના સંવત દીધા છે. આ રાજાઓ સિથિયા દેશના હોવા છતાં હિન્દ ઉપર પણ રાજ્ય કરતા હતા. તેમના સંવત હવે “શક સંવતના નામથી પ્રસિદ્ધ છે, કે જે ઈસ્વીસન ૭૮-૭૯ થી શરૂ થાય છે. આ લેખમાં લખ્યું છે કે, આ મૂર્તિઓ શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયીઓની ભક્તિના સ્મારક (યાદગીરી) રૂપે છે. આ મૂર્તિની સ્થાપના કરવાવાળા દિગંબરો નહોતા; પરંતુ શ્વેતાંબરે હતા, તે વાતની ખાત્રી એ ઉપરથી થાય છે કે, મૂર્તિઓ પર જે લેખ છે તેમાં જૈન સાધુઓના કેટલાક ગણ ગચ્છ, સંપ્રદાય) ના નામ
For Private and Personal Use Only