Book Title: Sthanakvasi Jain Itihas
Author(s): Kesrichand Bhandari
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનચરિત્ર અને તેના સિદ્ધાંતોનું સંપૂર્ણ વર્ણન આપવામાં આવ્યું છે. આ વાત બહુ જ અગત્યની છે અને તે નિઃશંસય સિદ્ધ કરી આપે છે કે, દિગંબર તથા તેના સૂત્રો નવિન જ છે. આ વાતના ટેકામાં વધારે દલીલ આપવી નકામી છે, કેમકે પૂરતા પ્રમાણમાં દલીલ ઉપર અપાઈ ગઈ છે. આ દલીલથી નિષ્પક્ષપાતવાળે કઈ પણ ભાઈ એ પરિણામ કાઢી શકશે કે, દિગંબર અને તેના શાસ્ત્રો ચોક્કસ રીતે નવિન છે. અને અસલી તથા મૂળ સંઘથી તેમની ઉત્પત્તિ પાછળથી થએલ છે. દિગંબરની ઉત્પત્તિ. હવે એ વિચારવું જોઈએ કે, દિગંબરે કયારે અને કેવી રીતે જુદા થયા. આ વિષયમાં . ધર્મસાગરજીએ બનાવેલ “પ્રવચન પરીક્ષા” નામના ગ્રંથમાં દિગંબરોની ઉત્પત્તિ નીચે મુજબ લખી છે – રવીરપુર નામના શહેરમાં શિવભૂતિ અથવા સહસમલ્લ નામે એક મનુષ્ય રહેતા હતા. તે ગામના રાજાને ખાસ સેવક હતા. એક દિવસ રાજાની માતા આ સાહસમલ ઉપર બહુ ગુસ્સે થઈ, તેથી તેણે તરતજ નોકરી છોડી દીધી અને જૈન સાધુ થઈ ગયે. એક વખત રાજાએ તેને એક બહુ કિમતી દુશાલ (કપડું) દીધું. આ દુશલા ઉપર તેને ખૂબ મોહ છે. તેથી તેના ગુરૂ આર્યકૃષ્ણ તેના ઉપર ગુસ્સે થયા; કેમકે સાંસારિક પદાર્થો ઉપર મહ રાખવે તે સાધુઓના ધર્મથી વિરુદ્ધ છે, અને તેથી તેઓએ આ દુશાલે છોડી દેવાની સહમલ્લને આજ્ઞા કરી, પરંતુ તેણે ગુરૂની આજ્ઞા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123