________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંદિરોમાં કે જે ઉદ્યાનેના નામ યક્ષોના નામ ઉપર રાખવામાં આવ્યા હતાં તેવાં ઉપવનમાં કદી પણ ઉતરત નહિ.
(૮) જેવી રીતે “ઉપાસકદશાંગ” સૂત્રમાં મહાવીરે શ્રાવકોના નિયમ બતાવ્યા છે, તેવી જ રીતે “આચારાંગ” સૂત્રમાં સાધુઓના નિયમો બતાવ્યા છે. આ આચારાંગ” સૂત્રમાં મહાવીરે એ બતાવ્યું છે કે, સાધુ અથવા સાધ્વીઓએ કેટલાં વસ્ત્ર રાખવાં જોઈએ, તેની લંબાઈ પહોળાઈ કેટલી, તેને રંગ કે તથા કઈ જાતના વસ્ત્રો રાખવાં. મહાવીરે એ પણ બતાવ્યું છે કે સાધુએ કેટલાં અને કઈ જાતના પાત્ર રાખવાં. આ ઉપરાંત સાધુએ કેવી રીતે ચાલવું, બેસવું, બોલવું, ખાવુંપીવું વગેરેના વિસ્તારપૂર્વક નિયમો મહાવીરે બતાવ્યા છે. સાધુએ ધર્મ સંબંધી જેટલાં કાર્યો કરવાં જોઈએ તે દરેક કાર્યને મહાવીરે બહુજ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. કહેવાની મતલબ એ છે કે, મહાવીરે આ વિષયેનું એટલું વિસ્તાર પૂર્વક વિવેચન કર્યું છે કે, “આચારાંગ સૂત્ર એ સાધુઓને એક સરસ ટાઈમ-ટેબલની ગરજ પૂરી પાડે તેવું છે. આવી રીતે આ બધી વિગતવાર હકીકત લખી, પરંતુ તે હકીકતમાં મંદિર કે મૂર્તિનું કઈ જગાએ જરા જેટલું પણ સ્થાન નથી.
તીર્થકરોએ સાધુઓ અને શ્રાવકેને માટે આટલું વિસ્તાર પૂર્વક વિવેચન કર્યું છે, પરંતુ તીર્થકરેએ મંદિરે કે મૂર્તિ પૂરના વિષયમાં કાંઈ પણ કહ્યું નથી, એ વાત ખાસ ધ્યાન રાખવા જેવી તેમજ બહુજ અગત્યની છે.
(૯) આચારાંગ અને ઉપાસક દશાંગ સિવાયના બીજાં
For Private and Personal Use Only