________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
બેટી હતી. આવી જ રીતે હવે તરતજ એ વખત પણ આવશે કે, જ્યારે આ બહુજ જરૂરી બાબત પર વધારે પ્રકાશ પડશે. તે વખતે મેટા મેટા વિદ્વાનોને પણ આ વાત માનવી પડશે કે, જેનધર્મ દુનિયાના બધા ધર્મોમાં પ્રાચીન છે, અને બાકીના બધા ધર્મો જૈન ધર્મ પછી જ નિકળ્યા છે, અને આ ધર્મોએ પિતાના શાસ્ત્રો અને ધાર્મિક વ્યવસ્થા બરાબર કરવામાં જૈનધર્મની ઘણુંજ સહાયતા લીધી છે.
અહિં એટલું વધારે સ્થળ નથી કે, હું આ વિષયમાં હજુ વધારે લખું, તેપણ ઉપર મેં જે જે પ્રમાણે આપ્યાં છે, તે ટૂંકમાં આપેલ હોવા છતાં પણ એટલાં બધાં મુદ્દાસરનાં અને અકાટય છે કે, તે પ્રમાણેથી નિઃશંસય સિદ્ધ થઈ જાય છે કે, જેનધર્મના સ્થાપનાર પાર્શ્વનાથ કે મહાવીર ન હતા, પણ જેનધર્મના મૂળ સ્થાપનાર ભગવાન રાષભદેવ હતા, કે જેમનું અસ્તિત્વ સૃષ્ટિની શરૂઆતમાં હોવાનું હિન્દુઓએ સ્વીકાર્યું છે.
For Private and Personal Use Only