________________
सप्तभङ्गीनयप्रदीपः ॐ
*>*&
जीवादिवस्तुनि अनन्तधर्मपरिप्रश्रनकालेऽनन्तभङ्गसम्भवः, तद्व्यावृत्त्यर्थमेकैक-धर्मपर्यनुयोगस्योपादानम् । (७) एतेनानन्तधर्माध्यासितेष्वनन्तपदार्थेषु सत्स्वपि प्रतिपदार्थं प्रतिधर्मं परिप्रशनकाले एकैकशो वस्तुधर्मे एकैकैव सप्तभङ्गी भवतीति नियमः ।
अनन्तधर्मविवक्षया सप्तभङ्गीनामपि नानाकल्पनमभीष्टमेव, एतत् तु सूत्रकारेणैव · ગુણસૌમ્યાન
હોવાથી અને તે બધા વિશેના પ્રશ્ન-ઉત્તરો પણ સેંકડો-લાખો ને અનંતા થવાથી, સપ્તભંગી તો રહે જ નહીં ! અને તેના બદલે શતભંગી-સહસ્રભંગી-લક્ષભંગી-અસંખ્યભંગી ને યાવત્ અનંતભંગી થવાનો પ્રસંગ આવે ! તેના વારણ માટે જ સપ્તભંગીની વ્યાખ્યામાં ‘ત્ર વસ્તુનિ’ એવું જણાવ્યું... (હવે એક જ વસ્તુ અને એના વિશેના જ ભાંગાઓ લેવાશે, એટલે જુદી જુદી અનેક વસ્તુઓને લઇને અનંત ભાંગા થવાનો પ્રસંગ નહીં આવે...)
(ખ) હવે ધારો કે ઘટ-પટાદિ વિવક્ષિત કોઇ એક જ વસ્તુ લઇએ, પણ એ એક વસ્તુમાં પણ ‘અસ્તિ-નાસ્તિ અથવા નિત્યાનિત્ય એમ એકેક જોડલું લઇને જ પ્રશ્ન-ઉત્તરો કરવા’ એવું નિયમન ન કરીએ, તો એક જ વસ્તુમાં અનંત ધર્મો છે અને તે બધા ધર્મો વિશે વિધિ-નિષેધ દ્વારા પ્રશ્નોત્તરો કરવામાં આવે, તો તો અનંતભંગી થઇ જાય ! સપ્તભંગી રહે જ નહીં ! એટલે બાકીના ધર્મોની બાદબાકી માટે જ ‘વૈધર્મપર્વનુયોવશાત્' એ પ્રમાણે જણાવ્યું... (એટલે હવે એક વસ્તુનો એક જ ધર્મ પકડાશે અને તે એક ધર્મના જ ભાંગાઓ લેવાશે. તેથી જુદા જુદા અનંત ધર્મોને લઇને અનંત ભાંગા થવાનો પ્રસંગ નહીં આવે...)
* એકધર્મને લઇને એક સમભંગી
:
(૭) નિયમ : અનંત ધર્મવાળા અનંત પદાર્થો છે, તો પણ દરેક વસ્તુના દરેક ધર્મ અંગે પ્રશ્ન કરવામાં આવે, ત્યારે વસ્તુના પ્રતિનિયત એકેક ધર્મને વિશે માત્ર એકેક જ સપ્તભંગી
થાય...
તાત્પર્ય : નિત્યાનિત્ય - સદસત્ - સામાન્યવિશેષ વગેરે અનંતધર્મવાળી અનંત વસ્તુઓ છે. તો પણ તે તે વસ્તુના પ્રતિનિયત એકેક ધર્મને લઇને (અર્થાત્ નિત્યાનિત્ય સંબંધી એકેક જોડકું લઇને) માત્ર સાત જ પ્રશ્નો થાય છે અને તેથી તેના સમાધાનરૂપ વચનો પણ માત્ર સાત જ માનવા ઉચિત છે... આ પ્રમાણે નિત્યાનિત્યાદિ જોડકાં વિશે સાત જ વાક્યપ્રયોગો થતા હોવાથી, એકેક ધર્મ (= નિત્યાનિત્યાદિ જોડકાં) વિશે એકેક સપ્તભંગી જ માનવી જોઇએ... (એટલે એક વસ્તુના એક ધર્મ વિશે સાત જ ભાંગા થાય, તેનાથી વધુ નહીં - એવો નિયમ થયો.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org