________________
सरल-सुगम-विवेचनसमन्वितः __(४१) निजनिजप्रदेशसमूहैरखण्डवृत्त्या स्वभाव-विभावपर्यायान् द्रवति, द्रोष्यति,
+ગુણસૌમ્યા+ (૩) ધ્રૌવ્ય એટલે વસ્તુની સ્થિરતા - આ ત્રણે સ્વરૂપ જેમાં છે, તે વસ્તુ સત કહેવાય. દા.ત. ઘડો ફૂટીને ઠીકરા બન્યા, તો અહીં ઠીકરારૂપે ઉત્પાદ, ઘડારૂપે વ્યય અને માટીરૂપે સ્થિરતા-એ ત્રણે હોવાથી ઠીકરાને વસ્તુસત્ કહી શકાય.
(ગ) અર્થવિશિરિ સત્ |
ભાવાર્થ : અર્થક્રિયા એટલે પોતાનું કાર્ય-પ્રયોજન, તેને કરવાપણું તે સનું લક્ષણ છે. અર્થાત્ જે વસ્તુઓ પોતાનું કાર્ય સાધે તેને સત્ કહેવાય. જેમકે – ઠંડું પાણી, પોતાનું તરસ છીપાવવારૂપ કાર્ય કરે છે, તેથી તેને સત્ કહી શકાય. (અને જે કોઇપણ કાર્ય કરે જ નહીં, તેને સત્ ન કહેવાય. જેમકે આકાશમાં ઉગેલું કમળ. તે લેશમાત્ર પણ સુગંધ આપવારૂપ પોતાનું કાર્ય કરતું નથી, માટે જ તેને અસત્ કહેવાય છે.)
આ વિશે કહ્યું છે કે
“જે વસ્તુ અર્થક્રિયાને કરે, તે જ પરમાર્થથી સત્ છે અને જે વસ્તુ અર્થક્રિયા ન કરે, તે વસ્તુ પરતોડપિ = પરથી પણ અસત્ છે.”
હવે મૂળ વાત પર આવીએ – તો આવાં પ્રકારનાં સનાં લક્ષણવાળી જે વસ્તુ હોય, તેને દ્રવ્ય કહેવાય.
(૪૧) આ પ્રમાણે “સતુ તે દ્રવ્ય' એવું દ્રવ્યનું લક્ષણ કહ્યું, તે છતાં જ્યાં દ્રવ્યપદની વ્યુત્પત્તિ ઘટે, તેને જ દ્રવ્ય માનવું – એવો અભિપ્રાય રાખીને ગ્રંથકારશ્રી હવે દ્રવ્યનું બીજું લક્ષણ જણાવે છે –.
. (२) निजनिजप्रदेशसमूहैरखण्डवृत्त्या स्वभावविभावपर्यायान् द्रवति द्रोष्यति अदुद्रवदिति દ્રવ્યમ્ |
ભાવાર્થ જે વસ્તુ પોત-પોતાના પ્રદેશસમૂહ દ્વારા અખંડપણે રહીને, સ્વભાવપર્યાય અને વિભાવપર્યાયોને પામે છે, પામશે અને પામી હતી, તેને દ્રવ્ય કહેવાય. (દુ ધાતુને ય પ્રત્યય લાગીને દ્રવ્ય શબ્દ બન્યો છે.)
૧. આનો ભાવાર્થ એ જણાય છે કે – જે વસ્તુ કોઇપણ કાર્ય ન કરે, તે તો પરમાર્થથી અસતુ છે જ. પણ જે વસ્તુ
પોતાનું કાર્ય કરે ને બીજાનું કાર્ય ન કરે, તે સત્ વસ્તુ પણ બીજાની અપેક્ષાએ અસત થાય. દા. ત. પાણી ધારાવારૂપ પોતાનું કાર્ય કરતો પણ ઘડો, ઠંડી રોકવારૂપ કપડાનું કાર્ય ન કરતો હોવાથી, કપડાની અપેક્ષાએ તેનો અસત્ તરીકે વ્યવહાર થાય છે. (એટલે અસત્પણાનો વ્યવહાર ખપુષ્પ વગેરેમાં પરમાર્થથી તો થઈ જ શકે, પણ આ રીતે બીજાની અપેક્ષાએ ઘટાદિમાં પણ થઇ શકે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org