________________
* सप्तभङ्गीनयप्रदीप: सादिनित्यपर्यायार्थिकः, यथा-सिद्धपर्यायो नित्यः २, सत्तागौणत्वेनोत्पादव्ययग्राहकस्वभावोऽनित्यशुद्धपर्यायार्थिकः, यथा-समयं समयं प्रति पर्याया विनाशिनः ३,
..............................+ ગુણસૌમ્યા........................... વગેરે કોઇપણરૂપે ઉલ્લેખ થાય, તો એ તે તે પુદ્ગલની ચોક્કસ અવસ્થા જ હોવાથી પર્યાયરૂપ છે. અને આ અવસ્થા અનાદિનિત્ય હોવાથી એ પર્યાય પણ “અનાદિનિત્ય' કહેવાય. એટલે જ એ પર્યાયને વિષય કરનારો આ નય “અનાદિનિત્યપર્યાયાર્થિકનય' કહેવાય છે.
જો બીજે પ્રકાર એક સૂત્રઃ સવિનિત્યપર્યાયાથી, યથ - સિદ્ધપયો નિત્ય પારા
અર્થ બીજો ભેદ સાદિનિત્યપર્યાયાર્થિક.જેમકે સાદિનિત્ય એવા સિદ્ધપર્યાયને વિષયકરનારો અભિપ્રાય. (૨)
વિવેચન : પર્યાયાર્થિકનયનો બીજો ભેદ : (૨) સાદિનિત્યપર્યાયાર્થિકનય. આ નય સાદિનિત્ય પર્યાયને જુએ છે, જેમકે – સિદ્ધત્વપર્યાયને જોનાર નય.
સિદ્ધનો પર્યાય સાદિ છે, અર્થાત્ તેનો પ્રારંભ છે, કારણ કે, જ્યારે બધા કર્મનો ક્ષય થયો ત્યારે એ પર્યાય ઉત્પન્ન થયો હોય છે. પણ તેનો અંત નથી, કારણ કે સિદ્ધપણું હવે સદાકાળ રહેવાનું છે. એટલે આ પર્યાય “સાદિનિત્ય' કહેવાય છે અને તેથી જ આને વિષય કરનારો નય, “સાદિનિત્યપર્યાયાર્થિકન” કહેવાય.
- ત્રીજે પ્રકાર કે સૂત્રઃ સત્તાત્વેિનોત્પવિત્રથBદિસ્વમાઘોડનિત્યદ્ધપયfથળ:, યથા - મયં સમર્થ प्रति पर्याया विनाशिनः ॥३॥
અર્થ: ત્રીજો ભેદ-સત્તાને ગૌણ કરી ઉત્પાદ-વ્યયને ગ્રહણ કરનાર અનિત્યશુદ્ધપર્યાયાર્થિકાય. જેમકે - સમયે સમયે દરેક પર્યાય નાશ પામવાના સ્વભાવવાળા છે. (૩)
વિવેચનઃ પર્યાયાર્થિકનયનો ત્રીજો પ્રકારઃ (૩) સત્તાનિરપેક્ષ અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય. જેમકે – દરેક સમયે પર્યાયો વિનાશશીલ છે એવું કહેવું તે.
જે પર્યાય જે સમયે ઉત્પન્ન થાય છે, તે એક સમય માટે જ એ ટકે છે અને બીજા સમયે નાશ પામી જાય છે. આમ પર્યાયોનો નાશ પ્રતિક્ષણ જોવો, એ આ નયનો વિષય છે. વળી વગર ઉત્પાદે નાશ તો થાય નહીં. એટલે જણાય છે કે પ્રતિક્ષણ ઉત્પાદન પણ આ નય જુએ છે. અર્થાત્ પ્રતિક્ષણ પૂર્વપર્યાયનાશ, ઉત્તરપર્યાયોત્પાદને જોવા, પણ સત્તાને જોવી નહીં – એ આ ત્રીજો પ્રકાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org