Book Title: Saptabhangi Nayapradip
Author(s): Yashovijay Upadhyay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 187
________________ * સરત-સુગમ-વિવેચનસમન્વિત: > तथाहि - द्रव्ये द्रव्योपचारः १, गुणे गुणोपचारः २, पर्याये पर्यायोपचारः ३, द्रव्ये गुणोपचारः ४, द्रव्ये पर्यायोपचारः ५, गुणे द्रव्योपचारः ६, गुणे पर्यायोपचारः ७, + ગુણસૌમ્યા. વિવેચન : ઉપચાર નવ પ્રકારે હોય છે. તે બધા પ્રકારો આપણે ઉદાહરણ સાથે સમજીએ – (૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર : જીવ એ પુદ્ગલદ્રવ્યની સાથે ક્ષીર-ની૨વત્ એકમેક મળ્યો છે, તેથી જીવને શ્રી જિનાગમમાં ‘પુદ્ગલ’રૂપે કહ્યો છે. આ જીવદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર છે. ૧૪૫ (૨) ગુણમાં ગુણનો ઉપચાર : ભાવલેશ્યા એ આત્માનો અરૂપી ગુણ છે. પણ કૃષ્ણાદિ પુદ્ગલદ્રવ્યના શ્યામાદિ વર્ણરૂપ ગુણનો ઉપચાર કરીને એ લેશ્યાગુણને કૃષ્ણ-નીલ વગેરે જે કહેવા --એ આત્મગુણમાં પુદ્ગલગુણનો ઉપચાર છે. (૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર : અશ્વ, હાથી વગેરે બધા આત્મદ્રવ્યના અસમાનજાતીય પર્યાય છે. સ્કંધ એ પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં હય-ગજ વગેરેને સ્કંધરૂપે કહ્યા છે. આ જીવદ્રવ્યના પર્યાયમાં પુદ્ગલના પર્યાયનો ઉપચાર થયો. (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર : ‘હું ગોરો છું’ આવું જે બોલાય છે, તે દ્રવ્યમાં ગુણનો ઉપચાર છે. કારણ કે ‘હું’ એ આત્મદ્રવ્ય છે. એમાં પુદ્ગલના ગૌરવર્ણરૂપ ગુણનો ઉપચાર કર્યો છે. (૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર : ‘હું દેહ છું’ આવું જે બોલાય છે, તે દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર છે. કારણ કે ‘હું’ એ આત્મદ્રવ્ય છે, અને ‘દેહ’ એ પુદ્ગલદ્રવ્યની એક ચોક્કસ અવસ્થારૂપ હોવાથી એના પર્યાયરૂપ છે. આમ, આત્મદ્રવ્યમાં અસમાનજાતીય દ્રવ્યના પર્યાયનો અહીં ઉપચાર છે: (૬) ગુણમાં દ્રવ્યનો ઉપચાર : ‘આ ગોરું દેખાય છે, તે આત્મા છે...' આમ, ગૌરવર્ણને ઉદ્દેશીને આત્માનું વિધાન જે કરાય છે, તે ગૌરવર્ણરૂપ પુદ્ગલગુણમાં આત્મદ્રવ્યનો ઉપચાર છે. એટલે કે ગુણમાં દ્રવ્યોપચાર છે. (૭) ગુણમાં પર્યાયનો ઉપચાર : મતિજ્ઞાન શરીરજન્ય છે, માટે કાર્યમાં કારણનો ઉપચાર કરીને મતિજ્ઞાનને શરીરરૂપે કહેવું – એ મતિજ્ઞાનરૂપ આત્મગુણમાં શરીરાત્મક પુદ્ગલપર્યાયનો ઉપચાર હોવાથી ગુણમાં પર્યાયનો ઉપચાર છે. (૮) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર : ‘આ શરીર એ જ આત્મા છે' આ રીતે દેહાત્મક પુદ્ગલપર્યાયમાં આત્મદ્રવ્યનો ઉપચાર - એ પર્યાયમાં દ્રવ્યોપચાર છે. ૧. ‘“સે જિ તં સચિત્તે પ્બ ંધે ? ૨ અળેવિદે પળત્તે, તું નહીં – યસંધે યાંધે....'' - સૂત્રમ્ ૪૭ II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280