________________
+ सप्तभङ्गीनयप्रदीपः •
संसारी जीवः सिद्धसदृक् शुद्धात्मा ५, कर्मोपाधिसापेक्षस्वभावोऽप्यनित्याशुद्ध
+ ગુણસૌમ્યા+ પણ સત્તાને ગૌણ કરવાની વાત તો હતી જ ને ?)
८०
ઉત્તર ઃ ત્રીજા પ્રકારમાં સત્તાને ગૌણ ક૨વાની જે વાત છે, તેનો અર્થ ‘સત્તાને નજરમાં લેવાની જ નથી. સત્તાને જોવાની જ નથી' એવો કરવો. એટલે જ દ્રવ્યગુણપર્યાયના રાસમાં ત્રીજા પ્રકારના વિવેચન વખતે ટબામાં ‘પણિ ધ્રુવતા તે ગૌણ કરી, દેખાડઇ નહીં.’ એમ જણાવ્યું છે. જ્યારે ચોથા પ્રકારના વિવેચન વખતે ‘ઇહાં સત્તા દેખાડવી’ એમ જણાવ્યું છે.
એટલે ત્રીજા પ્રકારનો નય સત્તાને જોતો જ નથી (એટલે જ એ શુદ્ધ રહી શકે છે.) અને ચોથા પ્રકારનો નય સત્તાને જુએ છે ખરો, પણ ગૌણપણે. (એટલે જ એ પર્યાયાર્થિકનય છે, અન્યથા સત્તાને મુખ્યપણે લેનારો નય દ્રવ્યાર્થિક જ બની જાય.)
આ વિશે સૂક્ષ્મતાથી વિચારણા કરવી.
* પાંચો પ્રકાર
સૂત્ર : મોઁપાધિનિરપેક્ષસ્વમાવોઽનિત્યશુદ્ધપર્યાયાધિ:, યથા संसारी जीवः सिद्धसदृक् शुद्धात्मा ॥५॥
અર્થ : પાંચમો ભેદ – કર્મોપાધિથી રહિત અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય. જેમકે - સંસારીજીવ સિદ્ધ સરખો શુદ્ધાત્મા છે. (૫)
વિવેચન ઃ પર્યાયાર્થિકનયનો પાંચમો ભેદ : (૫) કર્મોપાધિનિરપેક્ષ અનિત્યશુદ્ધપર્યાયાર્થિકનય. સંસારી જીવોના પર્યાયોને પણ સિદ્ધાત્માના પર્યાય જેવા જોવા-કહેવા, એ આ નયનો વિષય છે.
અલબત્ત, સંસારીજીવને કર્મ ઉપાધિ છે જ ને એની અસર પણ છે જ. પણ એની વિવક્ષા ન કરીને (= એ તરફ નજર જ ન નાંખીને) આત્મામાં અંદ૨ અખંડપણે સ્કુરાયમાણ કેવળજ્ઞાનદર્શન-ચારિત્ર વગેરે શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરવી, એને જ જોવા, એ આ નયનો વિષય છે.
પ્રશ્ન ઃ દ્રવ્યાર્થિકના પાંચમા ભેદમાં પણ સંસારીજીવને કર્મોપાધિનિરપેક્ષપણે સિદ્ધ સરખો જોવાનો હતો. આમાં પણ એવું જ છે. તો બેમાં ફરક શું ?
ઉત્તર ઃ જુઓ, દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય છે. એટલે ત્યાં સિદ્ધાત્મા જેવો સંસારી-આત્મા જોવાનો હતો. પર્યાયાર્થિકનયનો વિષય પર્યાય છે. એટલે અહીં, સિદ્ધાત્માના પર્યાયને તુલ્ય સંસારીજીવોના પર્યાયોને જોવાના છે. એટલે બંને નય જુદા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org