________________
૧૧૯
* सरल-सुगम-विवेचनसमन्वितः आदिपदेन द्रव्यद्वय-द्रव्यपर्याययोर्ग्रहणम् । उदाहरणम्(૮૧) “યથાડડન સચૈતન્ય પરસ્પરમત્યન્ત પૃથમૂતે રૂક્ષ્યદ્ધિઃ” રૂત્તિા
- [પ્રમાT૦ પ%િ ૭ સૂત્ર—૨૨]. आदिशब्देन वस्तु पर्यायवद्दव्यमिति द्रव्ययोः, क्षणमेकं सुखीति सुख
+ ગુણસૌમ્યા. પર્યાયમાં) પણ આવો જ એકાંતભેદવાળો જે અભિપ્રાય, તે પણ નૈગમનયાભાસ જાણવો.
ટૂંકમાં, એકાંત ભિન્નતાને જણાવનારા અભિપ્રાયને નૈગમનયાભાસ, અર્થાત્ નૈગમ નામનો દુર્નય કહેવાય છે.
(૮૯) હવે આ જ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે – સૂત્ર યથાડત્મનિ સચૈતન્ચે પરસ્પરમત્યાં પૃથમૂતે રૂત્યાદ્રિઃ
સૂત્રાર્થ : જેમકે - આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય બંને પરસ્પર અત્યંત જુદા છે, એકાંતે ભિન્ન છે - એવા બધા અભિપ્રાયો.
વિવેચન : આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય બે ધર્મો છે. હવે જે અભિપ્રાય આ બંને ધર્મોને એકાંતે જુદા માને, કથંચિત્ (= કોઈક અપેક્ષાએ) પણ તેઓને એક ન માને, તે અભિપ્રાય નૈગમનયાભાસ જાણવો, અર્થાત્ ખોટો હોઈ તે દુર્ણય જાણવો.
પ્રશ્ન : (૧) સર્વધર્મ આત્માનું અસ્તિત્વ જણાવે છે, અને (૨) ચૈતન્યધર્મ આત્માને જ્ઞાનમય જણાવે છે – આમ બંને ધર્મોનું કાર્ય જુદું-જુદું હોઇ તે બે જુદા જ છે. તો તે બેનાં જુદાપણાંને જણાવનારો નૈગમનયાભાસ યથાર્થ જ કહેવાય ને? તેને ખોટો કેમ કહો છો ?
ઉત્તરઃ તે બે ધર્મો કથંચિત્ જુદા બરાબર છે, પણ તેઓને સર્વથા જુદા ન મનાય. નહીં તો (૧) સત્ત્વથી એકાંતે જુદું ચૈતન્ય અસત્ત્વરૂપ = નાસ્તિત્વરૂપ બની જાય અને તો તેનું અસ્તિત્વ જ ન રહે, એ જ રીતે (૨) ચૈતન્યથી એકાંતે જુદું સત્ત્વ અચૈતન્યરૂપ = જડરૂપ બની જાય અને તો આત્માનું અસ્તિત્વ જડરૂપે માનવું પડે. (અર્થાત્ આત્માને જડ માનવો પડે.)
આવી બધી આપત્તિઓ હોવા છતાં પણ, નૈગમનયાભાસ તે બે ધર્મોને એકાંતે જુદા જ માને છે. એટલે જ તેને ખોટો કહેવાય છે અને એટલે જ તે નય “નય ન રહેતાં “દુર્નય બને છે.
મૂળસૂત્રમાં મૂકેલ “આદિ શબ્દથી ‘વસ્તુ પર્યાયવદ્રવ્યમ્' એમ બે દ્રવ્યોની અને ‘સામે સુરવી વિષયાસ ગીવઃ' એમ જીવ-સુખની = દ્રવ્ય-પર્યાયની એકાંતે ભિન્નતા જણાવનારો અભિપ્રાય પણ નૈગમનયાભાસ જાણવો, અર્થાત્ દુર્નય જાણવો. નૈયાયિક અને વૈશેષિક દર્શન પણ નૈગમનયના આભાસ તરીકે સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org