________________
* सरल-सुगम-विवेचनसमन्वितः एतत् सर्वं नन्दिटीकायां सविस्तरमभिहितम् । (६७) तस्माद् द्रव्यपर्याययोः स्वल्पविवक्षातो भिन्नत्वाद् भिन्ना नया द्रव्यार्थिकाः पर्यायार्थिकाश्च । ते च यद्यपि स्वभावभेदैः परस्परं मिलन्तोऽपि स्वस्वपृथग्भावं न त्यजन्ति, उक्तं च
"अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स। मेलंता वि अ णिच्चं सगसगभावं न विजहंति" ॥
—+ગુણસૌમ્યા+ આ વિધાન પરથી સ્પષ્ટ જણાય છે કે, દ્રવ્ય કરતાં પર્યાયો વધુ સૂક્ષ્મ છે. એક દ્રવ્યમાં પણ અનંત પર્યાયો... દ્રવ્ય સ્થળ ને પર્યાયો સૂક્ષ્મ... ઇત્યાદિ. આ બધી વાતો નંદીસૂત્ર પરની ટીકામાં વિસ્તાર સાથે કહેવાઈ છે.
એટલે હવે પ્રસ્તુતમાં નિષ્કર્ષ જણાવે છે –
(૬૭) તક્ષાત્ = તેથી દ્રવ્ય અને પર્યાય બંનેનાં પ્રતિનિયત સ્વરૂપની વિરક્ષા કરીએ, તો બંને કથંચિત્ ભિન્ન છે એવું જણાઈ આવે છે.
અને બંને ભિન્ન છે, એટલે જ તેઓને વિષય કરનારા નયો પણ ભિન્ન છે. દ્રવ્યને વિષય કરનારો નય - ‘દ્રવ્યાર્થિકનય'. અને પર્યાયને વિષય કરનારો નય - પર્યાયાર્થિકન'.
(તે .) અને તે દ્રવ્ય-પર્યાય પરસ્પર ભેગા રહેવા છતાં પણ, સ્વભાવભેદના કારણે પોત-પોતાના પૃથભાવને (= જુદાપણાંને) છોડતા નથી.
આશય એ કે, દ્રવ્ય-પર્યાય બંને કથંચિત્ અભિન્ન છે, પર્યાય એકપ્રકારનું દ્રવ્યનું જ સ્વરૂપવિશેષ છે. તો પણ કોઈક અપેક્ષાએ તે બેનો સ્વભાવ જુદો-જુદો છે. માટે જ તે બે પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે. આ અંગે કહ્યું છે કે –
अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स ।
મેનંતા વિકળિચં સમાવં ન વિનહંતિ . (પંચાસ્તિ. શ્લોક-૭) અર્થ લોકાકાશમાં બધા દ્રવ્યો પરસ્પર હળી-મળીને રહે છે, એકબીજાને સ્થાન આપે છે. જ્યાં ધર્મદ્રવ્ય, ત્યાં જ બાકીના દ્રવ્યો પણ... આ રીતે નિત્ય ભેગા રહેતા પણ તેઓ, પોતપોતાના પ્રતિનિયત સ્વભાવને છોડતા નથી.
અલબત્ત, આ શ્લોકમાં દ્રવ્યને આશ્રયીને વાત કહી છે, પણ એ જ વાત દ્રવ્ય-પર્યાયને આશ્રયીને પણ સમજી શકાય. દ્રવ્ય-પર્યાય પરસ્પર ભેગા રહેવા છતાં પણ સ્વભાવભેદના કારણે પોત-પોતાના પ્રતિનિયત સ્વરૂપને છોડતા નથી. તે બે વચ્ચે સ્વભાવભેદ કયો ? એ વાત આગળ જણાવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org