________________
♦ સાત-સુગમ-વિવેચનસમન્વિત: ટ
( ५३ ) एतच्च द्रव्यं नयमिश्रितं विशेषार्थप्रतिपत्तये भवति; यदुक्तम् -
+ ગુણસૌમ્યા+
જેમ સ્વભાવોનું પણ ગ્રહણ થયું હોત. આ પ્રમાણે ગુણો કહ્યા. અને ગુણોના વિકારરૂપ જે પર્યાયો, તે
પણ કહ્યા જ.
* સ્વભાવનો ગુણ-પર્યાયમાં અંતર્ભાવ *
વિવેચન : ઉ૫૨ કહેલા ૨૧ સ્વભાવોને ગુણ-પર્યાયરૂપ જ સમજવા, તેનાથી જુદા નહીં. પ્રશ્ન ઃ જો જુદા માનીએ તો ?
:
ઉત્તર ઃ તો દ્રવ્યનું જે લક્ષણ કર્યું છે કે - ‘મુળ-પર્યાયવત્ દ્રવ્યમ્' - તેમાં ગુણ અને પર્યાયની જેમ સ્વભાવનું પણ ગ્રહણ કર્યું હોત અને તેથી ‘મુળ-પર્યાય-સ્વભાવવવું દ્રવ્યમ્' એવું કહ્યું હોત.
૬૯
પણ તેવું કહ્યું નથી, તેના ૫૨થી જ જણાય છે કે સ્વભાવ જેવું કોઈ અલગ તત્ત્વ નથી. તો હવે આ સ્વભાવનો ગુણ-પર્યાયમાં કેવી રીતે સમાવેશ કરવો ? તે વિચારીએ –
(૧) જે સ્વભાવ નિરુપચરિત હોય, સહજપરિણામરૂપ હોય, હંમેશાં સાથે રહેનારોસહવર્તી હોય, તે સ્વભાવને ગુણરૂપ સમજવો. જેમકે - આત્માનો ચૈતન્યસ્વભાવ. આ સ્વભાવ ઉપચારરહિત, સહજપરિણામરૂપ અને કાયમ સાથે રહેનારો છે, એટલે આને આત્માના ગુણરૂપ માનવો.
(૨) જે સ્વભાવ ક્રમવર્તી અવસ્થારૂપ હોય, હંમેશા સાથે રહેનાર ન હોય,તે સ્વભાવને પર્યાયરૂપ સમજવો. જેમકે આત્માનો મનુષ્યસ્વભાવ કે ક્રોધાદિરૂપ સ્વભાવ. આ સ્વભાવ ઔપચારિક છે, કર્મરૂપ ઉપાધિજન્ય છે, હંમેશા રહેનારો નથી, એટલે જ આને આત્માના પર્યાયરૂપ મનાય.
દ્રવ્યગુણપર્યાયના રાસમાં જણાવ્યું છે કે -
“સ્વભાવ તે ગુણ-પર્યાયથી ભિન્ન ન વિવક્ષિઇં, તે માટેિ જે અનુપચરિત ભાવ તે ગુણ જ, ઉપચરિત તે પર્યાય જ.’’ (ઢાળ - ૧૩/૧૭)
આ પ્રમાણે દ્રવ્યના ગુણો કોને કહેવાય ? તે કહ્યું અને એટલે જ ગુણના વિકાર એવા જે પર્યાયો, તેનું પણ કથન થઈ જ ગયું સમજવું. આ પ્રમાણે ગુણ-પર્યાય દ્વારા દ્રવ્યનું વિશદ સ્વરૂપ બતાવ્યું.
(૫૩) હવે એ દ્રવ્યને નયથી જાણવા દ્વારા વિશદ બોધ થાય છે – એ વાતને જણાવવા કહે
છે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org