________________
* सरल-सुगम-विवेचनसमन्वितः है
। अथ द्वितीयसर्गे नयप्रदीपप्रकरणम् ।। (३३) अथानुसप्तभङ्गं नयलक्षणान् प्रारभन्ते-१ नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन् स्वभावे वस्तु नयति-प्राजोतीति नयः ।२ प्रमाणेन संगृहीतार्थैकांशो नयः, ३ ज्ञातुरभिप्रायः ४ श्रुतविकल्पो वा इत्येके।
अनुयोगद्वारवृत्तिकृतस्तु [ सूत्र० ५९] ५ “सर्वत्रानन्तधर्माध्यासिते वस्तुनि +- --
-+ગુણસૌમ્યા નિયપ્રદીપ પ્રકરણ :
જ બીજે સર્ગ ક
(૩૩) સપ્તભંગીનું નિરૂપણ કર્યા પછી હવે ગ્રંથકારશ્રી નયનું નિરૂપણ કરવા, સૌ પ્રથમ નયનું લક્ષણ કહે છે –
* નયનું લક્ષણ છે (१) नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन् स्वभावे वस्तु नयति-प्राप्नोतीति नयः ॥
ભાવાર્થ : વસ્તુના સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ વગેરે જુદા જુદા અનેક સ્વભાવો છે, તેવા અનેક સ્વભાવોથી દૂર કરીને વસ્તુને કોઈ એક પ્રતિનિયત સ્વભાવમાં જે લઈ જાય છે, તે અભિપ્રાયવિશેષને નય કહેવાય છે.
તાત્પર્ય પદાર્થોમાં પરમાર્થથી અનંતા ધર્મો હોય છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ પરમાર્થથી અવિરુદ્ધપણે રહેલા આ ધર્મો હોય છે. જેમકે કટક, કેયૂર અને કંકણ પર્યાયથી ભિન્ન છે, પણ સુવર્ણરૂપે અભિન્ન છે. અર્થાત્ ભિન્ન-અભિન્ન બંને અંશો છે, તેમાંથી જ્યાં જે જરૂરી અંશ હોય, ત્યાં તે અંશને પ્રધાન કરીને અને ઇતર અંશને ગૌણ કરીને વસ્તુસ્વરૂપને જાણનારા અને જણાવનારા એવા વક્તા-જ્ઞાતાનો જે આશયવિશેષ, તેને નય કહેવાય છે.
૧. ‘દૂર કરીને' એટલે ‘તેમનો અપલાપ કરીને' એવો અર્થ ન કરવો, પણ ‘તેઓને ગૌણ રાખીને - તેમની મુખ્યપણે વિવક્ષા ન કરીને એવો અર્થ કરવો. બાકી અનેકસ્વભાવોનો અપલાપ કરે, તો તે નય ન રહેતાં નયાભાસ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org