________________
• सरल-सुगम-विवेचनसमन्वितः
स्वकीयद्रव्य-क्षेत्र - काल- भावचतुष्टयरूपेण अस्त्येव घटादिवस्तु, नास्त्येवान्यदीयद्रव्यક્ષેત્ર-ાન-માવવતુસ્પ્રે । (૨૨) તથાહિ-પટો દ્રવ્યત: પાર્થિવત્વસ્ટેળ, નાસ્તિ जलादिस्मेण; क्षेत्रतः पाटलिपुत्रकत्वेन, नास्ति कान्यकुब्जत्वेन; कालतः शैशिरत्वेन, नास्ति वासन्तिकत्वेन; भावतो रक्तत्वेन, नास्ति पीतत्वेन । एवं सर्वमन्यदेव ज्ञातव्यम् । + ગુણસૌમ્યા+
(૧) દ્રવ્ય ઃ ઘડો માટીનો - પૃથ્વીનો છે, એટલે માટી-પૃથ્વી એ ઘડાનું સ્વદ્રવ્ય કહેવાય અને એટલે તેમાં મૃત્મયત્વ - પાર્થિવત્વરૂપ ધર્મ આવે. આમ જે ધર્મો પ્રસ્તુત ઘડામાં રહ્યાં હોય, તે બધા ધર્મ તેના સ્વધર્મ કે સ્વરૂપ કહેવાય. આ સિવાયના ધર્મો, જે ઘટમાં રહ્યા નથી, તે બધા ધર્મો પરધર્મ કે પરરૂપ કહેવાય. જેમ કે ઘડો જળરૂપ ન હોવાથી જળ એ પરદ્રવ્ય કહેવાય અને જલત્વ એ પુરધર્મ કે પરરૂપ કહેવાય.
૧૧
(૨) ક્ષેત્ર : ઘડાની ઉત્પત્તિ અથવા સ્થિતિ પાટલીપુત્રમાં થઇ હોવાથી, પાટલીપુત્ર તે સ્વક્ષેત્ર કહેવાય અને કાન્યકુબ્જ વગેરે ક્ષેત્ર; જ્યાં ઉત્પત્તિ-સ્થિતિ નથી તે પરક્ષેત્ર કહેવાય.
(૩) કાળ : ઘડો શિશિર ઋતુમાં રહ્યો હોવાથી, શિશિર ઋતુ તે સ્વકાળ કહેવાય અને તે સિવાયની વસંત ઋતુ વગેરે પરકાળ કહેવાય. કારણ કે ત્યારે ઘડો રહ્યો નથી.
(૪) ભાવ : વિવક્ષિત ઘડો લાલ અને ગોળ છે, એટલે લાલપણું-ગોળપણું એ તેનો સ્વભાવ કહેવાય અને એ ઘડો કાળો-ચોરસ ન હોવાથી શ્યામપણું-ચોરસપણું એ તેનો પરભાવ કહેવાય.
આમાંથી પોતાના દ્રવ્યાદિરૂપે વસ્તુ હોય અને બીજાના દ્રવ્યાદિરૂપે વસ્તુ ન હોય. આ વાત ગ્રંથકારશ્રી ઘટને લઇને બતાવે છે. (૧૧) તે આ પ્રમાણે -
ઘડો...
(૧) દ્રવ્યથી, પાર્થિવરૂપે છે અને જળરૂપે નથી.
(૨) ક્ષેત્રથી, પાટલીપુત્રરૂપે છે અને કાન્યકુબ્જેરૂપે નથી.
(૩) કાળથી, શિશિરઋતુરૂપે છે અને વસંતઋતુરૂપે નથી.
(૪) ભાવથી, લાલરૂપે છે અને શ્યામ-પીતરૂપે નથી.
(પર્વ સર્વમવેવ જ્ઞાતવ્યમ્ =) આ પ્રમાણે ઘડાનાં પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને છોડીને તે સિવાયનાં બીજા બધા દ્રવ્યાદિ પરરૂપ = અન્યરૂપ જ સમજવાં. અને તે અપેક્ષાએ પ્રસ્તુત ઘડાનું અસ્તિત્વ નથી જ - એમ જાણવું.
આવું ફલિત થયે ‘સ્થાવસ્તિ ઘટ: ' તેનો વિશેષથી ઉલ્લેખ કેવો થાય ? તે જણાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org