________________
ટી
પુરુષાર્થની બલિહારી ખરાબ છે ? તે જાણવા માટે પણ પુરુષાર્થને આશ્રય લે પડે છે. તમારા ઘરના અમુક ભાગમાં ધન દટાયેલું છે, એવી ખબર પડ્યા પછી તમે શું કરો ? એને બહાર આવવું હશે તે આવશે એ વિચાર કરીને બેસી રહે કે હાથમાં કેદાળી–પાવડો લે ? જે તમે હાથમાં કેદાળીપાવડે લેવા તૈયાર ન હો, તો તમારું ભાગ્ય પાછું ઠેલાય એ નિર્વિવાદ હકીકત છે.
તાત્પર્ય કે જે મનુષ્યને આગળ વધવું છે, ઉન્નતિ સાધવી છે, તેણે પુરુષાર્થનું આલંબન અવશ્ય લેવું જોઈએ.
પ્રયત્ન કે પ્રયાસની પરંપરા પુરુષાર્થને લીધે જ સંભવે છે. જ્યાં પુરુષાર્થ નથી, ત્યાં પ્રયત્ન-પ્રયાસ કે ?
ભારતના પીઢ નીતિકારો કહે છે કે – निद्रालस्यसमेतानां, क्लीबानां क विभूतयः । सुसत्त्वोद्यमसाराणां, श्रियः पुंसां पदे पदे ॥
નિદ્રા અને આલસથી યુક્ત બાયલાઓને (ધન, સંપત્તિ, અધિકાર, ગ્યતા, વિકાસ આદિ) વિભૂતિઓ કયાંથી મળે? એ તો જે પુરુષો ઉદ્યમી અને પરાક્રમી છે, તેમને માટેજ સરજાયેલી છે. તેઓ ડગલે ડગલે (જ્ઞાનલક્ષ્મી, યશલમી, ધર્મલક્ષમી, અર્થલક્ષ્મી વગેરે) લક્ષ્મી પામે છે.”
- નિદ્રા, આળસ વગેરે પ્રમાદનાં અંગ છે અને પ્રમાદ એ આપણો પરમ દ્વેષી છે. અન્ય શબ્દોમાં કહીએ તે આપણુ માટે કાતિલ ઝેર સમાન છે. જે તે આપણું શરીર