Book Title: Sankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૨ સંકલ્પસિદ્ધિ એને અર્થ એમ સમજવાને કે જે જીવન ટકે અને આપણે દીર્ધાયુ થઈએ, તે જ આપણા મહાન સંકલ્પ સિદ્ધ કરી શકીએ અને એ રીતે આપણા જીવનને ધન્ય બનાવી શકીએ, અન્યથા નહિ. ભૂદેવ આપણને ધનવાન, પુત્રવાન , વગેરે થવાનો આશીર્વાદ આપે છે, તેની સાથે આયુષ્યમાન થવાને આશીર્વાદ પણ આપે છે, તે એજ હેતુથી કે આપણું જીવન લાંબો સમય ટકે અને આપણું હાથે કઈ સારાં કામો થવા પામે. આપણે રોજનો અનુભવ એમ કહે છે કે જેને નીરોગી રહેતાં આવડે, તેનું જીવન લાંબે સમય ટકે છે અને તે જ જીવનને ખર આનંદ ભોગવી શકે છે. વર્તમાન દુનિયામાં ચીન-રશિયા વગેરે દેશનાં ૧૫૦ વર્ષથી વધારે આયુષ્યવાળા માણસોની નેંધ થયેલી છે અને ખુદ આપણું દેશમાં પણ ૧૦૦ વર્ષથી વધારે આયુષ્યવાળા અનેક માણો વસે છે. તે બધાયે નીરોગી હોવાના કારણે જ આટલું લાંબુ આયુષ્ય ભોગવી શક્યા છે. હિમાલયમાં ૩૦૦ થી ૪૦૦ વર્ષના આયુષ્યવાળા ગીઓ હોવાના હેવાલ વર્તમાનપત્રોમાં અનેક વાર પ્રસિદ્ધ થયા છે અને તે પ્રામાણિક પુરુષના હાથે પ્રસિદ્ધ થયા છે, એટલે તે સત્ય હશે કે કેમ? એ શંકાને સ્થાન નથી. આ ગીઓના અતિ દીર્ઘ જીવનનું રહસ્ય ગમે તે હોય, પણ એક વાત નિશ્ચિત છે કે તેઓ નીરોગી હોવાને લીધે જ આટલું લાંબું જીવન જીવી શક્યા છે.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256