Book Title: Sankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 213
________________ ૧૯૮ સંક૯પસિદ્ધિ ખેદ આદિ અશુભ વિચારે દૂર કરીને આરેગ્ય, આનંદ, પ્રસન્નતા આદિના શુભ વિચાર કર્યા કરે અને નિત્ય એવી ભાવના ભાવે કે “મારે રેગ દૂર થઈ રહ્યો છે, હવે હું સારે થઈ રહ્યો છું, તદ્દન સારે થઈ રહ્યો છું તે તમારે રેગ અવશ્ય દૂર થઈ જવાને તથા તમે આરોગ્ય અને આનંદમય જીવન અવશ્ય જીવી શકવાના. કેઈ એમ કહેતું હોય કે “માત્ર વિચારે કરવાથી કે ભાવના ભાવવાથી રોગ છેડે જ હટે?” તો એ ગંભીર ભૂલ છે. વિચારોની–ભાવનાઓની અસર જેમ આપણું મન પર થાય છે, શરીર પર થાય છે, તેમ સ્વાથ્ય ઉપર પણ થાય છે અને તે જ કારણે વિચાર-ભાવના–સંકલ્પના બળથી ગમે તેવા જાલીમ રેગોને પણ દૂર હટાવી શકાય છે. એક વૃદ્ધ સ્ત્રી ઘણ વર્ષથી લકવાથી પીડાતી હતી. એવામાં ધરતીકંપ થયે અને બધા લોકો પોતપોતાને જાન બચાવવા ભાગવા લાગ્યા. ત્યારે એ વૃદ્ધાના મનમાં પણ પિતાને જાન બચાવવાનો વિચાર પ્રબળ વેગથી ઉત્પન્ન થયે અને તેથી તેના સૂકાઈ ગયેલા અંગમાં રૃતિ આવી અને તે બિછાના પરથી ઉઠીને બીજાની સાથે ભાગવા લાગી. તે દિવસ પછી ફરી તેને લકવાની બિમારી થઈ નહિ. એ વૃદ્ધાના શરીરમાં નવ રક્તપ્રવાહ વહેવા લાગે. જે વિચારમાં બળ ન હોય, તાકાત ન હોય, તે આવું પરિણામ કદી આવી શકે ખરું? આમ તે આપણે ઘણું ઘણું જાણીએ છીએ. આપણને

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256