Page #1
--------------------------------------------------------------------------
________________
G.
સંકલ્પસિદ્ધિ ઉતિસાધવાની
અદ્ભુત કલા
લે.શતાવધાની પંડિતથી ધીરજલાલ શાહ
Page #2
--------------------------------------------------------------------------
________________
* *****
સંકલ્પસિદ્ધિ
યાને
ઉન્નતિ સાધવાની
અદ્ભુત લા
$
લેખક :
અધ્યાત્મવિશારદ, વિદ્યાભૂષણ, ગણિતનિર્માણુ, સાહિત્યવારિધિ શતાવધાની પંડિત
શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
卐
પ્રકાશક :
પ્રજ્ઞા પ્રકાશન મંદિર સુઈટ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
નરેન્દ્રકુમાર ડી. શાહુ
વ્યવસ્થાપક :
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત ખીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯
વિ. સ. ૨૦૨૪
પ્રથમ આવૃત્તિ
સને ૧૯૬૮
મૂલ્ય રૂપિયા પાંચ
( આ ગ્રંથના સર્વ હક્ક પ્રકારાકને સ્વાધીન છે )
મુદ્રક :
કાન્તિલાલ સામાલાલ શાહ સાધના પ્રિન્ટરી,
ઘીકાંટા રેડ, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
પ્રજ્ઞાને પ્રકાશ થયા વિના આપણાં દુ:ખદર્દો હતાં નથી કે અભ્યુયના દ્વારા ખુલતાં નથી, તેથી જ અમેએ પ્રજ્ઞાનેા પ્રકાશ કરનારાં પ્રકાશને હાથ ધર્યા છે, અને તેમાં ડીક ઠીક પ્રગતિ કરી રહ્યા છીએ.
પ્રથમ પ્રકાશિત કરેલા ગણિત-ચમત્કાર’, ‘ગણિત-રહસ્ય’ અને ‘ગણિત-સિદ્ધિ’ની બીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. જે એની લોકપ્રિયતા સૂચવે છે. ગુજરાત સરકારના શિક્ષણુખાતાએ કોલેજો, પ્રૌઢ વાચનાલયેા તથા વાણિજ્ય-વિદ્યામંદિરે વગેરે માટે તેની ખાસ ભલામણ કરી છે. તથા શ્રી સયાજીરાવ હીરક મહાત્સવ અને સ્મારક નિધિ તરફથી તેને સારૂં એવું ઉત્તેજન પ્રાપ્ત થયું છે. વળી સન્માનનીય શ્રી મેારારજી દેસાઈ, સન્માનનીય શ્રી કે. કે. શાહ, સન્માનનીય શ્રી હિતેન્દ્ર દેસાઈ વગેરેએ તહેર સમારંભામાં આ ગ્રંથેની તારી કરીને તેના ગૌરવમાં વધારા કર્યાં છે.
ત્યાર બાદ મંત્રવિજ્ઞાન' અને ‘મંત્રચિતામણિ' પ્રકટ કરવામાં આવ્યા, તેણે પણ વિદ્વાને તથા પત્રકારાની પ્રચુર પ્રશંસા પ્રાપ્ત કરી છે અને કેટલાય જિજ્ઞાસુએને સાચા અર્થમાં મત્રેાપાસકે બનાવ્યા છે. તે અંગે અમારા ઉપર અનેક પત્ર આવી રહ્યા છે. જે તેણે પાડકાની પ્રાપ્ત કરેલી ચારુ ચાહનાનેા પ્રત્યક્ષ પુરાવેા છે. હજી પંડિતજીકૃત મંત્રવિષયક એક ગ્રંથ-મંત્રદિવાકર'નું પ્રકાશન કરવાનું છે, તે ઘણા ભાગે આવતા વર્ષોંમાં થઇ જશે.
આજે માનસવિજ્ઞાનનું ખેડાણુ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે, અને તેણે મનુષ્યાની આંતરિક શક્તિમાં, ખાસ કરીને ચ્છિા
Page #5
--------------------------------------------------------------------------
________________
સંકલ્પશક્તિમાં ભારે રસ પેદા કર્યો છે. તેના ઉચિત ઉપયોગ દ્વારા મનુષ્ય પોતાના જીવનમાં ધારેલી પ્રગતિ કરી શકે છે તથા સર્વમુખી ઉન્નતિ સાધી શકે છે, પણ તે વિષયનું સાહિત્ય ગુજરાતી ભાષામાં ઘણું અલ્પ છે. વળી જે કાંઈ સાહિત્ય પ્રકટ થયું છે, તે બહુધા અંગ્રેજી ભાષાના અનુવાદ તરીકે પ્રકટ થયું છે, એટલે તે આપણી આધ્યાત્મિક તથા રાષ્ટ્રીય ભાવના સાથે જોઈએ તેવું સુસંગત નથી. આ સંગોમાં વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહે આધ્યાત્મિક તથા રાષ્ટ્રીય ભાવનાને સન્મુખ રાખી ભારે પરિશ્રમપૂર્વક તૈયાર કરેલો “સંકલ્પસિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અદ્દભુત કલા” નામને આ મૌલિક ગ્રંથ પ્રકટ કરતાં અમને ઘણો આનંદ થાય છે.
કુલ ૨૦ પ્રકરણોમાં યાર થયેલ આ ગ્રંથમાં આપણા મનનું સ્વરૂપ, વિચારોને વિશિષ્ટ પ્રભાવ તથા સંકલ્પશક્તિનું મહત્વ સપ્રમાણ સવિસ્તર દર્શાવવામાં આવ્યું છે, તેમજ જીવનસાફલ્ય માટે અતિ જરૂરી એવા ગુણો ઉપર પણ આવશ્યક વિવેચન થયેલું છે. ઉદાહરણો, ઉક્તિઓ, મહાપુરુષોના અભિપ્રાય આદિએ આ ગ્રંથને ઘણો સમય તથા મતનીય બનાવ્યો છે. પાઠકવર્ગ તેનો પૂરો લાભ ? ઉઠાવે, એ અમારી આંતરિક અભ્યર્થના છે.
હવે પછી “માનવમનની અજાયબીઓ નામનો ગ્રંથ પ્રકટ કરવાના છીએ, તે પણ અત્યંત ઉપયોગી તથા ગુજરાતી સાહિત્યમાં ભાત પાડનાર હશે.
આ ગ્રંથના પ્રકાશનમાં એક યા બીજી રીતે સહાય કરનાર સહુનો આભાર માનીએ છીએ.
પ્રકાશક
Page #6
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
અનન્ય વિદ્યાપ્રેમી
શ્રીમાન દ્વીપનૢ એસ. ગાડી બી.એસસી., એક્ એલ, ખી., બાર એટ-લા.
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
જેમના શુભ સંકોએ શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી
શ્રીમાનું દીપચંદ એસ. ગાડી
બાર–એટ–લને
આ ગ્રંથ સાદર સમર્પિત
ગુણાનુરાગી ધીરજલાલ શાહ
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
---
-----
--*
તથા
૫૦
૫૮
૭૦
વિષયાનુક્રમ ૧. ઉપકમ ૨. સંકલ્પશક્તિનું મહત્ત્વ ૩. શુભ સંક૯૫ની આવશ્યકતા ૪. આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ ૫. આપણા મનનું સ્વરૂપ ૬. વિચાર અને તેને વિશિષ્ટ પ્રભાવ ૭. ઇચ્છા અને પ્રયત્ન ૮. પુરુષાર્થની બલિહારી ૯. આશાવાદી બનો ૧૦. વિચાર કરવાની ટેવ ૧૧. જ્ઞાનનો સંચય ૧૨. નિયમિતતા ૧૩. સમયનું મૂલ્ય ૧૪. ચિત્તવૃત્તિઓની એકાગ્રતા ૧૫. આત્મનિરીક્ષણ ૧૬. મિત્રની વૃદ્ધિ ૧૭. નીરોગીપણું ૧૮. સંકલ્પશક્તિ દ્વારા રેગનિવારણ ૧૯. સંકલ્પશક્તિ દ્વારા ધનપ્રાપ્તિ ૨૦. સંકલ્પશક્તિ દ્વારા સર્વકાર્યસિદ્ધિ ..
લેખકનું સાહિત્યસર્જન
૧૦૩ ૧૧૦ ૧૨૫ ૧૩૩
૧૪૨
૧૫૧
૧૫૯
૧૬૯
૧૮૧ ૧૯૩
૨૦૪
૨૧૫ ૨૨૫–૨૪૦
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન દીપચંદ સવરાજ ગાડ બી. એસસી., એવું એ, બી, બાર-એટ-લે નો
ટૂંક જીવનપરિચય
જીવનના જંગમાં જવલંત ફત્તેહ મેળવનાર તથા શ્રી અને સંપત્તિનો વિદ્યાના ક્ષેત્રે છૂટા હાથે સુંદર વ્યય કરનાર શ્રીમાન દીપચંદ સવરાજ ગાડીનો પરિચય કરાવતાં અમને ઘણો જ આનંદ થાય છે.
સૌરાષ્ટ્રના પડધરી ગામમાં જૈન કુટુંબમાં શ્રી સવરાજ જીવરાજ ગાડીને ત્યાં તા. ૨૫–૪–૧૯૧૭ને રોજ તેમનો જન્મ થયે. તેમની માતાનું નામ કપૂરબહેન છે. તેમને એક નાનાભાઈ છે, તેમનું નામ ચીમનલાલ.
આ કુટુંબ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયની શ્રદ્ધા ધરાવતું હતું અને તેના દાન-દયાદિ ઉત્તમ સંસ્કારોથી વાસિત હતું, એટલે દીપચંદભાઈને નાનપણથી જ ધર્મના સારા સંસ્કાર મળ્યા હતા. પરંતુ જ્યારે તેઓ ચાર વર્ષના થયા, ત્યારે કાલના કરાલ હસ્તોએ પિતાની છત્રછાયા ઝુંટવી લીધી, તેથી તેમને ઘણું વિષમ સંગોનો સામનો કરવો પડ્યો.
તેમનું પ્રારંભિક શિક્ષણ પડધરીમાં જ થયું અને અંગ્રેજી છઠ્ઠા ઘેરણ સુધી અભ્યાસ પણ પડધરીમાં જ કર્યો. તે પછી તેઓ વાંકાનેર ગયા અને ત્યાંની હાઈસ્કૂલમાંથી મેટ્રીકની પરીક્ષા આપી તેમાં સારા માકે પસાર થયા.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦
કૌટુંબિક સયાગા સારા ન હતા, છતાં દીપચંદભાઈની વિદ્યાભ્યાસની લગની અનેરી હતી, એટલે તેમણે ભાવનગર જઈ જાતમહેનતથી સાધને ઊભા કરી શામળદાસ કૉલેજમાં બે વર્ષ સુધી અભ્યાસ કર્યાં.
ત્યાર બાદ મુંબઈ આવ્યા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં હાફ પૅંગ વિદ્યાથી તરીકે દાખલ થઈ રાયલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં અભ્યાસ કરવા લાગ્યા. પરંતુ સંસ્થાનું ઋણ માથે ચડાવી અભ્યાસ કરવાનું તેમને પસંદ ન પડતાં ખાર મહિનાની પૂરી ફી આપી તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી છૂટા થયા અને સ્વતંત્ર કમાણી કરી આગળ અભ્યાસ કરવા લાગ્યા. આ રીતે એક વ આગળ અભ્યાસ કરી તેએ બી. એસસી. થયા.
હજી પણ તેમને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા હતી, એટલે તેમણે કાયદાના અભ્યાસ શરૂ કર્યાં અને સને ૧૯૪૨ની સાલમાં એક્ એટ્ , ખી. થયા. ત્યાર બાદ સેાલીસીટના આટીકલ્સ પૂરા કરી એડવાકેટ તરીકે મુંબઇમાં સ્વત ંત્ર પ્રેકટીસ કરવા લાગ્યા અને અનેક કંપનીઓના સલાહકાર બન્યા.
તેમની બુદ્ધિ તીક્ષ્ણ હતી, પ્રતિભા અનેરી હતી અને સહદયતા સહુ કાઈ તે અત્યંત પ્રભાવિત કરે એવી હાવાથી આ ક્ષેત્રમાં તેઓ ઝળકી ઉઠયા અને સને ૧૯૫૦થી જમીનના નિષ્ણાત તરીકે કામ કરવા લાગ્યા. તેમાં લક્ષ્મીદેવીની તેમના પર કૃપા થઈ અને તે ઉત્તરાત્તર વધતી ગઈ.
સને ૧૯૬૧માં તેઓ ઈંગ્લેડ જઈ બાર-એટલે બની આવ્યા. તેના પ્રથમ પત્ની શ્રી રૂક્મિણીબહેનથી તેમને રશ્મિકાંત અને હસમુખભાઈ નામનાં એ પુત્રરત્ના સાંપડયાં. જેમાં રશ્મિકાંત હાલ લંડનમાં રહી ડૉકટરી અભ્યાસ કરી રહેલ છે અને શ્રી
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧
હસમુખભાઈએ બી. એ. એલૂ એન્, બી., થઈ એડવોકેટ થઈ, સોલીસીટરને અભ્યાસ હમણુંજ પૂરે કરેલ છે.
તેમનાં બીજા પત્ની શ્રી વિદ્યાબહેન બી.એ. એલું એલ, બી, બી. ઈ. ડી., બાર–એટ–લો છે અને કેળવણીના ક્ષેત્રમાં ખૂબજ રસ લઈ રહેલ છે. આ લગ્ન શ્રી રૂક્ષ્મિણીબહેનની સંમતિથી થયાં હતાં અને આજે તેઓ એકબીજા સાથે ખૂબજ હળી મળીને રહે છે.
શ્રી દીપચંદભાઈ લક્ષ્મીના લાડીલા બન્યા, તે જ વખતથી તેમણે દીન-દુ:ખીઓને ગુપ્ત રીતે સહાય કરવા માંડી અને શિક્ષણના ક્ષેત્રને પિતાની સખાવતથી સમૃદ્ધ કરવા માંડયું. આજે તેમના વતન પડધરીમાં તેમના પિતાના નામથી “સવરાજ જીવરાજ ગાડી કન્યા મહાવિદ્યાલય” ચાલે છે, તેમના માતુશ્રીના નામથી “શ્રી કપૂરબહેન જૈન પાઠશાળા ચાલે છે, તેમજ આસપાસના પ્રદેશમાં તેમણે પ્રાથમિક શાળાઓનાં ૧૨ થી ૧૩ મકાન બંધાવી આપેલ છે.
મુંબઈમાં તેમના તરફથી ગાડ હાઇસ્કૂલ ચાલે છે, ઘાટકેપર રાષ્ટ્રીય શાળામાં કપૂરબહેન સવરાજ ગાડી નામથી એક સુંદર વીંગ છે તથા લાલબાગ ભૂલેશ્વર ખાતે “વિદ્યાબહેન આઉટડેર ડીસ્પેન્સરી” ચાલે છે. ઉપરાંત તેમના કુટુંબના પાંચ સભ્ય શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પેટ્રન છે અને તેને અત્યાર સુધીમાં ૩ ટ્રસ્ટે આપી ચૂકેલ છે. એટલું જ નહિ પણ વિદ્યા, સંસ્કાર અને કલાના ક્ષેત્રે કામ કરી રહેલ નાની–મોટી ૫૦ જેટલી સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી, પદાધિકારી કે સભ્ય તરીકે જોડાયેલા છે અને તે દરેકને યથાશક્તિ સહાયભૂત થવામાં આનંદ માને છે.
સ્વભાવે તેઓ શરમાળ છે, પરંતુ પિતાના શુભ સંકલ્પોની સિદ્ધિ કરવામાં ઘણું મક્કમ છે અને સહુથી વધારે નોંધપાત્ર બીના તે એ છે કે તેઓ માનવતાની મીઠી સૌરભથી મઘમઘી રહેલ છે કે
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
જેને અનુભવ તેમના પરિચયમાં આવનાર હર કેાઈ તે થયા વિના રહેતા નથી.
તેમના આવા વિરલ વ્યક્તિત્વથી પ્રેરાઇને અમે આ સંકલ્પસિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અદ્ભુત કલા' નામનેા ગ્રંથ તેમને સમર્પણ કરવામાં કૃતાતા માની છે.
તેએ તંદુરસ્તીભર્યું દીધ જીવન પ્રાપ્ત કરે અને તેમના હાથે માનવસેવાનાં કાર્યાં ઉત્તરાત્તર વધારે થાય, એવી અમારી આંતરિક અભિલાષા છે.
卐
Page #16
--------------------------------------------------------------------------
________________
સં ક ૫સિદ્ધિ
' યાને ઉન્નતિ સાધવાની અભુત કલા
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
[૧]
ઉપક્રમ
સંક૯પશક્તિને ઉચિત ઉપગ દ્વારા જીવનના કેઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ કેવી રીતે મેળવવી ? તેનું પ્રમાણ –સવિસ્તર વિવેચન કરવું, એ પ્રસ્તુત ગ્રંથનું મુખ્ય પ્રજન છે, તેથી તેને “સંક૫સિદ્ધિ” નામ આપવામાં આવ્યું છે. અથવા તો માનવજીવનમાં જે અનેક પ્રકારના સંક થાય છે-મરથ જાગે છે, તેની સિદ્ધિના કેટલાક સબળ સચોટ ઉપાયે આ ગ્રંથમાં દર્શાવેલા છે, એટલે તેનું સંક૯પસિદ્ધિ એ નામ સાર્થક છે, અને જે સંક૯પનો અર્થ માત્ર વિચાર કરીએ તે વિચારની અમેઘ–અપરિમિત શક્તિથી મનુષ્ય પોતાનાં સઘળાં દુઃખ-દર્દીને હઠાવી પરમ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? તેનું પણ આ ગ્રંથમાં વ્યવસ્થિત નિરૂપણ કરેલું છે, એટલે “સંક૯પસિદ્ધિ” નામની સાર્થક્તા અંગે કઈ સંદેહ રહે તેમ નથી.
સામાન્ય રીતે ગ્રંથનું નામકરણ કરતાં અમારા મનમાં ઘણું મમંથન થાય છે, એ રીતે આ ગ્રંથનું નામકરણ
Page #19
--------------------------------------------------------------------------
________________
४
સ’કલ્પસિદ્ધિ
કરતાં પણ ઘણું મનેામથન થયેલુ. વધારે સ્પષ્ટ કહીએ તે દિવસો સુધી તેને રણકાર અમારા મનમંદિરમાં થયેલા અને તેના પંચાક્ષરીપણાએ તથા તેના અગૌરવમય ઊંડા રહસ્યે અમારા મનનું અનેરું આકર્ષણ કર્યું, ત્યારે જ અમે એની પસંદગી કરેલી. અમને વિશ્વાસ છે કે આ નામ પાઠકેાના મનમાં એક નવી જ ભાવનાષ્ટિ ખડી કરશે અને તેનુ' પરિણામ તેમના સમસ્ત જીવનવ્યવહાર પરત્વે ઘણું સુંદર આવશે.
સકલ્પસિદ્ધિની પ્રક્રિયા એવી છે કે તે જેમ જેમ આગળ વધે, તેમ તેમ મનુષ્યને પાતાની ઈચ્છા અનુસાર ધન, સંપત્તિ, અધિકાર, યશ, આરોગ્ય, વિદ્યા, કલા વગેરેની પ્રાપ્તિ થતી જાય અને તે પેાતાની ઉન્નતિના · નિ દશુનેરાત ચાણુના ’ અનુભવ કરી શકે, તેથી તેને ઉન્નતિ સાધવાની અદ્ભુત કલા એવું અપરનામ આપવાનું ઉચિત માન્યું છે. તેનાથી આ ગ્રંથમાં ચર્ચાયેલા વિષયને પાઠકોને સુસ્પષ્ટ બેધ થશે અને ભળતાં અનુમાનાથી બચી શકાશે.
આજે જગતના સુજ્ઞ મનુષ્યેાની સહુથી મેાટી માગણી
6
૧. આ ગ્રંથ નિર્માણ થતા હતા, ત્યારે એક મિત્રે સ્વાભાવિક જ પૂછ્યું કે હાલ શું ચાલે છે? ' અમે કહ્યું : સંકલ્પસિદ્ધિ ગ્ર ંથનું લેખન કરી રહ્યા છીએ.’
તેમણે કહ્યું : હવે તમારી કલમ શું યાગના વિષયમાં ચલાવવા માંડી ? ’ અમે કહ્યું : યાગમાં અમને રસ છે, પણ આ ગ્રંથ યાગને નથી.
(
ત્યારે શું આ ગ્રંથ દ્વારા તમે મંત્રશાસ્ત્રની પૂતિ કરવા માંગે છે ?' તેમણે વિશેષ પ્રશ્ન કર્યાં.
અમે કહ્યું : ના. આ ગ્રંથ મત્રનેા પણ નથી. પરંતુ વ્યાવહારિક
Page #20
--------------------------------------------------------------------------
________________
ઉપક્રમ
સફલતા (Success) ની છે. અન્ય શબ્દોમાં કહીએ તે પ્રગતિ, વિકાસ કે અભ્યદયની છે અને તેથી તે અંગે ઘણુ ચિંતન-મનન થયેલું છે. પ્રસ્તુત ગ્રંથને આવા જ ચિંતનમનનનું એક સુમધુર ફળ સમજવું. તેને ઉત્સાહથી આસ્વાદ લેનારને આ જગતમાં કઈ પણ સ્થળે નિષ્ફળતા મળશે નહિ કે નિરાશ થવાનો વખત આવશે નહિ. તે પિતાને અભીષ્ટ એવી પ્રગતિ, અભીષ્ટ એ વિકાસ કે અભીષ્ટ એ અભ્યદય અવશ્ય સાધી શકશે અને આ જગતમાં પિતાનું નામ રેશન કરી શકશે.
અમે ત્રેસઠ વર્ષના જીવન દરમિયાન સિદ્ધિ, સફળતા કે ઉન્નતિ અંગે જે કંઈ જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, તેનો સમુચિત સાર આ ગ્રંથમાં ઉતારવા માટે પ્રબળ પ્રયાસ કર્યો છે, તેથી સિદ્ધિના સાધકેને, સફલતાના ઈષ્ણુને કે ઉન્નતિના ઉમેદવારને તે અતિ ઉપયોગી થઈ પડશે અને એક માર્ગદર્શક સાચા મિત્રની ગરજ સારશે, એમ કહીએ તો અનુચિત નથી. દૃષ્ટિએ જીવનસાફલ્યનો છે. મનુષ્ય વ્યવહારના કોઈ પણ ક્ષેત્રમાં સંકલ્પશક્તિને ઉપયોગ કરીને કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, ઉન્નતિ સાધી શકે, તે અમે લખી રહ્યા છીએ.” - તેમણે કહ્યું : “જે હકીકત આવી જ હોય તો કૃપા કરીને તેને એવું અપરનામ આપો કે મારા જેવા અનેકને આ વિષયને સ્પષ્ટ બોધ થાય.”
અને અમે એ સૂચનાને સ્વીકાર કરીને કેટલાક મનોમંથન બાદ આ ગ્રંથને ઉપયુક્ત અપરનામથી અલંકૃત કર્યો.
૨. તા. ૧૮-૩-૬૮ના રોજ અમે ત્રેસઠમા વર્ષમાં પ્રવેશ કરેલ છે. એ વખતે અને ત્યારપછી આ ગ્રંથનું લેખન ચાલુ હતું. અમારો જન્મ તા. ૧૮–૩–૧૯૦૬ના રોજ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર નજીક
Page #21
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ
કેટલાક કહે છે કે આપણને કોઈ કલ્પવૃક્ષની છાયા મળી જાય તે આપણા સર્વ સંકલ્પાની સત્વર સિદ્ધિ થઈ જાય, પણ કલ્પવૃક્ષ શેાધવુ કયાં? એ એક પ્રશ્ન છે. આપણે આખાયે ભારતવર્ષને ઢૂંઢી વળીએ તેા પણ તે આપણને જડે તેમ નથી. વળી જગતના કોઈ પણ દેશે કલ્પવૃક્ષ પેાતાને ત્યાં હાવાની જાહેરાત કરી નથી, એટલે ત્યાં જઇને મેળવવાની વાત અહીન છે. કદાચ તે કેઈ અજાણ્યા પ્રદેશમાં કે સાગરના એટમાં હાય, તે તેથી આપણને શો લાભ ? તાત્પર્ય કે આજે આપણને કોઈ કલ્પવૃક્ષની છાયા મળી જાય, એ વસ્તુ સંભવિત નથી, શકય નથી.
કામધેનુ વિષે પણ આવેા જ પ્રવાદ ચાલે છે, પરંતુ તેની પ્રાપ્તિ સુલભ નથી. કદાચ કોઇને આવી ધેનુ અર્થાત્ ગાય મળી જાય તે! તેનુ કલ્યાણ થાય, પણ ખીન્ન લાખા-ક્રેડા મનુષ્યનું શું? તે બધા કામધેનુના આધારે પેાતાના સકલ્પાની સિદ્ધિ કરી શકે નહિ.
આજથી પાંચ-છ દશકા પહેલાં સૌરાષ્ટ્રના વઢવાણુ શહેરમાં એક શેઠ પાસે અતિ સુંદર ગાય હતી. તેને જોતાં જ સહુના મનનું અદ્દભુત આકર્ષણ થતું, અને તે આવી ત્યારથી આવેલા ‘દાણાવાડા’ નામના એક નાનકડા ગામડામાં સાધારણ સ્થિતિના જૈન કુટુંબમાં થયા હતા. પિતાનુ નામ ટોકરશીભાઈ અને માતાનું નામ મણિએન હતું. પિતા સ્વભાવે સાહસિક અને પરગજુ હતા. માતા ધર્માંનિષ્ઠ અને તપસ્વી હતા. તેમની સ્મરણશક્તિ ઘણી સતેજ હતી. આ ગ્રંથમાં પ્રસંગોપાત્ત તેમને કેટલાક ઉલ્લેખ આવશે, એટલે પ્રારંભિક પરિચય માટે અહીં આટલા ઉલ્લેખ કર્યો છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
ઉપકમ
શેઠના ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી હતી, એટલે સહુ તેને કામધેનુ તરીકે ઓળખતા હતા. પરંતુ આવી ગયા બધાને મળી શકે ખરી ? નોંધપાત્ર બીના ત એ હતી કે એ ગાય મરી ગયા પછી તરત જ શેઠના ઘરમાંથી બધી લક્ષમી ચાલી ગઈ. એટલે કામધેનુ દ્વારા સંકલ્પની સિદ્ધિ કરવામાં જે ભયસ્થાન રહેલું છે, તેનો પાઠકેને ખ્યાલ આવી શકશે.
“ચિંતામણિ રત્ન મનુષ્યના સર્વ સંકલ્પની સિદ્ધિ કરવામાં સમર્થ છે, એમ આપણે ત્યાં ઘણા વખતથી કહેવાતું આવ્યું છે, પણ ચિંતામણિ રત્ન રસ્તામાં પડ્યું નથી. તે કદાચિત્ કોઈકને મહાપરિશ્રમ પ્રાપ્ત થાય છે, એટલે આપણે તેની આશા રાખી શકીએ નહિ. | મુશદાબાદવાળા જગત શેઠને ચંદ્રમણિ નામે એક મણિ પ્રાપ્ત થયો હતો અને તેના લીધે તેમની પાસે અઢળક સંપત્તિ એકઠી થઈ હતી, પરંતુ આ મણિ અન્ય કેઈને પ્રાપ્ત થયાનું સાંભળ્યું નથી, એટલે આવી ઘટનાઓને આપવાદિક લેખવી જોઈએ.
અમે એક એવી વ્યક્તિની જીવનકથા જાણીએ છીએ, કે જેણે કોઈ સાધુ-સંતના કહેવાથી ચિતામણિ રત્નની પ્રાપ્તિ કરવા માટે દિવસો સુધી જંગલોને, પહાડોને તથા અંધારી ગુફાઓ વગેરેનો પ્રવાસ કર્યો હતો અને છેવટે સર્પદંશ થતાં, મૃત્યુ સાથે મહેમ્બત કરી હતી.
તાત્પર્ય કે કલ્પવૃક્ષ, કામધેનુ કે ચિંતામણિ રત્નના
Page #23
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ આધારે સપેાની સિદ્ધિ કરવાના વિચાર વ્યવહારુ નથી અને શકય પણ નથી, એટલે સુજ્ઞ મનુષ્યાએ તે પેાતાને જે સાધના પ્રાપ્ત થયાં છે, તેના આધારે જ પેાતાના સલ્પાની સિદ્ધિ માટે પ્રયાસ કરવા જોઈએ અને તે માટે આ ગ્રંથમાં પૂરતી સામગ્રી અપાયેલી છે.
તપશ્ચર્યા અને ચોગસાધનાના અવલંબનથી મનુષ્યને ઉત્તમ કોટિની સંકલ્પસિદ્ધિ થાય છે, પણ તેનું વર્ણન–વિવેચન અહીં પ્રસ્તુત નથી. તે માટે જિજ્ઞાસુઓએ પાતંજલ યેાગસૂત્ર અને તેના પરનાં ભાષ્ય વગેરે જોવા જોઈ એ.
મંત્રાપાસનાના બળે મનુષ્ય પેાતાના વિશિષ્ટ સકલ્પાની સિદ્ધિ કરી શકે છે, એ હકીકત સાચી છે. પણ એ વિષય જુદો છે અને ખાસ અધ્યયન માગે છે. વળી તેમાં ગુરુકૃપાની પણ ઘણી જરૂર રહે છે, એટલે અમે પ્રસ્તુત ગ્રંથમાં તેને સ્પર્શી કર્યા નથી. આમ છતાં અહીં એટલુ જણાવવુ જરૂરી સમજીએ છીએ કે જેમને મંત્રના વિષયમાં પ્રમાણભૂત માહિતી મેળવવી હાય અને તેના દ્વારા થતી વિધવિધ સિદ્ધિ અંગે વિસ્તારથી જાણવું હાય, તેમણે અમારા રચેલા ‘મંત્રવિજ્ઞાન ’ તથા ‘મત્રચિંતામણિ’ એ બે ગ્રંથા અવશ્ય જોવા.
અમે અહીં’ સંકલ્પસિદ્ધિનું જે નિરૂપણ કરવાના છીએ, તેના મુખ્ય પાયા એ છે કે દરેક મનુષ્યને સંલ્પશક્તિ પ્રાપ્ત થયેલી છે, તેના જો વિધિસર વિકાસ તથા ઉપયાગ કરવામાં આવે તે તે પેાતાની સતામુખી ઉન્નતિ સાધી શકે છે, એટલું જ નહિ પણ ધારે તેા આભના તારા નીચે
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉપકમ
ઉતારી શકે છે અને એક નવી જ સૃષ્ટિનું નિર્માણ કરી શકે છે. આને કેઈ અતિશયેક્તિ સમજશે મા ! આને કઈ અત્યુક્તિ લેખશે મા ! આ એક અનુભૂત સત્ય હકીક્ત છે, અને તેથી જ અમે અહીં તેનું સવિસ્તર વર્ણન કરવા તત્પર થયા છીએ.
સંકલ્પશક્તિને ચમત્કાર અમારી વિદ્યાર્થી અવસ્થામાં જ અમને જોવા મળેલે, તેની અહીં નેંધ કરવી ઉંચિત સમજીએ છીએ.
૩. બાળધોરણ, પહેલી, બીજી તથા ત્રીજી ગુજરાતીનો અભ્યાસ અમે અમારા ગામની ગામઠી નિશાળમાં પૂરો કર્યો હતો. ત્યારબાદ અમારા પિતાશ્રીનું અચાનક અવસાન થતાં અમે ઘણી કઢંગી હાલતમાં મૂકાઈ ગયા હતા. આ વખતે અમારા વિધવા માતુશ્રીને તેમનું પોતાનું, અમારું તથા અમારી નાની બે બહેનો-ઝવેરી તથા શાંતાનું ભરણપિષણ કરવાનું હતું. પાસે કંઈ પણ જમીન–જાગીર કે મૂડી ન હતી; તેમજ આજીવિકાનું ખાસ સાધન ન હતું.
પિતાજી ગેધરા નજીક ટુવા ગામમાં કોઈની ભાગીદારીમાં પરચુરણ દુકાનદારી કરતા હતા અને ત્યાં અમને બધાને લઈ જવા માટે તેડવા આવ્યા હતા. એવામાં તાવ આવ્યો અને ત્રણ જ દિવસમાં દેહાંત થયો. તેમની પાછળ ભાગીદારે દુકાનનો પૂરો કબજે કર્યો અને ભાગમાં ખોટ દેખાડી કંઈ પણ આપ્યું નહિ. આ સંજોગોમાં અમારા ગામમાં અમારે માથે ત્રણસો રૂપિયાનું દેવું રહી ગયું, જે અમે ઘણું વર્ષે ભરપાઈ ક્યું.
આઠ મહિના બાદ અમારા માતુશ્રીના કાકા અમને પિતાને ગામ દેવચરાડી લઈ ગયા કે જે અમારા ગામથી ચાર-પાંચ ગાઉના અંતરે આવેલું હતું. ત્યાં અમે ચોથી ગુજરાતીનો અભ્યાસ પૂરો
Page #25
--------------------------------------------------------------------------
________________
30
સંક૯પસિદ્ધિ અંગ્રેજી પાંચમા ધોરણમાં અમે કવિ કલાપીકૃત ‘કાશ્મીરને પ્રવાસ’ વા, તેની છાપ અમારા મન ઉપર બહુ ઊંડી પડી અને અમને એ સૌંદર્યભૂમિનાં દર્શન કરવાની ઈચ્છા જાગ્રત થઈ. ખાસ કરીને તેમાં જહાંગીર બાદશાહે કહેલી નીચેની પંકિતઓનું ઉદ્ધરણ હતું, તેણે અમારા મનનું અનેરું આકર્ષણ કર્યું હતું :
યદિ ફિરદોશ બરરુયે જમીનસ્ત;
હમીનસ્તા હમીનસ્તા હમીસ્ત. “જો આ જગતુ પર કેઈ સ્થળે સ્વર્ગ હોય તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે.'
નીતિકારેએ કહ્યું છે કે “ઉત્પન્ને વિસ્ટીચત્તે ાિળાં કર્યો. ત્યારબાદ અમારા મોસાળે વઢવાણ શહેર જવાનું થયું, ત્યાં પાંચમી ગુજરાતીનો અભ્યાસ દરબારી શાળામાં પૂરો કર્યો કે જે ધોળી પોળ રામમંદિરની સામે આવેલી છે. * સને ૧૯૧૭માં અમને વિશેષ વિદ્યાભ્યાસ માટે અમદાવાદ શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં મોકલવામાં આવ્યા. ત્યાં ત્રણ અંગ્રેજી ગવર્મેન્ટ મિડલૂ સ્કૂલમાં, ચોથી અંગ્રેજી આર. સી. હાઇસ્કૂલમાં અને પાંચમી, છઠ્ઠી તથા સાતમી અંગ્રેજી પ્રોફાયટરી હાઈસ્કૂલમાં પૂરી કરી ગુજરાત વિદ્યાપીઠના વિનીત થયા. ત્યારબાદ વિશેષ અભ્યાસ માટે ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા, પણ થોડા વખત બાદ કૌટુંબિક, સંયોગોને લીધે વિદ્યાભ્યાસ છોડી વ્યવસાયમાં દાખલ થવું પડયું. અમારી વિદ્યાર્થી અવસ્થાની આ ટૂંક રૂપરેખા છે. વિશેષ તો આ ગ્રંથમાં અપાયેલા કેટલાક પ્રસંગોથી જાણી શકાશે. ત્યાર પછી પણ અમે વિદ્યાનો અભ્યાસ તો કરતા જ રહ્યા છીએ, પણ તે અમારી રીતે.
Page #26
--------------------------------------------------------------------------
________________
ઉપકમ
મનોરથ – દરિદ્ર પુરુષોના મનમાં અનેક પ્રકારના મનેર– સંકલ્પ ઉત્પન્ન થાય છે, પણ તે બધા નાશ પામે છે” તાત્પર્ય કે ધનના અભાવે તેમના એ મને રથની–સંકલ્પની સિદ્ધિ થતી નથી.
એ વખતે અમારી પાસે કંઈ ધન ન હતું. અમારી સર્વ જરૂરીઆતે અમે જે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા, તેના તરફથી પૂરી પાડવામાં આવતી અને જ્યારે અમે ઊનાળા કે દીવાળીની રજાઓમાં અમારે વતન જતા, ત્યારે અમારે પંદરનો ખર્ચ કરવો પડતો. તે બે વાર મળી રૂપિયા દશથી વધારે આવતો નહિ. આ સંયોગમાં કાશ્મીરને પ્રવાસ કરવાની ઈચ્છા રાખવી, એ શેખચલ્લીના તર્ક જેવું જ ગણાય, પણ એ ઈછા અમારા હૃદયને સ્પર્શી ગઈ હતી અને કેમે ય કરી દૂર થતી ન હતી. એવામાં અમે વાગ્યું કે “Where there is a will, there is a way”—
જ્યાં હૃદયની ઊંડી ઈચ્છા હોય છે, ત્યાં કઈને કઈ માગ નીકળી રહે છે. એટલે અમને થયું કે અમારી હાર્દિક ઈચ્છા માટે પણ કેઈ ને કોઈ માર્ગ નીકળી રહેશે.
પરંતુ સર્વ દિશાઓ અંધારી હતી. અમે કઈ પાસે કંઈ પૈસા માગી શકીએ તેમ ન હતા અને કદાચ માગીએ તે પણ રૂપિયા બે રૂપિયાથી વધારે માગવાની હિમ્મત કરી શકીએ તેમ ન હતા, કારણ કે એ વખતે બે રૂપિયાની કિસ્મત પણું બહુ ગણાતી. વધારે સ્પષ્ટ કહીએ તે એટલી રકમમાં બે મણ બાજરી આવતી અને તેનાથી બે-ત્રણ માણસના
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨
સંકસિદ્ધિ કુટુંબને એક મહિનાને નિર્વાહ થતું. અથવા તે એટલી રકમમાં અમદાવાદથી સુરેન્દ્રનગર થઈ દીક્ષરોડ સ્ટેશન પહોંચાતું કે જે અમારા વતનમાં જવાનું સહુથી નજીકનું સ્ટેશન હતું.'
આ વખતે છાત્રાલયના ગૃહપતિજીની ખાસ પરવાનગીથી અમે એક સુખી કુટુંબના છોકરાને દર શનિ-રવિવારે ટ્યુશન આપવા જતા અને તેમાંથી માસિક રૂપિયા પંદરની કમાણી થતી, તે અમારાં માતુશ્રી તથા બે બહેનના નિર્વાહ માટે તેમના પર મેકલી આપતા. આમ છતાં જ્યારે અમે એકાંતમાં બેસતા અને વિચારે ચડતા, ત્યારે કાશ્મીરનું દૃશ્ય અમારા અંતરચક્ષુઓ સામે ખડું થઈ જતું અને તે અમને ખૂબ જેરથી તેના તરફ ખેંચતું. “આ રજાઓમાં નહિ તે આવતી રજાઓમાં જઈશ.” એવા વિચારમાં ત્રણ રજાઓ પસાર થઈ ગઈ, પણ કાશ્મીર જવાના કેઈ સંગે ઊભા થયા નહિ.
એમ કરતાં સને ૧૯૨૪ માં ગૂજરાત વિદ્યાપીઠની વિનીતની પરીક્ષા આપી. ત્યારબાદ થોડા જ દિવસે અમારે એક સજજન ગૃહસ્થને મળવાનું થયું કે જેમના ભત્રીજાને અમે ટયુશન આપતા હતા. તેમણે અમને પૂછયું : “આ વખતે ક્યાં જવાનો વિચાર રાખે છે?” અમે તરત જ કહ્યું : “કાશ્મીર.
એ ગૃહસ્થ અમારી સર્વ પરિસ્થિતિ જાણતા હતા, એટલે અમારા આ ઉત્તરથી કંઈક આશ્ચર્ય પામ્યા. પરંતુ
૪. સુરેન્દ્રનગરથી રાજકોટ જતાં આ સ્ટેશન બીજું આવે છે. ૫. તેમનું શુભ નામ શ્રી મનસુખરામ અનોપચંદ શાહ હતું.
Page #28
--------------------------------------------------------------------------
________________
ઉપક્રમ
૧૩
પુનઃ પ્રશ્ન કર્યો કે તેના ખર્ચની શી વ્યવસ્થા કરી છે ?” તેના ઉત્તરમાં અમે ચૂપકીદી પકડી, કારણ કે કહેવા જેવું કંઈ હતું નહિ. છેવટે તેમણે એક વિશેષ પ્રશ્ન કર્યો કે “એ પ્રવાસમાં કેટલો ખર્ચ આવે તેમ છે?” અમે કહ્યું : “આશરે રૂપિયા સવાસે.” અને તેમણે કંઈપણ વિશેષ કહ્યા વિના પિતાના પાકીટમાંથી રૂપિયા સવા કાઢીને અમારા હાથમાં મૂક્યા અને કહ્યું કે “જાઓ, કાશ્મીરનો પ્રવાસ કરી આવો.”
અમે તેમને અત્યંત આભાર માન્ય અને બીજા ચાર, મિત્ર સાથે કાશ્મીરના પ્રવાસની અમારી ઈચ્છા પૂરી કરી.
આ ઘટના અમારા માટે તે એક ચમત્કાર જેવી જ હતી. પેલા ગૃહસ્થ અમારા માટે સહૃદયી હતા, પણ તેઓ આટલા પૈસા એકાએક અમારા હાથમાં મૂકે, એ વાત અમારી કલ્પનામાં ઉતરે એવી ન હતી, પરંતુ અમે કાશ્મીરના પ્રવાસને સંકલ્પ વારંવાર અમારા મનમાં દઢ કરેલે, તેની અસર તેમના હૃદય પર થઈ અને આ જાતનું પરિણામ આવ્યું.
વિદ્યાભ્યાસ છોડીને વ્યવસાયમાં પડ્યા પછી પણ અમે સંકલ્પશક્તિના આવા ચમત્કારે અનેક વાર નિહાળ્યા છે અને તેણે સંકલ્પસિદ્ધિ અંગેની અમારી શ્રદ્ધાને ખૂબ જ મજબૂત બનાવી છે. આજે પાકટ વયે સંકલ્પશક્તિને એ ચમત્કાર વધારે પ્રમાણમાં નિહાળી રહ્યા છીએ અને તેના આધારે અનેક કાર્યો સિદ્ધ કરી રહ્યા છીએ. અમારા આ પ્રકારના દીર્ઘ અનુભવે અમને આ “સંકલપસિદ્ધિ” નામને ગ્રંથ. લખવાની પ્રેરણ કરી છે, તેની પાઠકે અવશ્ય નેંધ લે.
Page #29
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
ભારતભૂમિનુ એ સૌભાગ્ય છે કે તેમાં સંકલ્પસિદ્ધિવાળા મહાપુરુષા થતા જ આવ્યા છે અને આજે પણ તેએ કવિચત્ કવચિત્ દર્શન દે છે. રિ આશ્રમના પ્રણેતા શ્રીમોટા કે જેઓ આજે તેમની સાત્ત્વિક પ્રવૃત્તિઓથી ગુજરાત અને ગુજરાત બહાર પણ જાણીતા થઈ ચૂકયા છે, તેમના સંબંધી સલ્પનું બળ’ એ નામના એક લેખ શ્રીમાન્ રતિલાલ મહેતા તરફથી મુંબઈ સમાચાર સાપ્તાહિકના તા. ૩-૩-૧૮ના અંકમાં નીચે પ્રમાણે પ્રસિદ્ધ થયા હતા :
૧૪
:
(
સમય : ૧૯૩૮-૩૯. સ્થળઃ બનારસ હિંદુ યુનિવર્સિટીનું મકાન. સ્વ. કવિશ્રી નરસિંહરાવ ભા. દીવેટિયાની એ દૌહિત્રીઓના વાલી તરીકે શ્રીમાટાનું ત્યાં આગળ થાડાક માસ માટે રહેવું. એ બહેનેાની પરીક્ષા અંગે, એક દિવસ એ બહેનાએ તેમનાં ઘરેણાં શ્રીમેાટાને રાખવા આપ્યાં. તેમણે પોતાના પહેરેલા પહેરણના ખિસ્સામાં મૂકી દીધાં ને બહેનને લઇને વિશ્વનાથ ભગવાનનાં દર્શન કરવા ગયા. ત્યાં ભારે ધક્કામૂકી હતી, છતાં દર્શન કરીને બહાર નીકળ્યા ને ઘરે પાછા ફર્યાં.
બીજે દિવસે ગંગા નદીમાં નૌકાવિહાર અર્થે જવાને તેઓ બધાં તૈયાર થયાં. કપડાં બદલતાં જૂના પહેરણમાં મૂકેલાં પેલાં ઘરેણાં શ્રીમોટાને યાદ આવ્યાં. ખિસ્સાં ફ્ફાળવા માંડયાં, ત્યારે ખબર પડી કે ખીસ્સું કપાઇ ગયુ છે અને ઘરેણાં ચારાઇ ગયાં છે ! તેથી શ્રીમેટાને ઘણું લાગી આવ્યું. જવાબદારીનું ખરાખર પાલન ન થયાનું દુઃખ થયું. જો કે પેલી બહેના તા કઈ એટલી નહિ.
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉપક્રમ
૧૫
પછી તેઓ નૌકાવિહાર માટે ગયાં. દરમિયાન એક બહેને સુંદર ભાવથી કેટલાંક ભજન ગાયાં. એ સાંભળતાં શ્રી મેટાને ભાવાવેશ પ્રકટ્યો અને તેમના શરીરની સ્થિતિ ભાનરહિત થઈ ગઈ. પરંતુ તેવી સ્થિતિ પ્રકટી તે પહેલાં
પેલાં ઘરેણુને ચિર કોણ હશે?” અને “મારી જવાબદારી હું બરાબર અદા ન કરી શક્યો તે દર્દને વિચાર ઊડતો ઊડતે તેમને કુરી ગયેલ. તેઓ ભાવાવસ્થાના ધ્યાનમાં ઊંડે ચાલ્યા ગયા ને ત્યારે તેમને જે દશ્યને અનુભવ થયે, તે તેમને “અભુત અને રોમાંચકારી' લાગે !
વિશ્વનાથ મંદિરમાં તેણે કેવી રીતે ગજવું કાપ્યું, તે દશ્ય તેમને આબેહૂબ દેખાયું. શ્રી મોટાએ ધ્યાનાવસ્થામાં પિલા ચિરને આમ કહ્યું : “અલ્યા! આ ઘરેણું મારાં નથી. હું તે ગરીબ માણસ છું ને તે ભરપાઈ કરી શકું એમ નથી. આ મિલકત તારાથી જીરવી નહિ શકાય, તું મને પાછી સપી જા. મારું રહેઠાણ અમુક અમુક ઠેકાણે છે.” એમ કહીને તેમણે તેમનું નિવાસસ્થાન વગેરે થાનાવસ્થામાં વર્ણવી બતાવ્યું. તે એટલું બધું તે તાદૃશ્ય હતું અને તેની ઘેરી અસર દિલ પર એવી તે ભારે પડી ચૂકેલી કે તે હકીક્ત જાણે પ્રત્યક્ષ નજરોનજર થયા કરતી હોય એવા પ્રકારના અનુભવને ઉઠાવ જાગ્રત થયેલ.
બીજા દિવસે યુનિવર્સિટીના જે મકાનમાં પરીક્ષા લેવાતી હતી, ત્યાં તેઓ ઉપરના માળે હતા. મોટી બહેન તેના પરીક્ષાના હોલમાં હતી અને શ્રીમેટા તથા તે બહેનની
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬
સંકલ્પસિદ્ધિ એક સખી બહારના વરંડામાં ઊભાં હતાં. તે વેળા એક માણસ હાંફતે હાંફતો દોડતો દોડતો આવતો હતો. પેલી બહેને શ્રીમેટાનું ધ્યાન તેની સામે દેવું. પેલે માણસ શ્રીમેટાને બોલાવવાની નિશાની ક્ય કરતે હતો. તે શ્રી મેટાને નીચે આવવાની વિનંતિ કરવા લાગ્યું, એટલે તેઓશ્રી નીચે ગયા. પેલા આગંતુકે શ્રીમોટાને કહેવા માંડ્યું :
આ તમારાં ઘરેણું પાછાં લઈ લે. હું તે આખા શરીરે દાઝી મરું છું. મારાથી આ અગ્નિને દાહ જીરવી શકાતે નથી. માટે કૃપા કરીને તે મટી જાય એવું કરે”
ઘરેણું પાછાં મળી જવાથી શ્રીમેટાને આનંદ થયે ને હાશ પ્રકટી. પેલો માણસ શ્રીમોટાને પગે પડીને પાછા કાલાવાલા કરવા લાગ્યું કે “ભાઈસાબ મારે આ પ્રચંડ દાહ મટાડી દો.” ત્યારે શ્રીમોટાએ કહ્યું કે “ભાઈ આ તે મારા ભગવાનની કરામત છે. પણ તું કેવી રીતે પારખી શક્યો કે આ ઘરેણને માલીક હું પોતે છું?”
ત્યારે તેણે કહ્યું: “ગઈ કાલની સમી સાંજ પછીથી મને ઓચિતે આખા શરીરે પંચડ દાહ પ્રકટેલ છે કે જે સહ્ય જ નથી. આ આખા સમય દરમિયાન મને તમારા શરીરની આકૃતિ આબેહૂબ વારંવાર નજર સમક્ષ તર્યા કરતી અને તમે ક્યાં રહે છે તે મકાનની જગ્યાની, ખરેખરી રીતે તેના અમુક ચેકસ સ્થળની પણ મને ખબર પડી હતી. અને સવારના તમે ક્યાં હશો તે પણ હું દેખી શકતો હતે. રાતે ને રાતે આવવાની મારા શરીરમાં તો તે વેળા શક્તિ
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉપક્રમ
૧૭
પણ ન હતી. અત્યારે પણ જેમતેમ કરીને આવી શકયો છું. નીકળવાનું મન થયું ત્યારે તે ચાલી નહિ શકાય એમ લાગતું હતુ, પણ પછીથી તે તેમાં એટલી બધી ગતિ પ્રકટી કે દોડયા જ કરવાનું અન્યુ છે અને એકી શ્વાસે અહીં આવ્યા છું. માટે કૃપા કરીને તમે આ દાહ મટાડો.’
6
શ્રીમોટાએ તેને અચાનક એમ કહ્યું કે ‘ ભાઈ ! તુ હવે એક વ્રત લે કે ઃ વિશ્વનાથના મંદિરમાં દર્શને આવનારનુ ગજવું કાપીશ નહિ.” એવું વ્રત જો તુ પાળવાનું વચન આપશે અને વચનનું પાલન કરશે તેા પ્રભુકૃપાથી તારા શરીરને દાહ જરૂર મટી જશે. કેઈ બિચારા મારા જેવા ગરીબ દેન કરવાને આવે અને તેનું ગજવુ' તારા જેવાથી કપાઈ જાય, તા તેના કેવા હાલ થાય ! માટે મંદિરમાં કોઈનુ પણ ગજવુ કાપવુ નહિ, એવા અડગ ટેક લે.’ ને તેણે મંદિરમાં કોઈનુ ગજવું નહિ કાપવાનું વ્રત લીધુ. શ્રીમાટાને તેના વચનમાં વિશ્વાસ લાગતાં તેમણે પ્રભુને તે માણસને દાહ મટાડી દેવાને પ્રાથના કરી અને ઘેાડી વારમાં તે તેના શરીરને દાહ મટી ગયેા. પછીથી તે શ્રીમોટાને પગે લાગીને રસ્તે પડ્યો.’
અહીં એટલું સ્પષ્ટીકરણ આવશ્યક છે કે સંકલ્પશક્તિ એ ખરેખર એક મહાન શક્તિ હેાવા છતાં વ્યાવહારિક ક્ષેત્રમાં તેના સફલતાપૂર્વક કેમ ઉપયોગ કરવા? તે સંબંધી આપણે ત્યાં જોઈએ તેવી વિશદ ચર્ચા-વિચારણા થયેલી નથી. એ કામ તેા છેલ્લી સદીમાં પશ્ચિમના વિદ્વાનાએ જ કર્યું છે અને તે માટે તેમને મુખારકબાદી ઘટે છે. અંગ્રેજી ભાષામાં કંઈ નહિ તેા ચે આ વિષયના ચાર-પાંચ ડઝન જેટલા ગ્રંથા હશે !
Page #33
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ “ગ્રંથ દ્વારા જ્ઞાન મેળવવું અને આગળ વધવું” એ ત્યાંના લોકોની એક ખાસિયત બની ગઈ છે, તેથી ત્યાં આવા ગ્રંથની લાખ નકલે જોતજોતામાં ખપી જાય છે અને તેની આવૃત્તિઓ પર આવૃત્તિઓ બહાર પડે છે, જ્યારે ભારતવર્ષમાં, ખાસ કરીને ગુજરાતી ભાષામાં આ જાતના ગ્રંથની માંગ ઘણું ઓછી રહે છે અને તેની પ્રથમ આવૃત્તિની હજાર કે બે હજાર નકલો ખપાવતાં સહેજે ત્રણ-ચાર વર્ષ વીતી જાય છે! આ કંઈ સારું ચિહ્ન નથી.
અહીં અમને એ પણ સ્પષ્ટ કરવા દો કે છેલ્લા દશકામાં આપણે ત્યાં વિકૃત સાહિત્યનું વાંચન ઘણું વધી ગયું છે અને તેણે આપણે આશાભર્યા અનેક વિદ્યાર્થીઓ તથા યુવાનોનાં જીવન બરબાદ કર્યા છે. આ ચેપ વધારે ન ફેલાય, તે માટે આપણે સજાગ રહેવાનું છે. ખાસ કરીને ધર્મગુરુઓ, સામાજિક કાર્યકરે, શિક્ષકે તથા પત્રના સંપાદકે મન પર • લે તે આ બાબતમાં ગણનાપાત્ર સુધારે થઈ શકે એમ છે.
અમે જ્યારથી સાહિત્યનું સર્જન કરવા માંડ્યું, ત્યારથી એક જ દૃષ્ટિ રાખી છે કે શિષ્ટ સાહિત્યનું સર્જન કરવું, જેથી લોકેની સમજ સુધરે, તેઓ ન્યાયનીતિના માર્ગે ચડે, વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવે અને તેમની ઉન્નતિ કે તેમના અભ્યદયને માર્ગ ખુલ્લે થાય. અમે અત્યાર સુધી રચેલાં ૩૪૨ પુસ્તકોની યાદી પર સામાન્ય નજર નાખી જવાથી પણ પાઠકેને આ વાતની પ્રતીતિ થશે. ૬. આ યાદી આ ગ્રંથના પાછળના ભાગમાં આપેલી છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉપકમ
વચ્ચે કસેટીને કાળ આવી ગયે, ત્યારે પણ અમે અમારી દષ્ટિ બદલી નથી. લોકોની નીતિ બગાડીને કે તેમના ચારિત્રનું ધોરણ નીચું ઊતરે એવું કંઈ પણ લખીને ઉદરપૂર્તિ કરવી, તેના કરતાં ભૂખ્યા રહીને પ્રાણ છોડવા, એને અમે પ્રારંભથી જ બહેતર ગયું છે. પ્રસ્તુત ગ્રંથ પણ આવી ઉમદા કલ્યાણકારી ભાવનાથી જ લખાય છે, એ કહેવાની જરૂર છે ખરી?
સંકલ્પશક્તિ વડે સિદ્ધિ શી રીતે સાંપડે છે? અને તેમાં કયા કયા ગુણો કેળવવા પડે છે? તે સવિસ્તર સમજાવવાની જરૂર છે, તેથી જ હવે પછીનાં પ્રકરણોનું આલેખન થયેલું છે. આવી આબતમાં આછી કે અધૂરી સમજ કામ લાગતી નથી. વધારે સ્પષ્ટ કહીએ તે કેઈપણ પ્રક્રિયાને સિદ્ધ કરવી હોય તે તે અંગે પૂરતી અને વિશ્વસનીય માહિતી જોઈએ. આ વસ્તુ વધારે સ્પષ્ટ કરવા અહીં એક સત્ય ઘટનાને ઉલ્લેખ કરીએ છીએ.
એક વખત અમારા પિતાશ્રીને અમારા ગામ બહાર એક અજાણ્યા સાધુને ભેટો થયે. તેણે “ગામમાં કોઈ સનીનું ઘર છે કે નહિ?” એ પ્રશ્ન કર્યો અને અમારા પિતાશ્રી તે સાધુને સેનીના ઘર આગળ લઈ આવ્યા કે જે અમારા ઘરની તદ્દન બાજુમાં આવેલું હતું. પછી તે સાધુએ એ સોનીના ઘરમાં પ્રવેશ કર્યો, તેનાં બારણું બંધ કરાવ્યાં અને સેનીને ત્રાંબુ ગાળવાની સૂચના આપી.
આ સોની અને અમારા પિતાશ્રી પરમ મિત્ર હતા અને આવી બાબતમાં ઊંડે રસ લેતા હતા, એટલે તેમને
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦
સંકસિદ્ધિ તે આ ભારે તૂહલને વિષય થઈ પડે. સનીએ સૂચનાનુસાર ત્રાંબુ ગાળ્યું, એટલે પેલા સાધુએ પોતાની પાસે રહેલી ઝળીમાંથી કઈ વનસ્પતિનાં પાંદડાં કાઢી, તેને હાથ વડે મસળીને તેને રસ એ ત્રાંબા પર નાંખે તેમજ એક પ્રકારની ભૂકી છાંટી કે એ ત્રાંબાનું સુવર્ણ બની ગયું. આ જોઈ સેની તથા અમારા પિતાશ્રી ખૂબ આશ્ચર્ય પામ્યા અને મનોમન તેની ભારે પ્રશંસા કરવા લાગ્યા. પછી તેમણે તે સાધુને પિતાને ત્યાં ભેજન લેવાની વિનંતિ કરી, પણ તે સાધુએ તેને સ્વીકાર કર્યો નહિ. તેણે એ સુવર્ણમાંથી થોડું સુવર્ણ આ બંને મિત્રોને આપ્યું અને તરત જ વિદાય લીધી.
હવે સનીની દુકાનમાં યોગાનુયેગથી પેલી વનસ્પતિનું એક પાંદડું પડી રહ્યું હતું, તે આ બંને મિત્રોએ સાચવી રાખ્યું. અહીં પાઠકોની જાણ માટે એટલે ખુલાસો આવશ્યક છે કે આ સેની એ માત્ર ઘરેણું ઘડનારે સોની જ ન હતો, પરંતુ એક કુશલ વૈદ્ય પણ હતો અને તેણે કેટલાંક વર્ષો પહેલાં આભૂ-ગિરિરાજમાં કઈ સંન્યાસી પાસે રહીને વનસ્પતિઓને અભ્યાસ કર્યો હતો, એટલે તેણે આ પાંદડાંને આધારે મૂળ વનસ્પતિ શોધી કાઢવાને પ્રયત્ન કર્યો અને તે માટે ખેતરે, વાડીઓ તથા આસપાસના વગડામાં પરિભ્રમણ કરવા માંડ્યું. અમારા પિતાશ્રી પણ તેની સાથે રહેવા લાગ્યા. એમ કરતાં કેટલાક દિવસે એ વનસ્પતિ શેધી કાઢી અને ત્રાંબુ ગાળી તેના પર રસ રેડ્યો, પણ તેનું ધાર્યું પરિણામ આવ્યું નહિ, કારણ કે પેલા સાધુએ વનસ્પતિના રસ ઉપરાંત
Page #36
--------------------------------------------------------------------------
________________
ઉપકમ
તેમાં જે ભૂકી ભભરાવી હતી, તે આમાં ખૂટતી હતી. તે માટે બંને મિત્રોએ પોતાની બુદ્ધિ લડાવીને કેટલાક પ્રયોગો કર્યા, પણ અપેક્ષિત વસ્તુના અભાવે સિદ્ધિ સાંપડી નહિ. તાત્પર્ય કે કોઈ પણ પ્રક્રિયાને સિદ્ધ કરવા માટે તેની પૂરેપૂરી અને વિશ્વસનીય માહિતી આવશ્યક છે.
ઉપક્રમમાં આથી વધારે કહેવાની ઈચ્છા નથી, પણ પાઠક મિત્રોને એટલું સૂચન અવશ્ય કરીશું કે તમે ઘડીભર તમારા મનને અન્ય વિષમાંથી નિવૃત્ત કરીને આ ગ્રંથમાં જેડે અને તેને વાંચવાને પ્રારંભ કરે.
તમે સુખ, સંપત્તિ તથા સર્વતોમુખી ઉન્નતિના અધિકારી છે, એ વાત કદી ભૂલતા નહિ.
Page #37
--------------------------------------------------------------------------
________________
[ ૨ ]
સંકલ્પશક્તિનુ` મહત્ત્વ
આપણે મનથી કોઈ પણ વિચાર કરીએ, તેને સંકલ્પ કહેવાય છે; કોઈ વસ્તુની ઈચ્છા કરીએ, તેને પણ સંકલ્પ કહેવાય છે; અને કોઈ પ્રકારની કલ્પના કે કોઈ પ્રકારના મનારથ કરીએ, તેને પણ સંપ કહેવાય છે. વળી કોઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાના દૃઢ નિશ્ચય કે નિર્ણય કરીએ, તેને પણ સંકલ્પ જ કહેવાય છે અને વ્રત–નિયમ આદિ માટે પ્રતિજ્ઞા ધારણ કરીએ, તેને પણ સંકલ્પ જ કહેવાય છે. આમ સંકલ્પ શબ્દ અનેકા વાચી છે, પણ તે મુખ્યત્વે મન વડે થતી વિવિધ ક્રિયાઓનું જ સૂચન કરે છે.
હારિતસ્મૃતિમાં કહ્યુ' છે કે 'મનસા સપર્ધાત, વારા મિત્તિ મેળા ચોપાચતીતિ-મનુષ્ય મન વડે સલ્પ કરે છે, વાણીથી ખેલે છે અને ક્રિયા વડે કાય સ'પાદન કરે છે.' અમરકાશમાં સત્ત્વઃ મેં માનસમ્’ એ શબ્દોથી એમ સૂચિત કર્યુ છે કે મન વડે જે ક્રિયા
6
.
Page #38
--------------------------------------------------------------------------
________________
3
સંકલ્પશક્તિનું મહત્ત્વ થાય છે, તે સંકલ્પ કહેવાય છે. આમ સંકલ્પ એ એક પ્રકારની માનસિક કિયા છે અને તે આપણું મન પર નિર્ભર છે.
આપણું ધર્મશાસ્ત્રો કહે છે કે આ વિશ્વ, જગતું કે સૃષ્ટિને જે વિસ્તાર થયો છે, તે મન અથવા સંકલ્પને જ આભારી છે. જ્યાં સુધી બ્રહ્મ એટલે પરમાત્મા નિર્ગુણ અવસ્થામાં હોય છે, ત્યાં સુધી આ સૃષ્ટિનું સર્જન થતું નથી. જ્યારે તે સગુણ અવરથામાં આવે છે, એટલે કે તેમાં સંકલ્પ જાગ્રત થાય છે, ત્યારે જ તે ત્રિગુણાવસ્થા ધારણ કરે છે અને તેના લીધે સૃષ્ટિને વિસ્તાર થાય છે.
એકાદશીતત્ત્વમાં કહ્યું છે કેसङ्कल्पमूलः कामो वै यज्ञाः सङ्कल्पसम्भवाः । व्रता नियमधर्माश्च सर्वे सङ्कल्पजाः स्मृताः ।।
કામ એટલે ઈચ્છા કે વાસના, તેનું મૂળ સંકલ્પમાં છે. વળી સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે જે યજ્ઞયાગાદિ ક્રિયાઓ થાય છે, તે બધી સંકલ્પમાંથી ઉદ્ભવેલી છે. અને સર્વ પ્રકારના નિયમ તથા સર્વ પ્રકારના ધર્મો પણ સંકલ્પમાંથી જ ઉત્પન્ન થાય છે.”
તાત્પર્ય કે સંકલ્પનું સામ્રાજ્ય સર્વત્ર પ્રસરેલું હોવાથી તેની શક્તિનું મહત્વ જરાપણું ઓછું આંકી શકાય તેમ નથી કે તેના પ્રત્યે કિંચિત્ પણ ઉપેક્ષા કરી શકાય તેમ નથી.
આપણું ષિ-મુનિવરેએ દીર્ઘ ચિંતન અને અનુભવ પછી એમ જાહેર કર્યું છે કે “ચાદશી માવના ચય, સિદ્ધિર્મવતિ તાદશી-જે મનુષ્યની જે પ્રકારની ભાવના હોય છે,
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૪
સંકલ્પસિદ્ધિ
તેને તે પ્રકારની સિદ્ધિ થાય છે.’ શુ આમાં તમને સંકલ્પ અનુસાર સિદ્ધિ થવાની ઘેાષણા સંભળાતી નથી ?
વળી તેમણે એવુ પણ એલાન કર્યુ` છે કે ‘ સંતાચૈત્ર સમુતિષ્ઠતિ-મનુષ્ય પોતાના સંકલ્પ વડે જ ઊભેા થાય છે—ઉન્નતિ સાધી શકે છે.' આ વસ્તુ આપણા માટે ઘણી મહત્ત્વની છે. જે મનુષ્ય ઊભા થવાના જ સંકલ્પ કરતા નથી, તે શી રીતે ઊભેા થવાના ? શી રીતે પેાતાની ઉન્નતિ સાધવાને ?
દીર્ઘ તપસ્વી તથા સમથ જ્ઞાની ભગવાન મહાવીરે સંકલ્પશક્તિને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું અને ખાસ કરીને ચારિત્ર ઘડવામાં તેના ઉપયાગ કરવા માટે ભાર મૂકી હતા. તેઓ વારંવાર કહેતા કે 'હે મહાનુભાવા ! પ્રથમ તા તમે સંકલ્પશિત વડે તમારા મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિઓને રોકો, એટલે આધ્યાત્મિક ઉન્નતિ તરફ તમારું પ્રયાણ થશે અને એ સંકલ્પશક્તિના વિશેષ ઉપયોગ કરીને તમારા ચારિત્રનું સુદર નિર્માણ કરે તો તમને મુક્તિ, માક્ષ કે સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. જે મનુષ્ય સંકલ્પશક્તિ વડે પેાતાની કુટેવા કે બૂરી આદતાને તેાડતા નથી અને સન્માર્ગે ચાલતા નથી, તેના ભવભ્રમણના કદી અંત આવતા નથી.’
જૈન સાહિત્યમાં પ્રત્યાખ્યાન ( પચ્ચક્ખાણ ) શબ્દના પ્રયાગ પાપકારી પ્રવૃત્તિને છેડવાના સંકલ્પના અમાં થયેલા છે. તેને વ્રત, નિયમ કે અભિગ્રહ પણ કહેવામાં આવેલ છે. ભગવાન બુદ્ધે પણ સલ્પશક્તિને ઘણુ' મહેત્ત્વ
Page #40
--------------------------------------------------------------------------
________________
સંકલ્પશક્તિનું મહત્વ આપ્યું હતું, તે આર્ય અષ્ટાંગમાર્ગને અભ્યાસ કરવાથી સમજી શકાય છે. | ભારતના નીતિકારોએ પણ સંકલ્પશક્તિનાં યશોગાન ગાયાં છે. તેઓ કહે છે કે “મહપુરુષોનો સંકલ્પ વજી જે કઠેર હોય છે અને તેમનું હૃદય કુસુમ જેવું કેમલ હોય છે. તે જ પુરુષ ધીર, વીર અને ઉત્તમ છે કે જે પોતાના સંકલ્પને છેવટ સુધી વળગી રહે છે અને ગમે તેવાં વિદને આવવા છતાં તેને ત્યાગ કરતા નથી. જેણે સંકલ્પબળ કેળવ્યું નથી, જે પિતાના નિશ્ચયમાં ડગમગતો રહે છે અને લીધેલી પ્રતિજ્ઞા ગમે ત્યારે તોડી નાખે છે, તે કાપુરુષ છે, કાયર છે. તેમના જન્મનું વિશિષ્ટ ફળ શું?”
આ બાજુ ભગવાન ઈસુએ પણ “As a man thinketh, so he is-મનુષ્ય જે વિચાર કરે છે, તે જ તે બને છે” એ ઉપદેશ દ્વારા સુવિચાર, સદ્ભાવના અને સત્સંકલ્પનું મહત્ત્વ સમજાવ્યું હતું. પશ્ચિમના અનેક વિચારોએ તેનું વિવિધ રીતે પ્રતિપાદન કર્યું છે. જેમ કે“આવશ્યકતા-કાલમાં દઢ સંકલ્પ પૂરી સહાય કરે છે?
સેક્સપીયર જેને સંકલ્પ દઢ અને અટલ હોય છે, તે દુનિયાને પિતાના બીબામાં ઢાળી શકે છે.”
–ગેટે “જીવવું કે મરવું” એ જેણે નિશ્ચય કર્યો છે, તેને ભાગ્યે જ કોઈ જીતે છે.”
–કેનિલ
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૬
'
સકસિદ્ધિ
‘ ઉજ્જવલ મનુષ્યને માટે સંચિત ચૌવનકેશમાં
” નામના કોઈ શબ્દ હાતા નથી.’
અસફળ ’
- જે કેટલાક લોકો કહે છે કે કરી બતાવવામાં જ જીવનની ખરી
——બુલ્ગર લિટન તુ નહી કરી શકે, તે મહત્તા છે.’ વાલ્ટર વેગહાટ
6
આપણી ઈચ્છાશક્તિ મુજબ જ આપણે નાના અગર મેાટા હાઈ એ છીએ.’
—સ્માઈસ
6
ફતેહ મેળવવા માટે જે શક્તિ અને સંકલ્પ જોઈ એ, તે નહિ બતાવવાથી જીવનની મહાનમાં મહાન નિષ્ફળતા ઉત્પન્ન થાય છે.’
સલ્પ છે.’
—વ્હીપલ · સાચામાં સાચુ અને ખરામાં ખરૂ ડહાપણ તે દૃઢ —નેપાલિયન આ વિવેચનના સારરૂપે અહી અમે એટલું જણાવવા ઈચ્છીએ છીએ કે કુંભાર, જેમ હાથની કરામત વડે માટીના પીડામાંથી મનગમતું વાસણ બનાવી શકે છે, તેમ મનુષ્ય પેાતાની સંકલ્પશક્તિની કરામત વડે પેાતાના જીવનને મનગમતા ઘાટ ઘડી શકે છે. આના અથ એમ સમજવાના કે મનુષ્ય જો કવિ થવા ઈચ્છે તેા કવિ થઈ શકે છે, લેખક થવા ઈચ્છે તેા લેખક થઈ શકે છે, કોઈ પણ વિષયને રધર વિદ્વાન્ થવા ઇચ્છે તેા ધુરંધર વિદ્વાન થઈ શકે છે અને કુશળ ચિત્રકાર, સ્થપતિ, સંગીતકાર, ડૉકટર, ધારાશાસ્ત્રી, વૈજ્ઞાનિક, વ્યાપારી, રાજદ્વારી પુરુષ, ભક્ત, યાગી કે સત બનવા ઈચ્છે તે તેમ કરી શકે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
સ’કલ્પશક્તિનું મહત્ત્વ
૨૭
આ જગતમાં એવી કોઇ કલા નથી, એવા કાઈ હુન્નર નથી, એવા કોઈ વ્યવસાય નથી અને એવુ' કોઈ પદ નથી કે જે મનુષ્ય પેાતાની સૌંપશક્તિ વડે સિદ્ધ કરી શકે નિહ. મહિષ વાલ્મીકિની જીવનકથા આપણને આ વસ્તુની પ્રતીતિ કરાવે છે.
મહર્ષિ વાલ્મીકિની જીવનકથા
'
એક જંગલમાં ભીલ રહેતા હતા. તેનુ ખરેખર નામ શું હતું ? તેની કોઈને ખબર નથી, પણ આપણે કથાની સરલતા ખાતર તેને રતનિયા તરીકે ઓળખીશું. રતનિયાને તેના પિતાએ ધનુર્વિદ્યામાં કુશલ બનાવ્યે હતા અને ધાડ કેમ પાડવી ? ’ 6 વાટ કેમ મારવી ? ’ તથા ‘ જતા-આવતા મુસાફરોને યુક્તિથી કેવી રીતે લૂટી લેવા ? ’ તેનુ પ્રયાગાત્મક શિક્ષણ આવ્યું હતું. તેથી લૂંટના કામમાં તે પાવરધા બન્યો હતા અને તેના વડે પેાતાને તથા પેાતાના કુટુંબીઓના નિર્વાહ કરતા હતે.
એક દિવસ રતનિયો પેાતાના ધંધા અર્થે અરણ્યમાં કરતા હતા, ત્યાં એક મહિષ પાસેના રસ્તેથી પસાર થયા, એટલે રતનિયાએ તેમને રસ્તે આંતર્યાં અને તેમની પાસે જે કંઈ હાય તે મૂકી દઈને ચાલતા થવાનુ જણાવ્યું. પરંતુ મહિષ પાસે ખાસ શુ હેાય ? તેમણે એક ભગવી કની પહેરી હતી, ખભે ગરમ કામળી નાખી હતી, એક હાથમાં કમંડ્યું પકડ્યું હતુ અને બીજા હાથમાં દંડ ધારણ કર્યાં હતા. તેમને આ વસ્તુઓ પરત્વે જરાયે મમત્વ ન હતું,
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮
સંકલ્પસિદ્ધિ પરંતુ રતનિયાની હાલત જોઈને દયા આવી, એટલે તેના પર અનુગ્રહ–કૃપા કરવાના હેતુથી તેમણે કહ્યું કે “હે ભાઈ! તારે મારી પાસેથી જે કંઈ જોઈતું હોય તે ખુશીથી લઈ લે, પણ તને એક પ્રશ્ન પૂછું છું, તેને જવાબ આપ કે “તું આ નીચ ધંધે કેને માટે કરે છે?”
રતનિયાએ કહ્યું: “મારા કુટુંબ માટે. મારે માતા, પિતા, પત્ની, પુત્રો અને પુત્રીઓનું બહાનું કુટુંબ છે. તે બધાને નિર્વાહ હું આ ધંધા વડે કરું છું.”
મહર્ષિએ કહ્યું: “ભાઈ ! તું જેમને માટે આ ઘેર પાપ કરી રહ્યો છે, તે તારા આ પાપના ભાગીદાર થશે ખરા?”
રતનિયાએ કહ્યું : “અલબત્ત, તે બધાને માટે જ હું પાપ કરું છું, તો તેઓ મારા પાપના ભાગીદાર કેમ નહિ થાય?”
મહર્ષિએ કહ્યું: “તારી આ માન્યતા ભૂલભરેલી છે. તારું કરેલું પાપ તારે એકલાને જ ભેગવવું પડશે. જે તેની ખાતરી કરવી હોય તે ઘરે જઈને બધા કુટુંબીઓને પૂછી આવ કે તારાં કરેલાં પાપમાં તેમને ભાગ કેટલે? તું એ પ્રશ્નને જવાબ લઈને આવીશ, ત્યાં સુધી હું અહીં જ ઊભે રહીશ.”
મહર્ષિના આ શબ્દોએ રતનિયાના દિલ પર અસર કરી, એટલે તે ઘરે ગયે અને દરેકને પૂછવા લાગ્યું કે
હું જે પાપ કરું છું, તેમાં તમારે ભાગ કેટલે?” આ પ્રશ્ન સાંભળીને માતા મૌન રહી, પિતાએ ચૂપકીદી પકડી, પત્ની કંઈ પણ બેલી નહિ અને પુત્ર-પુત્રીઓ પણ ટગર
Page #44
--------------------------------------------------------------------------
________________
સંકલ્પશક્તિનું મહત્ત્વ
૨૯ટગર સામું જોઈ રહ્યા. તેથી રતનિયાને ભારે આશ્ચર્ય થયું? એક સીધી-સાદી વાતને ઉત્તર કેમ કેઈ આપતું નથી ?”
અને તેણે બધાને એ જ પ્રશ્ન ફરીને પૂછ્યું, છતાં તેને કંઈ ઉત્તર મળે નહિ, ત્યારે રતનિયાએ એ પ્રશ્ન ત્રીજી વાર પૂછો અને જણાવ્યું કે “મારા પ્રશ્નને જે હોય તે ઉત્તર આપો. તે લીધા વિના હું રહેવાનો નથી.” તે વખતે બધાની વતી તેના પિતાએ કહ્યું કે “તું જે કંઈ પાપ કરે છે, તે બધું તારું છે. અમે તો માત્ર તારા લાવેલા દ્રવ્યના કે તારી લાવેલી વસ્તુઓના જ ભક્તા છીએ.”
આ જવાબ સાંભળતાં જ રતનિયાની આંખે અંધારાં આવી ગયાં. “શું આ બધા પાપનું ફલ મારે એકલાને જ ભોગવવાનું છે? તેમાં કઈને કંઈ પણ ભાગ નહિ ? ખરેખર ! આજ સુધી હું અંધારામાં જ આથો છું, પરંતુ સારું થયું કે આજે આ મહર્ષિનો ભેટો થયે અને તેમણે મારી આંખ ખોલી નાખી.”
રતનિયે ઘરેથી પાછો ફર્યો અને મહર્ષિના પગે પડે. કૃપાળુ! તમારું કહેવું સાચું પડ્યું, પરંતુ હવે મારું શું થશે? હું મહાપાપી છું, મારે હાથ પકડો, મારો ઉદ્ધાર કરે. તમારા સિવાય અન્ય કેઈનું મને શરણુ નથી.”
મહર્ષિએ કહ્યું: “પ્રભુના પ્યારા ! તારે ગભરાવવાની જરાયે જરૂર નથી. તું આજ સુધી જેવી મહેનત-જે પરિશ્રમ ધંધા માટે કરતું હતું, તેવી જ મહેનત–તે જ પરિશ્રમ પાપનાશન માટે કર, આત્મશુદ્ધિ માટે કરી અને તું જરૂરી પાપથી મુક્ત એક પવિત્ર પુરુષ બની શકીશ.”
Page #45
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ
મહિષના આ શબ્દોએ રતનિયાના હૃદય પર ભારે અસર કરી. તેણે એ જ વખતે સંકલ્પ કર્યાં કે ‘ આજથી હું સર્વ પાપી કામેાને ત્યાગ કરીશ, એક તપસ્વી તરીકેનું જીવન ગુજારીશ અને એવુ ઘાર તપ કરીશ કે મારાં તમામ પાપાના નાશ થાય.’
૩૦
ખસ, તે જ ક્ષણથી તેના જીવનનું પરિવર્તન થયુ. તે લૂટારા મટી તપસ્વી અન્યા અને તેણે જંગલમાં એક સારું સ્થાન જોઈ આસન જમાવ્યું તથા પોતાની ચિત્તવૃત્તિઓને પરમાત્માના ધ્યાનમાં જોડી દીધી. તે એમાં એવા તલ્લીન બની ગયા કે ખાવા—પીવાનું ભૂલી ગયા અને સારસંભાળ પણ રહી નહિ. સમય જતાં જંગલની ઉધેઈઓએ તેના શરીર ફરતા રાકડા-વમીક બનાવ્યે અને તેમાં તે દટાઈ ગયા. અન્ય તપસ્વીઓએ તેની આ સ્થિતિ જોઈ તેનુ નામ વાલ્મીકિ પાડ્યું અને તેને એ વલ્ભીકમાંથી બહાર કાઢયે . ત્યારથી તેની મહિષ વાલ્મીકિ તરીકે પ્રસિદ્ધિ થઈ.
આ વખતે તપ, જપ અને ધ્યાનના પ્રભાવે મહિષ વાલ્મીકિનાં પૂર્વીકૃત પાપો નાશ પામ્યાં હતાં અને તેમનું અંતર અનેરા આત્મજ્ઞાનથી એપી ઉઠયું હતું. વિશેષમાં પ્રાણી માત્ર માટે તેમના અંતરમાં કરુણાના ભાવ છલકાવા લાગ્યા હતા.
એક દિવસ તે નજીકના સરેવરમાં સ્નાન કરીને પેાતાની પણ કુટિ તરફ પાછા આવી રહ્યા હતા, એ વખતે એક પાધિએ આનંદક્રીડા કરી રહેલા કોચ પક્ષીના જોડકા
1
ઉપર બાણ ચલાવ્યું અને તેથી કૌંચનર ઘાયલ થઇને જમીન
Page #46
--------------------------------------------------------------------------
________________
સંકલ્પશક્તિનું મહત્વ
૩૧ પર પડ્યો તથા તરફડવા લાગ્યું. કચમાદા આ જોઈ માથું પટકવા લાગી અને કાળો કકળાટ કરવા લાગી.
આ દશ્ય જોતાં જ વાલ્મીકિ ઋષિના હૃદયમાં આઘાત થયે, તેમાં ઊંડું સંવેદન જાગ્યું અને તેમના મુખમાંથી સહસા કાવ્યની કેટલીક પંક્તિઓ સરી પડી. તે સંસ્કૃત ભાષાનું પ્રથમ કાવ્ય હતું, એટલે તેઓ આદિકવિ કહેવાયા. પછીથી તેમણે આ સંવેદનને વિસ્તાર કરીને રામાયણ રહ્યું કે જે આજે ભારતવર્ષનું એક ઉત્તમ કોટિનું મહાકાવ્ય ગણાય છે અને લાખો-કરોડો માનવીઓને સહૃદયતા, સ્વાર્થત્યાગ તથા સમર્પણને સંદેશ આપી જાય છે.
તાત્પર્ય કે રતનિયે જીવનની છેક નીચે પાયરીએ પડે હતો, પણ તેણે પિતાના જીવનને સુધારવાનો સંકલ્પ કર્યો અને તેને અનુસરતા પુરુષાર્થ આદર્યો તો એક દિવસ તે મહાપુરુષ બની શકે અને પોતાના જીવનની સુવાસ સર્વત્ર ફેલાવી અમરપદને વરી ગયો. શું આ જીવનકથા આપણું બધા માટે બેધ લેવા લાયક નથી?
નીતિનિયમો, ધાર્મિક આચરણ, ગસાધના, મંત્રપાસના તેમજ ઈશ્વરભક્તિ વગેરે માટે આપણે ઊંડા આદરની લાગણી દર્શાવીએ છીએ, પરંતુ આમાંની કઈ પણ વસ્તુ સંકલ્પ વિના સિદ્ધ થતી નથી.
જે માણસે સંકલ્પબળ કેળવ્યું નથી, તે નીતિનિયમ શી રીતે પાળી શકવાનો? કેઈપ્રબળ પ્રલોભને સામે આવ્યું
Page #47
--------------------------------------------------------------------------
________________
૩ર
સંકલ્યસિદ્ધિ કે તે ઢીલો પડી જવાને અને નીતિનિયમોને અવશ્ય ભંગ કરવાને.
થોડાં વર્ષ પહેલાની વાત છે કે જ્યારે સુરત જિલ્લાના દેસાઈ કુટુંબને એક ગ્રેજ્યુએટ યુવાન સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરતો હિતે. અનુક્રમે તે વીરમગામ સ્ટેશને આવ્યા. ત્યાં તેના ડબ્બામાં વસ્ત્રાલંકારથી સજ્જ થયેલી એક નવયૌવના સ્ત્રી મેટા ટૂંક સાથે દાખલ થઈ અને તેની નજીક જ બેસી ગઈ. ડી વાર પછી તે સ્ત્રી નીચે ઉતરી, પણ ગાડી ઉપડવાને સમય થવા છતાં પાછી ફરી નહિ. પેલે યુવાન બારીમાંથી નીચે જેવા લાગે. એમ કરતાં ટ્રેન ઉપડી, એટલે તે યુવાન એમ સમજે કે “નક્કી આ સ્ત્રી ટ્રેન ચૂકી ગઈ અને હવે તે આ ટ્રેન પકડી શકશે નહિ.”
ઘડીવારે ટીકીટ ચેકર આવ્યો. તેણે પૂછયું કે “આ ટૂંક કેને છે?” હવે પેલા યુવાનને આ વખતે એવો વિચાર આવ્યું કે “નકકી આ ટૂંકમાં મૂલ્યવાન ઘરેણાં વગેરે હશે, એટલે મારી જ કહેવા દે ને ! પેલી સ્ત્રી તે હવે આવવાની નથી. અને તેણે કહ્યું: “આ ટૂંક મારી છે”
ટીકીટ–ચેકરે સામાન્ય રીતે ચાલાક હોય છે અને વજન વધારે જણાય તો તેને તોલ કરી વધારાને ચાર્જ લીધા વિના રહેતા નથી, પરંતુ આ ટીકીટ–ચેકરે તેની સૂફમ નજરે જોઈ લીધું કે આ ટૂંકના એક છેડે લેહીને કેટલાક ડાઘ પડેલા છે, એટલે વિશેષ કંઈ પણ બોલ્યા વિના તે નીચે ઉતરી ગયો અને તેણે આગામી સ્ટેશનેથી અમદાવાદના સ્ટેશન
Page #48
--------------------------------------------------------------------------
________________
સંકલ્પશક્તિનું મહત્ત્વ
૩૩
માસ્તરને તાર કર્યા કે અમદાવાદ તરફ આવી રહેલી અમુક ટ્રેનના અમુક ડખ્ખામાં એક પેસેન્જર મુસાફરી કરી રહ્યો છે, તેની પાસેની ટ્રંકમાં કઇ માણસનું મડદું હાવાની શંકા છે, માટે સ્ટેશન પર પે'લીસને હાજર રાખો. હું પ્લેટફાર્મ પર આપને મળુ છું.
હવે તે યુવાનના મનમાં તેા કોઇ જાતની શંકા ન હતી, એટલે અમદાવાદ સ્ટેશન આવતાં તે રૂઆબભેર નીચે ઉતર્યાં અને પેલી ટ્રક પાર પાસે ઉચકાવી લીધી. એજ વખતે ટીકીટચેકરના ઇશારાથી પોલીસ હાજર થઈ અને તેને અટકાવવામાં આન્યા. પોલીસ અધિકારીએ પૂછ્યું કે ‘ આ ટ્રક કોની છે? ’ તેણે કહ્યું : ‘ મારી છે. 'રી પાલીસ-અધિકારીએ પૂછ્યું. કે તેમાં શુ ભરેલું છે ?' ત્યારે તેણે કહ્યું કે એમાં મારાં પુસ્તકો તથા બીજી વસ્તુઓ ભરેલી છે.’
,
પેાલીસ અધિકારીએ કહ્યુ કે વારુ, મારે તમારી આ ટ્રક જોવી છે, માટે તેની ચાવી લાવેા.’ હવે તે યુવાન પાસે તેની ચાવી ન હતી, છતાં ગજવામાં મૂકેલી ચાવી શેાધી કાઢતા હાય તેવા દેખાવ કર્યાં અને પછી જણાવ્યું કે · ચાવી. ક્યાંઈ પડી ગયેલી લાગે છે.’
'
તેજ વખતે પોલીસે પેાતાની સાથે લાવેલા લુહારને એ ટ્રકનું તાળું તેાડી નાખવાના હુકમ કર્યાં અને લુહારે તાળુ તોડી નાખ્યું. પછી તે ડ્રંક ઉઘાડવામાં આવી તે તેમાં એક યુવાનના શરીરના ત્રણ ટુકડા કપડામાં વીંટાળેલા જણાયા.
૩
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
સંકસિદ્ધિ
આ દશ્ય જોતાં જ પેલે યુવાન હેબતાઈ ગયે અને આ શું ?” એ વિચારથી તેનું મગજ ચક્કર ખાવા લાગ્યું.
પિોલીસે પંચનામું કર્યું અને તેને હાથકડીઓ પહેરાવી. પછી તેને પોલીસ પહેરા તળે ગાયકવાડની હવેલીએ લઈજવામાં આવ્યું અને કાચી જેલમાં પૂરી દીધું. તેના પર ખૂનના આરોપસર કામ ચાલ્યું, પણ એક કુશલ ધારાશાસ્ત્રીની સહાયથી એ આરેપમાંથી છૂટકારે થયે. પરંતુ આ બધી ભાંજગડમાં તેને છ-સાત મહિના સુધી જેલમાં રહેવું પડ્યું અને તેના પિતાને રૂપિયા પચીશથી ત્રીસ હજારનો ખર્ચ થયે?
તાત્પર્ય કે “પારકાની ચીજ પિતાની કરવી નહિ” એ પ્રસિદ્ધ નીતિનિયમ છે અને એક શિક્ષિત સંસ્કારી યુવાન તરીકે તેનું પાલન અવશ્ય કરવું જોઈએ, પરંતુ પ્રબળ પ્રલોભન તેની સામે આવ્યું કે તેનું મન ડગી ગયું અને તેણે નીતિભ્રષ્ટ થઈ પારકાની વસ્તુ પિતાની જણાવી. જે આ યુવાનનું સંકલ્પબળ બરાબર કેળવાયેલું હોત તે તેને એ ટૂંક પિતાની કરી લેવાનો વિચાર કદી પણ આવ્યું ન હતું. તેણે બેધડક જણાવી દીધું હતું કે આ ટૂંક મારી નથી.” અને તેના પર કિઈ આતના ઓળા ઉતર્યા ન હતા.
આજને શિક્ષિત વર્ગ નીતિનિયમે તે બરાબર જાણે છે, પરંતુ તેનું સંકલ્પબળ કેળવાયેલું નથી, એટલે જ તેના હાથે લાંચ-રિશ્વત, વિશ્વાસઘાત, ઠગાઈ તથા ભ્રષ્ટાચારના અન્ય બનાવ બને છે. આગળના જમાનામાં બાળકો તથા યુવાનોના મનમાં એવો સંસ્કાર પાડવામાં આવતો કે–
Page #50
--------------------------------------------------------------------------
________________
સંકલ્પશક્તિનું મહત્ત્વ
૩૫ निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मी समाविशतु गच्छतु वा यथेच्छम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्यायात् पथः प्रविचलन्ति पदं न धीराः॥
વ્યવહારવિચક્ષણ માણસો નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષમી આવ કે ઈચ્છા પ્રમાણે ચાલી જાઓ, મૃત્યુ આજે આવે કે યુગ પછી આવો, પણ ધીર પુરુષો ન્યાયના માર્ગથી જરા પણ ચલાયમાન થતા નથી.”
ધાર્મિક આચરણની બાબતમાં પણ સંકલ્પબળની એટલી જ જરૂર છે. હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, તેમ જ મદ્યપાન, જુગાર આદિ વ્યસનમાંથી તે સિવાય બચી શકાતું નથી કે દૈનિક ક્રિયાઓ વગેરે બરાબર થઈ શકતી નથી.
વળી તપશ્ચર્યા, ઇશ્વરભક્તિ આદિ ધર્મનાં વિશિષ્ટ અંગેનું પાલન કરવું હોય તો તે શું સંકલ્પબળ વિના બની શકે છે ખરું? એકાદશીને દિવસ હોય, ઉપવાસ કરવાનો વિચાર કર્યો હોય, એવામાં કઈ મહેમાન આવી ચડે અને દૂધપાકપુરીનું જમણ થાય તે નિર્બળ મનવાળે મનુષ્ય કહેશે કે આજે ઉપવાસથી સર્યું ! હવે આવતી એકાદશીએ ઉપવાસ કરીશું.' તાત્પર્ય કે એગ્ય સંકલ્પબળના અભાવે તે પિતાના વિચારમાં સ્થિર રહી શકશે નહિ. તેજ રીતે ઈશ્વરભજનમાં બે કલાક ગાળવાને વિચાર કર્યો હોય, પણ એવામાં છેલછબીલા મિત્રે આવી પહેચે, નાટકસનેમા કે ગાનતાનની
Page #51
--------------------------------------------------------------------------
________________
સંકલ્પ સિદ્ધિ વાત નીકળે અને મન તેમાં લલચાઈ જાય તે ઈશ્વરભજન બાજુએ રહી જાય, એ સ્વાભાવિક છે. - નરસિંહ તથા મીરાંબાઈને કેટકેટલી વિપત્તિઓ પડી? છતાં તેમણે ઈશ્વરભક્તિ છેડી નહિ, કારણ કે તેમનું સંકલ્પબળ ઘણું મજબૂત હતું. અન્ય ભક્તોની પણ એવી જ આકરી કસેટીઓ થયેલી છે, પરંતુ સંકલ્પબળના પ્રતાપે તેઓ તેમાંથી પાર ઉતર્યા છે અને પિતાનું અભીષ્ટ સાધી શક્યા છે.
મંત્ર પાસના કે ગસાધના કરવા માટે પણ સંકલ્પબળની જરૂર પડે છે. અન્ય શબ્દોમાં કહીએ તો ઢચુપચુ વિચારના કે અસ્થિર મનના માણસે કદી પણ મંત્રપાસના કે યોગસાધના કરી શક્તા નથી. અને કદાચ ઉત્સાહમાં આવીને તેઓ આવી સાધના શરૂ કરી દે, તે થોડા જ દિવસમાં તેને છોડી દે છે.
વ્યવહારની ગુંચ ઉકેલવા માટે પણ દઢ મને બળની -સંલ્પની જરૂર પડે છે અને વ્યાપારી સાહસમાં ફત્તેહમંદ નીવડવું હોય તો તેમાં પણ મજબૂત મનની-દઢ સંકલ્પની આવશ્યક્તા રહે છે.
છેવટે એટલું જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી, મહારાણું પ્રતાપ, ઝાંસીની રાણું લમીબાઈલેકમાન્ય ટિળક, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ વગેરેએ પિતાની સંકલ્પશક્તિ સારા પ્રમાણમાં કેળવી હતી, તેથી જ તેઓ વિષમ પરિસ્થિતિને સફળ સામને કરી શક્યા અને દેશસેવાનાં અનેક કાર્યો
Page #52
--------------------------------------------------------------------------
________________
(૩૭
સંકલ્પશક્તિનું મહત્વ કરવાને શક્તિમાન થયા. વર્તમાન કાળે શ્રી મેરારજી દેસાઈ પણ સંકલ્પશકિતને એક સુંદર દાખલ પૂરે પાડી રહ્યા છે અને અતિ વિચિત્ર સંગોમાં પણ દેશની મહાન સેવા બજાવી રહ્યા છે.
વિદેશમાં નજર કરીએ તો અબ્રાહ્મ લિંકન, કોમવેલ, નેપોલિયન બોનાપાર્ટ, લેનીન વગેરે લોખંડી સંકલ્પશક્તિ ધરાવતા હતા અને તેથી જ કેટલાંક ચિરસ્મરણીય કાર્યો કરવાને શક્તિમાન થયા હતા. આજે જગતના કેડે માનવીએ તેમને માનભેર યાદ કરે છે.
જે સંકલ્પશક્તિ ખીલેલી ન હોય તો કઈ પણ કાર્યમાં સિદ્ધિ, સફલતા કે વિજ્યની પ્રાપ્તિ થતી નથી, અને પરિણામે ઉન્નતિ સાધી શકાતી નથી. અન્ય શબ્દોમાં કહીએ તો જેમની ઈચ્છાશક્તિ (will-power) નો વિકાસ થયે નથી, તેઓ કઈ પણ કાર્ય, પછી તે નાનું હોય કે મોટું, સારી રીતે પાર પાડી શક્તા નથી. પરિણામે તેમને નુકશાન અને નામેશી બંને સહેવા પડે છે. વળી તેમનું વ્યક્તિત્વ એટલું વિકૃત બની જાય છે કે અન્ય લેને તેમના પર વિશ્વાસ બેસતા નથી અને તેઓ કઈ પણ કાર્ય અંગે તેમના પર ભરોસો રાખી શક્તા નથી. પ્રિય પાઠકે! તમારે તો આ જગતમાં આગળ વધવું છે અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન પ્રાપ્ત કરવું છે, તે પછી સંલ્પશક્તિ કેળવવાને નિર્ણય આજે જ અને અબઘડી કેમ ન કરે ?
તમે એટલા શબ્દો હદયમાં કેતરી રાખો કે સંક૯પબળ એ આ જગતનું સહુથી મોટું બળ છે અને તેના વડે મનુષ્ય ધારેલાં સર્વકાર્યો કરી શકે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
[૩] શુભ સંક૯પની આવશ્યકતા
આપણો રેજને અનુભવ એમ કહે છે કે લીમડા વાવીએ તે આંબે ઉગતા નથી અને આંબે વાવીએ તે લીમડે ઉગતે નથીઅથવા ધતૂરો વાવીએ તો ગુલાબ ઉગત નથી અને ગુલાબ વાવીએ તે ધરે ઉગતા નથી. સંકલ્પની બાબતમાં પણ એમ જ સમજવાનું છે. સંકલ્પને તમે એક પ્રકારનું બીજ જ સમજે ને !
કઈ પણ માણસ અશુભ સંકલ્પ કરે છે, એટલે કે કેઈને મારવાને, છેતરવાને, તેની માલમિત પડાવી લેવાનો કે વ્યભિચાર આદિ કરવાને સંકલ્પ કરે છે, ત્યારથી જ તેની અવનતિ શરૂ થઈ જાય છે અને તેનાં મન તથા શરીર પર માઠાં પરિણામે આવવા લાગે છે. એમ કરતાં જ્યારે તે સંકલ્પ અનુસાર ખોટું, ખરાબ કે અશુભ કામ કરે છે, ત્યારે એ પરિણામો વધારે ઉગ્ર બને છે અને તેની પૂરેપૂરી અવનતિ કરે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
શુભ સંકલ્પની આવશ્યકતા
૩
કેઈ કવિએ ઠીક જ કહ્યું છે કે –
બૂરાયે બૂરું બને, કીધો એ નિરધાર
ખોદે ખાડે અન્યનો, આપ કૂઓ તૈયાર,
અશુભ સંકલ્પ કરવાથી કઈ ઊંચુ આવ્યું હોય, કેઈએ. ઉન્નતિ સાધી હોય, તે દાખલે હજી સુધી અમે જાણે નથી. અહીં કોઈ એમ કહેતું હોય કે “અમુક વ્યક્તિએ લોકોને છેતરીને, માલીકને વિશ્વાસઘાત કરીને કે અનીતિમય સાધનોનો ઉપયોગ કરીને ઘણું ધન ભેગું કર્યું છે અને તે આજે લહેર ઉડાવે છે, અમનચમન કરે છે, તેનું કેમ ?” તેને ખુલા એ છે કે જે આ રીતે અશુભ સંકલ્પ કરીને તથા અશુભ કામ કરીને ધન-માલ-મિલકત એકઠી કરે છે, તે છેડા દિવસ ભલે અમનચમન કરી લે, પણ આખરે દુઃખી થાય છે અને તબાહ પોકારે છે. - જે લોકોને છેતરે છે, તેની ગણના લુચ્ચા, પાજી કે ઠગ તરીકે થાય છે, એટલે કે લોકો તેનો વિશ્વાસ કરતા નથી અને જેઓ તેના હાથે છેતરાયા હોય છે, તે એટલી બદદુઆ દે છે કે તેના અમન–ચમન થોડા દિવસમાં જ સૂકાઈ જાય છે.
સંત તુલસીદાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે – તુલસી હાય ગરીબ કી, કબુ ન ખાલી જાય; મૂઆ ઢોર કે ચામસે, લેહા ભસ્મ હે જાય.
અમે અનુભવથી જોયું છે કે જે લોકોને છેતરીને, માલીકનો વિશ્વાસઘાત કરીને કે અનીતિમય સાધનને ઉપયોગ કરીને ધન ભેગું કરે છે, તેના ઘરમાં શેડા જ દિવસમાં નહિ ધારે ઉત્પાત શરૂ થઈ જાય છે. પ્રથમ તે પોતે બિમાર
Page #55
--------------------------------------------------------------------------
________________
४०
સકસિદ્ધિ
પડે છે અને કોઈ મોટા રોગના ભાંગ થઈ પડે છે, અથવા તેની પત્ની કે બાળકો એક પછી એક બિમાર પડવા માંડે છે અને તેના છેડા જ આવતા નથી. એમાં કમેાતનાં મેત પણ થાય છે અને બીજી પણ દુર્ઘટના બનતાં તેના સારા ચે સંસાર દુ:ખમય બની જાય છે. ઉપરાંત લેાકેાનો ફીટકાર મળે છે અને તેના પ્રત્યે ઘણા વરસતી જ રહે છે, એ જૂદી ! વળી લક્ષ્મી તા ચંચલ છે, એટલે તેને કયારે પગ આવે અને ચાલતી થાય તે કહેવાય નહિ. ખાસ કરીને આવા મનુષ્યાની લમી એક યા બીજા બહાને ઘેાડા વખતમાં ચાલી જાય છે અને ત્યારે એમના શોક-સતાપના પાર રહેતા નથી.
તાત્પર્ય કે અશુભ સંકલ્પથી કોઈ ઊંચું આવતુ નથી, કોઈ ઉન્નતિ સાધી શકતુ નથી, એ ખાખતમાં આપણે દૃઢ વિશ્વાસ રાખવા જોઈ એ. અમુકે અશુભ સ'કલ્પ કર્યો, તેને ધનમાલ મળ્યાં અને તે સુખી થઈ ગયા, એમ માનવું–મનાવવું ભૂલભરેલુ છે. વાસ્તવમાં તે એક જાતના ભ્રમ છે અને તે આપણને શુભ સંકલ્પના માર્ગથી ચલાયમાન કરે છે, માટે તેનાથી સાવધ રહેવુ જોઈ એ.
મનુષ્ય જ્યારથી શુભ સંકલ્પ કરે છે અને તે પ્રમાણે વવા માંડે છે, ત્યારથી તેની ઉન્નતિના આરંભ થાય છે અને તે દ્દિન-પ્રતિદિન વધતી જ રહે છે. અલબત્ત, તેમાં અંતરાયા આવે છે કે વિઘ્ન નડે છે, પશુ તેને ધૈય રાખી કુનેહથી ઓળગવા જોઈ એ. પછી તેની ઉન્નતિની કોઈ રૂકાવટ કરી શકતુ નથી. અર્થાત્ તે મનધારી સ્થિતિએ પહેાંચી જાય છે અને પેાતાનુ જીવન આનંદમાં પસાર કરે છે.
ko ";
Page #56
--------------------------------------------------------------------------
________________
શુભ સંક૯૫ની આવશ્યકતા
૪૧.
- કેટલીક વાર શુભ સંકલ્પનું પરિણામ ઘણું ઝડપી આવે છે કે જેને આપણે એક પ્રકારને ચમત્કાર જ કહી શકીએ. શુભ સંકલ્પ કરનારો ચેર સામત બન્યો !
કઈ ચોરને એક મહાપુરુષે ઉપદેશ દીધું કે “તારે બીજું જે કંઈ કરવું હોય તે કરજે, પણ પરસ્ત્રીને સંગ કરીશ નહિ.” આ ઉપદેશની તેને અસર થઈ અને તેણે સંકલ્પ કર્યો કે “હવે પછી મારે પરસ્ત્રીને સંગ કરે નહિ. તે આ સંકલ્પનું બરાબર પાલન કરવા લાગ્યો.
હવે થોડા જ દિવસ બાદ મોટી માલમત્તા મેળવવાના ઈરાદાથી તે રાત્રિના સમયે એક રાજમહેલમાં દાખલ થયે અને તેમાં આવેલા અંતઃપુરમાં પ્રવેશ્યા. ત્યાં ઘણું સાવચેતી રાખવા છતાં તેને હાથ ભર ઊંઘમાં સૂતેલી રણને અડકી ગયે, એટલે તે જાગી ઉઠી ને ચારે બાજુ જેવા લાગી. ત્યાં થોડે દૂર આ ચારને ઊભેલે જોયે.
પ્રસંગવશાત્ રાજા આજે બીજા ખંડમાં સૂઈ રહ્યો હતું, એટલે તે એકલી જ હતી. દાસીઓ પણ બહારની પરસાળમાં અહીંતહીં સૂતેલી હતી.
એકાંત એ પાપને બાપ ગણાય છે, અર્થાત્ એકાંત મળે અને પાપ સામગ્રી મેજૂદ હોય તે મનુષ્યનું મન પાપ કરવા તરફ ઢળી જાય છે. આ પ્રમાણે એકાંત અને પ્રૌઢ પુરુષને વેગ મળતાં રાણુને તે ચોરની સાથે ભેગ ભેગવવાની ઈચ્છા થઈ એટલે તેણે ઈશારાથી ચેરને પોતાની પાસે બેલાવ્યું અને અતિ ધીમા સ્વરે કહ્યું કે “તું શા માટે આવ્યા છે?
Page #57
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ જે તને પુષ્કળ ધનદોલતની ઈચ્છા અહીં ખેંચી લાવી હોય તે તારી એ ઈચ્છા હું પૂર્ણ કરીશ, પણ તારે મારી એક વાત કબૂલ કરવી પડશે.”
પેલે ચેર સમજી ગયે કે રાણીના મનમાં પાપ પ્રકટ થયું છે, એટલે તેણે એટલું જ કહ્યું કે તું મારી માતા સમાન છે.”
એક તે રાજરાણી, તેમાં યૌવનમસ્ત, વળી એકાંત અને તેના તરફથી જ ભેગની માગણી ! આ સ્થિતિમાં ભલભલા માણસે પણ ભૂલ કરી બેસે, પરંતુ પેલા ચેરે શુભ સંકલ્પ કરેલો હતો, તે એની વારે આવ્યો અને તેને જરા પણ લપસવા દીધો નહિ.
આ વખતે બાજુના ખંડમાં સૂઈ રહેલ રાજા જાગી ગયો હતો અને ભીંતના આંતરે ઊભો રહીને સર્વ બનાવ જોઈ રહ્યો હતે.
રાણીએ ફરી કંઈક સતાવાહી અવાજે કહ્યું: “તું મારી વાત કબૂલ નહિ કરે?” ચેરે કહ્યું કે “મારે પરસ્ત્રીને ત્યાગ છે, એટલે તમારી વાતને સ્વીકાર થવો અશક્ય છે.”
રાણુને લાગ્યું કે આ તો સાપ બાંડે છે, એટલે તેણે જોરથી બૂમ મારીને કહ્યું કે “દોડે, દોડે, મારા વાસમાં ચાર પેઠો છે અને તે મને સતાવી રહ્યો છે.” . આ બૂમ સાંભળતાં જ દાસ-દાસી અને સેવક-સિપાઈઓ દોડી આવ્યા અને તેમણે એ ચેરને પકડી લીધે. પછી સવાર પડતાં રાજા સમક્ષ રજૂ કર્યો ને આકરી શિક્ષા ફરમાવવા
Page #58
--------------------------------------------------------------------------
________________
3.
શુભ સંકલ્પની આવશ્યકતા અરજ કરી. રાજા તે શું બન્યું છે? એ જાણતા જ હતા. તેણે ચેરના ચારિત્રની પ્રશંસા કરી, તેને ગુને માફ કર્યો અને તેને સામંતપદ અર્પણ કર્યું.
ત્યાર પછી એ ચેરે ચોરી કરવાનું છેડી દીધું અને એક ખાનદાન ગૃહસ્થ જેવું જીવન ગાળી પિતાની તથા પિતાના કુટુંબની ઉન્નતિ કરી.
તાત્પર્ય કે મનુષ્ય એક શુભ સંકલ્પ કરે છે, તે એને અણીના વખતે મદદગાર થાય છે અને અકથ્ય રીતે તેની ઉન્નતિને દરવાજો ખેલી આપે છે.
શારીરિક બિમારી વખતે પણ શુભ સંકલ્પ પિતાનો ચમત્કાર બતાવે છે. તે અંગે અમારા અનુભવની એક ઘટના અહીં રજૂ કરીશું.
શુભ સંકલ્પથી તબિયતમાં સુધારે
એક વાર એક શ્રીમંત ગૃહસ્થનો અમને મેળાપ થ. તે બીજી બધી વાતે સુખી હતા, પણ તેમની તબિયત કથળી ગઈ હતી. ખાસ કરીને તેમને અન્ન પચતું ન હતું, એટલે તેઓ મોસંબી તથા અન્ય ફલરસ પર રહેતા હતા. ઉંઘ માટે પણ તેમની ફરિયાદ હતી. ઘણીવાર તો ઊંઘ આવતી જ નહિ, એટલે તેમને ઉંઘની ખાસ ગોળીઓ લેવી પડતી. | અમારો તેમની સાથે પરિચય કમશઃ વધવા લાગે, એટલે છૂટથી વાતો થવા લાગી. તેમાં અમે પૂછયું કે આપની આવી સ્થિતિ કેટલા વખતથી છે?” તેમણે કહ્યું :
Page #59
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ
છ-સાત વર્ષથી આમ જ ચાલે છે. શુ તમે એ માટે કઇ ઉપાય કરી શકે તેમ છે ?’અમે કહ્યું : ‘· તેના ઉપાય જરૂર થઇ શકે એમ છે, પણ તે માટે તમારે અમારા કહ્યા મુજબ કરવું પડશે.’ તેમણે કહ્યું: તે માટે હું તૈયાર છું. ’
૪૪
6
અમે કહ્યું કે · તમે આજ સુધીમાં ખૂબ ખૂબ મગજમારી કરીને તથા સખ્ત પરિશ્રમ કરીને ધન ભેગું કર્યું છે, પણ બદલામાં તંદુરસ્તી ગુમાવી છે. તમારી એવી માન્યતા હશે કે મારી પાસે પૈસા છે, તેથી હું ગમે તે ડોકટરને એલાવી લઈશ અને તેની સારવારથી સાજો થઇ જઈશ, પણ હજી સુધી કોઈ ડોકટર તમને આરાગ્યદાન કરી શકેલ નથી. તમારી સ્થિતિ તે સુધરવાને બદલે દિન-પ્રતિદિન બગડતી જાય છે.’
તેમણે કહ્યું : · વાત સાચી છે, પણ કરવું શું ?' અમે કહ્યું : ‘ તમે ધન કમાવાની ધૂનમાં ઘણી ચે વાર બીજાના હિતની દરકાર કરી નથી, તેમની બદદુઆ તા તમને હેરાન કરતી નિહ હાય ! ?
અને તે શ્રીમંત અમારી સામે આંખા ફાડીને જોઈ રહ્યા. અમે કહ્યું : ‘ રાગનું બરાબર નિદાન કર્યાં સિવાય ગમે તેવી સારી ચિકિત્સા પણ કામ લાગતી નથી. હું તમારા રોગનું મૂળ નિદાન કરી રહ્યો છું.’
તે શરીરની આ હાલતથી પૂરેપૂરા કંટાળી ગયા હતા. તેમણે કહ્યું : ‘ એ બનવા જોગ છે. પણ હવે શુ કરવું તે કહાને !’
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૫.
શુભ સંકલ્પની આવશ્યકતા
- અમે કહ્યું: “ગીતાજીનું એ વચન છે કે “નહિરવાવૃત શ્ચિત્ યુતિ તાત નતિહે! તાત! ( અર્જુન!) કલ્યાણ કરનાર કદી દુર્ગતિને પામતો નથી. તો આજથી આપે કલ્યાણને માર્ગ સ્વીકાર, જેથી આ દુર્ગતિને અંત આવે.” તાત્પર્ય કે તમારે રોજ કે પરોપકારી કાર્ય કરવું.
પણ તેથી આરોગ્ય સુધરી જશે ખરું? ” તેમણે અધીરાઈ દાખવી વચ્ચેથી જ પ્રશ્ન કર્યો.
અમે કહ્યું: “હજી પૂરું સાંભળી લે. અને તમારે રેજ સવારે તથા રાત્રિએ સૂતા પહેલાં નીચેના ક્લેકનું ડીવાર ચિંતન કરવું ?
सर्वे वै सुखिन: सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभागू भवेत् ।।
“સર્વે પ્રાણીઓ સુખી થાઓ. સર્વે પ્રાણીઓ રેગરહિત થાઓ. સર્વે પ્રાણીઓ કલ્યાણને પ્રાપ્ત કરે. અને કઈ પણ દુઃખી ન થાઓ.” - હમણું તે કદાચ તમને એમ લાગશે કે “આમાં શું?” પણ તેની ઉપેક્ષા કરશે નહિ. આ એક આધ્યાત્મિક ઉપાય છે અને તે ઘણો જ અકસીર છે. તમે ચેડા જ દિવસમાં તેનું પરિણામ જોઈ શકશે.”
અને તે ગૃહસ્થ બીજા દિવસથી ગરીબોને સહાય કરવા માંડી તથા અમે જે ફ્લેકનું ચિંતન કરવા જણાવ્યું હતું, તેનું ચિંતન કરવા માંડ્યું. થોડા જ દિવસમાં તેનું શુભ પરિ
Page #61
--------------------------------------------------------------------------
________________
રા એ સૂચન
એ અનાજ સાઇ
સંકલ્પસિદ્ધિ રણામ એ આવ્યું કે તેમને ઉંઘ આવવા માંડી અને દવા લેવાની જરૂર પડી નહિ. પછી તે ઉંઘનું પ્રમાણ ઠીક ઠીક વધવા માંડ્યું અને તેના લીધે શરીરમાં સ્કૂતિ પણ રહેવા લાગી.
થોડા દિવસ બાદ અમે પૂછ્યું કે “હવે કેમ લાગે છે?” તેમણે કહ્યું: “ઠીક લાગે છે.” ત્યારે અમે કહ્યું કે હજી વધારે ઝડપી પરિણામ જોઈતું હોય તે શુભ સંકલ્પને સમય વધારે અને તે ઓછામાં ઓછો પંદરથી વીશ મીનીટ જેટલા કરે.”
તેમણે અમારા એ સૂચનને સ્વીકાર કર્યો અને તેનું પરિણામ વધારે સુંદર આવ્યું. પછી તે તેઓ અનાજ ખાતા થઈ ગયા અને છેવટે અમારી સાથે બેસીને સર્વ રઈ પણ જમ્યા.
અમે કહ્યું: “જે કામ સાત વર્ષમાં ન થયું, તે કામ માત્ર બે થી ત્રણ માસમાં જ થયું. તે હવે આ પ્રસંગની - ખુશાલીમાં કઈ મોટું શુભ કામ કરે.” અને તેમણે ગુપ્તદાનમાં સારી રકમ બચી. ત્યાર પછી તેમની તબિયત તદન સુધરી ગઈ અને મુખ પર લાલી આવી ગઈ.
કહેવાનું તાત્પર્ય એ છે કે શુભ સંકલ્પ કરવાથી મનની તંગ હાલત ટળે છે, શોક-સંતાપ દૂર થાય છે અને રેગ નાશ પામે છે. બીજી રીતે પણ તેનાં પરિણામે ઘણું સુંદર આવે છે, તેથી ઉન્નતિના ઉમેદવારેએ શુભ સંકલ્પ કરવા તત્પર રહેવું જોઈએ.
શુભ સંકલ્પના બળથી આપણે બીજાના રેગોનું પણ
રકમ ખર્ચ લાલી આ અપ કરવાથી
Page #62
--------------------------------------------------------------------------
________________
શુભ સંક૯૫ની આવશ્યકતા
૪૭
નિવારણ કરી શકીએ છીએ, આધ્યાત્મિક ચિકિત્સા (Psychic healing) માં મુખ્યત્વે આ સાધનને જ ઉપયોગ થાય છે.
પૂજા, પ્રાર્થના, સત્સંગ, ભજનકીર્તન, શાસ્ત્રશ્રવણ તથા સ નું વાચન વગેરે શુભ સંકલ્પને ઉત્પન્ન કરવાનાં મુખ્ય સાધને છે, એટલે સુજ્ઞજનોએ તેના તરફ ખાસ લક્ષ્ય આપવું. વિશેષમાં પોતાના નિવાસસ્થાનમાં શુભ સંકલ્પને ઉત્પન્ન કરનારાં કેટલાંક સૂક્તો સુંદર અક્ષરે લખાવીને લટકાવી રાખવા, જેથી ઉઠતાં–બેસતાં તેનું સ્મરણ થાય અને આપણું મન કઈ અશુભ સંકલ્પ પ્રત્યે ઢળી ન જાય.
જે મનુષ્ય અશુભ સંકલ્પને એક પ્રકારના ચેર– લૂટારા માની તેનાથી સાવધ રહે છે, તેઓ પોતાની ઉન્નતિ અવશ્ય સાધી શકે છે.
યજુર્વેદસંહિતાના ત્રીશમા અધ્યાયમાં શુભ સંકલ્પને લગતાં છ સૂક્તો આવે છે, તેનું પાઠકે એ પુનઃ પુનઃ મનન કરવા જેવું છે. એ સૂક્ત આ પ્રમાણે જાણવા :
यज्जाग्रतो दूरमुपैति दैवं तदु सुप्तस्य तथैवेति । दरङ्गमं ज्योतिषां ज्योतिरेकं तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॥१॥
જાગૃત પુરુષનું જે મન દૂર જાય છે, તે (મન) તે (પુરુષ) ની સુષુપ્તાવસ્થામાં પુનઃ પ્રાપ્ત થાય છે. દર જનારા મન અને તિષ્મતી ઈન્દ્રિયેની તિ એક થાય, તેવું મારું મન કલ્યાણમય (શુભ) સંકલ્પથી યુક્ત બને.” ૧. येन कर्माण्यपसो मनीषिणो यज्ञे कृण्वन्ति विदथेषु धीराः । यदपूर्व यक्षमन्तः प्रजानां तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॥२॥
Page #63
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
કર્મામાં તત્પર, ધીર, મેધાવી જન જે મન વડે યજ્ઞમાં શ્રેષ્ઠ કર્મો કરે છે અને જે મન શરીરમાં સ્થિત છે, છે, તે (મન) જ્ઞાનમાં અપૂર્વ અને પૂજનીય ભાવવાળું થતુ કલ્યાણમય સંકલ્પવાળુ અનેા.’ ૨.
यत्प्रज्ञानमुत चेतो धृतिश्च यज्ज्योतिरन्तरमृतं प्रजासु । वस्मान्न ऋते किञ्चन कर्म क्रियते तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॥ ३ ॥ જ્ઞાનોત્પાદક જે મનચેતનાશીલ, ધૈર્ય રૂપ અને અવિનાશી છે, તે બધાં પ્રાણીઓનાં હૃદયમાં પ્રકાશ કરનારું છે. જે મન વગર કોઈ કાયાઁ કરવું સંભવિત નથી, તે મારું મન કલ્યાણમય સ’કલ્પથી યુક્ત બને.' ૩. येनेदं भूतं भुवनं भविष्यत् परिगृहीतममृतेन सर्वम् । येन यज्ञस्तायते सप्तहोता तन्मे मनः शिवसङ्कल्पमस्तु ||४||
૪૮
6
6
જે અવિનાશી મન આ બધા ભૂત, વમાન અને ભવિષ્ય સંબંધી પદ્માર્થાને ગ્રહણ કરે છે તથા જેના વડે સાત હતાઓથી યુક્ત યજ્ઞના વિસ્તાર કરવામાં આવે છે, તે મારું મન કલ્યાણુમય સંકલ્પથી યુક્ત અને.’ ૫. यस्मिन् ऋचः साम यजूंषि यस्मिन्
प्रतिष्ठिता रथनाभा विचाराः ।
यस्मिँश्चितं सर्वमोतम्प्रजानां
तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॥ ५ ॥ જે મનમાં ઋચાઓ સ્થિત છે, જેમાં સામ અને યજુ:
25
સ્થિત છે, જેમ રથના ચક્રમાં આરાએ સ્થિત છે, તેમ જ
Page #64
--------------------------------------------------------------------------
________________
શુભ સંકલ્પની આવશ્યકતા
૪
મનમાં શબ્દ સ્થિત છે. વળી જે મનમાં પ્રજાઓનુ બધુ જ્ઞાન આતપ્રેાત છે, તે મારું મન કલ્યાણમય સલ્પથી યુક્ત અનેા.’ દ.
सुषारथि स्वानिव यन्मनुध्यान्ने
नीयतेऽभीषुभिर्वाजिन इव ।
तन्मे मनः शिवसङ्कल्पमस्तु ||६||
'
· કુશલ સારથિ જેમ રાશ (લગામ ) વડે વેગવાળા અશ્વોને લઈ જાય છે, તેમ જે મન મનુષ્યાને કા માં પ્રવૃત્ત કરે છે, તેમ જ પ્રાણીએ! પ્રત્યે લઈ જાય છે. વળી જે મન જરા રિહત છે અને અત્યંત વેગવાળા આ હૃદયમાં થિત છે, તે મારું મન કલ્યાણમય સંકલ્પથી યુક્ત હા.' ૬.
हत्प्रतिष्ठं यदजिरं जविष्ठं
આટલા વિવેચન પરથી શુભ સમજી શકાશે. શુભ સલ્પ એ અજોડ ઉપાય છે.
સંકલ્પની આવશ્યકતા ઉન્નતિ સાધવાના
Page #65
--------------------------------------------------------------------------
________________
[૪]
આત્મશ્રદ્વા કે આત્મવિકાસ
માનવજીવનની સર્વ પ્રવૃત્તિઓમાં સલ્પશક્તિને કેવું અને કેટલું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, એ જાણ્યા પછી તમે તમારી સંપતિને દૃઢ કરવા પ્રયત્નશીલ થશે!, એમ અમે માની લઈ એ છીએ. સર્વે સુજ્ઞજનાનુ એ કવ્યુ છે કે જે મા શ્રેયસ્કર લાગે તેના પર સત્વર પ્રયાણ કરવું. તેમાં વિલંબ કરવા નહિ, કારણ કે બ્રેચાંત્તિ વદ્યુવિજ્ઞાન-એ ન્યાયે સારાં કામમાં સે। વિઘ્ના આવી પડે છે અને જો તેને મુલ્તવી રાખ્યું તો એ દૂર ને દૂર ઠેલાતુ જાય છે.
6
રૂના એક તાંતણા મામુલી લાગે છે, પણ તેવા ઘણા તાંતણા ભેગા થાય અને દોરા અને તે તેમાં કંઇક શક્તિ જણાય છે. અને એ દોરાઓને વણી દોરી બનાવવામાં આવે તે તેમાં વિશેષ શક્તિ જણાય છે, તથા એ દોરીને વણી મેટુ દોરડુ બનાવવામાં આવે તે તેમાં પ્રચંડ શક્તિ છે. મોટા મઢગળતા માતગને પણ તે જકડી રાખે છે અને તેને ચસકવા દેતું નથી.
જણાય
Page #66
--------------------------------------------------------------------------
________________
આત્મશ્રદ્ધા કે આત્મવિકાસ
સંકલ્પનું પણ આવું જ છે. પ્રારંભમાં તો એ મામુલી જણાય છે, પણ જેમ જેમ તેના પર વિચારે કે ભાવનાના પુટ ચડતા જાય છે, તેમ તેમ તે બળવાન બને છે અને છેવટે ઘણો બળવાન બની જાય છે.
અકબર બાદશાહ દર ઉનાળામાં પિતાના રસાલા સાથે કાશ્મીર જતો. એવા એક પ્રસંગે જ્યારે તે પીર પંજાલના પહાડો પરથી પસાર થતો હતો, ત્યારે એકાએક હવામાન બદલાયું અને બરફનું તોફાન જાગ્યું. આથી તેને માર્ગ રૂંધાયે અને તે મોટી આપત્તિમાં આવી પડે. હવે અકબર બાદશાહના અનુચને એટલી ખબર હતી કે આ સ્થાનની ઘણી નજીક એક મહાત્મા રહે છે અને તે આપણી મદદ આવે તે આપણે આ આપત્તિમાંથી બચી શકીએ.
તેમણે આ હકીક્ત અકબર બાદશાહને જણાવી, એટલે બાદશાહ તે અનુચર સાથે પેલા મહાત્મા પાસે ગયા અને મદદ કરવા વિનંતિ કરી. મહાત્મા પુરુ તે પોપકારપરાયણ હોય છે અને કેઈને પણ આપત્તિમાં જુએ તે તેમનું હૃદય દ્રવી જાય છે. તેમણે બાદશાહની વિનંતિને સ્વીકાર કરી તોફાન સામે આંગળી ચીંધી અને હુકમ કર્યો કે “રૂક જા.” અને થોડી જ વારમાં એ ભયંકર તોફાન શમી ગયું. ત્યારબાદ બાદશાહ પોતાના રસ્તે આગળ વધ્યા. આ બનાવ પરથી સંક૯૫માં કેવી મહાન શક્તિ રહેલી છે, તેનું આપણને ભાન થાય છે.
સ્વામી વિવેકાનંદ અમેરિકામાં વ્યાખ્યા આપતા
Page #67
--------------------------------------------------------------------------
________________
પર
સંકલ્પ સિદ્ધિ હતા, તે વખતે તેમણે સંકલ્પની અગાધ શક્તિનાં વખાણ કર્યા. આ સાંભળી એક શ્રોતાએ કહ્યું કે “આ તે બધું કાલ્પનિક લાગે છે. જ્યાં સુધી તે અંગે અમને કઈ પ્રતીતિ ન થાય, ત્યાં સુધી આ બધું માનવાને અમે તૈયાર નથી.”
સ્વામીજીએ કહ્યું: “ઠીક છે. તમારી વાત હું માનું છું. પરંતુ તે સાથે જ તમને જણાવું છું કે હવે તમે તમારી બેઠક પરથી ઊઠી શકશે નહિ.” અને પેલા શ્રોતાએ ઘણું પ્રયત્નો કર્યા, પણ તે પિતાની બેઠક પરથી ઉઠી શક્યો નહિ. ત્યાર પછી સ્વામીજીએ કહ્યું કે “હવે તમે તમારી બેઠક પરથી ઉઠી શકો છો અને તે તરત ઉઠી શક્યો. ત્યાર પછી એક ટેબલ તરફ અંગુલિનિર્દેષ કરીને સ્વામીજીએ જણુવ્યું કે
અહીં એક સુંદર ઘોડે ઊભેલે છે, તે તમે બધા જોઈ શકશો.” અને સહુએ આશ્ચર્ય પૂર્વક એ ઘેડો નિહાળે. ત્યાર બાદ તેમણે કહ્યું : “તમે ઘેડો નહિ, પણ ટેબલ જ જોઈ રહ્યા છે. બરાબર ધારીને જુઓ” અને સહુને ટેબલ જ દેખાવા લાગ્યું.
તાત્પર્ય કે સંકલ્પશક્તિને કેળવવામાં આવે તે ધીમે ધીમે તે ઘણી જ વધી જાય છે અને આખરે એક પ્રચંડ શક્તિરૂપ બની જાય છે.
પરંતુ સંકલ્પરૂપી આ મેટરનું પેટ્રોલ આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ છે, એ ભૂલવાનું નથી. અન્ય શબ્દોમાં કહીએ તે આપણું આત્મશ્રદ્ધા જાગૃત થાય, આપણે આત્મવિશ્વાસ પ્રકટ થાય તે આપણે મનમાં જે કંઈ સંકલ્પ કર્યો હોય તેને અનેરૂં બળ મળે છે અને તેથી તે અત્યંત દૃઢ થઈ જાય છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
પ૩
આત્મશ્રદ્ધા કે આત્મવિકાસ
જે મનુષ્યમાં આત્મશ્રદ્ધા નથી–આત્મવિશ્વાસ નથી, તે નાનામાં નાના કાર્ય માટે પણ હામ ભીડતો નથી, તે મોટાં કાર્યોનું કહેવું જ શું? જેમ છાણના ઢગલામાં ખોસેલો વાંસ ડગમગ્યા કરે છે, તેમ આત્મશ્રદ્ધા–આત્મવિશ્વાસ વિનાને મનુષ્ય સદા ડગમગતો રહે છે અને તે કેઈપણ કાર્ય માટે દઢ સંકલ્પ કરી શકતા નથી.
આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસવાળા મનુષ્યની એ વાણું છે કે “આ કાર્ય હું અવશ્ય કરી શકીશ.” ત્યારે આત્મશ્રદ્ધાહીન -આત્મવિશ્વાસ રહિત મનુષ્ય કહે છે કે “આ કાર્ય અમે કરી શકીશું નહિ. આ કાર્ય અમારાથી થઈ શકે એવું નથી. આ કાર્ય કરવા માટે અમે લાયક નથી” વગેરે. તાત્પર્ય કે બંનેની વાણીમાં અને વિચારમાં ઉત્તર-દક્ષિણ જેટલું અંતર હોય છે.
આત્મશ્રદ્ધા–આત્મશક્તિવાળા મનુષ્ય પિતાની સંકલ્પશક્તિના જોરે નહિ કપેલાં કાર્યો કરી શકે છે અને સહુના આદરને પાત્ર બને છે, જ્યારે આત્મશ્રદ્ધાહીન–આત્મવિશ્વાસથી રહિત મનુષ્ય બધેથી પાછા પડે છે અને હડધૂત થાય છે.
આસ પર્વત ઓળંગી શકાય એમ કે માનતું ન હતું, પણ નેપોલિયન બોનાપાટે પિતાની અપૂર્વ આત્મશ્રદ્ધા વડે જ્યારે પિતાના ૮૦૦૦ સૈનિકે સાથે એ પર્વતને ઓળંગી બતાવ્યું, ત્યારે સહુ દિંગ થઈ ગયા અને તેના શતમુખે વખાણ કરવા લાગ્યા.
ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની શોધ કરનારા, એવરેસ્ટ પર ચડાઈ કરનારા તથા અવકાશીય સંશોધન માટે રેકેટમાં
Page #69
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ
ઉડનારાઓનાં વૃત્તાંત વાંચીએ છીએ, ત્યારે એમ જ થાય છે કે એ માનવીઓ જેવી આત્મશ્રદ્ધા અને સાહસિક્તા આપણને સાંપડી હોય તો કેવું સારું !
મહાત્મા ગાંધીજીનું શરીર તો સુકલકડી હતું, પણ તેમાં આત્મશ્રદ્ધાની ક્વલંતત જલતી હતી. તેના પરિણામે જ તેઓ અતિ કઠિન કાર્યો હાથ ધરીને તેને પૂરી કરી શક્યાં અને ભારતના ઇતિહાસમાં અમર બની ગયા. તેમના પરથી આપણે શે બેધપાઠ લઈશું?
એક લેખકે કહ્યું છે કે જગતમાં ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. “કરીશું,” “નહિ કરીએ” અને “કરી શકીશું નહિ.” પહેલાં બધું જ પૂરું કરે છે, બીજા દરેક બાબતમાં વિરોધ કરે છે અને ત્રીજા દરેક બાબતમાં નિષ્ફળ જાય છે. તાત્પર્ય કે આત્મશ્રદ્ધા–આત્મવિશ્વાસનો અભાવ સંકલ્પના બળને તોડી નાખે છે અને છેવટે નિષ્ફળ જવાનો વખત આવે છે. તેથી રોગ્ય-ઉચિત હિતાવહ એ છે કે આત્મશ્રદ્ધાને જાગ્રત કરવી, આત્મવિશ્વાસને ઢઢળવે અને તેની સહાયથી સંકલ્પબળને લોખંડી બનાવી આગળ વધવું.
કેટલાક મનુષ્ય કહે છે કે “અમે પામર જીવે શું કરી શકીએ ?” પણ કઈ મનુષ્ય ખરેખર પામર નથી. તે ધારે તે એક પ્રબળમાં પ્રબળ વ્યક્તિ બની શકે છે અને પિતાના જીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ કાર્યો કરી શકે છે. ગેકીએ કહ્યું છે કે “તમે એટલો આત્મવિશ્વાસ રાખો કે તમે પૃથ્વીના સર્વથી આવશ્યક મનુષ્ય છે.”
Page #70
--------------------------------------------------------------------------
________________
આત્મશ્રદ્ધા કે આત્મવિકાસ
૫૫
6
આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસથી મનુષ્યના સંકલ્પ દૃઢ અને છે અને તેનામાં અભૂતપૂર્વ શક્તિને આવિર્ભાવ થાય છે, એમાં કોઇ શંકા નથી. તેનીસનના એ શબ્દો છે કે આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન અને આત્મસયમ આ ત્રણ વસ્તુ જીવનને પરમ શક્તિસંપન્ન બનાવે છે.’ એટલે આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસનું મૂલ્ય જરાયે ઓછું આંકવું નહિ.
આપણી સ્થિતિ ઘણી વખત કસ્તૂરિયા મૃગ જેવી થઈ પડે છે કે જે કસ્તૂરી પાતાની ડૂંટીમાં હાવા છતાં તેની શેાધ માટે જગલામાં ભમે છે અને પરિશ્રાંત થઈ જાય છે. આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસ આપણી ભીતરમાં જ પડેલા છે. તેને શેાધવા માટે જરાયે દૂર જવું પડે એમ નથી. તમે ઘેાડી વાર તમારા ચિત્તને સ્વસ્થ કરી, એક આસન પર બેઠક જમાવા અને ધીમે ધીમે તમારામાં એવા ભાવ જાગ્રત કરે કે ‘હુ એક સર્વ શક્તિમાન આત્મા છું. મારી શક્તિ હવે જાગ્રત થવા લાગી છે–જાગ્રત થઈ રહી છે. તેની સહાયથી હું ગમે તેવાં દિન કાર્યાં પણ પાર પાડી શકીશ. મારો મા મંગલમય છે. કાઈ પણ વિગ્ન તેની રૂકાવટ કરી શકે તેમ નથી.’
બસ, આ પ્રમાણે રાજ તમારી આત્મશ્રદ્ધાને જાગ્રત કા, તમારા આત્મવિશ્વાસને ઢ ઢોળા, એટલે તમારા સ સંકલ્પો આપોઆપ દૃઢ થઈ જશે અને તમારી ઉન્નતિને મામાકળા થઈ જશે. એમનનું એ વચન છે કે • આત્મશ્રદ્ધા આત્મવિશ્વાસ એ સફળતાનું રહસ્ય છે.’
Page #71
--------------------------------------------------------------------------
________________
સકલ્પસિદ્ધિ
6
જે આપણને આપણી જાતમાં શ્રદ્ધા ન હેાય તેા ખીજા કાનામાં શ્રદ્ધા હોય ? એ વિચારવા જેવું છે. સ્વામી વિવે કાનદે તે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે જેને આત્મશ્રદ્ધા નથી, તે અન્ય કોઇ વસ્તુઓ પ્રતિ શ્રદ્ધા ધારણ કરતા નથી. અને અજ્ઞાની તથા અશ્રદ્ધાવાનનું ભવિષ્ય તે તમે જાણા છે. છેવટે તેનેા નાશ જ થાય છે.’
૫૬
તાત્પર્ય કે ઉન્નતિના ઈચ્છુકોએ આત્મશ્રદ્ધા આત્મ વિશ્વાસનું સાચું મૂલ્યાંકન કરી તેને જગાડવા ઢંઢોળવા અવિરત પ્રયાસ કરવા જોઇએ.
એ વાત લક્ષ્યમાં રાખો કે આપણે એક વસ્તુ માટે દઢ સંકલ્પ કર્યાં હાય, તેને પાર પાડવાની ચેાજના ઘડી હાય અને તે અનુસાર પ્રયત્ના થતા હોય, પણ આત્મશ્રદ્ધા તૂટી, આત્મવિશ્વાસ ડગમગ્યા કે સલ્પ શીણ થઈ જાય છે, યેાજનાને ભયંકર આંચકા લાગે છે અને પ્રયત્નાની પરપરા તૂટી પડે છે. પેટ્રોલ વિના મેટર ચાલતી નથી, તેમ આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસ વિના સલ્પ ટકતા નથી.
અને એ વાત પણ ખાતરીથી માનેા કે જેની આત્મશ્રદ્ધા જવલત છે, જેને આત્મવિશ્વાસ પ્રચંડ છે, તે કદી કોઈની પરાધીનતા સેવતા નથી, ખાટી ખુશામત કરતા નથી કે પેાતાનું કાર્ય સાધી લેવા માટે જેવાં—તેવાં સાધનાના ઉપયોગ કરતા નથી. તે સિંહની વૃત્તિએ જીવે છે અને એક સિંહ તરીકે જ પોતાનુ જીવન પૂરું કરે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
આત્મશ્રદ્ધા કે આત્મવિકાસ
૧૭
જગત આવા નૃસિંહાને જ યાદ કરે છે અને તેની જીવનકથાઓમાંથી અવનવી પ્રેરણા મેળવી આગળ વધે છે.
પ્રિય પાકા ! તમારી સામે આવા નૃસિંહાનું જ ચિત્ર રાખે! અને તેમાંથી પ્રેરણાનાં પાન કરી તમારી આત્મશ્રદ્ધાને તમારા આત્મવિશ્વાસને અપૂર્વ આભાએ ઝળહળતા રાખા.
તે જ પુરુષાત્તમ છે, પુરુષસિહ છે કેજે પેાતાની આત્મશ્રદ્દાના દીપ સદા જળહળતા રાખે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
[૫] આપણા મનનું સ્વરૂપ
આપણે મનુષ્ય તરીકે આ જગતના સર્વોત્તમ પ્રાણી ગણઈએ છીએ, તેનું ખરું કારણ આપણને પ્રાપ્ત થયેલું વિશિષ્ટ પ્રકારનું સમર્થ મન (Powerful mind) છે.
જે શરીરના કદની દૃષ્ટિએ પ્રાણીઓની ઉત્તમત્તા-શ્રેષતા નકકી કરવાની હોય તે આપણે વર્ગ ઘણો નીચે આવે, એ દેખીતું છે. જિરાફ તરફ નજર કરે, એ આપણું કરતાં કેટલે બધો ઊંચે છે! હાથી તરફ નજર કરે, એ આપણું કરતાં કેટલે બધા કદાવર છે! અને પેલી તેતીંગ વ્હેલ માછલી ! અરે ! એ તો પોતાનું મોટું પહેલું કરે તે આપણે તેમાં ઊભા ને ઊભા સમાઈ જઈએ !
જે રૂપ-રંગની દૃષ્ટિએ પ્રાણીઓની ઉત્તમત્તા-શ્રેષતા નક્કી કરવાની હોય તે પણ આપણે વર્ગ ઘણે જ નીચે આવે. કેટલાંક પક્ષીઓનાં રૂપ-રંગ એટલાં મનહર હોય છે કે આપણે જોયા જ કરીએ! પોપટ, કાકાકૌઆ, મરઘા તથા
Page #74
--------------------------------------------------------------------------
________________
આપણા મનનું સ્વરૂપ
૫
મેારના શરીરમાં રૂપ-રંગની જે છટા છે, તે આપણા શરીરમાં નથી જ! વળી કેટલીક માછલીઓનાં શરીરમાં સેાનેરી તથા રૂપેરી રંગની જે આભા હોય છે, તે આપણા કોઈનામાંયે શોધી જડે એમ નથી.
અને બળની દૃષ્ટિએ પ્રાણીઓની ઉત્તમત્તા—શ્રેષ્ઠતા નકકી કરવાની હાય તે પણ આપણે મેદાન મારી શકીએ તેમ નથી. પાડા, અળદ, ગેંડા, વાઘ, સિંહ એ બધાં પ્રાણીએ આપણા કરતાં વિશેષ બળવાન છે. તેમજ કેટલાંક જલચર પ્રાણીઓના અળની હકીકત સાંભળીએ તે આપણને આશ્ચય થયા વિના રહે નહિ. ઝુંડ, આપગા વગેરે અત્યંત બળવાન હેાય છે.
એટલે સમ મન એ જ એક એવી વસ્તુ છે કે જેના લીધે આપણે આ જગતના સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ ગણાઈ એ છીએ, સર્વોત્તમનુ સ્થાન પામેલા છીએ.
આપણને જે સમર્થ મન પ્રાપ્ત થયેલું છે, તેના લીધે આપણે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે ક્રિયા સંબંધી વિચાર કરી શકીએ છીએ, તેના સારા-ખાટા અશેાને જદા પાડી શકીએ છીએ અને આપણા માટે હિતાવહ કે અહિતાવહ શું છે ? તેના નિર્ણય કરી શકીએ છીએ. વળી આપણે આ સમં મન વડે કલ્પના કરી શકીએ છીએ, અજ્ઞાત ક્ષેત્રમાં પ્રવેશ કરી શકીએ છીએ અને નવી નવી શેાધા કરી આપણા જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી શકીએ છીએ. વિશેષમાં એની શક્તિથી રોગનું નિવારણ કરવું હાય તા કરી શકીએ છીએ, ઈ પદાર્થાનુ આકર્ષીણુ કરવું હોય તે પણ કરી શકીએ છીએ
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૦
સંકલ્પસિદ્ધિ
અને કોઈ પદાર્થીને દૂર હડસેલવા હાય કે તેને નાશ કરવા હાય તેા પણ કરી શકીએ છીએ. ખરેખર ! મનની શિક્ત અગાધ છે, અપરિમિત છે.
આવું સમથ –શક્તિશાળી મન મળવા છતાં આપણે તેને પૂરો ઉપયોગ કરતા નથી, વધારે સ્પષ્ટ કહીએ તે માંડ માંડ પાર કે વીશ ટકા જેટલેા જ ઉપયોગ કરીએ છીએ. અને કેટલાક તે માંડ તેનેા ટકા બે ટકા જેટલે જ ઉપયોગ કરે છે. આવા મનુષ્યા અને પશુએ વચ્ચે વાસ્તવમાં વિશેષ તફાવત નથી. મૂઢ મનુષ્યા વિચારહીન દશામાં પેાતાના દિવસો પૂરા કરે છે અને પશુઓ પણ વિચારહીન દશામાં પેાતાના દિવસો પૂરા કરે છે.
આપણા ઋષિ-મુનિઓએ કહ્યુ છે કે ‘મન ત્ર મનુચાળાં જાળવન્ધમોચો —અર્થાત્ મનુષ્યને જન્મ-જરામૃત્યુરૂપ સંસારનું જે ધન પ્રાપ્ત થાય છે, તેનુ કારણ મન છે અને તેમાંથી છૂટકારો મેળવવાના ઉપાય પણ મન છે. ’
આ વિધાન કદાચ આપણને વિલક્ષણ-વિચિત્ર લાગશે, કેમ કે જે વસ્તુ અહિતકારી હાય, તે હિતકારી થઇ શકતી નથી અને હિતકારી હાય તે અહિતકારી થઇ શકતી નથી. એટલે અહી' એટલું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે કે મનુષ્ય જ્યારે મનવડે અસત્ સકા કરે છે અને એ રીતે સતત્ કાર્યોમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તેને જન્મ-જરા-મૃત્યુરૂપ સંસારનું અધન પ્રાપ્ત થાય છે અને જ્યારે તે મનવડે સત્ સંકલ્પા કરે છે અને એ રીતે સત્ કાર્યામાં પ્રવૃત્ત થાય
Page #76
--------------------------------------------------------------------------
________________
આપણા મનનું સ્વરૂપ છે, ત્યારે તે આ સંસારના બંધનમાંથી છૂટીને મેક્ષાવસ્થા પ્રાપ્ત કરે છે.
આ જ વસ્તુ આપણું સંત પુરુષોએ નિમ્ન શબ્દોમાં કહી છે?
मन के हारे हार है, मन के जीते जीत । परम ब्रह्म को पाइये, मन ही के परतीत ॥
જે આપણે મનથી–મનની દુષ્ટ વૃત્તિઓથી હારી ગયા તે આપણી આ જીવનમાં નિશ્ચિત હાર છે અને જે આપણે મનથી-મનની સાત્વિક વૃત્તિઓથી જીતી ગયા તે આપણી નિશ્ચિત જીત છે. તેથી શ્રેયસ્કર એ છે કે મનવડે પ્રતીતિ અર્થાત્ બોધ પામીને પરમ બ્રહ્મને સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરો.”
જે વસ્તુ આધ્યાત્મિક ક્ષેત્રમાં સાચી છે, તે વ્યાવહારિક ક્ષેત્રમાં પણ સાચી છે. તેથી જ કહેવાયું છે કે “મનથી પડાય છે અને મનથી જિતાય છે,” તાત્પર્ય કે મનુષ્ય જે પિતાની ઉન્નતિ કરવા ચાહતે હોય તે તેણે પોતાના મનને સુધારવું જોઈએ. જે મન સુધરશે તે પ્રવૃત્તિઓમાં આપોઆપ સુધારો થશે અને તેનું પરિણામ ઉન્નતિમાં આવશે. જેઓ મેટી મેટી વાતો કરે છે, પણ પિતાના મનને સુધારતા નથી અને યદચ્છા પ્રવૃત્તિ કરે છે, તેમની અવશ્ય અવનતિ થાય છે અને એક દિવસ પસ્તાવાને પાર રહેતો નથી.
મનના સ્વરૂપ અંગે આધુનિક માનસશાસ્ત્રીઓ જુદો.
Page #77
--------------------------------------------------------------------------
________________
સંક૯પસિદ્ધિ
જુદા મત પ્રદર્શિત કરે છે. એક માનસશાસ્ત્રી કહે છે કે | “મન એ વિચારશક્તિ, ભાવના, ઈચ્છા કે સંકલ્પને સારાંશ | (Sumtotal of thinking, feeling and willing) છે. આપણે મનને ગૂઢાર્થ જાણવા માટે વિચારશક્તિને અભ્યાસ કરવો જોઈએ.”
મનનું સ્થાન શરીરમાં ક્યાં છે? તે જાણવું અત્યાવશ્યક છે. સામાન્ય રીતે મનનું સ્થાન મસ્તિષ્ક માનવામાં આવે છે, પરંતુ ઘણુ માનસશાસ્ત્રીઓને મત તેથી જુદો છે. તેમનું એ કથન છે કે “મનનું સ્થાન મસ્તિષ્ક જ નહિ, પરંતુ સમસ્ત શરીર છે, શરીરનું આણુએ અણુ છે.”
માનસશાસ્ત્રી આલબર્ટ કહે છે કે “મસ્તિષ્ક કેવલ તર્કશક્તિ અથવા બુદ્ધિનું સ્થાન છે. આપણું મન શક્તિ, પ્રેરણું આદિ શક્તિઓ એ સ્થલમાં નથી.”
ડો. મેડેલે કહે છે કે “સ્મરણશક્તિ મસ્તિષ્કમાં રહેતી નથી, પરંતુ નાડીચકોમાં રહે છે. અને તેજ કારણે આપણું શરીરનાં અવયવો પિતાનું દૈનિક કાર્ય પોતાની આદત પ્રમાણે કરે છે.”
ડો. હેમંડનું એ કહેવું છે કે “પ્રેરણશક્તિને મસ્તિષ્કની સાથે કેઈ સંબંધ નથી. ઘણું જનાવરે મનુષ્યની અપેક્ષાએ કેટલાયે કાર્યો પિતાની પ્રેરણશક્તિ વડે અધિક ચતુરાઈથી કરે છે.”
પ્રો. એજેનું એ કથન છે કે જ્યારે મનુષ્ય
Page #78
--------------------------------------------------------------------------
________________
આપણા મનનું સ્વરૂપ
૬૩
<
નિદ્રામાં હાય છે, ત્યારે એનુ મસ્તક શાંત રહે છે અને નાડીચક્રો નિદ્રાની પૂર્ણાહુતિ પંત તેની રક્ષા કરે છે. ’ શરીરશાસ્ત્રીઓ કહે છે કે જનાવરોમાંથી ભેજું અર્થાત્ મગજનેા અમુક ભાગ લઈ લેવા છતાં તે સ કાયૅક્ સરલતાથી કરી શકે છે. દેડકા, કાચબા વગેરે તેનાં ઉદાહરણે છે. નાનામાં નાનાં જંતુઓમાં ભેજું હાતુ નથી, પરંતુ જ્યારે તેઓ જીવનના આરંભ કરે છે, ત્યારે તેમનામાં મનઃશક્તિ જોવામાં આવે છે.
"
આ બધી હકીકતાનું તાત્પર્ય એ છે કે મનનું મુખ્ય સ્થાન મસ્તિષ્ક નથી. મસ્તિષ્ક વિના પણ માનસિક કાર્યાં થાય છે. મન કોઈ પદાર્થોં વડે પ્રકટ થતું નથી, પણ ક્રિયા દ્વારા વ્યકત થાય છે. મનુષ્યના શરીરના પ્રત્યેક અણુમાં મન રહેલુ છે. એટલું જ નિહ પણ વિશેષ શેાધના એમ બતાવે છે કે જગતની સર્વ વસ્તુઓમાં મન મેાજૂદ છે, સમસ્ત જગતમાં મન વ્યાપેલું છે અને તેથી તે સબ્યાપક છે. સંસારમાં જે ચમત્કારો દેખાઇ રહ્યા છે, તે બધા મનને આભારી છે. મન ચરાચરમાં એતપ્રેાત છે, અને તે જ ચૈત્યન્યશક્તિ છે. તે શક્તિ વીજળીથી પણ વધારે સૂક્ષ્મ છે. વૈજ્ઞાનિકોના કથન અનુસાર ચૈતન્યશકિતના એક પરમાણુમાં ૨,૪૨,૫૫૦ મણુ વજન ઉચકવાની શિત રહેલી છે.’
આપણું મન બે પ્રકારનુ છેઃ એક પ્રકટ, ખીજું ગુપ્ત. પ્રકટ મનને બાહ્ય મન, ચેતન મન કે જાગ્રત મન કહેવામાં આવે છે. ગુપ્ત મનને આંતર મન, અચેતન મન કે પ્રસુપ્ત
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૪
સંકલ્પસિદ્ધિ
મનના નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં પ્રકટ મનને આજેકિટવ માઈન્ડ (Objective mind) કે કોન્સિયસ માઈન્ડ ( Concious mind) કહેવામાં આવે છે. અને ગુપ્ત મનને સમજેકિટવ માઈન્ડ (Subjective mind ) કે સબકોન્સિયન્સ માઇન્ડ (Subconcious mind) કે સખ્તીમીનલ સેલ્ફ (Subliminal self) કહેવામાં આવે છે.
પુરાણા માનસશાસ્ત્રીએ ભાન અથવા ચેતના (Conciousness) ને જ મન માનતા હતા અને તેમના એ નિર્ણય હતા કે જે વિના ભાનમાં કામ થાય છે, તેના સબંધ મગજની સાથે છે. પરંતુ ચેતનાને જ મન માની લઈએ તે ઘણાં કામ જે ભાન વિના થાય છે, તેને શું કહીએ ? એને સતાષજનક ઉત્તર મળતા ન હતા. નૂતન માનસશાસ્ત્રીએ કહે છે કે મનનો અર્થ વિશાળ કરવા જોઈએ, અર્થાત્ ભાનમાં અને બેભાનમાં જેના વડે કામેા થાય છે, તે બચે મન છે.’
6
આપણે ખાઈ એ છીએ, કામ કરીએ છીએ, અને જીવનવ્યવહાર ચલાવીએ છીએ, તેનું આપણને ભાન હાય છે. આપણે જે ભાજન કરીએ છીએ, તે પેટમાં પહેાંચે છે, જગ્નિ તેને પચાવે છે, ત્યાંથી આંતરડામાં પહોંચતાં તેના રસ બને છે. પછી લેાહી અને માંસ અને છે. આ બધી ક્રિયાઓ કેવી રીતે થાય છે ? તેનું ભાન આપણને હાતુ નથી.
રકત ઉત્પન્ન થઈ ને પ્રત્યેક પરમાણુને પુષ્ટ કરે છે. અને સમસ્ત શરીરમાં ભ્રમણ કરે છે. શરીરના પ્રત્યેક અવયવ
Page #80
--------------------------------------------------------------------------
________________
આપણું મનનું સ્વરૂપ એ રક્તસંચારમાંથી પોતાને ખેરાક ગ્રહણ કરી પોતાની શકિત કાયમ રાખે છે. શરીરની વૃદ્ધિ, પુષ્ટિ અને હાસ સ્વાભાવિક રીતે જ થાય છે. આપણને તેનું ભાન હોય કે ન હોય, પ્રત્યેક અવયવ નિયમિત રૂપથી પોતાનું કામ કરે છે. એના પર આપણી ઈચ્છાશક્તિ પ્રભુત્વ જમાવી શકતી નથી. - આપણું હૃદય રાત્રિદિવસ ધડકતું રહે છે. તેના પર શક્તિનો અધિકાર ચાલી શકતો નથી. આપણે જ્યારે ઈછીએ ત્યારે હૃદયને બંધ કરી શકતા નથી કે ચલાવી શકતા નથી. આપણી ઈચ્છા હોય કે ન હોય, લેહી આખા શરીરમાં ફરતું જ રહે છે, કલેજું શરીરમાંથી લેહી ચૂસી લે છે અને પેટ ખેરાકને પચાવે છે. ફેફસાં ધાકિયામાં લાગ્યા રહે છે.. હાડકાઓ લેહમાંથી ચૂનાનું સત્વ ખેંચ્યા કરે છે.
જ્યારે આપણે કઈ રગને માટે દવા લઈએ છીએ, ત્યારે જો તે દવા કલેજાની હોય તે કલેજું એને ખેંચી લે છે, જે હૃદયની હેય તે હદય એને ખેંચી લે છે. શરીરમાં કઈ સ્થળે જન્મ થાય તો પોતાની મેળે થોડા દિવસમાં રુઝાઈ જાય છે. કદી હાડકું તૂટી જાય તો પોતાની મેળે સંધાઈ જાય છે.
તાત્પર્ય કે આપણું શરીરમાં ચેતન મનઃશક્તિ સિવાય બીજી પણ એક શકિત છે, જે આપણું જ્ઞાન અને કાબૂ વિના પણ આપણા શરીરની રક્ષા કરે છે અને પ્રત્યેક અવયવ પર અધિકાર રાખે છે. આ શક્તિ ગુપ્ત મનને આધીન છે; અર્થાત્ આ બધાં કાર્યો ગુપ્ત મન વડે જ થાય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
સંક૯પસિદ્ધિ
ગુપ્ત મન શરીરની રક્ષા કરવામાં સદૈવ તત્પર રહે છે. જ્યારે શરીરમાં ખરાબ જંતુ ઉત્પન્ન થાય છે, ત્યારે તેની સાથે યુદ્ધ કરીને તેને નાશ કરી દે છે. શરીરમાં શદ–ગરમી પણ શરીરની અવસ્થા અનુસાર ઘટતી-વધતી રહે છે, જ્યારે શરીરમાં ઝેરીલા ત પેદા થવા લાગે છે, ત્યારે એ ઝેરીલાં તને બહાર કાઢવા માટે ઘણી ગરમી ઉત્પન્ન થાય છે. આપણે એ ગરમીને જવર કે તાવ કહીએ છીએ.
જ્યારે પાચનશક્તિમાં કઈ વિકાર થઈ જાય છે, તે ઉલટી અને ઝાડા થવા લાગે છે અને એ રીતે વિકારને બહાર કાઢી નાખવામાં આવે છે. જે ફેફસામાં કઈ તક્લીફ હોય, અથવા કફ એકઠો થઈ ગયે હોય, તે ખાંસી આવવા લાગે છે અને એ કફ બહાર ફેંકાઈ જાય છે. નાકમાં કઈ પદાર્થ ચાલ્યા જાય છે, તે છીંક ખાઈને તેને બહાર કાઢી નાખવામાં આવે છે. શરીરના જ્ઞાનતંતુઓ જ્યારે બહુ થાકી જાય છે, ત્યારે ગાઢ નિદ્રા આવે છે અને જ્ઞાનતંતુઓને વિશ્રામ મળે છે. આપણું શરીરમાં દુઃખ-દર્દોને દૂર કરવાની તથા રેશમાંથી રક્ષા કરવાની સ્વાભાવિક શક્તિ રહેલી છે. આ બધું કામ ગુપ્ત મન દ્વારા થયા કરે છે.
પ્રાચીન માનસશાસ્ત્રી અને શરીરશાસ્ત્રીઓને એ મત હત કે શરીરને અમુક પ્રકારની ટેવ કે આદત પડવાથી એની અંદર ભાન વગર પણ બધાં કામ થાય છે, પરંતુ પ્રોફેસર કેડરિક મેયરે હિપ્નોટિઝમ કરેલી વ્યક્તિઓના, મૃગી (વાઈ), હિસ્ટીરિયા, મૂચ્છ વગેરેના રોગીઓને તથા ભરનિંદમાં
Page #82
--------------------------------------------------------------------------
________________
આપણા મનનું સ્વરૂપ
૬૭
ચાલનાર–કરનારનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને વીશ વ સુધી આ વિષયને અભ્યાસ કરતાં તે એવા નિણૅય પર આવ્યા કે આપણી પ્રકટ મનઃ શક્તિથી અતિરિક્ત બીજી મનઃશિત આપણામાં છૂપાયેલી છે. એ શિક્ત મેસ્મેરિઝમથી અચેત થયેલા પુરુષામાં, સમાધિસ્થ થયેલા ધ્યાનીઓમાં, નિદ્રામાં પડેલા લેાકેામાં, કિવ અને તત્ત્વવેત્તાઓમાં અદ્ભુત ચમત્કાર બતાવે છે. કેટલાક શેાધકો પેાતાની શેાધના વિચારામાં એટલા સમાધિસ્થ થઈ જાય છે કે તે પેાતાનું મહિલ્મન ભૂલી જાય છે અને ગુપ્ત મનની સહાયથી મનુષ્યજાતિના કલ્યાણ માટે મહાન શેાધા કરે છે.
ગાઢ નિદ્રામાં પડેલા મનુષ્ય, જેને અંગ્રેજીમાં સોમ્નબ્લિસ્ટિક (Somnablastic) કહે છે, તે ભર નિદ્રામાં ઉડીને ઊભા થાય છે, લખે છે, ચી લગાડીને તાળુ ખેાલે છે, દરવાજો ઉઘાડે છે, રસ્તામાં ચાલે છે અને કોઈ તેને અટકાવવા જાય તે તેનાથી તરીને ચાલે છે. જ્યારે તે નિદ્રામાંથી જાગે છે, ત્યારે નિદ્રામાં કરેલા કોઈપણ કામની તેને સ્મૃતિ હાતી નથી.
જ્યારે કોઈ પણ મનુષ્ય પર ક્રુિષ્નાટિઝમનેા પ્રયોગ કરીને તેને બેહેાશ બનાવવામાં આવે છે, ત્યારે તેનું ગુપ્ત
* આપણા શાસ્ત્રામાં આવી નિદ્રાનું વન આવે છે. જૈન શાસ્ત્રોએ તેને ત્યાનહિ (થિલ્હી) નિદ્રા કહી છે અને તે સહુથી ગાઢ ાય છે, એમ જણાવ્યુ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
१८
સંકલ્પસિદ્ધિ મન જાગ્રત રહે છે અને જ્યારે તે હોશમાં આવે છે, ત્યારે તેની કઈ વાત યાદ રહેતી નથી.
આ બધી દલીલોથી પ્રેફેસર મેયરે એ સિદ્ધ કર્યું છે કે મનનાં બે સ્વરૂપ છે. ભાનમાં જે કંઈ કામ થાય છે, તે પ્રકટ મન દ્વારા થાય છે અને નિદ્રામાં, મેરામેરિઝમાં, સમાધિમાં, હિસ્ટીરિયામાં, ભૂત-બાધામાં જે કામ થાય છે, તે ગુપ્ત મન દ્વારા થાય છે. પ્રકટ મન વિચાર કરવામાં-નિરીક્ષણ કરવામાં મગ્ન રહે છે અને ભાનની સાથે જેટલાં કામ શક્ય હોય, તે કરે છે. જ્યારે ભાન ચાલ્યું જાય છે, ત્યારે આ મન પણ ચાલ્યું જાય છે.
આ વિવેચનના સાર રૂપે એટલું યાદ રાખવું કે
(૧) શરીરના પ્રત્યેક અવયવમાં, અણુ-આણુમાં મન વ્યાપ્ત છે. ગુપ્ત મન શરીરના સર્વ વ્યાપારનું સંચાલન કરે છે. શરીરની રચના, પિષણ, વૃદ્ધિ, સંગઠન નિયમિત રૂપથી ગુપ્ત મનના શાસન દ્વારા જ થાય છે. રેગોને દૂર કરીને શરીરને નીરોગી રાખવાની શકિત પણ એમાં રહેલી છે.
(૨) ગુપ્ત મન ત્રિદિવસ સ્વતંત્રતાથી કામ કરે છે. આપણી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે, તેને એ હિસાબ રાખે છે. સંપૂર્ણ સ્મરણશક્તિ એના કાબૂમાં રહે છે. તે સર્વ અનુભવને સંગ્રહ કરીને પોતાના ભંડારમાં જમા રાખે છે. સર્વ સ્નાયુજાલ (Sympathetic nervous system) પર ગુપ્ત મનને અધિકાર છે. 1 (૩) પ્રકટ મન, ગુપ્ત મન પાસે ઈચ્છાનુકૂલ કાર્ય કરાવી
Page #84
--------------------------------------------------------------------------
________________
આપણું મનનું સ્વરૂપ
૬૯ શકે છે. જ્યારે શરીરમાં કેઈ કાર્ય વ્યવસ્થિત ન હોય, ત્યારે પ્રકટ મન જે કંઈ આદેશ કરે, તેને તે સ્વીકાર કરે છે અને તે અનુસાર કાર્ય કરે છે.
(૪) પોતાના ગુપ્ત મનને સૂચના દેવાથી વ્યાધિ, રંગ, દુર્વ્યસન, દુર્ગુણ આદિ દૂર થાય છે. તે જ રીતે અન્ય મનુષ્યના ગુપ્ત મનને સૂચના દેવાથી તેના રોગો પણ દૂર થાય છે.
(૫) જ્યારે પ્રકટ મન પિતાને કારભાર બંધ કરી દે છે, ત્યારે ગુપ્ત મન જાગ્રત થઈને પિતાનો ચમત્કાર બતાવે છે. ગુપ્ત મન પર સૂચનાશક્તિ (Suggestion) અને કલ્પનાશક્તિથી અધિકાર પ્રાપ્ત કરી શકાય છે. ગુપ્ત મન સૂચનાશક્તિને આધીન છે. આપણે તેને જેવી સૂચનાઓ આપીએ, તેવું કામ તે કરી બતાવે છે.
છેવટે એ સ્મરણમાં રાખવું પરમ આવશ્યક છે કે મનમાં સર્વ પ્રકારનું સામર્થ્ય રહેલું છે. તેના દ્વારા મનુષ્ય ધારેલાં કામે કરી પરમ વિજેતા બની શકે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૬ ]
વિચાર અને તેના વિશિષ્ટ પ્રભાવ
6
પૃથ્વી, પાણી, લાકડું, લેાહુ, પત્થર, કાચ વગેરે જેમ એક પ્રકારની વસ્તુ છે, તેમ વિચારો પણ એક પ્રકારની વસ્તુ છે. · Thoughts are things.' તેમાં ફેર કે તફાવત એટલા જ છે કે પૃથ્વી વગેરે સ્થૂલ વસ્તુઓ હાવાથી તે આપણી આંખા વડે જોઈ શકાય છે, જ્યારે વિચારે સૂમ વસ્તુ હાવાથી આપણી આંખા વડે જોઈ શકાતા નથી.
કેટલાક મનુષ્યા કહે છે કે ‘જે વસ્તુ આખા વડે જોઇ શકાય એવી ન હેાય, તેનું અસ્તિત્વ શી રીતે માનવુ ?” પણ વસ્તુના કાર્ય વડે વસ્તુના બેધ થઈ શકે છે. દાખલા તરીકે વાયુ સૂક્ષ્મ હાવાથી આંખા વડે જોઇ શકાતા નથી, પણ ધજા ફરવા માંડે કે ઝડની ડાળીએ હાલવા માંડે તે આપણે તરત જ કહીએ છીએ કે વાયુ વાય છે.’ તેજ રીતે ઇથર સૂક્ષ્મ છે, તે આંખા વડે જોઇ શકાતા નથી, પણ તેના માધ્યમથી હજારા માઇલ દૂર બેલાયેલા શબ્દો વ્યવસ્થિત રીતે રિડયામાં ઉતરે છે, એટલે આપણે તેના અસ્તિત્વનું
6
Page #86
--------------------------------------------------------------------------
________________
વિચાર અને તેના વિશિષ્ટ પ્રભાવ
૭૧
ચાકસ અનુમાન કરી શકીએ છીએ. તાત્પર્ય કે એક વસ્તુ આંખા વડે જોઇ શકાય એવી ન હેાય, તેટલા માત્રથી જ તેનું અસ્તિત્વ ન માનવુ, એ મેાટી ભૂલ છે. એમ તા આપણી છઠ્ઠી કે સાતમી પેઢીના પૂર્વજોને આપણે આપણી આંખા વડે કયાં જોયા છે? પણ તેમના વંશવેલા ચાલ્યા, તે પરથી આપણે ચેાકસ અનુમાન કરી શકીએ છીએ કે એક કાળે તેમનું અસ્તિત્વ જરૂર હતું.
,
આ
વિચારાના તે આપણે સાક્ષાત્ અનુભવ કરી શકીએ છીએ. અને ‘ હમણાં જ મને એક વિચાર આવ્યેા ’ વિચાર સારા છે’ ‘આ વિચાર પ્રમાણે વર્તવુ જોઇએ ’ વગેરે વચનેામાં તેનું સ્પષ્ટ પ્રતિપાદન પણ કરીએ છીએ. વળી આ બધા વિચારા મન વડે થાય છે, એનું પણ આપણને ભાન હાય છે. અન્યથા · મારું મન હાલ ખરાખર વિચાર કરી શકતુ નથી.’ મારા મનમાં અનેક જાતના વિચારા આવી રહ્યા છે” વગેરે વચનપ્રયાગેા કરી શકીએ જ નહિ.
આપણે ત્યાં ભાવેાના આંતરિક સાધનને અંતઃકરણ કહેવામાં આવ્યું છે અને તેના ચાર વિભાગેા આ પ્રમાણે માનવામાં આવ્યા છે : (૧) મન, (ર) મુદ્ધિ, (૩) ચિત્ત અને (૪) અહંકાર. તેમાં જેના વડે ચિાર કે સંકલ્પવિકલ્પા થાય છે, તે મન; જેના વડે સત્ય અને અસત્યને કે હિત અને અહિતના નિર્ણય થાય છે, તે બુદ્ધિ; જેના વડે વસ્તુના સ્વરૂપનુ ચિંતન થાય છે, તે ચિત્તઃ અને જેના વડે ‘ આ કાર્યાં હું કરું છું' એવા વિકલ્પ થાય છે, તે
Page #87
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ અહંકાર. લેકવ્યવહારમાં તે આ બધીયે વસ્તુઓને મન તરીકે જ ઓળખવામાં આવે છે, પણ મનના વ્યાપારને ' સ્પષ્ટ બોધ થાય, તે માટે શાસ્ત્રકારોએ તેને આ પ્રકારે સંકેત કરેલા છે.
વર્તમાન વિજ્ઞાને મનના વ્યાપારનું વર્ગીકરણ નીચે પ્રમાણે કર્યું છે :
(૧) દ્ધિપ્રધાન વ્યાપારે. () લાગણી કે ભાવપ્રધાન વ્યાપાર. (૩) ઈચ્છિા કે અભિલાષાપ્રધાન વ્યાપારે.
તેમાં શબ્દાદિ વિષયને ગ્રહણ કરતાં જે સંજ્ઞા કે સંસ્કાર પડે છે, જિજ્ઞાસા ઉદ્ભવે છે, તર્ક ઉઠે છે, તુલના કે અનુમાન થાય છે અને કલ્પના જાગે છે, તે સઘળાને સમાવેશ પ્રથમ પ્રકારમાં એટલે બુદ્ધિપ્રધાન વ્યાપારમાં કર્યો છે. તથા કેઈ પણ સંજ્ઞા કે સંસ્કાર ગ્રહણ કર્યા પછી સુખ દુઃખ, આનંદ-શક, ઉત્સાહ-વૈર્ય આદિ લાગણીઓ કે ભાવે ઉદ્ભવે છે, તેને સમાવેશ બીજા પ્રકારમાં એટલે લાગણી કે ભાવપ્રધાન વ્યાપારમાં કર્યો છે અને એવી લાગણીઓ કે ભાના પરિણામે જે ચક્કસ કાર્ય કરવાની ઈચ્છા થાય છે, તેને સમાવેશ ત્રીજા પ્રકારમાં એટલે ઈચ્છા કે અભિલાષાપ્રધાન વ્યાપારમાં કર્યો છે.
તાત્પર્ય કે વિચારમાંથી લાગણી, લાગણીમાંથી ઈચ્છા અને ઈચ્છામાંથી સંકલ્પ જન્મે છે એટલે સંક૯પમાત્રનું મૂળ વિચારમાં રહેલું છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
વિચાર અને તેના વિશિષ્ટ પ્રભાવ
૭૩
સામાન્ય માન્યતા એવી છે કે સ્થૂલ વસ્તુમાં વધારે શક્તિ હોય અને સૂક્ષ્મ વસ્તુમાં આછી શક્તિ હાય, પણ પરિસ્થિતિ તેથી ઉલટી જ છે. સ્થૂલ કરતાં સૂક્ષ્મ વસ્તુઓની શક્તિ વિશેષ હાય છે. પૃથ્વી, પાણી, લાકડું, લેન્ડ્રુ, પત્થર, કાચ વગેરે સ્થૂલ વસ્તુઓ છે, તેના કરતાં શુ વરાળ, શબ્દ, પ્રકાશ, વિદ્યુત્ આદિ સૂકમ વસ્તુઓની શક્તિ અધિક હોતી નથી ? વિચાર તે એથી પણ વધારે સૂક્ષ્મ હાય છે, એટલે તેની શક્તિ, તેનું ખળ, તેનું સામર્થ્ય એ બધા કરતાં વિશેષ હાય, એમાં આશ્ચર્ય શું ?
અમેરિકાના એક વિદ્વાને લખ્યું છે કે પ્રકાશની ગતિ એક સેકન્ડમાં ૧,૮૬,૦૦૦ માઈલની હાય છે, જ્યારે વિચારની ગતિ ૪૦૦૦૦થી ૭૦૦૦૦ શકું માઈલ જેટલી અર્થાત્ ૭૦૦૦૦X1,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ = સાત પરા માઈલ જેટલી હાય છે. X વિચાર લહરિને દિવસમાં સૂનાં કિરણા ખડખડ કરી દે છે, તેથી તેની ગતિમાં અવરેધ આવે છે, પરંતુ રાત્રિના સમયે અંધકારમાં વિચારશક્તિને વેગ તીવ્રતમ થઈ જાય છે, કારણ કે તેના કેાઈ અવરોધ કરી શકતું નથી.
સરાવરના શાંત લાગતા જળમાં એક કાંકરા નાખતાં જેમ તરંગા ઉત્પન્ન થાય છે અને તે અનુક્રમે દૂર સુધી ફેલાય છે, તેમ આપણા મનમાં વિચારરૂપી તરંગા ઉઠતાં અનુક્રમે
× એકથી અઢાર અ`કની સંખ્યા માટેની ખાસ સંજ્ઞાઓ માટે જીએ અમારા રચેલા ‘ગણિત-રહસ્યનું પ્રકરણ બીજું.
Page #89
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ દૂર સુધી ફેલાય છે અને જે એ વિચારે અતિ પ્રબલ હોય તો વિશ્વના એક છેડેથી બીજા છેડા સુધી પહોંચી જાય છે.
આપણને સામાન્ય રીતે એમ લાગે છે કે વિચારમાં તે શું બળ હેય? પણ પ્રત્યેક વિચાર આપણું મન પર તેની સારી કે ખેટી અસર મૂકતા જાય છે અને અન્યત્ર પણ તેની એવી અસર ઉપજાવે છે. તેથી જ સારા, સુંદર કે શુભ વિચારેનું પરિણામ સારું, સુંદર કે શુભ માનવામાં આવ્યું છે અને ખોટા, ખરાબ કે અશુભ વિચારોનું પરિણામ ટું, ખરાબ કે અશુભ માનવામાં આવ્યું છે.
તમે જ્યારે કોઈ વસ્તુ સંબંધી સારા, સુંદર કે શુભ વિચાર કરવા માંડો છે, ત્યારે તમારા મન પર પ્રસન્નતાની અસર થાય છે અને અંતરમાં આનંદ આવવા લાગે છે. તે જ રીતે તમારા મનમાં કેઈ સુંદર ભવ્ય કલ્પના જાગી જાય, તે તમને એમ જ લાગે છે કે હું સુખના સાગરમાં તરી રહ્યો છું, આનંદના ઉદધિમાં મગ્ન થઈ ગયે છું.” કવિઓ, લેખકે કે કલાકારો આ પ્રકારને આનંદ આપણું કેઈ કરતાં વધારે માણે છે, કારણ કે તેમને સુંદર ભવ્ય કલ્પના જોડે જ વિશેષ કામ પડે છે.
તે જ રીતે તમે જ્યારે કઈ વસ્તુ સંબંધી ખોટા, ખરાબ કે અશુભ વિચાર કરવા માંડે છે, ત્યારે તમારા મન પર વિષાદની અસર થાય છે, અંતરમાં એક પ્રકારની બેચેની થવા લાગે છે અને તે વધારે જોરદાર બને તે શરીર અસ્વસ્થ બની જાય છે. દાખલા તરીકે તમે અમુક વ્યક્તિને ખરાબ
Page #90
--------------------------------------------------------------------------
________________
વિચાર અને તેના વિશિષ્ટ પ્રભાવ
૭૫.
માના છે અને તે અંગે વિચાર કરવા માંડેા છે, ત્યાં તમને તેનાં કેટલાંક ખરાબ કામેા યાદ આવે છે, એટલે મનમાં વિષાદ થાય છે અને તેમાં તમારા પ્રત્યે આચરેલા અન્યાય યાદ આવી જતાં તમે તેના પર ક્રાધાયમાન થાઓ છે અને તેના તરફ તિરસ્કાર વરસાવવા લાગેા છે. આ વખતે તમારું મન તપી જાય છે અને તેની અસર તમારા હૃદય પર, મગજ પર તથા શરીરના બીજા ભાગા ઉપર પણ થાય છે.
અતિ ધમાં આવેલા મનુષ્યને તમે જોયા હશે. એ વખતે તેના મુખની-આંખની કેવી સ્થિતિ હોય છે? અરે! તેનું આખુ* શરીર ધ્રુજતુ હાય છે અને તે શું કરી બેસશે ? તે કહી શકાતુ નથી કે કલ્પી શકાતું નથી. એક તપાવનની વાડીમાં કેટલાક તેાફાની છે.કરાઓ દાખલ થયા અને રંજાડ કરવા લાગ્યા. તે જોઇ તેના માલીક તાપસને ખૂબ ક્રોધ આવ્યા, એટલે તે હાથમાં તીક્ષ્ણ ફરસી લઇને તેમને મારવા દોડ્યો. એવામાં રસ્તામાં ખાડા આવ્યેા, તેનું ભાન રહ્યું નહિ, એટલે તેમાં પટકાયા અને પેલી તીક્ષ્ણ ધારવાળી ફરસીનેા તેના મસ્તક પર પ્રહાર થયા, એટલે તેના રામ ત્યાં જ રમી ગયા. તાત્પર્ય કે તેણે અતિ ક્રોધ કર્યાં, તેનું કડવુ ફળ તેને પેાતાને જ ભાગવવું પડયું. કદી તાપસ ખાડામાં પડ્યો ન હાત અને તાકાની છેકરા પાસે પહોંચી તેમાંના એકાદ પર આ તીક્ષ્ણ ફરસીના પ્રહાર કર્યાં હાત તેા તેનું પરિણામ શુ આવત ? એ વ્યક્તિનું ખૂન થાત કે તે સખ્ત રીતે ઘાયલ થાત. પરિણામે સામેથી પણ એવા જ પ્રહાર થાત
Page #91
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ કે અન્ય રીતે હુમલો થાત. છેવટે તેની રાજસિપાઈઓ દ્વારા ધરપકડ થાત અને તેના પર કામ ચાલતાં ફાંસીની સજા થાત કે અમુક વર્ષની જેલ ભેગવવી પડત.
અભિમાનના વિચાર આવતાં મન અકકડ કે જડ થઈ જાય છે, કૂડકપટના વિચાર આવતાં મનમાં વકતા પેદા થાય છે અને અતિશય લેભના વિચારે મનુષ્યના મનમાં તૃષ્ણાની આગ એવી તીવ્ર બને છે કે તેને કઈ વાતે ચેન પડતું નથી. તેથી જ કોધ, અભિમાન, કૂડકપટ અને લેભ એ ચાર પ્રકારની મને વૃત્તિઓ છેડવા યોગ્ય મનાયેલી છે.
કામવાસના પણ મનુષ્યને વિહવળ બનાવી મૂકે છે. અને તેનું ભાન ભૂલાવી દે છે, એટલે તેના ઉપર પૂરે સંયમ રાખવાની જરૂર છે.
વિચારને રંગ હોય છે, એ વાત આપણે ત્યાં ઘણું પ્રાચીન કાલથી જાણીતી હતી. જેન શામાં છે વેશ્યાઓનું જે વર્ણન આવે છે, તેમાં તેને વિસ્તાર જોઈ શકાય છે. ત્યાં અતિ દુષ્ટ વિચારેને રંગ કૃષ્ણ (કાળે), તેથી ઓછા દુષ્ટ વિચારને રંગ નીલ (વાદળી), તેથી ઓછા દુષ્ટ વિચારે રંગ કાપિત (કથ્થાઈ), શુભ વિચારને રંગ પીત (પીળે), વધારે શુભ વિચારેને રંગ પદ્મ (ગુલાબી) અને અત્યંત શુભ વિચારેને રંગ શ્વેત મનાયે છે.
મનુષ્યના શરીરમાંથી પ્રતિક્ષણે પરમાણુને પ્રવાહ વહે છે અને તેમાં અમુક રંગની છાયા જણાય છે. આ રંગ પરથી તેના વિચારે–તેની વાસનાઓ સંબંધી કેટલાંક અનુમાને
Page #92
--------------------------------------------------------------------------
________________
વિચાર અને તેને વિશિષ્ટ પ્રભાવ
ખાતરીપૂર્વક થઈ શકે છે. પરંતુ પરમાણુને આ પ્રવાહ નરી આંખે જોઈ શકાતા નથી. તે દિવ્ય દૃષ્ટિથી કે વિશિષ્ટ પ્રયાગથી જ જોઈ શકાય છે.
(૭૭
આજે તા વીજળીનાં એવાં યંત્ર પણ શેાધાયાં છે કે જેના એક છેડે મનુષ્યના હાથ મૂકવામાં આવે છે, એટલે તરત જ તેના બીજા છેડે અમુક રંગના મેાજાઓનું પ્રસરણ થવા લાગે છે. તે પરથી એ મનુષ્યના મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે, તેને નિર્દેશ કરવામાં આવે છે.
તાપ કે વિચારે એ એક પ્રકારનુ ભૌતિક સર્જન હાવાથી તેને જૂદા જૂદા રંગા પ્રાપ્ત થાય છે.
વિચારાના પ્રભાવ શરીર પર પડે છે, તેમ વાણી અને વન ઉપર પણ પડે છે. એટલે કે મનુષ્ય જે જાતના વિચારે કરે છે, તે જાતની વાણી લે છે અને તેજ પ્રકારનું વન
કરે છે.
આ જગતમાં જેટલી ક્રાંતિઓ થઈ, તે વિચારાના પરિવર્તનને આભારી છે, એટલે વિચારાનું મળ સમાજની રચના અઠ્ઠલી શકે છે, રાષ્ટ્રનુ ધ્યેષ્ટ સ્વરૂપ નિર્માણ કરી શકે છે અને સમસ્ત વિશ્વને એક નવાજ આકાર પણ આપી શકે છે. તાત્પર્ય કે વિચારના પ્રભાવ વિશિષ્ટ કોટિના છે અને તે આ જગતમાં નહિ ધારેલાં કાર્યો કરી શકે છે.
વિચારોનુ ઉદ્દભવસ્થાન મુખ્યત્વે મસ્તિષ્ક છે; વધારે સ્પષ્ટ કહીએ તે મગજ છે, તેથી વિચારાની સાદી-ખાટી અસર મગજ પર સહુથી વધારે થાય છે. અહીં એ પણ
Page #93
--------------------------------------------------------------------------
________________
૯૮
સકસિદ્ધિ
જણાવી દેવું જોઈએ કે જેનું મગજ નબળું હાય છે, તે કોઈ પણ વસ્તુ સબંધી યથા વિચારણા કરી શકતે નથી. જ્યાં વિશેષ ચિંતન-મનનના પ્રસંગ આવ્યા કે તે થાકી
જાય છે, ચીડાઈ જાય છે અને એ લાવવાના નિ ંય પર આવી જાય છે. સ્થિતિ સુધારવા ઇચ્છતા હોય, તેમણે અમારા લખેલા
"
4
‘સ્મરણુકલા ” નામના પુસ્તકના છેવટના ભાગ જોવા તથા મંચિંતામણિ' ગ્રંથના ત્રીજા ખંડમાં આપેલા બુદ્ધિ-સ્મૃતિ વધારનારા પ્રયોગો'નુ અવલાકન કરવું.
:
એ વાતનેા સતત ખ્યાલ સુયેાગ્ય ઘડતર મનુષ્યને આ સ્થાન પર સ્થાપિત કરે છે.
વાતના ત્યાં જ અંત જેએ મગજની આ
રાખેા કે વિચારાનુ જગતના સર્વાંત્તમ
Page #94
--------------------------------------------------------------------------
________________
[૭] ઈરછા અને પ્રયત્ન
ઈચ્છા એ સંકલ્પશક્તિનું બીજ છે. જે તે યોગ્ય રીતે વાય તે તેને સિદ્ધિરૂપી મધુર ફલ આવ્યા વિના રહેતું નથી, એટલે આ પ્રકારની ઈચ્છાને અમે ઉન્નતિરૂપી ઈમારતને પાયે સમજીએ છીએ અને તેનું હાર્દિક અભિવાદન કરીએ છીએ.
લેવેલે કહ્યું છે કે “પ્રત્યક્ષ કાર્યોનાં મૂર્તિમંત ચિત્ર ઈચ્છા જ આલેખે છે.”
એમનને એ અભિપ્રાય છે કે આપણું જીવનને ઉદેશ્ય કેવલ ઈચ્છાશક્તિને જ દઢ બનાવવાનો છે. દઢ ઈચ્છાવાળા મનુષ્યને માટે સદા સુઅવસર અને સરલતા છે?
એરિસન રેવેટ માર્ડને જણાવ્યું છે કે “આપણું હૃદયની ઈચ્છાઓ અને આપણા મનની આકાંક્ષાઓ, એ માત્ર કલ્પનાના તરંગો અથવા મિથ્યા સ્વપ્નાં નથી, પણ તે કરતાં કાંઈક વિશેષ છે. આ એષણાઓ અને અભિલાષાઓ, એ પ્રત્યક્ષ બની શકનારી વસ્તુઓની આગાહીઓ-ભવિષ્યવાણી
Page #95
--------------------------------------------------------------------------
________________
૨૦
સકસિદ્ધિ
સંદેશવાહક ખેપિયા છે. આપણે શુ શુ કરી શકીએ તેમ છીએ, તેના તેઓ નિર્દેશક છે. તેઓ આપણા લક્ષ્યની ઉચ્ચતા અને આપણી કાર્ય કુશલતાની મર્યાદા દર્શાવે છે.'
કેટલાક મનુષ્યા કહે છે કે અમે છીએ તે જ ઠીક છીએ. અરધા મળે તેા આખા ખાવાની અમારી ઈચ્છા નથી.’ અર્થાત્ તે પાતાની ઉન્નતિ માટે ખાસ ઈચ્છા ધરાવતા નથી. તેમને અને કાયર સમજીએ છીએ, કારણ કે તેમના આ પ્રકારના માનસિક વલણને કારણે તે કદી હિમ્મતપૂર્વકનું પગલું ભરી શકતા નથી અને તેથી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી પેાતાની ઉન્નતિ સાધી શકતા નથી.
અમે અનુભવથી જોયું છે કે જે માણસો આવા વિચાર ધરાવતા હતા અને આગળ વધવાના પ્રયાસ કરતા ન હતા, તેઓ છેવટે રખડી પડ્યા, દુ:ખી થયા અને જીવનના જંગ હારી ગયા.
તમે એક રાજમાર્ગની વચ્ચે ઊભા રહેા અને એમ કહા કે ‘મારે આગળ વધવું નથી, હું તેા અહીં જ ઊભે રહીશ’ તે શુ તમે એમ કરી શકશે ખરા ? હરગીઝ નહિ. બળવાન મનુષ્યા તમને ધક્કા માર્યાં જ કરશે અને તમારે પ્રતિપળ પાછા હટવું જ પડશે. તાત્પર્ય કે જે આગળ વધવાના પ્રયાસ કરતા નથી, તે પાછા પડે છે, છેવટે કોઈ ખાડામાં ફેકાઈ જાય છે. શું આ સ્થિતિ શોચનીય નથી ? અહીં એ વસ્તુ પણ ખરાબર સમજી લે કે જો પેાતાના સ્થાને ઊભા રહેવું હોય, અર્થાત્ પેાતાની મૂળ સ્થિતિ જાળવી
Page #96
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા અને પ્રયત્ન રાખવી હોય તો એ પ્રકારની ઈચ્છા રાખી પ્રયત્ન કરવો પડે છે અને તે જ તેમાં સફળતા મળે છે. તો પછી આગળ. વધવાની ઈચ્છા રાખી તે માટે પ્રયત્ન કરે શું ખરો?
સુજ્ઞ મનુષ્ય મુદ્ર વસ્તુઓની ઈચ્છા ન કરવી, પણ જે વસ્તુઓ જરૂરી છે, આગળ વધવા માટે અતિ ઉપયોગી છે, તેની ઈછા તે જરૂર કરવી.
આપણું ઋષિમુનિઓએ કહ્યું છે કે . पूज्यपूजा दया दानं, तीर्थयात्रा जपस्तपः ।
श्रुतं परोपकारश्च, मयंजन्मफलाष्टकम् ॥
‘પૂજ્ય પુરુષોની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, ઈટ મંત્રને જપ, તપ, શાસ્ત્રાભ્યાસ અને પરોપકાર, એ માનવજન્મનાં આઠ મધુર ફળે છે.”
એટલે ઉન્નતિના ઉમેદવારેએ, પ્રગતિના પથિકોએ, તેની ઈચ્છા અવશ્ય કરવી. જે આ પ્રકારની ઈછા કરતો નથી, તેને મનુષ્યભવરૂપી વૃક્ષનાં મધુર ફળે શી રીતે મળવાનાં?
કેટલાક કહે છે કે “અમે આગળ વધવાની ઈચ્છા રાખીએ છીએ અને તે માટે પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ અમારે દહાડે વળતો નથી. વધારે સ્પષ્ટ કહીએ તો “ત્રણ સાંધીએ ત્યાં તેર તૂટે છે અને અમારી મનની મનમાં રહી જાય છે તેથી અમે એવા નિર્ણય પર આવ્યા છીએ કે “થાય. તેમ થવા દેવું. હવે પછી લાંબી માથાકૂટમાં કે ભાંજગડમાં પડવું જ નહિ.”
પરંતુ આવી મનેદશાનું પરિણામ છેવટે નિષ્કિયતામાં
Page #97
--------------------------------------------------------------------------
________________
સંકસિદ્ધિ આવે છે અને તે એમને બેહાલ બનાવી મૂકે છે. એ વખતે તેમના શેક-સંતાપને પાર રહેતું નથી. તાત્પર્ય કે આ વિચારે પણ બેટા જ છે અને તે મનુષ્યને ઉન્નતિને બદલે અવનતિ તરફ લઈ જનારા છે, માટે તેનાથી દૂર રહેવું.
સુજ્ઞ મનુષ્ય એમ સમજવું જોઈએ કે કોઈ કાર્ય એક પ્રયત્ન સિદ્ધ થાય છે, કઈ કાર્ય બે પ્રયત્ન સિદ્ધ થાય છે, કિઈ કાર્ય ત્રણ પ્રયત્ન સિદ્ધ થાય છે, તે કોઈ કાર્ય ઘણા પ્રયને સિદ્ધ થાય છે, તેથી પ્રયત્ન છોડે નહિ. જેઓ પ્રયત્ન કરતા રહે છે, તેઓ જ આખરે સિદ્ધિ મેળવે છે અને પિતાના જીવનને સુખી તથા યશસ્વી બનાવી શકે છે.
કળિયે જાળ બાંધતાં કેટલી વાર નીચે પડે છે ? પણ હિંમત ન હારતાં ફરી-ફરીને પ્રયત્ન કરે છે, તે આખરે જાળ બાંધી શકે છે અને તેના મનની મુરાદ પૂરી થાય છે. તે મનુષ્ય જેવા મનુષ્ય એક-બે થપાટ લાગતાં નીચે બેસી જવું અને પિતાના હાથપગ સંકેરી લેવા, એ ક્યાં સુધી ઉચિત છે? એ સુજ્ઞજનેએ વિચારી લેવું.
મહમ્મદ ગઝનીએ ભારતવર્ષ પર ચડાઈ કરવામાં છ વાર હાર ખાધી હતી, છતાં તેણે સાતમી વાર ચડાઈ કરી અને તેમાં તે સફલ થયે.
મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ આપણને આ વસ્તુનાં દર્શન થાય છે. બ્રિટિશ સરકાર અન્યાય આચરી રહી છે અને તેનાથી આ દેશની જનતા દુઃખી થઈ રહી છે, એ વસ્તુનો સ્પષ્ટ ખ્યાલ આવ્યા પછી તેમણે બ્રિટિશ સરકારને
Page #98
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા અને પ્રયત્ન
૮૩
દૂર કરી સ્વરાજ્ય સ્થાપવાની ઈચ્છા કરી અને તે માટે પ્રયત્ના આરંભ્યા. પરિણામે તેમને અનેક વાર જેલમાં જવુ પડયું, વિવિધ પ્રકારની યાતનાઓ સહન કરવી પડી અને દરેક જાતના ભાગ આપવા પડ્યો; છતાં યે તેમણે પેાતાની એ ઈચ્છાને દબાવી દીધી નહિ કે તેના ત્યાગ કર્યાં નહિ. તેને વા જેવી દૃઢ રાખી અને જે પ્રયત્ન આરંભ્યા હતા, તેની પરંપરા ચાલુ રાખી, તેા આખરે તેઓ પેાતાની ઈચ્છામાં ફ્લીભૂત થયા અને આ દેશમાંથી બ્રિટિશ હકુમતને દૂર કરી સ્વરાજ્ય સ્થાપી શકયા. આજે માત્ર ભારતની પ્રજા જ નહિ, પણ સમસ્ત જગત તેમને એક મહાપુરુષ તરીકે વંદના કરે છે.
પ્રિય પાઠકા ! તમે પણ તેના પરથી બેધ લેા કે પરિસ્થિતિ ગમે તેટલી વિકટ જણાય તે પણ એક સારી ઈચ્છાને શુભ સંકલ્પને છેડવા નહિ તથા તેને સિદ્ધ કરવા માટે જે પ્રયત્ન શરૂ કર્યાં હાય, તેને અટકાવી દેવા નહિ. માને કઠિન કે લાંબેા જાણીને જે પ્રવાસી બેસી જાય છે અને ચાલવાની ના પાડે છે, તે કી પણ પેાતાના ગતવ્યસ્થાને પહોંચી શકતા નથી. જો તે થાક ઉતારીને, વિસામે ખાઈને કે જરૂરી નિદ્રા લઈ ને ઊભા થાય અને ચાલવા માંડે તેા જ પેાતાના ગંતવ્યસ્થાને પહોંચી શકે છે.
'
કેટલાક મનુષ્યા કહે છે કે ધાયું ધણીનુ થાય છે, આપણું ધાર્યું... કઈ થતુ નથી, પછી ઈચ્છા અને પ્રયત્ન કરવાના અથશે ?’ પરંતુ આ કથન વ્યાજબી નથી. વધારે સ્પષ્ટ કહીએ તે ઘણી ગેરસમજવાળુ છે અને મનુષ્યાને ખાટા રસ્તે દોરનારું' છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
પ્રથમ તા તમે એ દ્વિવ્ય શક્તિમાન પરમ પિતાના પુત્ર છે, એ વાત ભૂલી ન જાએ. ઈશ્વરે કે પરમેશ્વરે પેાતાની દિવ્ય શક્તિના જે અશ તમારામાં મૂકેલા છે, તેને વિકાસ કરવા, એ તમારા હાથની વાત છે. જે પુત્ર પિતાના આપેલા અમૂલ્ય વારસા વેડફી નાખે છે, તે મૂખ કે નાલાયક ગણાય છે, એ ભૂલશે। નિહ. તાત્પર્ય કે તમે પણ એક રીતે ધણી જ છો અને એ ધણીપણું કરતાં આવડે તે આ જગતમાં ધાર્યું કામ કરી શકે તેમ છો. જો તમારી ધારણા અનુસાર કામ થતુ ન હેાય તેા સમજજો કે તેમાં તમારી કાઈક પણ સ્થળે ભૂલ થઈ રહી છે. પરંતુ તેના દોષ ઈશ્વરને માથે નાખશે નહિ, કારણ કે એ તે પરમ દયાળુ છે અને પરમ ન્યાયી પણ છે. તે તમારા શુભ પ્રયત્નને તેાડી કેમ પાડે ? અથવા તા તેનુ ખરાબ ફળ કેમ આપે ? ફલપ્રાપ્તિની ખામતમાં ઈશ્વર કે પરમેશ્વર કદી પણ દખલગીરી કરતા નથી. જે જેવું કામ કરે છે, તેને સ્વાભાવિક રીતે જ તેવું ફૂલ મલે છે. એટલે કોઇ સારા કામની ઇચ્છા કરવી અને તે માટે પૂરતા પ્રયત્નો કરવા, એ આપણુ કવ્યું છે.
૮૪
આપણા તત્ત્વજ્ઞાએ કારણ અને કા` (Cause and Effect) ના નિયમ સ્થાપિત કરેલા છે અને વિજ્ઞાને તેનુ સમર્થાંન કરેલું છે. તેમાં કોઈ વાર કશું પરિવર્તન થતુ નથી. જો આ કારણ અને કા ના નિયમ તૂટી જાય તે આ વિશ્વમાં વ્યવસ્થા જેવું કંઇ રહે જ નહિ. પછી તે પાણી રેડીએ તેમાંથી દાહ પ્રકટે અને અગ્નિ પ્રકટાવીએ તેમાંથી શીતલતા પ્રાપ્ત થાય. અથવા તે ગમે તેટલા પ્રયત્ન કરીએ તે પણ
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૫
ઈચ્છા અને પ્રયત્ન
ગાડી, મેટર કે વિમાન ચાલે નહિ અને પ્રયત્ન કર્યા વિના પણ તે એકાએક ચાલવા લાગે. અથવા તો રાજ પૂર્ણિમાના ચંદ્ર ઉગે કે રોજ અમાસનું અંધારું થાય અને સૂર્ય પૂર્વમાં જ ઉગવાને બદલે ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ ગમે તે દિશામાં ઉગવા માંડે. આ રીતે બધુ જ ઊંધુ ચત્તુ થઈ જાય અને આ વિશ્વ એક અંધેરીનગરીના રૂપમાં પલટાઈ જાય; પણ તેમ બનતું નથી, એ સૂચવે છે કે આ વિશ્વમાં કારણ અને કા ના નિયમ અબાધિતપણે પ્રવર્તે છે અને તેથી જેવી પ્રવૃત્તિ તેવું જ પરિણામ આવે છે. વધારે સ્પષ્ટ કહીએ તે વ્યવસ્થિત રીતે કરેલી પ્રવૃત્તિનું કંઈ પરિણામ ન આવે એમ અનતું જ નથી.
મૂળ ન હેાય તેા થડ ઉગતું નથી કે ડાળા–ડાળીના વિસ્તાર થતા નથી, તેમ કેઇ વસ્તુની સ્પષ્ટ, વ્યક્ત કે પ્રબળ ઈચ્છા આપણા અંતરમાં પ્રકટે નહિ, ત્યાં સુધી તે માટે પ્રયત્ના શરૂ થતા નથી અને તેથી તેનુ ક ંઈ પણ પરિણામ આવતુ નથી. એટલે આવશ્યક એ છે કે આપણે શું કરવા ઈચ્છીએ છીએ ? તે આપણા મનમાં સ્પષ્ટ થવું જોઈએ અને તે પરત્વે પૂરતું ચિંતન કરવુ. જેઈ એ.
શ્રીમદ્ રાજચંદ્રનુ એક લઘુચરિત્ર લખતાં અમને શતાવધાની થવાની ઇચ્છા થઇ અને તે દ્દિનપ્રતિદિન પ્રમળ બની. એ સંબંધી વિશેષ જાણવા શ્રીમદ્જીના એક-એ અનુયાયીઓને પૂછ્યું તે તેમણે જણાવ્યુ કે · એ તે કુદરતી બક્ષીસના સવાલ છે. શતાવધાન કઇ શીખ્યા શીખાય એવા વિષય નથી.’
6
Page #101
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ આ જવાબથી શતાવધાન શીખવાને અમારે ઉત્સાહ ઠંડો પડી ગયે, પણ જ્યારે અમે એમ જાણ્યું કે પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી ગટુલાલજી તથા વિદ્વદ્દવર્ય પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ શતાવધાનની વિદ્યાથી વિભૂષિત હતા અને હાલમાં મુનિરાજશ્રી સંતબાલજી વગેરે શતાવધાની તરીકે પ્રસિદ્ધ છે, ત્યારે અમારા અંતરમાં પુનઃ ઉત્સાહ પ્રચ્યો અને અમારી ઈચ્છા ઘણી તીવ્ર બની ગઈ.
એવામાં અમદાવાદ મુકામે કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાથે મુનિરાજશ્રી સંતબાલજીનું આગમન થયું. અમે અતિ ઉત્સુકતાથી તેમને સંપર્ક સાથે અને તેમણે કૃપાવંત થઈને શતાવધાનના વિષયમાં કેટલુંક માર્ગદર્શન આપ્યું. પછી તે તેની ધૂન લાગી અને સતત ચિંતન તથા પુરુષાર્થના યોગે અમે માત્ર એક જ વર્ષના ગાળામાં શતાવધાનના પ્રયોગ કરવા શક્તિમાન થયા. તા. ર૯-૯-૩૫ના ના રેજ વીજાપુર (ઉત્તર ગુજરાત) ની જનતા સમક્ષ પૂરાં સે અવધાન કરી બતાવતાં ત્યારે જૈન સંઘ ઘણો જ ખુશ થયે અને તેણે સુવર્ણચંદ્રક તથા ૩૨ સંસ્કૃત શ્લોકેની પ્રશસ્તિ સાથે “શતાવધાનીનું બિરુદ અર્પણ કર્યું.
અમે શતાવધાનના પ્રયોગે ભારતનાં ઘણું શહેરમાં જાહેર જનતા તથા શિક્ષણિક સંસ્થાઓ સમક્ષ કર્યા છે, એટલું જ નહિ પણ તે અંગે ઊંડું સંશોધન પણ કરેલું છે અને તેથી આ પ્રયોગો ઘણું કપ્રિય બન્યા છે. આ પ્રયોગો શીખી શકાય એવા છે, એ એક હકીક્ત છે અને તે અમે
Page #102
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા અને પ્રયત્ન
૨૧ જેટલા શતાવધાનીએ તૈયાર કરીને આથી ઘણા લેાકેા તા માત્ર અમને જ ઓળખે છે.
'
૮૭
પુરવાર કર્યુ છે.
શતાવધાની ' તરીકે
'
સાહિત્યનું વિપુલ સર્જન પણ અમારી પ્રખલ ઈચ્છા અને પ્રયત્નાની પરંપરાને આભારી છે. તેમાં ઘણા ખાડાટેકરા આવ્યા છે, પણ અમે હિમ્મત હાર્યા નથી કે અમારા આ પ્રિય વિષયને જરાએ અવમાન્યા નથી. પરિણામે સને ૧૯૫૭ના નવેમ્બર માસની રજી તારીખે જૈનાચાર્ય શ્રી વિજયલક્ષ્મણુસૂરિજી મહારાજની પ્રેરણાથી દાદરમાં એકત્ર થયેલ વિશાળ જનસમૂહ સમક્ષ તે વખતના મુંબઈ રાજ્ય વિધાનસભાના માનનીય સ્પીકર શ્રી એસ. એલ. સીલમની અધ્યક્ષતામાં મુંબઈના માજીમેયર શ્રી ગણપતિશ’કર દેસાઈના હાથે સાહિત્યવારિધિ ના સુવર્ણ ચંદ્રક અર્પણ થયે હતા અને મુંબઈની સખ્યાબંધ સંસ્થાઓએ પુષ્પહાર કરી બહુમાન કર્યુ હતું.
6
X
શતાવધાનમાં ગણિતના કેટલાક વિષય આવે છે, તે પરથી તેમાં રસ જાગ્યા અને તેમાં વધારે ઊંડા ઉત્તરવાની ઈચ્છા થઈ. તમે માનેા કે ન માને પણ સાતના આંકડામાં છૂપાયેલું રહસ્ય શોધવા માટે અમે રાત્રિદિવસ જોયા વિના એક લાખથી પણ વધારે દાખલા ગણેલા છે. આગળ જતાં આ વિષયમાં કેટલીક પ્રગતિ જરૂર થઈ,
× આ પ્રસંગને અનુલક્ષીને શ્રી નાગકુમાર મકાતીએ શબ્દબ્રહ્મના પરમ ઉપાસક શ્રી ધીરજલાલભાઇ' નામના લેખ લખ્યા હતા.
Page #103
--------------------------------------------------------------------------
________________
સંક૯પસિદ્ધિ પરિણામે ગણિત-ચમત્કાર” “ગણિત-રહસ્ય” અને ગણિત-સિદ્ધિ” એ ત્રણ ગ્રંથ લખવાને સમર્થ થયા, એટલું જ નહિ પણ તેના કેટલાક રહસ્યમય અદ્દભુત પ્રયોગ જાહેર જનતા સમક્ષ એકથી વધુ વાર કરી બતાવતાં સને ૧૯૬૬માં સુરત ખાતે સંઘસમૂહ દ્વારા ત્યાંના શ્રીમાન નગરશેઠના હાથે “ગણિત-દિનમણિ” નામની પદવી પામ્યા.
ત્યારબાદ બીજા જ વર્ષે એટલે સને ૧૯૬૭માં મધ્યપ્રાંત-રાયપુર ખાતે થયેલ એક વિશિષ્ટ સમારોહમાં અવધાનપ્રાગે તથા ગણિતસિદ્ધિના પ્રયોગો કરી બતાવતાં ત્યાંની મહાકેશલ જન સંઘસમિતિએ “વિદ્યાભૂષણની ઉપાધિ આપી આનંદ વ્યક્ત કર્યો હતો. આ વખતે ત્યાંના પત્રકારસમૂહે માગણી કરતાં આ પ્રયોગોનું વૈજ્ઞાનિક રહસ્ય તેમને સમજાવવામાં આવ્યું હતું અને તેને લગતા સંખ્યાબંધ પ્રશ્નોનું સમાધાનકારક ઉત્તર આપ્યા હતા.
અહીં એ પણ જણાવી દઈએ કે મંત્રશાસ્ત્રમાં પ્રવેશ કરે સહેલું નથી, પણ પ્રબળ ઈચ્છાએ તેમાં પણ પ્રવેશ મેળવ્યું, તેને રસ દિનપ્રતિદિન વધતો જ ગયો અને તે છેવટે ગ્રંથલેખનમાં પરિણમ્યું. અમે અત્યાર સુધીમાં “મંત્ર વિજ્ઞાન “મંચિંતામણિ તથા “શ્રીનમસ્કાર મંત્રસિદ્ધિ એ ત્રણ મંત્રવિષયક ગ્રંથે જનતાને આપ્યા છે અને હવે “મંત્રદિવાકર આપવાની તૈયાર કરી રહ્યા છીએ. મંત્રાનુકાન અંગે અહીં વિશેષ લખવું નથી, પણ તે ઘણી વાર કર્યા છે અને તેનાં પરિણામે લાભકારક આવ્યાં છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા અને પ્રયત્ન
૮૯
અમારું મન વિદ્યા પ્રત્યે અનેરું આકર્ષણ અનુભવતુ જ રહ્યું છે અને તેથી જુદી જુદી વિદ્યાઓ વિષે જ્યારે પણ જાણવાના પ્રસંગ પ્રાપ્ત થયા છે, ત્યારે તેના ઉપયેગ કર્યા વિના રહ્યા નથી. સને ૧૯૩૯ની સાલમાં અમારે ત્યાં અમદાવાદવાળા પ્રેા. આર. એમ. શાહ આવવા લાગ્યા, ત્યારે તેમની પાસેથી અમે ૪૦ જેટલા જાદુના પ્રયેાગેા શીખ્યા હતા, જો કે આ પ્રયાગે! અમે કોઈ વાર જાહેર સ્ટેજ પર કર્યાં નથી અને કરવાની ભાવના રાખતા નથી. માત્ર જિજ્ઞાસા સંતેાષવાજ એ પુરુષાર્થ અમે કર્યાં હતા.
તાપ કે ઇચ્છા હાય અને પ્રયત્ન થાય, તેા સવ કઈ ખની શકે છે.
ઈલા વ્હીલર વિકાસે એક સ્થળે કહ્યુ છે કે ‘જે વસ્તુની તુ ઈચ્છા રાખે છે અને જે તારા આત્મા તથા તારા અસ્તિત્વ માટે આવશ્યક છે, તે દૂરથી તારી પ્રતીક્ષા કરી રહી છે. તું તેને પાત્ર અન, તેને ખેલાવ, એટલે તે તારી પાસે આવશે.’
Page #105
--------------------------------------------------------------------------
________________
[૮] પુરુષાર્થની બલિહારી
સંકલ્પને સિદ્ધ કરવામાં પુરુષાર્થ અને ભાગ ભજવે છે. વધારે સ્પષ્ટ કહીએ તે તમે અમુક પ્રકારને સંકલ્પ કરે, પણ તેને અનુસરતો પુરુષાર્થ ન કરે તો એ સંકલ્પ સિદ્ધ થતો નથી.
અહીં વિચારવાનું એ છે કે જ્યારે જીવનને સામાન્ય - વ્યવહાર પણ પુરુષાર્થ વિના સિદ્ધ થતું નથી, ત્યારે કોઈ
મહાન સંકલ્પ પુરુષાર્થ વિના સિદ્ધ શી રીતે થઈ શકે ? ઘરમાં અનાજ ભર્યું હોય; આટો-દાળ પડેલા હોય; ઘી, તેલ, ગેળ, સાકર તેમજ વિવિધ પ્રકારના મસાલા પણ તૈયાર હાય તથા શાકભાજીને ટોપલે પણ પડેલ હોય, પરંતુ હાથ હલાવીએ નહિ કે પગ ચલાવીએ નહિ, તે રસેઈ બને ખરી? અને આપણી ક્ષુધા તૃપ્ત થાય ખરી ? અરે ! છાતી પર બેર પડેલું હોય, તે પણ મુખમાં મૂકવું હોય તે પુરુષાર્થ કરે પડે છે.
કેટલાક ભાગ્યની વાત કરે છે, પણ ભાગ્ય સારું છે કે
Page #106
--------------------------------------------------------------------------
________________
ટી
પુરુષાર્થની બલિહારી ખરાબ છે ? તે જાણવા માટે પણ પુરુષાર્થને આશ્રય લે પડે છે. તમારા ઘરના અમુક ભાગમાં ધન દટાયેલું છે, એવી ખબર પડ્યા પછી તમે શું કરો ? એને બહાર આવવું હશે તે આવશે એ વિચાર કરીને બેસી રહે કે હાથમાં કેદાળી–પાવડો લે ? જે તમે હાથમાં કેદાળીપાવડે લેવા તૈયાર ન હો, તો તમારું ભાગ્ય પાછું ઠેલાય એ નિર્વિવાદ હકીકત છે.
તાત્પર્ય કે જે મનુષ્યને આગળ વધવું છે, ઉન્નતિ સાધવી છે, તેણે પુરુષાર્થનું આલંબન અવશ્ય લેવું જોઈએ.
પ્રયત્ન કે પ્રયાસની પરંપરા પુરુષાર્થને લીધે જ સંભવે છે. જ્યાં પુરુષાર્થ નથી, ત્યાં પ્રયત્ન-પ્રયાસ કે ?
ભારતના પીઢ નીતિકારો કહે છે કે – निद्रालस्यसमेतानां, क्लीबानां क विभूतयः । सुसत्त्वोद्यमसाराणां, श्रियः पुंसां पदे पदे ॥
નિદ્રા અને આલસથી યુક્ત બાયલાઓને (ધન, સંપત્તિ, અધિકાર, ગ્યતા, વિકાસ આદિ) વિભૂતિઓ કયાંથી મળે? એ તો જે પુરુષો ઉદ્યમી અને પરાક્રમી છે, તેમને માટેજ સરજાયેલી છે. તેઓ ડગલે ડગલે (જ્ઞાનલક્ષ્મી, યશલમી, ધર્મલક્ષમી, અર્થલક્ષ્મી વગેરે) લક્ષ્મી પામે છે.”
- નિદ્રા, આળસ વગેરે પ્રમાદનાં અંગ છે અને પ્રમાદ એ આપણો પરમ દ્વેષી છે. અન્ય શબ્દોમાં કહીએ તે આપણુ માટે કાતિલ ઝેર સમાન છે. જે તે આપણું શરીર
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૨
સંકલ્પસિદ્ધિ
રમાં પેઠો તે આપણને ભયંકર નુકશાન કર્યાં વિના રહેતા નથી. વિશેષમાં તે પુરુષાને પાંગળા બનાવી દે છે, એટલે આપણી ઉન્નતિનાં સવ દ્વારા રૂંધાઈ જાય છે અને આપણે અવનતિના ઉંડા ખાડામાં અવસ્ય સબડવુ પડે છે.
આર્ય સંસ્કૃતિના મહાન જ્યોતિધર ભગવાન મહાવીરે પાતાના પટ્ટશિષ્યને ઉદ્દેશીને કહ્યું હતુ કે ‘સમરું ગોયમ મા પમાય—હે ગૌતમ ! તું સમય માત્ર પ્રમાદ કરીશ નહિ.’ અહીં સમય શબ્દથી કાલના અતિ સૂક્ષ્મ ભાગ સમજવા કે જેના કલ્પનાથી પણ એ ભાગા થઈ શકે નહિ. વિશેષમાં તેમણે કહ્યું હતું કે શરીર ક્ષણભંગુર છે અને આયુષ્યના દોર ક્યારે તૂટી જશે? તે કહી શકાતુ નથી. જે વખત હાથ પર છે, તેના બને તેટલા સદુપયાગ કરી લેવા. તેની એક પણ ક્ષણ નકામી જવા દેવી નહિ.’
6
આ શબ્દો ઉપર આપણે પૂર્ણ વિચાર કરવા જેવા છે. જો આ જીવનમાં ઉન્નતિ સાધવી હાય, કોઈ મહાન કાર્ય કરવુ હાય તે આપણે વધારે પડતી ઊંઘ, આળસ તથા એદીપણું છેડીને નિયત કાર્યમાં લાગી જવુ જોઇએ અને તેમાં અને તેટલા પુરુષાથ અજમાવવા જોઇએ.
કેટલાક કહે છે કે ‘ અમે પુરુષાર્થ કરવા તેા ઇચ્છીએ છીએ, પણ સમય અનુકૂળ નથી, સાધનની તંગી સતાવે છે તથા અમને અન્ય લોકોના જેટલા સાથ-સહકાર મળવા જોઇએ, તે મળતા નથી.’ તેમને ઉદ્દેશીને એક વિદ્વાને કહ્યું છે કે
Page #108
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થની બલિહારી
विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधिविपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः । तथाप्याजो रामः सकलमवधीद्राक्षसकुलं, क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥
“લંકા જે સુરક્ષિત દેશ જિતવાને હતે, સમુદ્રને હાથે-પગે તરવાનો હતો, સામે રાવણ જેવો મહાબળિયે શત્રુ હતા અને રણક્ષેત્રમાં મદદ કરનારા મહાન દ્ધાઓ નહિ, પણ માત્ર વાનરો જ હતા; તોપણ શ્રીરામે સકલ રાક્ષસકુલને ઝપાટામાં જિતી લીધું, તેથી એ વાત નક્કી છે કે મહાપુરુષોની કિયાસિદ્ધિનો આધાર સાધન-સંગ પર નહિ, પરંતુ પિતાના પુરુષાર્થ ઉપર જ છે.”
घटो जन्मस्थानं मृगपरिजनो भूर्जवसनं, वने वासः कन्दैरशनमतिदुःस्थं वषुरिति । इतीदृक्षोऽगस्त्यो यदपिबदपारं जलनिधि, क्रियासिद्धिः सत्त्वे वसति महतां नोपकरणे ॥
“ઘડામાં જન્મ્યા હતા, પરિવારમાં પશુઓ હતા, પહેરવામાં ભૂર્જવૃક્ષની છાલ હતી, વસવાટ જંગલમાં હતા, ખાવા માટે વૃક્ષ-વેલીના કંદ હતા અને શરીર પણ ઘણું કઢંગુ કે વામણું હતું. આવા વિચિત્ર-સાધન-સ્થાન સમયમાં રહેલા અગત્ય નષિ અપાર એવા જલનિધિને ગટગટાવી ગયા, તેથી એ વાત નકકી છે કે મહાપુરુષની ક્રિયાસિદ્ધિને આધાર સાધન-સંગ પર નહિ, પરંતુ પોતાના પુરુષાર્થ ઉપર જ છે.”
Page #109
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ ધૂળધોયા કે જેમનામાં કઈ વિશેષતા હોતી નથી, તેઓ આખો દિવસ પુરુષાર્થ કર્યા કરે છે, તે ધૂળમાંથી સોનું મેળવે છે અને એ રીતે પિતાને નિર્વાહ કરે છે, તે સુજ્ઞ, સંસ્કારી કે બુદ્ધિમાન મનુષ્યનું તે કહેવું જ શું ? તેઓ પૂરતો પુરુષાર્થ કરે તે જલ ત્યાં સ્થલ તથા સ્થલ ત્યાં જ કરી શકે છે.
ચંદ્રલેકમાં મનુષ્ય પહોંચી શકે એ વાત માનવા આજથી પચાસ વર્ષ પહેલાં કેઈ તૈયાર ન હતું, પણ હવે તેની શક્યતા સ્વીકારવા લાગી છે અને તમે જોઈ શકશે કે ચેડાં જ વર્ષોમાં મનુષ્ય ચંદ્રકને યથેચ્છ પ્રવાસ કરી શકશે અને તેને સમસ્ત પ્રદેશ પર પિતાના પગલાં પાડી શકશે. મંગલ અને શુકના ગ્રહોનું પણ એમ જ સમજવું. કદાચ ત્યાં પહોંચતા થડા દશકાઓ વીતી જશે કે એકાદ સદી જેટલો સમય લાગશે, પણ ત્યાં પુરુષાથી મનુષ્ય અવશ્ય પહોંચી જશે અને ત્યાં કેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, તેની વિશ્વાસપાત્ર માહિતી મેળવશે.
ભારતનાં છ દેશી રજવાડા લેકશાહી ગણતંત્રમાં ભળી જાય, એ વાતને પ્રથમ કેણુ શક્ય માનતું હતું ? પીઢ મુસદ્દીની ખ્યાતિ પામેલા અંગ્રેજ અમલદારો તે એમ જ માનતા હતા કે આ કામ કઈ કાળે બનવાનું નથી અને ભારતમાં લેકશાહી ગણતંત્રને પ્રયોગ હરગીઝ સફલ થવાને નથી. પણ ભારતના લોખંડી પુરુષ સરદાર વલલભભાઈ પટેલે એ પ્રશ્ન હાથ ધર્યો અને પ્રબળ સંકલ્પશક્તિ, અસાધારણ પુરુષાર્થ તથા અજબ કુનેહને ઉપયોગ કરી તેને
શકે
ગ્રહ
ત્યાં પહોંચતા ઉગશ, પણ
હતી જે
મનુષ્ય
સ્થિતિ પ્રવર્તી
Page #110
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થની બલિહારી
૯૫ ઉકેલ આણી દીધે. પરિણામે ભારતમાં લેકશાહી ગણતંત્ર રાજ્ય સ્થપાયું અને તે આજે ઓગણીસ વર્ષથી ચાલી રહ્યું છે.
નેપલિયન બેનાપાટે પિતાની દઢ સંકલ્પશક્તિ તથા અજબ પુરુષાર્થના ગે અશક્ય મનાતાં અનેક કાર્યો કરી બતાવ્યાં હતાં. તેનું એ સ્પષ્ટ મંતવ્ય હતું કે “શબ્દકોષમાંથી “અશક્ય શબ્દ ભૂંસી નાખવું જોઈએ.’
એન્ડ્રયુ કાર્નેગી, હેત્રફેર્ડ, રેકફેલર વગેરે મહાન ઉદ્યોગપતિઓની ખ્યાતિ પામ્યા, તે તેમના ખંતીલા પુરુપાથી સ્વભાવનું જ પરિણામ હતું. | ગુજરાતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શેઠ મફતલાલ ગગલભાઇની જીવનકથા પણ પુરુષાર્થની જ પ્રશસ્તિ છે. અને તાજેતરમાં જેમણે કોડો રૂપિયાની સખાવત કરી, તે એમ. પી. શાહ એટલે શ્રી મેઘજી પેથરાજ શાહ પણ તદ્દન સામાન્ય સ્થિતિમાંથી જ પુરુષાર્થના બળે આગળ વધ્યા હતા અને આફ્રિકામાં વસી માલેતુજાર બન્યા હતા. શેઠ નાનજી કાલીદાસની આત્મકથા પણ આ જ વસ્તુ કહી જાય છે. આવા દાખલાઓ આપણને એમ સૂચવે છે કે મનુષ્ય ભલે સામાન્ય કુટુંબમાં જ હોય કે સાવ સાધારણ સ્થિતિને હેય, પણ તે ખંત રાખીને પુરુષાર્થ કર્યા કરે તે ઊંચે આવે છે અને એક દિવસ અગ્રગણ્ય પુરુષિની પંકિતમાં વિરાજે છે.
પુરુષાર્થનાં પાંચ પગથિયાં છે, તે આપણે બરાબર
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૬
સંકલ્પ સિદ્ધિ જાણી લેવા જોઈએ. તેથી આપણે માર્ગ ઘણો સરળ બનશે અને આપણે વ્યવસ્થિત રીતે આગળ વધી શકીશું.
પુરુષાર્થનું પહેલું પગથિયું ઉત્થાન છે. ઉત્થાન એટલે આળસ મરડીને ઊભા થવું, જડતા ખંખેરીને જાગ્રત થવું, નિરાશાને ત્યાગ કરે કે પ્રમાદને પરિહાર કરીને કર્તવ્ય બજાવવા તત્પર થવું.
જેઓ આળસુ છે, એદી છે, અમારું કામ બીજે કંઈ કરી આપે એમ માનનારા છે, તેઓ પુરુષાર્થ શી રીતે કરવાના?
આવી જ અનિચ્છનીય સ્થિતિ જડસુઓની છે. તેમનું મગજ જડતાથી એટલું ભરાઈ ગયેલું હોય છે કે કઈ સાચી કે સારી વાત તેમને સૂઝતી નથી, પછી પુરુષાર્થ કરવાની વાત તો સૂઝે જ ક્યાંથી?
કેટલાક માણસે વાતવાતમાં નિરાશ કે નાસીપાસ થાય. છે. તેમને કોઈ વાત આશાસ્પદ લાગતી નથી અને તેથી તેમાં તેમની શ્રદ્ધા જાગતી નથી. તેઓ પ્રચંડ પુરુષાર્થ કરવા માટે શી રીતે તત્પર થાય?
પિતાનું ધ્યેય ભૂલનાર, સાધ્ય ચૂકી જનારે પ્રમાદી ગણાય છે. તે પ્રમાદ રૂપી ખાચિયામાં પડ્યો રહે છે અને તેમાં જ આનંદ માણે છે. તેને પુરુષાર્થ કરવાને ઉત્સાહ કયાંથી જાગે?
તાત્પર્ય કે આળસ ઉડાડીએ, જડતાને ખંખેરી નાખીએ, નિરાશા કે નાસીપાસીને દૂર કરીએ અને પ્રમાદને પરિહાર
Page #112
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થની બલિહારી કરીએ તે જ ઉઠીને ઊભું થવાય છે અને એ રીતે પુરુષાર્થનું પહેલું પગથિયું મંડાય છે.
પુરુષાર્થનું બીજું પગથિયું કર્મ છે. કર્મ એટલે નિશ્ચયપૂર્વક કામે લાગી જવું, ઉદ્યમ કરવા મચી પડવું કે કર્તવ્યને સ્વીકાર કરે.
ઉઠીને ઊભા ત થયા, પણ નિશ્ચયપૂર્વક કામે ન લાગ્યા કે ઉદ્યમ કરવા મચી ન પડ્યા કે વિહિત-કર્તવ્યનો સ્વીકાર ન કર્યો, તો સફળતા શી રીતે મળવાની? કેટલાક રખડૂ કે બેદરકાર વિદ્યાર્થીઓને માતાપિતા નિશાળે ધકેલે છે, એટલે તેઓ નિશાળે જાય છે ખરા, પણ ત્યાં વિદ્યાર્જનનો ઉદ્યમ કરતા નથી કે “મારે સારી રીતે ભણવું જોઈએ” એ વાતને સ્વીકાર કરીને ચાલતા નથી, તે શું પરિણામ આવે છે ? વર્ગની સહુથી છેલલી પાટલીએ તેમને માટે અનામત રહે છે અને ત્રણ-ત્રણ કે ચાર-ચાર વર્ષ સુધી તેઓ એ પાટલીઓ છેડતા નથી.
પુરુષાર્થનું ત્રીજું પગથિયું બલ છે. બલ એટલે સ્વીકૃત કાર્યમાં કાયા, વાણું તથા મનના બળને રેડવું, તેમાં પ્રાણ પૂર.
ઉઠીને ઊભા થયા, તેમજ કામે લાગ્યા, પણ હાથપગ જોઈએ તેવા હલાવીએ નહિ કે તે માટે કેઈને બે વચને કહેવાં જેવાં હોય તે કહીએ નહિ કે તેની પ્રગતિ માટે કશે વિચાર કરીએ નહિ, તે એ કામમાં લાભ શી રીતે થાય ?
સજ્જન મનુષ્યનું તો એજ લક્ષણ છે કે એક વખત
Page #113
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ
કાર્યની જવાબદારી સ્વીકાર કર્યો કે તેમાં જરા પણ બેદકારી કે લાપરવાહી કરવી નહિ. પિતાની સમગ્ર શક્તિથી એ કામ પાર પાડવું. - પુરુષાર્થનું શું પગથિયું વીર્ય છે. વીર્ય એટલે સ્વીકૃત કાર્યને પાર પાડવામાં આનંદ માન, ઉત્સાહ રાખે કે ઉમંગ ધરાવે.
ઉઠીને ઊભા થયા, કામે લાગ્યા અને હાથ-પગ હલાવવા લાગ્યા, પણ મનમાં કઈ જાતને ઉલ્લાસ કે આનંદ ન હોય તે એ કામ વેઠ જેવું થઈ પડે અને તેથી લાંબો સમય ચાલે નહિ. આજની સંસ્થાઓમાં પરાણે પ્રમુખ થનારા કે શરમાશરમીથી મંત્રીપદનું સરૂં ગળે ભરાવનારાઓની આખરે શી હાલત થાય છે ? તે આપણું કેઈથી અજાણી નથી. અંતરને ઉલ્લાસ એ જુદી જ વસ્તુ છે. તેમાં શ્રમ થવા છતાં શ્રમ જણાતું નથી કે સાધન-સંગોની કઈ ફરિયાદ કરવાની રહેતી નથી. સાધન ગમે તેવાં ટાંચાં હેય કે સંગ ગમે તેટલા પ્રતિકૂળ હોય, પણ અંતરને ઉલ્લાસ એ બધાને પહોંચી વળે છે. તેથી જ સફલતાના એક સિદ્ધાંત તરીકે વીર્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પુરુષાર્થનું પાંચમું પગથિયું પરાક્રમ છે. પરાકમ એટલે અંતરાયે, મુશ્કેલીઓ કે વિને સામે શૈર્ય પૂર્વક ઊભા રહેવું અને તેમને ઓળંગી જવાની વીરતા બતાવવી.
આપણે પણ પ્રવૃત્તિ શરૂ કરીએ, એટલે તેમાં એક યા બીજા પ્રકારના અંતરાયે કે વિને તે આવે જ
Page #114
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થની બલિહારી છે અને આપણી પેલી જાણીતી કહેવત અનુસાર “સારાં કામમાં સે વિઘન” એટલે જે કામ વધારે સારાં હોય, તેમાં વધારે વિદને આવે છે. જે તેનાથી ડરી ગયા, હિમ્મત હારી ગયા તે આપણું કર્યું –કારવ્યું ધૂળમાં મળે છે અને આપણે નામેશી ભેગવવી પડે છે. તેથી જરૂરનું એ છે કે એક પ્રવૃત્તિ ઉપાડ્યા પછી અને તેમાં આગળ વધ્યા પછી, ગમે તે અંતરાય આવે, ગમે તેવી મુશ્કેલી ઊભી થાય કે ગમે તેવું વિન ટપકી પડે, તે હિમ્મત હારવી નહિ, પણ ધૈર્ય રાખીને તેને ઓળંગી જવાના ઉપાય શોધવા અને આપણને એવા ઉપાયે ન જડે તે બીજા ડાહ્યા માણસની સલાહ લેવી, પણ તેને એકદમ ત્યાગ કરે નહિ.
કેટલાક માણસે કહે છે કે “આ કામ શરૂ કર્યું ત્યારથી જ મુશ્કેલીઓ આવવા લાગી છે. એ બધી મુશ્કેલીઓને પાર કરી તે ય છેડે આવતું નથી, તે હવે તેમાં સફલતા શી રીતે મળવાની ?” પણ ઓગણસ ગણતાં સુધી વિશને આંક આવતો નથી, એટલે તે હવે પછી નહિ આવે, એમ કહી શકાય ખરું? તાત્પર્ય કે અત્યાર સુધી વિદને ભલે આવ્યાં, પણ સંભવિત છે કે હવે પછી વિદને બિલકુલ ન આવે અને આપણે સફળતાની સમીપે પહોંચી જઈએ.
એક માણસે “અમુક જમીનમાંથી સોનું નીકળશે” એ એક ભૂસ્તરશાસ્ત્રીને ચેકસ અભિપ્રાય જાણુને તે જમીન ખરીદી લીધી અને તેમાં ખેદકામ શરૂ કર્યું. તે માટે કેટલાંક યંત્રે વસાવ્યાં અને બીજી પણ જે જે સગવડો
Page #115
--------------------------------------------------------------------------
________________
૧oo
સંકસિદ્ધિ કરવાની જરૂર હતી, તે બધી સગવડ કરી લીધી. પરંતુ ભૂસ્તરશાસ્ત્રીએ કહેલી ઊંડાઈ સુધીમાં તેનું નીકળ્યું નહિ. તેનાથી થોડું વધારે ખાવું તો તેમાં પણ સેનાની માટીનાં દર્શન થયાં નહિ. આખરે તેણે કંટાળીને એ જમીન તથા બધો માલ-સામાન મોટી નુકશાની ખમીને વેચી નાખ્યો અને તેમાંથી ફારેગ થયે. હવે જેણે આ જમીન તથા માલ-સામાન ખરીદ્યો હતો, તેણે તો એક જ ગણતરી કરી કે “તેણે બધું એટલું આપણે ખેદવું નહિ પડે, માટે દવાનું ચાલુ રાખવું.” અને ત્યાંથી માત્ર દશ ફુટ નીચે બેદતાં જ સેનાની માટી મળી આવી અને સોનાની ખાણ શરૂ થઈ ગઈ. તેમાંથી સોનું બનાવતાં તે માલેતુજાર બની ગયો.
તાત્પર્ય કે એક શુભ સંકલ્પ કર્યા પછી અને તે અંગે પુરુષાર્થ આદર્યા પછી ગમે તેવાં વિદને આવવા છતાં તેને છોડે નહિ, તે પરાક્રમનું સાચું સ્વરૂપ છે.
પુરુષાર્થને ચમત્કાર અમે અમારા જીવનમાં બરાબર નિહાળે છે. તે અંગે અહીં થોડો ઈશારે કરે ઉચિત છે.
ગામડા ગામમાં એક અતિ સામાન્ય સ્થિતિના કુટુંબમાં જન્મ થયે. આઠ વર્ષની ઉંમરે પિતાશ્રી મરણ પામ્યા અને અમારા પૂજ્ય માતુશ્રીને વૈધવ્યના દિવસે પસાર કરવાને વખત આવ્યું. તે વખતે અમારે બે બહેન હતી, પણ તેમની ઉમર ઘણું નાની હતી, એટલે ઘણુંખરાં કામમાં અમારે જ મદદ કરવી પડતી.
અમે તળાવે જઈ પાણી ભરી લાવતા, ગાય-ભેંસના
Page #116
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થની બલિહારી
૧૦૧ ધણમાં જઈ છાણ લઈ આવતા અને જ્યારે કાલાં-કપાસની મસમ શરૂ થતી, ત્યારે સવારથી સાંજ સુધી કાલાં ફેલતાં અને એ રીતે બેડા મહિનાની આજીવિકા મેળવી લેતા.
જે આ વખતે અમારા માતુશ્રી નશીબને દોષ દઈને બેસી રહ્યા હતા કે “હાય મારું ભાગ્ય ફૂટયું ” એ કલ્પાંત કરવામાંથી ઊંચા આવ્યા ન હોત, તો અમારી હાલત અત્યંત બૂરી થાત. પણ તેમણે ધાર્મિક વિચારથી પોતાનું મન વાળી જાતમહેનત કરવા તરફ લક્ષ્ય આપ્યું અને કાળી મજૂરી કરવા માંડી. રજનું દશ કીલે ધાન્ય દળવું, પાંચ-સાત પાણીનાં બેડાં ભરી લાવવાં તથા લોકોનાં ભરત-ગુંથણ કરી આપવાં, એ તેમનો રોજો કમ બની ગયો હતો. આવી કાળી મજૂરી કરતાં શરીર લથડ્યું, છતાંય તેમણે જાતમહેનત છોડી ન હતી.
જાતમહેનત–પુરુષાર્થ એ અમારે જીવનમંત્ર બની ગયે હતો, એટલે અમે પણ બધી જાતનાં કામો કરતા હતા. અને તેમાં જરાય શરમ કે સંકોચ અનુભવતા ન હતા. એક વાર રજાના દિવસમાં બે રૂપિયા નફો મળે તે માટે કેરીને એક ટોપલો સુરેન્દ્રનગરથી દાણાવાડા સુધી એટલે સાત માઈલ ઉચકી લાવેલા.
- અમદાવાદના જે છાત્રાલયમાં રહીને અમે વિશેષ વિદ્યાભ્યાસ કરવા લાગ્યા, ત્યાં પણ ઘણું કામ હાથે કરવાનું હતું, એટલે અમારી પુરુષાર્થની ભાવના જાગ્રત રહી અને તે અમારા ભાવી જીવનમાં ખૂબ ઉપયોગી નીવડી.
Page #117
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
અમે વિદ્યાભ્યાસ છોડી વ્યવસાયમાં પડ્યા, ત્યારે અમારી પાસે ૦ રૂા−૦ આના−૦ પાઇની મૂડી હતી, છતાં પુરુષાર્થના ચેાગે ધીમે ધીમે ઉપર આવ્યા અને આજે પણ પુરુષાર્થ કરવામાં જ મજા માનીએ છીએ. દિવસના ખાર-ચૌદ કલાક એકધારું કામ કરવું, એ તો અમારા માટે સહજ મની ગયું છે.
૧૦૨
અમારા એવા દૃઢ વિશ્વાસ છે કે જેઓ શુભનિષ્ઠાથી સતત પુરુષાર્થ કરે છે, તેના સંકલ્પની સિદ્ધિ થયા સિવાય રહેતી નથી.
Page #118
--------------------------------------------------------------------------
________________
[ ૯ ]
આશાવાદી અનેા
કોઇપણ પ્રવૃત્તિ કે કાર્ય અંગે ઇચ્છા કે સંકલ્પ કર્યાં પછી પ્રયત્નો શરૂ થાય છે, પુરુષાર્થ અજમાવવામાં આવે છે, પણ અંતર આશાવાદી ન હેાય તેા એ પ્રયત્ને—એ પુરુષા મંદ પડી જાય છે, અથવા તે તેના એકાએક અત આવી જાય છે; તેથી આશાવાદી બનવાની અત્યંત જરૂર છે.
અહીં અમે એટલું ભારપૂર્વક કહેવા ઇચ્છીએ છીએ કે ‘ જીવનમાં તમે ગમે તે વાદ (Theory) અપનાવજો, પણ ભલા થઈને નિરાશાવાદ અપનાવશે નહિ. જો ભૂલેચૂકે એ વાદને અપનાવ્યે કે એની છાયામાં આવી ગયા, તે તમારી સર્વ આશાએ પર પાણી ફરી વળશે, તમે એક યા બીજી રીતે પીછેહઠ કરવા લાગશે। . અને આખરે તમારી સ્થિતિ ગાંભુ ગામ પર ચડાઇ કરવા જનારા દરજી જેવી થઇ પડશે.” ગાંભુ ગામ પર દરજીઓની ચડાઈ
ગુજરાતના ગાંભુ ગામમાં એક દરજી-કુટુંબનું અપમાન થયું. આ દરજી-કુટુ ંબે આ મામતની પાતાની જ્ઞાતિને
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સકસિદ્ધિ
'
ફરિયાદ કરી, એટલે ત્યાંથી થોડે દૂરના એક ગામમાં દરજીની જ્ઞાતિ ભેગી થઇ અને તેણે ગરમાગરમ ચર્ચા પછી એવા નિર્ણય કર્યા કે આપણે ગાંભુ ગામ પર ચડાઇ કરવી, તેને ઘેરો ઘાલવા અને ત્યાંના લેાકાની સાન ઠેકાણે લાવી દેવી.’ પછી પાંચસો જેટલા દરજીએ હાથમાં ગજ, કાતર તથા બીજું જે કઇ હથિયાર હાથ આવ્યુ, તે લઇને ત્યાંથી ચાલી નીકળ્યા અને ગાંભુ ગામથી માત્ર ત્રણ માઇલના અ ંતરે આવેલા એક સ્થાને આવી પહોંચ્યા. ત્યાં રાત્રિ ગાળી સવારમાં ગાંભુ પર હલ્લા કરવા, એ તેમની ચેાજના હતી. તે જુદી જુદી ટુકડીઓ બનાવીને ત્યાં સૂઇ રહ્યા.
હવે રાત્રિના બીજો પ્રહર વ્યતીત થવા આવ્યેા, ત્યાં આગલી ટૂકડીના દરજીએને વિચાર આવ્યો કે આ તે લડાઇ છે, તેમાં સામેા હલ્લા થયા વિના રહેવાના નહિ અને આપણે આગળ હોઇશું તેા એ હલ્લા આપણા ઉપર જ થવાના, માટે આપણે બધાથી છેલ્લે સૂઈ રહીએ, એમાં સલામતી છે.’
ત્યાર પછી જે ટૂકડી આગળ આવી, તેને પણ એવા જ વિચાર આવ્યેા, એટલે તે પણ ગુપચુપ ઉઠીને સહુની પાછળના ભાગમાં ગોઠવાઇ ગઇ. આ રીતે જે ટૂકડીનુ સ્થાન આગળ આવ્યુ, તે ઉડીને પાછળ જવા લાગી. આમ આખી રાત ચાલ્યું અને સવાર પડ્યું ત્યાં તેઓ જે ગામથી રવાના થયા હતા, ત્યાં જ આવી પહોંચ્યા ! હવે ખેલવાનુ કઇ રહ્યું ન હતુ, એટલે તેઓ ચૂપચાપ પેાતાને સ્થાને ચાલ્યા ગયા.
Page #120
--------------------------------------------------------------------------
________________
આશાવાદી બને
૧૦૫
તાત્પર્ય કે મનુષ્ય જ્યાં સુધી આશાવાદી હોય છે, ત્યાં સુધી આગળ વધે છે, સાહસ પણ ખેડે છે અને તેમાં પાર ઉતરી સિદ્ધિ કે સફલતા હાંસલ કરે છે પણ જ્યાં નિરાશાવાદ ઉત્પન્ન થયે–નિરાશા ઉત્પન્ન થઈ કે તે સલામતી શોધે છે, પીછેહઠ કરવા લાગે છે અને એમ કરતાં એવી સ્થિતિ આવી જાય છે કે જેને આપણે જીવનની નીચામાં નીચી પાયરી કહી શકીએ.
આશાવાદી મનુષ્ય જલતી ચિરાગ જેવો છે. તે આશાથી ઝળહળે છે અને પોતાના સહવાસમાં આવનાર અન્ય વ્યક્તિએને પણ આશાવાદી બનાવી દે છે. તેની વાતચીત, તેની પ્રવૃત્તિ, તેનો વ્યવહાર આશામય હોય છે અને તેથી તેની મિત્રતા કરીએ કે તેના સહવાસ-સમાગમમાં આવીએ તે આપણો આશાવાદ વૃદ્ધિ પામે છે અને તેથી આપણે સિદ્ધિ કે સફલતા ભણી બે મકકમ પગલાં વધુ ઝડપથી–વધુ જોરથી ભરી શકીએ છીએ. તાત્પર્ય કે તેથી નિતાંત લાભ જ થાય છે અને આપણે ઉજ્જવલ યશ તથા અનેરા લાભના અધિકારી બનીએ છીએ.
નિરાશાવાદી મનુષ્યની હાલત આથી ઉલટી છે. તેની ચારે બાજુ નિરાશાને અંધકાર છવાયેલો હોય છે, એટલે તે કઈ પણ વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકતો નથી. તેને સમય અર્થાત્ જમાને ખરાબ લાગે છે, લેકે વિચિત્ર જણાય છે, વ્યાપાર-ધંધામાં કંઈ કસ જણાતું નથી અને થોડા જ વખતમાં દુનિયામાં મેટી ઉથલપાથલ થશે કે તેના પર કઈ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સંકલ્પસિદ્ધિ ઉલ્કાપાત ઉતરી પડશે, એમ લાગ્યા જ કરે છે. તમે એના સહવાસ–સમાગમમાં આવે તે તમારી આશામાં જરૂર ઓટ આવી જાય, તમારી પ્રગતિકારક જનાઓ બાબત તમે અવશ્ય શંકાશીલ બની જાઓ અને કોઈ પણ નવું સાહસ કરવાની હિમ્મત તો રહે જ નહિ!
એ નિરાશાવાદી મનુષ્યની વાતમાં ઘણા ભાગે તે કોણે પછાડ ખાધી? કેણું માર્યો ગે? કેનું અનિષ્ટ થયું? કોણે ક્વી રીતે નુકશાન કર્યું? એવી જ હકીકતની હારમાલા હોય છે અને તે આપણું આશારૂપી ઘાસની ગંજી ઉપર આગની ચીનગારીઓ ફેંક્તી હોય છે. તેમાં ક્યા શુભ પરિણામની આશા રાખી શકાય ? મતલબ કે આવાઓને સહવાસ-સમાગમ આપણે માટે ઘણો ખતરનાક નીવડે છે અને તે આપણું જીવનમાં નિરાશાને ગાઢ અંધકાર ફેલાવી દે છે, તેથી તેમને નવગજના નમસ્કાર કરવા જોઈએ, તેમનાથી બચીને ચાલવું જોઈએ.
સ્વામી રામતીર્થે કહ્યું છે કે “નિરાશા એ નિર્બન લતાનું ચિહ્ન છે.” | ડિઝરાયેલી નામના વિચારકે કહ્યું છે કે “નિરાશા 'એ મૂર્ખતાનું પરિણામ છે.” ! ગ્રેવિલ નામના તત્વચિંતકને એ અભિપ્રાય છે કે
લક જેમ શરીરને શૂન્ય બનાવી દે છે, તેમ નિરાશાનો ધકકો મનુષ્યના મસ્તિષ્કને શૂન્ય બનાવી દે છે.”
કેટલાક મનુષ્ય કહે છે કે “વાસ્તવમાં અમે કંગાલ
Page #122
--------------------------------------------------------------------------
________________
આશાવાદી બને
૧૦૭ છીએ, શક્તિહીન છીએ, અમારા માટે ઉજજવલ ભાવી નિર્માણ થયું હોય એવું અમે માની શકતા નથી. અમારા બાપદાદા આવી જ હાલતમાં જીવતા હતા અને અમે પણ આવી જ હાલતમાં જીવીએ છીએ. તમે આશાવાદી થવાનું કહે છે, પણ આશા ઠગારી છે. તે અમને ઠગ્યા જ કરે છે, તેથી અમે તેને સાથ છોડી દીધો છે. તાત્પર્ય કે આ સંગમાં અમે કઈ રીતે આશાવાદી બની શકીએ તેમ નથી.”
પરંતુ આ મંતવ્ય એગ્ય નથી, ઉચિત નથી. જે મનુષ્ય આશાવાદી બને અને પૂરતો પુરુષાર્થ કરે તે ગમે તેવી કાળી કંગાલિયતને મીટાવી શકે છે, પિતાનાં સાધનશક્તિમાં ધરખમ વધારો કરી શકે છે અને પિતાનું ભાવી ઉજ્જવલ બનાવી શકે છે.
શ્રી ગેપાલકૃણ ગેખલે ગરીબ ઘરમાં જમ્યા હતા. તેમને રાત્રિએ વાંચવા માટે દીવો કરવાની સગવડ ન હતી, એટલે શેરીઓના મ્યુનિસિપલ દીવાને ઉપયોગ કરતા હતા. પરંતુ તેઓ આશાનું અમૃત પીને ઉછર્યા હતા, એટલે પુરુષાર્થ ચાલુ રાખ્યું અને એક દિવસ ભારતના મહાન સેવક તરીકે ઝળકી ઉઠ્યા. તેમણે સ્થાપેલી “સર્વન્ટસ્ ઓફ ઈન્ડિયા સોસાયટી” આજે પણ સુંદર કામ કરી રહી છે.
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ એક સામાન્ય સ્થિતિના હરિજન કુટુંબમાં થયો હતો, પરંતુ તેઓ આશાવાદી હતા અને પુરુષાર્થ કરવા ટેવાયેલા હતા, તેથી અન્ય પાસેથી
Page #123
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
છાત્રવૃત્તિએ મેળવીને પણ આગળ ભણ્યા અને નિષ્ણાત ધારાશાસ્ત્રી બન્યા, તેમજ રાજ્યદ્વારી ક્ષેત્રે પણ ઝળકી ઉઠ્યા. છેવટે તેઓ ભારતના કેન્દ્રિય પ્રધાનમંડળના એક પ્રધાન અન્યા અને ભારતના લેાકશાહી ગણતંત્રનું અધારણ તૈયાર કરવાનુ` કા` તેમને સોંપાયું. તે કા તેમણે સફલતાપૂર્વક પાર પાડયુ અને તેએ વમાન યુગના મનુ (સ ંહિતાકાર -કાયદા ઘડનાર) ગણાયા.
૧૦૮
શ્રી લાલબહાદુર શાસ્ત્રી કે જે સ્વત ંત્ર ભારતના બીજા પંતપ્રધાન બન્યા અને વિશ્વભરમાં એક આદર્શ માનવીની ખ્યાતિ પામ્યા, તે પણ આશાવાદી હાઈ ને જ ગરીબાઈમાંથી ઊંચા આવ્યા હતા. એક વખત એવા હતા કે જ્યારે તે એક આને બચાવવા માટે ગંગા નદી તરીને
પાર જતા હતા.
આવા દાખલાએ બીજા અનેક દૃઈ શકાય એમ છે, અને પાઠક પોતે પણ આવા કેટલાક દાખલાએ જાણતા જ હશે, તેથી અહી તેના વિશેષ વિસ્તાર કરતા નથી; પરંતુ તેના ઉપસ’હારરૂપે એટલું જણાવીએ છીએ કે કંગાલ મનુષ્ય સદાને માટે કંગાલ રહેવાને સજાયેલા નથી; શક્તિહીન મનુષ્ય સદાને માટે શક્તિહીન રહેવા સર્જાયેલા નથી. એક પામર મનુષ્ય પણ સમજ કેળવે, દૃઢ સોંકલ્પ કરે, આશાવાદી અને અને પ્રચંડ પુરુષાર્થના આશ્રય લે તે પ્રતિષ્ઠાભર્યું" સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને પેાતાની સ તામુખી ઉન્નતિ સાધી શકે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
આશાવાદી બને
૧૦૯
જેને આશા પર શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, તેઓ આશાને ભલે ઠગારી કહે, પણ વાસ્તવમાં તે ઠગારી નથી, કેઈને ઠગતી નથી. મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તે
આશા અમર છે, તેની આરાધના કદી નિફ્ટ જતી નથી.”
Page #125
--------------------------------------------------------------------------
________________
[૧૦] વિચાર કરવાની ટેવ
સિદ્ધિ કે સફલતા મેળવવા માટે પુરુષાથી તથા આશાવાદી બનવું અત્યંત જરૂરનું છે, પણ તેટલાથી જ કામ પૂરું થતું નથી. તે માટે બીજા પણ કેટલાક ગુણે કેળવવા પડે છે, જેમાં વિચારશીલતા કે વિચાર કરવાની ટેવ મુખ્ય છે.
જે વિચાર કરવાની ટેવ પાડીએ તે આપણી સમજણ સુધરતી જાય છે, આપણું જ્ઞાનમાં દિન-પ્રતિદિન વધારે થતું જાય છે અને એક ઉત્તમ મનુષ્ય તરીકે જે જે ગુણો મેળવવા જોઈએ, તે બધા ગુણ આપણે મેળવી શકીએ છીએ.
સમજુ, જ્ઞાની તથા ગુણિયલ મનુષ્યને માટે આ જગતમાં શું અલભ્ય છે? સમજુ મનુષ્ય ગમે તેવી મુશ્કેલી માંથી માર્ગ કાઢી શકે છે, જ્ઞાની મનુષ્ય ગમે તેવી વિપરીત સ્થિતિમાં પણ મનનું સમતોલપણું જાળવી શકે છે અને ગુણિયલ મનુષ્ય પિતાની ગુણસમૃદ્ધિને લીધે હજારો-લાખ
Page #126
--------------------------------------------------------------------------
________________
વિચાર કરવાની ટેવ
૧૧૧
લોકોનુ આકર્ષીણુ કરી લેાકપ્રિયતા મેળવી શકે છે, તથા સિદ્ધિ કે સલ્તાને સત્વર પેાતાની સમીપે આણી શકે છે. એ વાત તમે ખાતરીથી માનજો કે કાઈ પણ મનુષ્ય વિચાર કરવાની ટેવ પાડ્યા વિના સમજી, શાણા, જ્ઞાની કે ગુણિયલ થઈ શકતા નથી.
નાના ડેનવીસ ઘણા સમજી અને શાણા ગણાય, કારણ કે તે પ્રત્યેક વસ્તુ પર વિચાર કરવાને ટેવાયેલા હતા. એક વખત એક ઝવેરી પેશ્વાના દરબારમાં આવ્યે અને તેણે પરીક્ષા અર્થે એક હીરા રજૂ કર્યાં. તે જોઇને કોઇએ તેનુ મૂલ્ય લાખ રૂપિયા કહ્યું, કોઈ એ બે લાખ કહ્યું તે કોઈ એ ત્રણ, ચાર કે પાંચ લાખ પણ જણાવ્યું. પરંતુ એ જ વખતે એક માખી ઉડીને તે હીરા પર એડી. આ જોઈ નાનામ્ડનવીસે તરત જ વિચાર કર્યાં કે આ હીરા પર માખી બેસવાનું કારણ શું? તે જરૂર સાકરના બનાવેલે લાગે છે, નહિ તો માખી તેના પર બેસે નહિ. અને તેણે એ હીરા પોતાની પાસે મંગાવી તરત જ મુખમાં મૂકી દીધેા અને તેને કડકડ ચાવી ગયા. બધા સભાજને તેના સામું આશ્ચર્ય થી જોઈ રહ્યા, ત્યારે નાના ફડનવીસે કહ્યું કે “હીરાનું ખરૂં મૂલ્ય આ છે.' તાત્પર્ય કે તે બનાવટી છે, એક સાકરના ટુકડા છે અને તેથી જ હું તેને ખાઈ ગયા . પેલા ઝવેરીએ હાથ જોડચા અને તેના શાણપણની ભારેાભાર પ્રશંસા કરી,
જે મનુષ્યા નાની મેાટી ઘટનાઓ પર વિચાર કરવાને
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સકસિદ્ધિ
ટેવાયેલા છે, તે સમય આવ્યે તેમાંથી મહાન સિદ્ધાંતા શેોધી કાઢે છે અને તેનું પરિણામ આશ્ચર્યજનક આવે છે. અંગ્રેજ યુવાન આઈઝેક ન્યુટન નાની-મોટી ઘટનાએ પર વિચાર કરવાને ટેવાયેલા હતા, તેથી જ તેણે એક વૃક્ષ પરથી ફળને નીચું પડતુ જોઈ પેાતાના મનમાં વિચાર કર્યા કે આ ફળ ઉપર ન જતાં નીચુ' કેમ પડયું ?' અને પરિણામે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત શેાધી કાઢ્યો કે જેણે આ વિશ્વનુ રહસ્ય સમજવામાં અનેરા ભાગ ભજવ્યેા છે.
'
જેમ્સ વોટ એક સ્ટોકીશ યુવાન હતા. તે પણ નાની મેાટી ઘટના પર વિચાર કરવાને ટેવાયેલેા હતેા. તેણે એક વખત ચૂલા પર રહેલી ચાની કીટલીનુ ઢાંકણુ ઊંચુંનીચું થતું જોયું અને વિચાર કર્યાં કે આમ શાથી બને છે ?” એમ કરતાં તેને વરાળની શક્તિનું ભાન થયું અને તેમાંથી વરાળયંત્ર શેાધી કાઢ્યું કે જેણે લાખંડના પાટા પર આગગાડી દોડાવવામાં અગત્યના ભાગ ભજવ્યેા છે.
ભૂલેાની પરંપરા અથવા તા ગંભીર ભૂલ એ નિષ્ફ લતાનું મુખ્ય કારણ છે, પણ આપણે વિચાર કરવાની ટેવ પાડીએ તે ભૂલેાની પરંપરાથી બચી શકીએ છીએ, અથવા ગંભીર ભૂલ કરતા નથી અને એ રીતે નિષ્ફલતાનું નિવારણ કરીને સિદ્ધિ કે સફલતાના માર્ગ નિષ્કંટક બનાવી શકીએ છીએ.
એક મનુષ્ય ઉપરાઉપરી ઠોકર ખાતા હોય અને બધી વાતમાં પાછો પડતા હેાત તા સમજવું કે તે વિચાર કરવાને ટેવાયેલા નથી અને તેથી વિચારપૂર્વક વર્તી શકતા નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
વિચાર કરવાની ટેવ
૧૧૩ મુંબઈના શાહદાગર મેતીશાહ શેઠે પિતાના પુત્ર ખીમચંદભાઈને ધીકતો ધંધો તથા લાખ રૂપિયાને વાર આપ્યો હતો, પણ ખીમચંદભાઈ કઈ પણ બાબતમાં પૂરતો વિચાર કરવાને ટેવાયેલા ન હતા. તેમણે મોતીશાહ શેઠના મૃત્યુ બાદ ગમે તેમ ધંધો કરવા માંડ્યો અને ચીનની એક બનાવટી પેઢીને લાખો રૂપિયાનો માલ મોકલી આપે. તેમાંથી એક પણ પૈસે પાછો આવ્યે નહિ તથા સ્થાનિક વેપારમાં પણ ઘણું પૈસા ઘલાઈ ગયા. પરિણામે તેમના માથે દેવું થયું અને નાદારી લેવા વખત આવ્યે !
કેટલાક માણસો વિદ્યાભ્યાસ–શાસ્ત્રાભ્યાસ કરે છે, પણ વિચાર કરવાની ટેવ પાડતા નથી, તેથી શાસ્ત્રવાક્યોને સાચે મર્મ સમજતા નથી અને કેવળ વેદિયા બની જાય છે. આવા માણસે કઈ પણ કાર્યની સિદ્ધિ કરી શકતા નથી, એટલું જ નહિ પણ પોતાના અવ્યવહારુ કે મૂર્ખાઈભર્યા વર્તનથી હાસ્યાસ્પદ બને છે અને જગબત્રીશીએ ચડે છે. તે માટે ચાર મૂખ પંડિતની વાર્તા ધ્યાનમાં રાખવા જેવી છે.
ચાર મૂખ પંડિત ચાર બ્રાહ્મણમિત્ર હતા. તેઓ કાશી ગયા અને ત્યાં તેમણે બાર વર્ષ સુધી શાસ્ત્રાભ્યાસ કરી પંડિતની પદવી. મેળવી. પછી તેઓ પિતાનાં પુસ્તકાનાં લઈ સ્વદેશ ભણી રવાના થયા.
તેમાં ચાલ્યા કે બે માર્ગો આવ્યા, એટલે પ્રશ્ન
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સંકલ્પસિદ્ધિ
ઉઠ કે “આમાંથી કયા માર્ગે જવું?” એ વખતે એક પંડિતને શાસ્ત્રવચન યાદ આવ્યું કે “જે રસ્તે મહાજન જાય, તે માર્ગે જવું.' પણ મહાજન કોને કહેવાય? તેને મર્મ વિચાર્યો નહિ. એ વખતે ઘણુ માણસેને સમૂહ કઈ વણિકપુત્રને દેન દેવા માટે સ્મશાનવાળા માર્ગે જઈ રહ્યો હતે, તેને મહાજન માની આ પંડિતે એ રસ્તે ચાલ્યા અને સ્મશાનભૂમિની નજીક આવીને ઊભા રહ્યા.
એ વખતે સ્મશાનભૂમિમાં એક ગધેડાને ઊભેલે જોઈ બીજા પંડિતને શાસ્ત્રવચન યાદ આવ્યું કે
ઉત્સવે વ્યસને તેમ, દુર્મિક્ષ શત્રુસો, રાજકારે સ્મશાને યે, જે ઊભે તે જ બાંધવ.
અહીં ઊભા રહેવાને અર્થ સાથે ચાલે–સહાયરૂપ થાય એ છે, પણ પંડિત મહાશયેએ તેને અર્થ માત્ર ઊભે હોય એ જ કર્યો અને તેથી ગધેડાના ગળે બાઝી “અહે આંધવ! હે બાંધવ!” એમ કહીને બંધુ પ્રેમ દર્શાવવા લાગ્યા.
એવામાં ઝડપથી ચાલતે એક ઊંટ તેમની સમીપે આવ્યું. તે જોઈ ત્રીજા પંડિતે કહ્યું કે “ધર્મની ગતિ ત્વરિત હોય છે.” એટલે આ સાક્ષાત્ ધર્મ જણાય છે અને “ઈષ્ટને ધર્મની સાથે જોડવો” એ શાસ્ત્રને આદેશ છે, માટે આપણે આ ઈષ્ટ ગધેડાને ઊંટ રૂપી ધર્મની ડોકે બાંધવે જોઈએ. જોઈ લે શાસ્ત્રાણાનો અમલ! એ પંડિતોએ ઊંટને ત્યાં
ભાવી, કઈ પણ રીતે પેલા ગધેડાને તેની કેટે બબ્બે અને ત્યાંથી ચાલતા થયા.
Page #130
--------------------------------------------------------------------------
________________
વિચાર કરવાની ટેવ
૧૧૫
આગળ એક નદી આવી. તેમાં ખાખરાનું એક પાંદડું તણાતુ જોઇને ચેાથા પંડિતે કહ્યું કે
આવશે એ વળી તે તેા, તારશે તમને સદા.’ એવું શાસ્ત્રવચન છે, માટે મને તે! આ પાંદડું જ તારશે. જેઆ આગળ-પાછળના સંબંધ વિચાર્યા વિના શાસ્રવચનેાના અથ કરે છે, તેમના હાલ આવા જ થાય છે. પછી પેલા પંડિતે નદીના પ્રવાહમાં ઝંપલાવ્યું અને પાંદડાંને પકડવા પ્રયત્ન કર્યાં, પણ પાંદડું એમ થાડું જ પકડાય ? એ તેા પાણીની છાલક લાગતાં આઘુ ને આછુ જવા લાગ્યુ અને પાણી ખૂબ ઊડું આવતાં પંડિતજી ડૂબવા લાગ્યા.
:
તે જોઈ ને એક પંડિતે કહ્યું કે · અહા ! આ તે સર્વનાશને પ્રસંગ ઉપસ્થિત થયા અને શાસ્ત્રવચન એવુ છે કે જ્યારે સર્વનાશના પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યારે અં ત્યજી દેનારો પતિ ગણાય છે' માટે ચાલેા આપણે તેને અર્ધું તજી દઈએ અને અર્ધી ઉપાડી લઇએ.’ પછી તેમણે ડૂબતા પંડિતાનું માથુ' ઉપાડી લીધું ને ધડ જવા દીધું ! આ રીતે ચારમાંથી એક એો થયા, એટલે ત્રણ ખાકી રહ્યા.
આગળ વધતાં એક ગામ આવ્યું. તેમાં આ ત્રણે ય પિડતા દાખલ થયા. તેમને પંડિત જાણી ગામલેાકાએ તેમને સત્કાર કર્યાં અને જમવાનું આમંત્રણ આપ્યું. તેને સ્વીકાર કરીને આ ત્રણે ય પંડિતે જૂદા જૂદા યજમાનને ત્યાં
જમવા ગયા.
એક યજમાને સૂતરફેણી પીરસી. તેને દીસૂત્રી
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬
સંકલ્પસિદ્ધિ (લાંબા તાંતણવાળી) જોતાં જ પંડિતજીને યાદ આવ્યું કે દીર્ઘસૂત્રીપણું અનિષ્ટ છે, માટે આપણે આ મીઠાઈ વાપરવી નહિ. આથી તેઓ કંઈપણ વિશેષ બેલ્યા વિના ઊભા થઈ ગયા. પ્રિય પાઠકે! દીર્ઘસૂત્રીપણાને વાસ્તવિક અર્થ શું થાય છે? તે વિચારી જેશે. જે એ અર્થ સમજાશે તે દીર્ઘ સૂત્રીપણું અનિષ્ટ હોવા બાબત તમને કઈ શંકા રહેશે નહિ. પણ પંડિતજીએ તો માત્ર તેને શબ્દાર્થ કર્યો, ભાવાર્થ સુધી પહોંચવાની તસ્દી લીધી નહિ અને તેથી આ સ્થિતિ ઊભી થઈ કે બીજા યજમાને ખાખરા પીરસ્યા. તેને ખૂબ મોટા
જોઈ પંડિતજીને શાસ્ત્રવચનનું સ્મરણ થયું કે- “અતિ વિસ્તાર હોય ત્યાં, જરૂર ઉત્પાત થાય છે. એટલે આ અતિ વિસ્તારવાળી વસ્તુ મારે ખાવા લાયક નથી. તે જે મારા પેટમાં જશે તે જરૂર ઉત્પાત મચાવશે, એટલે તેઓ પણ જમ્યા વિના ઊભા થઈ ગયા. યજમાને પૂછ્યું કે “પંડિતજી ! આમ કેમ ?” પણ પંડિતજીએ માત્ર એટલે જ જવાબ. આપે કે “એમ જ.”
હવે ત્રીજા પંડિતની શી સ્થિતિ થઈ? તે પણ જોઈએ. તેને યજમાન તરફથી ગરમાગરમ વડાં પીરસવામાં આવ્યાં. તેમાં સયા વતી કેટલાંક કાણાં પડેલાં હતાં. એ કાણું જોતાં, જ પંડિતજીને યાદ આવ્યું કે “જ્યાં બહુ છિદ્રો હોય છે, ત્યાં જરૂર અનર્થ થાય છે. એટલે તેમણે પણ ભેજન કર્યા સિવાય ઊભા થઈને હાથ ધયા અને યજમાનની વિદાય લીધી.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૭
T
વિચાર કરવાની ટેવ
પંડિતની આ હાલત જોઈને ગામલોકો હસવા લાગ્યા અને “ભણ્યા પણ ગણ્યા નહિ” એમ કહી મશ્કરી કરવા લાગ્યા. તે પંડિત સ્વદેશ પહોંચ્યા, ત્યાં પણ તેમની હાલત આવી જ થઈ
તાત્પર્ય કે આપણે જે શા ભણીએ, પુસ્તક વાંચીએ તેને મર્મ સમજે જોઈએ, પણ તે મર્મ ત્યારે જ સમજાય છે કે જ્યારે આપણે વાંચેલા પર વિચાર કરવાની ટેવ પાડીએ.
વડીલેની શિખામણમાં ભારોભાર અનુભવજ્ઞાન ભરેલું હોય છે, પણ જે વિચાર કરવાને ટેવાયેલું હોય છે, તે જ એના વાસ્તવિક રહસ્ય સુધી પહોંચી શકે છે. બાકીના બધાની હાલત ઓછા કે વત્તા અંશે શ્રેષ્ઠિપુત્ર ભેળા જેવી થાય છે.
શ્રેષ્ઠીપુત્ર ભેળે એક શેઠે મરતી વખતે પિતાના પુત્ર ભેળાને પાસે બેલાવીને કહ્યું કે “બેટા ! હું તે હવે આ સંસારની વિદાય લઉં છું, પણ તારું ભલું થાય, તે માટે સાત શિખામણ આપતો જાઉં છું. તે તું બરાબર સાંભળી લે અને તેનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરજે. તે શિખામણ આ પ્રકારની છેઃ
(૧) ઘરફરતી દાંતની વાડ કરજે. (૨) દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ. (૩) સ્ત્રીને બાંધી મારજે. (૪) હંમેશાં મીઠું જમજે. (૫) ગામેગામ ઘર કરજે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સકસિદ્ધિ
(૬) દુઃખ પડે તે ગંગાના કાંઠા ખાદરે. (૭) અને સંદેહ પડે તે પાટલીપુત્ર જઈ મારા મિત્ર સામઢત્તને પૂછજે.
આટલું કહી શેઠ સ્વવાસી થયા અને ભેળે એકલે પડો. તેણે પેાતાની સૂઝ-સમજ પ્રમાણે પિતાની શિખામણેાના અમલ કર્યાં, પણ તેમ કરતાં તેની પાસેનું બધું દ્રવ્ય ખલાસ થઈ ગયું અને તે નિન બની ગયા, તેથી બધેથી હડધૂત થવા લાગ્યા. કહ્યું છે કે—
ઋષિએ પૂજા પામતા, ધન સાથે ગુણુ જાય; દ્રવ્યવિઙૂણા માનવી, મૃતક સમાલાય. · મનુષ્યા ધન વડે પૂજાય છે અને ધન જતાં જાણે નિર્ગુણ અની ગયા હેાય તેવા દેખાય છે. ખરેખર ! દ્રવ્ય વિનાના માનવીની ગણતરી મડદા જેવી જ થાય છે.”
આ પ્રમાણે શિખામણેાનું પરિણામ પૂરું આવવાથી ભેાળાના મનમાં સંદેહ ઉત્પન્ન થયા કે પિતા બહુ શાણા હતા અને મારું નિરંતર ભલું ચાહનારા હતા. તે મને ખોટી શિખામણેા કેમ આપે ? એ શિખામણા સમજવામાં મારી ભૂલ તે નિહ થઇ હેાય ? ’ એટલે તે પાટલીપુત્ર નગરે ગયા અને તેના પિતાના મિત્ર સામદત્ત વિપ્રને મળ્યા.
સોમદત્તે તેને ઉચિત આદર-સત્કાર કરીને પૂછ્યું કે ૮ હે વત્સ ! તું બધી વાતે કુશલ તે છે ને ? ’
ભેાળાએ કહ્યું : ‘ વડીલશ્રી ! મારા પિતાની શિખામણા સાચી માનીને તે મુજબ વર્તન કર્યું, તે હું નિર્ધન અને
Page #134
--------------------------------------------------------------------------
________________
વિચાર કરવાની ટેવ
૧૧૯
દુ:ખી દુ:ખી થઈ ગયા, માટે આપ હવે રસ્તા બતાવા કે
મારે શું કરવું ? ”
સામદત્ત કહ્યું ઃ · ભાઈ ભેાળા ! તારા પિતાએ શુ શુ કહ્યુ હતુ અને તેનેા અમલ તે કેવી રીતે કર્યાં, તે મને કહી તાવ, પછી મારે જે કઈ કહેવું ઘટશે, તે કહીશ.’
'
ભેળાએ કહ્યું : ‘મારા પિતાશ્રીએ સહુથી પ્રથમ એમ કહ્યું હતું કે ‘ ઘર ફરતી દાંતની વાડ કરજે' એટલે મે હજારો રૂપિયા ખચી ને હાથીદાંત મગાવ્યા અને તેની મારા ઘર ફરતી વાડ કરાવી, પણ લાકો એને કાઢી ગયા અને મારા પૈસાનું પાણી થયું.
મારા પિતાશ્રીએ બીજું એમ કહ્યું હતું કે ‘ દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ,’ તે પ્રમાણે લેાકેાને દ્રવ્ય આપીને હું લેવા ગયા નહિ. પરંતુ તેમ કરતાં કોઈ પણ માણસ લીધેલું દ્રવ્ય પાછું આપવા આવ્યા નહિ અને મારું બધુ લેબુ ખાટું થયુ.
મારા પિતાશ્રીએ ત્રીજું એમ કહ્યું હતું કે ‘સ્ત્રીને બાંધી મારજે' તે પ્રમાણે મેં સ્રીને બાંધીને મારી, તો તે નારાજ થઈ ને પેાતાના પિયર ચાલી ગઈ અને હું ઘરમાં એકલેા રહ્યા.
મારા પિતાશ્રીએ ચેાથું એમ કહ્યું હતું કે ‘હમેશાં મીઠું જમજે,’ તે પ્રમાણે હું હંમેશાં લાડુ, પૈડા, બરફી વગેરે મીઠાઈ એ ખાવા લાગ્યા, એટલે મારા શરીરમાં અનેક
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સકલ્પસિદ્ધિ
પ્રકારના રાગે! ઉત્પન્ન થયા. આજે મારા શરીરમાં તાકાત રહી નથી, તેનું કારણ આ જ છે.
મારા પિતાશ્રીએ પાંચમું એમ કહ્યુ હતુ કે ‘ ગામેગામ ઘર કરજે.' તે પ્રમાણે મેં ઘણાં ગામેામાં જમીન ખરીદીને ત્યાં ઘરો બંધાવ્યાં. પણ એમ કરતાં ત્યાંના લોકોએ કોઈ ને કોઈ પ્રકારની તકરાર કરીને એ બધાં ઘરો અથાવી પાડવાં. હું એકલા બધે કયાં પહાંચું?
મારા પિતાશ્રીએ છઠ્ઠું એમ કહ્યું હતું કે ‘દુઃખ પડે તા ગગાના કાંઠા ખાતુજે.’ તે પ્રમાણે દુઃખ પડતાં મેં ગંગાના કાંઠા અનેક ઠેકાણે ખાદ્યો, પણ ત્યાંથી કંઈપણુ દ્રવ્ય મળ્યુ નહિ અને મારા બધા પરિશ્રમ ફોગટ ગયા.
'
મારા પિતાશ્રીએ સાતમું એમ કહ્યું હતું કે સંદેહ પડે તેા પાટલીપુત્ર જઈ મારા મિત્ર સોમદત્ત વિપ્રને પૂછજે.’ તે પ્રમાણે મને સ ંદેહ પડતાં હું આપની પાસે આવ્યા છું, માટે મને રસ્તા બતાવેા. હવે આપના વિના આ જગતમાં મારું કોઈ જ નથી.
આ પ્રમાણે ભાળાની બધી હકીકત સાંભળીને સેામદત્તે કહ્યું કે હું વત્સ ! તારા પિતા ઘણા જ અનુભવી અને કાબેલ હતા. તેમણે જે શિખામણેા આપેલી છે, તે ઘણી જ સુંદર છે અને તે પ્રમાણે વર્તવામાં આવે તેા કોઈ પણ દિવસ દુ:ખી થવાને વખત આવે જ નહિ. પણ એ શિખામણેાનું રહસ્ય તું ખરાબર સમજ્યા નહિ, બધું જ ઉલટુ
Page #136
--------------------------------------------------------------------------
________________
વિચાર કરવાની ટેવ
૧૨૧ કર્યું અને તું હેરાન-પરેશાન થઈ ગયે, માટે એ શિખામણનું સાચું રહસ્ય સમજી લે.
(૧) “ઘર ફરતી દાંતની વાડ કરજે.” એટલે ઘરની આસપાસ રહેતા લેકે સાથે વાણુને એ વ્યવહાર કરજે કે જેથી બધા આપણને વાડરૂપ થાય અને આપણું રક્ષણ કરે. જે માણસો પાડોશીઓ જોડે સારાસારી રાખતા નથી અને વાતવાતમાં વહી પડે છે, દંતકલહ કરે છે, તેઓને અનેક પ્રસંગોએ વેઠવું પડે છે અને નહિ ધારેલી મુશીબતે ઉઠાવવી પડે છે. તેથી દાંતની વાડ કરવી, એ ડહાપણભરેલું કામ છે.
(૨) “દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ એટલે દ્રવ્ય એવી રીતે આપજે કે આપ્યા પછી તેમની પાસે લેવા જવાને વખત આવે નહિ. આવું ત્યારે જ બને કે જ્યારે સામા પાસેથી આપણું પિસા કરતાં દોઢી–બમણી કિંમતનું ઘરેણું બાનામાં લીધું હોય કે તેની કઈ મિલક્ત લખાવી લીધી હોય. એ રીતને વ્યવહાર કર્યા વિના જે માત્ર અંગઉધાર નાણુ ધીર્યા છે કે આપણું ઘર પૂછતા આવે નહિ અને લીધેલું પાછું આપી જાય નહિ. તેથી દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ—લેવા જવું પડે તે વ્યવહાર કરીશ નહિ, એમ કહ્યું તે તદ્દન વ્યાજબી છે.
(૩) “સ્ત્રીને બાંધી મારજે એટલે તેને કામમાં એવી રીતે પરાવી દેજે કે જેથી તેને નબળા વિચાર આવે
નહિ.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧રર
સંકલ્પસિદ્ધિ (૪) “હમેશાં મીઠું જમજે એટલે કેઈ પણ ભેજનને મીઠું કરીને જમજે. કેઈ પણ ભેજન મહું ત્યારે જ લાગે છે કે જ્યારે ભૂખ કકડીને લાગી હોય. ગમે તેવું સ્વાદિષ્ટ ભોજન પણ વિના ભૂખે મીઠું લાગતું નથી. જેઓ ખરી ભૂખ વિના ખાય છે કે મીઠાઈઓ ખાવાથી જાડા અથવા શક્તિમાન થવાશે એમ માનીને તેનું વારંવાર સેવન કરે છે, તેમની જઠર બગડે છે અને અપચે થાય છે. તે અપચે જ સર્વે રેગોનું મૂળ છે. આયુર્વેદના લાખ લેકને સાર એ જ છે કે પહેલાનું જમેલું બરાબર પચી જાય, પછી જ બીજું ભોજન કરવું. તેથી મીઠું જમવાને અર્થ મીઠાઈઓ ઉડાવવાનું નથી, પણ ખરી ભૂખે ખાવાને છે. જેઓ આ રીતે ભેજન કરે છે, તેમની તંદુરસ્તી બરાબર રહે છે અને તે જીવનને ખરે આનંદ મણી શકે છે.
(૫) “ગામેગામ ઘર કરજે એટલે અનેક ઠેકાણે મિત્રે બનાવજે કે જે સમય આવ્યે ઉપયોગી થાય. જેને કોઈ મિત્ર હોતો નથી, તે આ જગતમાં હારે છે. કેઈ આપત્તિ આવે ત્યારે અન્ય લોકો મીઠું મીઠું બેલીને આશ્વાસન આપે છે, જ્યારે મિત્રે મદદે આવે છે અને ગમે તેટલો ભેગ આપીને પણ એ આપત્તિનું નિવારણ કરે છે. તેથી તારા પિતાએ ગામેગામ ઘર કરવાની જે શિખામણ આપી તે ઘણી સુંદર છે.
(૬) દાખ પડે ત્યારે ગંગાને કાંઠે આજે એટલે તું કઈ પણ દુઃખમાં આવી પડે અને દ્રવ્યની જરૂર
Page #138
--------------------------------------------------------------------------
________________
વિચાર કરવાની ટેવ
૧૨૩
જણાય, ત્યારે ગંગા નામની ગાયને જે ઠેકાણે આંધવામાં આવે છે, તેની ગમાણ પાસેના ભાગ ખાઇજે, એટલે તને જોઇતું ધન મળશે. ગંગા નદીના કાંઠા-કિનારા તા સેકડા ગાઉ લાંબે છે, તે ચાકસ ઠેકાણાં વિના શી રીતે ખાદ્યાય ?
ભેાળાએ ઘરે પાછા ફ્રીને ગંગા ગાયની ગમાણુ પાસેના ભાગ ખાદ્યો, તેા તેને જોઈતું દ્રવ્ય મળી ગયું. આથી તે પેાતાના પિતાની જે શિખામણાને ખાટી અને અનથ કારી માનતા હતા, તેને સાચી અને લાભકારી માનવા લાગ્યા અને તે પ્રમાણે વતાં સુખી થયા.
વડીલેા શું સમજે ? એ તા બેાલ્યા કરે. આપણે જેમ કરતાં હાઇએ તેમ કર્યાં કરવુ.' આ પ્રકારના વચનેા આજે સામાન્ય થઈ પડયાં છે, પણ તે આપણું અહિત કરનારાં છે, આપણને અવનતિ તરફ દોરી જનારાં છે. વડીલેા કદાચ ઓછું ભણ્યા હાય, તેથી તેમની સમજશક્તિ ઓછી છે કે તે કઈ સમજતા નથી, એમ માની લેવું ભૂલભરેલું છે. વળી તેઓ જે કઈ ખેાલતા હાય છે, તે હિતાષ્ટિએ જ ખેલતા હાય છે, એટલે તેની અવગણના કરવી ચેાગ્ય નથી. તેમના દુનિયાદારીના અનુભવ ખરેખર ધ્યાનમાં લેવા જેવા હાય છે. ઘણી વખત તેમની ઠરેલ બુદ્ધિને જે સુઝે છે, તે આપણને સૂઝતુ નથી.
તાત્પર્ય કે વડીલેાની શિખામણ પર ધ્યાન આપવું, તેના પર વિચાર કરવા અને તેને મ સમજવા પ્રયત્ન કરવા એ અતિ ડહાપણભરેલું કામ છે અને તેને અનુસર
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪
સંકલ્પસિદ્ધિ
વાથી આપણે આપણી ઉન્નતિ સરલતાપૂર્વક સાધી શકીએ છીએ. જે કા`થી તેમની આંતરડી દુભાતી હાય, એવું કા કદી પણ કરવું નહિ.
આ પ્રકરણના સાર એ છે કે જે મનુષ્ય વિચાર કરવાની ટેવ પાડે છે, તે ચેાગ્ય શુ અને અયેાગ્ય શુ” હિતકર શુ અને અહિતકર શું ? કન્ય શુ અને અકર્તવ્ય શું? તે ખરાખર સમજી શકે છે અને તેથી ચેાગ્ય, હિતકર કે કવ્યના સ્વીકાર કરવામાં સમથ અને છે તથા એ રીતે પ્રવૃત્તિ કરતાં સિદ્ધિની સેાપાનમાલા સડસડાટ ચડી જાય છે.
જે મનુષ્ય વિચારપૂ કે બેલે છે, વિચારપૂર્વક કામ કરે છે અને વિચારપૂર્વક પેાતાને સઘળે જીવનવ્યવહાર ચલાવે છે, તે કદી પાછા પડતા નથી. તેને માટે ઉન્નતિ અને વિશેષ ઉન્નતિ જ નિર્માયેલી છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
[૧૧] જ્ઞાનના સય
જે મનુષ્ય જ્ઞાનને સંચય કરતા નથી, તે અજ્ઞાની રહે છે, મૂખમાં ખપે છે અને આગળ વધવાની બધી તકો ગુમાવી દે છે. પિરણામે તે પેાતાની ઉન્નતી સાધી શકતા નથી અને ઘણી વાર બીજાને ભારરૂપ બની જાય છે.
જેમ હુંસની સભામાં પગલા શેશભતેા નથી, તેમ ડાહ્યા કે આગળ પડતા માણસાની સભામાં અજ્ઞાની શે।ભતા નથી. તેને ઘણા ભાગે ચૂપ જ રહેવું પડે છે અને પાછલી બેઠકે બેસવું પડે છે. એમાં પ્રતિષ્ઠા શી ? આબરૂ શી ?
એક અજ્ઞાની મનુષ્યના હાથમાં રત્ન આવ્યુ` હાય તે તે શું કરે? તેને કાચના કકડા માની તેની સાથે રમ્યા કરે અથવા સવા શેર ગેાળ સાટે વેચી મારે. પછી તેની ઉન્નતિ કયાંથી થાય ?
કેટલાક મનુષ્યા એવી ફરિયાદ કરે છે કે અમને તક મળતી નથી. જો તક મળે તે અમે અમારું ખમીર બતાવી.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬
સંકલ્પસિદ્ધિ આપીએ, પણ તક તે હરઘડી સામે જ ઉભેલી હોય છે. જે તમે જ્ઞાનને સંચય કરી અંતરને અજવાળે તે એ તક તમને અવશ્ય દેખાશે અને તેને ઉપયોગ કરીને તમે ઉન્નતિ સાધી શકશો.
અહીં એ પણ વિચાર કરો કે તમે મનુષ્ય થયા, સમર્થ મન મળ્યું, તીવ્ર બુદ્ધિ મળી, હાથ-પગ આદિ સુંદર અવયે મળ્યાં, એ શું આગળ વધવાની ઓછી તક છે?
જો તમે વિદ્યાભ્યાસ આદિ સાધનોથી તમારી માનસિક શક્તિને વિકાસ કરે તો ઘણું ઘણું કરી શકે. આ દુનિયામાં જે કંઈ શેઠે થઈ છે, સુંદર કામો થયાં છે, અદ્ભુત વસ્તુઓ નિર્માણ થઈ છે, તે માનસિક શક્તિના વિકાસને આભારી છે.
અને તીવ્ર બુદ્ધિ શું નથી કરી શકતી? સસલાએ પિતાની બુદ્ધિને ઉપયોગ કરી એક મદોન્મત્ત સિંહને હરાવી દીધે, તેને કૂવામાં નાખ્યો અને પોતે સલામત બની ગયે. તે જ રીતે જેઓ બુદ્ધિ દોડાવે છે, તે વ્યાપાર-ધંધાની જમાવટ કરે છે, લક્ષમી ઉપાર્જન કરે છે અને પ્રતિષ્ઠિત મનુષ્યની પંક્તિમાં બિરાજે છે. બુદ્ધિમાન મનુષ્યને આ જગતમાં કોઈને ભય નથી, કેઈથી ડરવાપણું નથી. તે નિર્ભય રીતે પિતાનું જીવન જીવી શકે છે તથા જે પ્રકારની ઉન્નતિ સાધવી હોય તે સાધી શકે છે.
અને હાથ-પગનું મૂલ્ય જરાયે ઓછું આંકશે નહિ. તે તકને પકડવામાં કામ લાગે છે અને ઉન્નતિરૂપી નીસરણી પર ચડવામાં અતિ ઉપયોગી થઈ પડે છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનના સંચય
૧૨૭
તાપ કે તક મળતી નથી ’ એવી ફિરયાદમાં કંઈ વજુદ નથી. જે મનુષ્ય જ્ઞાની છે, તકને જોઈ શકે છે, અને તેના યથા ઉપયેગ પણ કરી શકે છે. તેથી જરૂરનુ એ છે કે જ્ઞાનના સચય કરેા અને જ્ઞાની અનેા.
એ વાત સાચી છે કે જ્ઞાનના સંચય એકદમ થતા નથી, તે ધીરે ધીરે થાય છે. પણ તેથી નિરાશ થવાનુ કારણ નથી. ધીમે ધીમે સંચિત થયેલું જ્ઞાન એક કાળે વિશાલ ભંડારરૂપ અની જાય છે અને તે અપૂર્વ ઉન્નતિનુ સાધન અને છે.
જ્ઞાનના સંચય કરવાનાં સાધના અનેક છે, પણ તેમાં પુસ્તકોનુ–સારાં પુસ્તકોનું સ્થાન આગળ પડતું છે. તે મિત્રાની ગરજ સારે છે, મુરબ્બીઓના ધર્મ બજાવે છે અને આપણને અવનવા જ્ઞાનની ભેટ ધરે છે. વળી કોઈ ક વાર તેઓ આપણા પ્રાણ પણ બચાવે છે અને એ રીતે જીવનદાતાનું કામ પણ
કરે છે.
એક મોટા અધિકારી પોતાના ઉપર અમુક માખતનુ કલક આવવાથી અત્યંત નારાજ થયા, તેમને જીવન અકારું, લાગ્યું અને તેમણે પેાતાની રિવાલ્વરમાં ગેાળીએ ભરી. તેને છાતી સામી કે લમણાં પર રાખી ઘેાડા દબાવે કે ગાળી સાંસરી નીકરી જાય અને તેમના જીવનના અંત આવી જાય, એમાં કોઈ શંકા ન હતી. પરંતુ એવામાં તેમની નજર ટેખલ પર ગઈ અને ત્યાં એક પુસ્તક જોવામાં આવ્યું. તેમને
આ પુસ્તક પ્રિય હતું, તેને તેએ અંતરથી આદર કરતા
Page #143
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
૧૨૮
હતા, એટલે તેનુ એક પાનું ઉઘાડ્યું, તે તેમાં નીચેના શબ્દો વાંચવામાં આવ્યા :
હું પુરુષ! જીવન એક અણુમેલ વસ્તુ છે. તે આજે ભલે અધકારમય ભાસે, પણ આવતી કાલે દિવ્ય રાશનીથી ઝળકી ઉઠશે. તારા માટે ઉજ્જવલ ભાવી નિર્માણ થયેલુ છે.’
અને તેણે આપઘાત કરવાના વિચાર માંડી વાળ્યેા. રિવાલ્વરમાંથી ગાળીઓ કાઢી નાંખી. પછી શાંત-સ્વસ્થ ચિત્ત પેાતાનુ કામ સંભાળ્યું. તેની લગભગ બાર મહિના સુધી કસોટી તા થઈ, પણ આખરે કલંકનું નિવારણ થયું, તેના કામની કદર થઈ અને તે ક્રમશઃ ઊંચા હેાદ્દાઓ પર ચડતાં પેાતાનું ભાવી ઉજ્જવલ બનાવી શકયો.
તાત્પર્ય કે સારાં પુરતો પ્રત્યે પ્રેમ કેળવવા, તેને આદર કરવા અને તેનું વાચન મનન-પરિશીલન કરવાની ટેવ પાડવી, એ ઉન્નતિના એક ઉમદા ઉપાય છે.
મહાત્મા ગાંધીજીએ જેલજીવનમાં સદગ્રંથાને જ પેાતાના મિત્રા અનાવ્યા હતા અને તેના સહારે તેઓ પેાતાને બધા સમય સુખ–ચેનમાં વ્યતીત કરી શકતા હતા. તેમણે સથાની ખૂબ જ પ્રશંસા કરી છે અને તેના પઠન-પાઠનમાં લીન રહેવા માટે ઘણા ભાર મૂકેલા છે.
અ'કિમચંદ્ર ચટોપાધ્યાય વારંવાર કહેતા કે સથિાનું વાંચન જેટલા આનદ આપી શકે છે, તેટલે આનંદ આ જગતની ખીજી કોઈ પણ વસ્તુ આપી શકતી નથી.’
'
Page #144
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન સંચય
૧૨૯ લોકમાન્ય ટિળકે એક સ્થળે કહ્યું છે કે “જ્યાં સદ્ગને વાસ હોય, ત્યાં સ્વર્ગ આપોઆપ ખડું થઈ જાય છે.”
વિદેશી વિદ્વાનોએ પણ સદ્ગથેની ભારે તારીફ કરી છે.
લેંગફડે જણાવ્યું છે કે મનુષ્યને સચ્ચાઈની રાહ પર લાવવા જે કઈ સાચું સાધન હોય, તો તે સદ્ગથે છે.”
જ્યોર્જ એસ, હિલાર્ડન એ શબ્દો છે કે “સગ્રંથે એ મિત્રહીન મનુષ્યના સાચા મિત્ર છે.”
જેસ કલાકે કહ્યું છે કે “ઉત્તમ ગ્રંથાએ જગતનું મહાન હિત કર્યું છે અને કયે જાય છે. ઉત્તમ ગ્રંથ આપણી આશાને જાગૃત રાખે છે, નવીન ઉત્સાહ આપે છે અને શ્રદ્ધાને સચેત કરે છે. વળી તે દુઃખને શાંત કરે છે, જીવન આદર્શ બનાવે છે, દૂર દૂરના યુગોને તથા દેશને સમીપ લઈ આવે છે, સૌંદર્યનું નવું જગત્ ઉત્પન્ન કરે છે અને સ્વર્ગમાંથી સત્ય લઈ આવે છે. આ બધી વસ્તુઓને જ્યારે હું વિચાર કરું છું, ત્યારે ઈશ્વરની આ બક્ષીસ માટે તેને અનેક ધન્યવાદ આપું છું.”
અમને પિતાને નાનપણથી જ પુસ્તકે પ્રત્યે ઘણો પ્રેમ હતે, તેથી સમજીએ કે ન સમજીએ તો પણ પુસ્તકે વિાંચ્યા જ કરતા. અમારે આ પુસ્તકપ્રેમ પિષવા માટે અમે અંગ્રેજી ચેથા ધોરણથી + એક પુસ્તકાલયના* મદદનીશ
+ હાલની પદ્ધતિએ સાતમી કક્ષાથી.
૪ આ પુસ્તકાલય અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયનું સમજવું. આ વખતે અમે ત્યાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦
સંકલ્પસિદ્ધિ
વ્યવસ્થાપક બન્યા હતા અને ગૂજરાત વિદ્યાપીઠના વિનીત થવા સુધીમાં તેનાં સેળસે ય પુસ્તક વાંચી કાઢયા હતા! આ બધાં પુસ્તકનું લખાણ તે ક્યાંથી યાદ રહે? તેને સાર યાદ રાખવું પણ મુશ્કેલ હતો, પરંતુ અમે તે પુસ્તકના રૂપ-રંગ તથા કદ બરાબર યાદ રાખી લીધાં હતાં, તેથી તેમાંનું કઈ પણ પુસ્તક અંધારામાં પણ બરાબર બહાર કાઢી શકતા હતા. પાછળથી આ બાબતના બે વાર પ્રયોગ થયેલા અને તેમાં અમે બરાબર પાર ઉતર્યા હતા. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે એ વખતે અમે અવધાની હતા નહિ કે અવધાનવિદ્યા અંગે કંઈ પણ માહિતી ધરાવતા નહિ. અવધાની–શતાવધાની છે અને ત્યારબાદ ઘણું લાંબા વખતે બન્યા.
જીવનની જટિલ સમસ્યાને ઉકેલ કરવા માટે અમારે ઓગણીશ–વીશ વર્ષની ઉંમરે ધંધે લાગવું પડ્યું, પણ ત્યાં યે અમારે પુસ્તકપ્રેમ ચાલુ રહ્યો. શરૂઆતના દિવસમાં તે અમે માત્ર એક વખત લેજમાં જમીને જે પૈસા બચાવતા હતા, તેમને મોટો ભાગ નવાં ઉપયોગી પુસ્તકો ખરીદવામાં કરતા હતા.
પછી લેખનની પ્રવૃત્તિ શરૂ થઈ એટલે પુસ્તકને પરિચય વધે. અહીં અમને સ્પષ્ટ કહેવા દો કે પુસ્તકોને અમે જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિ સમજીએ છીએ અને તેને ઈષ્ટદેવ જેટલે જ આદર કરીએ છીએ. કોઈ પુસ્તકને પછાડે, ફાડે, તેડે પગ લગાડે તે અમને બિલકુલ ગમતું નથી.
Page #146
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન સંચય
૧૩
આજે અમે પુસ્તકની વચ્ચે જ વસીએ છીએ. અન્ય શબ્દોમાં કહીએ તે અમારી આજુબાજુ તથા ઓરડામાં અનેક સ્થળે પુસ્તક પડેલાં હોય છે. આ જોઈને કેટલીક વાર કુટુંબીજને કંટાળે છે, પણ અમે તે તેને સરસ્વતીને પ્રસાદ માનીને તેનું બહુમાન કરીએ છીએ અને તેનાં દર્શનસહવાસથી અનેરો આનંદ માણીએ છીએ. ટૂંકમાં આ પુસ્તકેએ અમને ઘણું ઘણું આપ્યું છે અને અમારે જીવનરાહ મંગલમય બનાવ્યું છે, તેથી જ અમે તેની આટલી જોરદાર હિમાયત કરીએ છીએ.
વધારે ન બને તે જ કોઈ સારાં પુસ્તકનાં બે પાનાં વાંચવાં અને એ રીતે જ્ઞાનને સંચય કરે, પણ તેના પ્રત્યે ઉપેક્ષા–બેદરકારી કરવી નહિ. જે રેજનાં બે પાનાં વાંચે, તે એક મહિને સાઠ પાનાં વાંચી શકે છે અને બાર મહિને સાત વીસ પાનાં વાંચી શકે છે. જે આ કમ વધારે નહિ પણુ પાંચ જ વર્ષ ચાલુ રહે તો એ પાનાંની સંખ્યા છત્રીસ સુધી પહોંચે છે. વિચાર કરે કે આ રીતે કેટલા જ્ઞાનને સંચય થઈ શકે ?
સારા શિષ્ટ માસિકે પણ આપણે જ્ઞાનની વૃદ્ધિ કરી શકે છે અને સાપ્તાહિક વગેરે પણ તે માટે ઉપયોગી થઈ
વિદ્વાનોનો સંપર્ક, જ્ઞાનગોષ્ટી, મિજલસે, પરિષદ, પ્રદર્શન તથા પર્યટને પણ જ્ઞાનપ્રાપ્તિનાં સાધને છે, તેથી અનુકૂલતા મુજબ તેનો લાભ લેવા જોઈએ.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સંકલ્પસિદ્ધિ શામાં કહ્યું છે કે “ન જ્ઞાનેન સદર્શ પવિત્રમિટ્ટ વિદ્યતે–આ લોકમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ નથી.” “જ્ઞાના-મોક્ષરતતોડનાપુત્રાતિર્ન સંરચઃ -જ્ઞાનથી મોક્ષ મળે છે અને તેથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે, તેમાં કોઈએ કશે પણ સંશય રાખ નહિ.” - હવે તમે જ કહો કે આવા જ્ઞાન પ્રત્યે આપણે કેવી અને કેટલી ચાહના રાખવી જોઈએ?
ઉન્નતિના ઉમેદવારેએ જ્ઞાનને સંચય કરવામાં જરા પણ આળસ કરવી નહિ.
Page #148
--------------------------------------------------------------------------
________________
[૧૨] નિયમિતતા
મનુષ્ય શિક્ષિત હોય, આશાવાદી હોય, પુરુષાર્થ કરવાને તત્પર હોય, પણ કેઈ કાર્ય નિયમિત કરવાને ટેવાયેલે ન હોય, તો તે ભાગ્યે જ આગળ વધી શકે છે. વધારે સ્પષ્ટ કહીએ તો અનિયમિતતા એ મનુષ્યની એક એવી કુટેવ છે. કે જે તેના બધા ગુણોને ઢાંકી દે છે અને તેને પીછેહઠ કરવાની ફરજ પાડે છે, એટલે આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય, ઉન્નતિ સાધવી હોય, તે અન્ય ગુણોની જેમ નિયમિતતા પણ અવશ્ય કેળવવી જ જોઈએ. | ગમે ત્યારે સૂવું, ગમે ત્યારે ઉડવું, ગમે ત્યારે નાવું અને ગમે ત્યારે ખાવું, એ કંઈ સારી ટેવ કે સારું આચરણ નથી. તેથી અવ્યવસ્થા પેદા થાય છે, પિતાનું આરોગ્ય કથળે છે અને કુટુંબીજનો તકલીફમાં મૂકાય છે. જેઓ શહેરમાં રહે છે અને મર્યાદિત સ્થાનમાં રહીને પિતાને વ્યવહાર ચલાવે છે, તે જે કઈ વ્યક્તિની આવી અનિયમિતતા સહન કરી લે તે તેનું આખું વ્યવસ્થાતંત્ર તૂટી પડે છે, એટલે આવી
Page #149
--------------------------------------------------------------------------
________________
-
૧૩૪
સંકલ્પ સિદ્ધિ વ્યક્તિ પ્રત્યે તેમને અણગમો થાય છે, તેની સાથે લડવાને પ્રસંગ આવી પડે છે. પછી તેને માટે માન કે પ્રેમ તો રહેજ ક્યાંથી? તાત્પર્ય કે જેમને ઉન્નતિ સાધવી છે, તેમને તે આવી ટેવ–આ પ્રકારની અનિયમિતતા પરવડે જ નહિ.
આપણુ બાપદાદાઓ લગભગ દશ વાગે સૂઈને પ્રાતઃ કાલમાં પાંચ વાગે ઉઠી જતા અને પ્રભુસ્મરણ આદિ કરીને પિતાનાં કામે લાગી જતાં. આથી તેઓ બધાં કામને પોંચી વળતા. અમને પિતાને છાત્રાલયમાં પાંચ વાગે ઉઠી જવાની ટેવ પાડવામાં આવેલી, તે અમને જીવનમાં ઘણી ઉપયોગી થઈ પડેલી છે. ખાસ કરીને લેખનકાર્ય માટે એ સમય ઘણો અનુકૂળ હોવાથી અમને વિશેષ લાભ થ છે.
આજે કોણ જાણે કેમ, પણ મોડા સૂઈને મોડા ઉઠવાની ટેવ વધતી જાય છે અને તેનું પરિણામ આરોગ્ય, બુદ્ધિ અને ધન એ ત્રણે ય વસ્તુ પર ખરાબ આવી રહ્યું છે.
કેટલાક કહે છે કે અમને વહેલા ઊંઘ આવતી નથી, એટલે અમે ગમે તેમ કરીને રાત્રિના બાર-સાડાબાર વગાડીએ છીએ અને પછી સૂઈ જઈએ છીએ, એટલે સાત-સાડાસાતથી વહેલા ઉઠાતું જ નથી. પણ ટેવ પાડી પડે છે. જે તમે મનમાં દઢ સંકલ્પ કરે કે “હવેથી હું વહેલે સૂઈશ” અને તે રીતે પથારીમાં પડે તે ધીમે ધીમે વહેલા સૂઈ શકો છો અને વહેલા ઉઠી શકે છે.
પ્રાતઃકાલની મુખ્ય કિયા પ્રભુસ્મરણ, બ્રહ્મચિંતન કે આત્મજાગરિકા છે. પ્રભુસ્મરણ એટલે પ્રભુને-ઈશ્વરને-પર
Page #150
--------------------------------------------------------------------------
________________
નિયમિતતા
૧૩૫
"
માત્માને યાદ કરવા અને તેનું પવિત્ર નામ લેવું, બ્રહ્મચિંતન અટલે બ્રહ્મ સંબંધી ચિંતન કરવું, જેમકે હું બ્રહ્મસ્વરૂપ છુ અને આ જગત્ મિથ્યા છે. માટે આ જગતના સ્થૂલ વ્યવહારેોમાં અટવાઈ ન પડતાં મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરવા જોઇએ, વગેરે. આત્મજાગરિકા એટલે આત્મા અંગે જાગરણ-જાગૃતિ.” તેમાં ‘હું કયાંથી આવ્યા ? ક્યાં જવાના ? મેં અત્યાર સુધીમાં કરવા યાગ્ય શુ કર્યું ? અને શું ન કર્યું ?” તેના વિચાર કરવાના હોય છે. પરંતુ અનેિમિતપણે સૂનારા અને અનિયમિતપણે ઉડનારા આમાંનુ કંઈ કરી શકતા નથી અને જે માનવજીવનને દિવ્ય ભાવાથી દેદીપ્યમાન કરવું જોઇએ, તેને પશુભાવમાં રગડી પાશવી મનાવી દે છે.
જ
ઉઠતાંની સાથે પ્રભુનું નામ લેવાને બદલે કે બ્રહ્મચિંતન અથવા આત્મજાગરણ કરવાને બદલે ચાદેવીનું સ્મરણ કરવુ અને તેના એક કે બે પ્યાલા પેટમાં પડે, પછી જ પથારી નીચે પગ મૂકવા એને પશુભાવ નહિ તે ખીજું શું કહીએ ? પશુએ ઉડતાંની સાથે જ ઘાસમાં મેઢું નાખે છે અને તેમના એ પ્રકારના વ્યવહાર બધે વખત ચાલ્યા કરે છે.
મનુષ્યને વિચારશક્તિ મળી છે, એટલે તેણે પેાતાનાં વ્યના વિચાર કરવા જોઈએ અને પાતે જે કુટેવાને ભાગ થઈ પડ્યો હાય, તે સુધારી લેવી જોઈ એ.
ન્હાવા-ધાત્રામાં નિયમિતતા રાખવાથી શરીર તથા મન પ્રસન્ન રહે છે અને પૂજા-પાઠ આદિ જે કઈ ધાર્મિક આચરણ કરવું હેાય તે સારી રીતે થઈ શકે છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
જેએ ગમે ત્યારે ખાય છે, ગમે તે ખાય છે અને ગમે તેટલું ખાય છે, તેમને વિવિધ પ્રકારની બિમારીઓ લાગુ પડે છે અને તેથી તેમની બધી ઈચ્છાઓ-આશાએ પર પાણી ફરી વળે છે. નિયમિત ભાજન કરનારા, પેાતાને અનુકૂળ પદાર્થો જ ગ્રહણ કરનારા તથા પરિમિત પ્રમાણમાં તેનું સેવન કરનારા ભાગ્યે જ બિમાર પડે છે અને કદાચ બિમાર પડે તે થાડા જ ઉપચારે સારા થઈ જાય છે. જ્યારે અનિયમિતતાના પનારે પડેલાની હાલત બહુ ખૂરી હોય છે. બિમારી તેના પીછે છેડતી નથી, એટલું જ નહિ પણ તે નવા નવા સ્વરૂપે તેના પર આ હુમલા કર્યાંજ કરે છે.
૧૩૬
નોકરી-ધ ́ધામાં નિયમિતતા ન જાળવવાનું કેવું પરિણામ આવે, તે વિચારી જુએ. તમે કોઈ નોકરીના સ્વીકાર કર્યાં પછી નિયમિત સમયે હાજર ન થાએ કે નિયમ પ્રમાણે કામ ન કરો તેા એ નાકરી ટકે ખરી ? અને તમારા જીવનનિર્વાહ એ નાકરીને આધારે જ થવાના હોય તે પરિણામ શું આવે? તમારે તથા તમારા કુટુંબીજનાને દુઃખી હાલતમાં જ દિવસે પસાર કરવા પડે અને બીજાની યા પર નભવાને વખત આવે. એક સુન્ન-શાણા મનુષ્ય તરીકે તમે આ પરિસ્થિતિને પસદ કરી ખરા ?
ઘરના ધંધામાં પણ નિયમિત હાજરી આપવાનું તથા નિયમ અનુસાર કામ કરવા-કરાવવાનું એટલુ જ જરૂરી છે. જો દુકાન કે પેઢી પર માટા ભાગે ધણીની ગેરહાજરી રહેતી હાય તેા એ દુકાન કે પેઢી રળતી નથી. તેના બધા નફો
Page #152
--------------------------------------------------------------------------
________________
નિયમિતતા
૧૩૭ આટાલૂણમાં તણાઈ જાય છે. ધણી વિનાનાં ઢેર સૂનાં” એ કહેવત એમને એમ પડેલી નથી. જે નોકરે રળીને દેતા હોય તે જોઈએ શું? માલીકની નિયમિત હાજરી હોય તે જ નોકરે સમયસર અને સારું કામ કરે છે, કઈ વસ્તુ આઘી–પાછી કરી શકતા નથી અને ઉઘરાણી વગેરે પર પૂરતું ધ્યાન આપે છે. અન્યથા “જેના હાથમાં તેની બાથમાં” એ કારભાર ચાલે છે અને છેવટે “લાખના બાર હજાર થાય છે. ત્યાં ઉન્નતિની આશા તે રખાય જ ક્યાંથી?
કેઈએ મળવા માટે સમય આપ્યું હોય અને તે સમયે ત્યાં જઈએ નહિ, તે ધાર્યું કામ થતું નથી અને પ્રતિષ્ઠાને મેટો ધકકે પહોંચે છે. અથવા આપણે કેઈને મળવા માટે ચોક્કસ સમય આપ્યું હોય, પણ એ સમય સાચવીએ નહિ, આઘા–પાછા થઈ જઈએ અને એ વ્યક્તિને ખોટો ધકકે પડે, ત્યારે તેને ઘણું દુઃખ થાય છે, તેને સમય બગડે છે અને તેને આપણી નિષ્ઠા કે પ્રામાણિક્તા વિષે શંકા ઉપજે છે, એટલે આપણે આપણું અન્ય કાર્યોમાં નિયમિત રહી આ સમય સાચવવો જ જોઈએ અને તે જ એક વ્યક્તિ તરીકે આપણી તેના પર છાપ પડે છે તથા આપણો તેની સાથે વ્યવહાર બરાબર ચાલે છે. ઘણું કામે ભેગાં કરીને કેઈનું કામ સમયસર ન કરવું, તેના કરતાં શેડાં કામે હાથ પર ધરીને તે દરેકને સમયસર પાર પાડવું, એ વધારે ડહાપણભરેલે વ્યવહાર છે. સરવાળે તેનાથી મોટો લાભ થાય છે. જે નિયમિત છે, સમયસર કામ આપવાને ટેવાયેલ છે, તેને ગ્રાહકેને તેટો કદી પડતો નથી.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સંકલ્પસિદ્ધિ
કેટલાક માણસે નિયમને બંધન માની કઈ પણ પ્રકારના નિયમોને સ્વીકાર કરતા નથી અને નિયમિત બનવાને પ્રયાસ કરતા નથી, પણ તે એમની ગંભીર ભૂલ છે. નિયમો એક પ્રકારનું બંધન તો છે જ, પણ તે બંધન એવું છે કે જે આપણું વ્યવસ્થાતંત્ર ઘડી આપે છે અને તેથી આપણે સધળે જીવનવ્યવહાર સરળતાપૂર્વક ચાલે છે.
સૂર્ય અને ચંદ્ર નિયમિત ઉગે છે અને આથમે છે. નક્ષત્ર અને તારાઓને ઉદય-અરત પણ નિયમિત રીતે થાય છે. સાગરમાં ભરતી અને ઓટ નિયમ પ્રમાણે આવ્યા કરે છે તથા અતુઓ પણ નિયમ પ્રમાણે આવે છે અને નિયમ પ્રમાણે જાય છે. અને તેથી જ આ વિશ્વ નિયમિત રીતે પિતાનું કાર્ય કરતું જણાય છે. જે સૂર્ય આદિ નિયમિત રીતે ઉગવાનું માંડી વાળે, સાગરમાં ભરતી કે ઓટ નિયમ પ્રમાણે આવે નહિ કે હતુઓ અનિયમિત બની જાય, આથી પાછી થઈ જાય, તે તેનું પરિણામ શું આવે?
તે જ રીતે જગતને સર્વ માનવકૃત વ્યવહાર પણ નિયમિતતાને આધીન છે. તેમાં કંઈ પણ ગડબડ થઈ તે એ
વ્યવહારનું માળખું તૂટી પડે છે અને તેના લીધે મનુષ્યને ઘણું સહન કરવું પડે છે. મોટા શહેરોમાં ગાડીઓ અને બસે મારફત અવરજવર થાય છે. હવે તે ગાડીઓ કે બસ અનિયમિત બની જાય તે કારખાનાઓ, સરકારી તંત્ર આદિ સઘળું કામ અટવાઈ જાય, કારણ કે તેમાં કામ કરનારા માણસે ત્યાં પહોંચી શકે જ નહિ. હડતાળ વગેરેના સમયમાં
Page #154
--------------------------------------------------------------------------
________________
નિયમિતતા
૧૩૯ લેઓને કેટલી હાલાકી વેઠવી પડે છે, તે આપણું કેઈથી અજાણ્યું નથી. આ બધા પરથી મનુષ્ય નિયમિતતાને બેધપાઠ કેમ ન લે ?
ચારિત્રનું ચણતર નિયમિતતા વિના થતું નથી અને એ ચણતરના અભાવે કદી પણ આગળ વધી શકાતું નથી. શ્રી હરિભાઉ ઉપાધ્યાયે એક સ્થળે કહ્યું છે કે “જે મનુષ્યો પિતાના માટે નિયમો ઘડતા નથી, તેમને માટે બીજાને નિયમો ઘડવા પડે છે. તાત્પર્ય કે મનુષ્ય પિતાનું ચારિત્ર નિર્માણ કરવા માટે કેટલાક નિયમો અવશ્ય ઘડવા જોઈએ અને તેનું ચીવટાઈથી પાલન કરવું જોઈએ. નહિ તો લાગતાવળગતાને તેમના પર નિયમનું બંધન લાદવું પડે છે અને એ સ્થિતિ આનંદજનક નથી જ.
જે માણસ નિયમિત કામ કરે છે, તે દોટું કામ કરી શકે છે અને કઈ પણ કામને ઝડપી ઉકેલ લાવી શકે છે; જ્યારે અનિયમિતપણે કામ કરનાર ધાર્યા કરતાં બહુ ઓછું કામ કરી શકે છે અને નહિ ધારેલા ગુંચવાડાઓને નેતરે છે.
જે રેજના કામને જ નિકાલ થતો હોય તો મને પર ભાર રહેતો નથીએટલે કે તે કામ પ્રસન્નતાપૂર્વક થાય છે, જ્યારે અનિયમિતપણને લીધે વધારે પડતું કામ ભેગું કરી નાખ્યું હોય તે મન પર તેને બે જે રહે છે અને તેનો નિકાલ કરતાં કંટાળો આવે છે, એટલે તેમાં ભૂલે થવાને કે છબરડા વળવાને સંભવ વધારે રહે છે. જવાબ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪
સંકલ્પ સિદ્ધિ દારી ભરેલાં કામમાં તે આવું ચાલી શકે જ નહિ. તાત્પર્ય કે આ સગામાં નોકરી કે કામધંધા પરથી છૂટું થવું પડે છે અને ઉન્નતિની સર્વ આશા ઓસરી જાય છે.
અહીં એટલી સ્પષ્ટતા ઉચિત છે કે “શી ઉતાવળ !” કાલે વાત” “પછીથી કરી શું” “એતે ચાલ્યા કરે “આજે મન થતું નથી વગેરે વિચારેને અમે વિષતુલ્ય સમજીએ છીએ, કારણ કે તે ઉત્સાહના પ્રાણ હરી લે છે અને આપણે જે સમયપત્રક બનાવ્યું હોય તેને ઊંધું વાળી નાંખે છે. આ નીતિ-રીતિથી કઈ પણ કાર્ય નિર્ધારિત સમયે પૂરું થતું નથી અને તે આપણને યશ કે લાભ આપી શકતું નથી.
જે આપણે આગગાડી દ્વારા મુસાફરી કરવા ધારી હેય તે સમયસર સ્ટેશને પહોંચવું જોઈએ અને જે વર્ગની ટીકીટ લીધી હોય તે વર્ગના ડબ્બામાં દાખલ થઈ જવું જોઈએ. તેના બદલે સ્ટેશને મોડા પહોંચીએ અને ગાડીને ઉપડી ગયેલી જતાં તેને પકડવા પાછળ દોડીએ તે તેથી શો દહાડે વળે? તાત્પર્ય કે જે કામ જે સમયે કરવાનું હોય, તે કામ તે સમયે જ કરવું જોઈએ અને એક યા બીજા બહાના આગળ ધરીને તેને મુલતવી રાખવું ન જોઈએ. “મુલતવી રાખવાનાં માઠાં ફળ” એ ઉક્તિ તે સુજ્ઞ પાઠકેએ સાંભળી જ હશે.
અહીં એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે નિયમિતતાથી સંકલ્પશક્તિ કેળવાય છે અને ગમે તેવાં કઠિન કાર્યો પાર પાડવાની હામ આવે છે. તથા તે સહે
Page #156
--------------------------------------------------------------------------
________________
નિયમિતતા
કામ
લાઈથી પાર પાડી શકાય છે, જ્યારે કરનારનું સંકલ્પમળ મઢ પડી જાય છે આત્મશ્રદ્ધાના પણ લાપ થઈ જાય છે. તેથી ઉન્નતિના ઉમેદવારોએ પ્રારભથી જ દરેક કામમાં નિયમિત થવાની ટેવ પાડવી જોઈએ અને પેાતાને હસ્તક જે કઈ વ્યાપાર-ધંધા તથા સંસ્થાના વહીવટ હેાય તેમાં પણ પૂરતું નિયમન લાવવાના પ્રયાસ કરવા જોઈ એ.
અંગ્રેજ પ્રજાએ આ ગુણ સારા પ્રમાણમાં કેન્યેા છે. યુરોપ તથા અમેરિકાના લોકો પણ નિયમિતતાને ખૂબ માન આપનારા છે અને તેથીજ તે બધા ઘણા આગળ વધી શક્યા છે. આપણે ત્યાં મહાત્મા ગાંધીજી તથા પંડિત જવાહરલાલ નહેરૂ વગેરેએ ઉત્તમ પ્રકારની નિયમિતતા કેળવી આપણને એક સુંદર આદર્શ પૂરા પાડ્યો છે.
એ વાતમાં કોઈજ શંકા નથી કે જયાં ઉચ્ચ કૈાટિનુ નિયમન હોય છે, ત્યાં સિદ્ધિ કે સફ્ળતા અવશ્ય સાંપડે છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૩ ] સમયનું મૂલ્ય
"
જે મનુષ્યા સમયને આ જગતની એક બહુમૂલ્ય વસ્તુ સમજે છે અને તેની ક્ષણે ક્ષણના પળે પળના ઉપયાગ કરે છે, તેઓ પેાતાની આર્થિક સ્થિતિ સુધારી શકે છે, ધંધારાજગારની જમાવટ કરી શકે છે, વિવિધ વિષયાનુ જ્ઞાન સપાદન કરી શકે છે તથા મહાન સાહિત્યકાર, મહાન કલાકાર કે નેતા આદિ બની શકે છે. અને આંતરિક વલણ અધ્યાત્મ તરફ હાય તા મહાન સાધક, મહાન સંત, ભક્ત કે ચેાગી મનીને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકે છે. ખરેખર ! આ જગતમાં સમયના સદુપયોગ કર્યા વિના કોઈ મહાન બની શક્યું નથી અને ખની શકવાનું નથી, તેથી જ ઉન્નતિના ઉમેદવારોને અમે ભારપૂર્વક કહીએ છીએ કે તમે સમયનું મૂલ્ય સમજો,
સામાન્ય રીતે માળપણુ ક્રીડામાં વ્યતીત થાય છે, પણ બાળકને નવરાશના સમયમાં કોઈપણ જાતનું કામ કરવાની ટેવ પાડી દીધી હાય તા તેઓ કામગરા થાય છે અને અનેક
Page #158
--------------------------------------------------------------------------
________________
સમયનું મૂલ્ય
૧૪૩.
પ્રકારની કલા-કારીગરી શીખી જાય છે. પ્રહૂલાદે બાળપણથી જ સમયને સદુપયોગ કરવા માંડ્યો અને પિતાનું ચિત્ત પરમાત્મામાં જોડી દીધું છે તે ઈશ્વર-સાક્ષાત્કારને પોતાનો સંકલ્પ સિદ્ધ કરી શક્યો અને ઇતિહાસમાં અમર થઈ ગયો.
જાપાન વગેરે દેશોમાં બાળકને નાનપણથી જ સમયને સદુપયોગ કેમ કરે ? એ શીખવવામાં આવે છે અને તેથી ત્યાંની પ્રજા ખૂબ ઉગી બની ગઈ છે. પરિણામે તે પોતાની શારીરિક, માનસિક તથા આર્થિક ઉન્નતિ સાધી શકી છે. જે કઈ જાપાનને પ્રવાસ કરે છે, તેના પર ત્યાંની પ્રજાની આ પ્રકારની છાપ પડ્યા વિના રહેતી નથી.
ઈગ્લાંડ, યુરોપના દેશ તથા અમેરિકા વગેરેના લોકો પણ સમયનું મૂલ્ય ખૂબ જ આંકે છે અને “Time is money-સમય જ પૈસો છે” એમ કહીને તેનું ગૌરવ કરે છે. આપણા દેશમાં પણ સમયનું મૂલ્ય ઓછું અંકાયેલું નથી, પરંતુ આજે આપણું વ્યવહારમાં તે અંગે કેટલીક શિથિલતા આવી ગઈ છે અને તે આપણું ઉન્નતિને રાહ રિકી રહી છે.
મૈસને કહ્યું છે કે “સમયની હરેક ક્ષણ સુવર્ણના કણની માફક બહુમૂલ્ય છે.” તાત્પર્ય કે સમયના નાના ટુકડાઓને નકામા કે નિરર્થક ગણી તેની ઉપેક્ષા કરવી, એ મેટી ભૂલ છે. સમયના એ નાનકડા ટુકડાઓમાં તે ઘણું ઘણું થઈ શકે છે. ગેલીલિયોએ અવકાશના સમયને સારે ઉપયોગ કર્યો હતો અને પરિણામે તે કેટલીક મહત્વની શોધ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સકસિદ્ધિ
સમયના ટુકડાઓના કેબીન ' નામના
કરી શકયો હતો. મેરિયન હેાલેન્ડ સદુપયોગ કરવાથી જ અંકલ ટોમ્સ ૮ ' અતિ લોકપ્રિય ગ્રંથ લખી શકી હતી. સદુપયેાગ થાય તે માટે ગ્લેડસ્ટન પેાતાના ગજવામાં કોઈ ને કોઈ પુસ્તક રાખતા.
મીનીટે મીનીટના
તેણે કહ્યું છે કે ‘મારું કહેવુ. ખરૂ માનજો કે તમારા સ્વપ્નમાં પણ જેના તમને ખ્યાલ નહિ હેાય તેવા વ્યાજના વ્યાજ સાથે સમયની કરકસરના લાભ તમને પાછલી જીંદગીમાં મળશે. સમય ગુમાવવાથી માણસને માનિસક તેમજ નૈતિક બાંધા વધારેમાં વધારે, આપણે ધારીએ તેના કરતાં પણ વધારે ઉતરી જાય છે. ’
‘ જુવાનીનું રળેલુ' વૃદ્ધાવસ્થામાં કામ લાગે છે ' એ કહેવતમાં પણ લગભગ આવેા જ ભાવ રહેલા છે. જે મનુષ્યા પાતાની જુવાનીના દિવસેામાં સમયને સાવધાનીપૂર્વક ઉપયાગ કરે છે અને સારી રીતે ધન કમાય છે, તેને વૃદ્ધાવસ્થામાં ખૂબ રાહત મળે છે. અને જેએ જુવાનીમાં દીવાના બની પેાતાના કિંમતી સમયને ગમે તેમ વેડફી નાખે છે અને ધનના સંચય કરતા નથી, તે પેાતાની વૃદ્ધાવસ્થામાં ખૂબ ખૂબ પરસાય છે. પરંતુ પછી દહાડા વળતા નથી.
સંત તુલસીદાસજીએ કહ્યું છે કેका बरखा जब कृषी सुखाने । समय चूकिं पुनि का पछताने ||
Page #160
--------------------------------------------------------------------------
________________
સમયનું મૂલ્ય
૧૪પ ખેતી સૂકાઈ ગયા પછી વર્ષા આવે તે શા કામની? સમય ચૂકી ગયા પછી પરત કરીએ તે શા કામને? * તાત્પર્ય કે સમય હાથ પર હોય ત્યારે જ કરવા ગ્ય કરી લેવું જોઈએ.
શેકસપિયરનું એ માનવું હતું કે “જે સમયને ! બરબાદ કરે છે, તેને સમય બરબાદ કરે છે. એટલે સુજ્ઞ, મનુષ્ય કદી પણ સમયને બરબાદ કરે નહિ .
બે ઘડી આનંદ-વિનોદ કરીએ અને મનને હલાવીએ એ ઠીક છે, પણ હતુરહિત નિરર્થક પ્રવૃત્તિઓ કરીને સમયની બરબાદી કરીએ, તે કઈ રીતે ક્ષમ્ય નથી. ખરી વાત તો એ છે કે સુજ્ઞ મનુષ્ય પોતાના જીવનનું ધ્યેય નક્કી કરી તેને સિદ્ધ કરવાનો દઢ સંકલ્પ કરી લેવો જોઈએ અને સર્વ પ્રવૃત્તિઓ તેને અનુસરીને જ જવી જોઈએ. ઘડીમાં ઉત્તર, ઘડીમાં દક્ષિણ, ઘડીમાં પૂર્વ અને ઘડીમાં પશ્ચિમ એ પ્રકારે પ્રવાસ કરનાર જેમ ગંતવ્ય સ્થાને પહોંચી શકતો નથી, તેમ ધ્યેયરહિત પ્રવૃત્તિ કરનારે કદી સિદ્ધિ કે સફલતા વરી શકતો નથી.
ઓરીસન સ્વેટ માર્ડને જણાવ્યું છે કે “દરેજના એક કલાકના સદુપયોગથી દશ વર્ષમાં ગમે તે અભણ માણસ પણ સારા જ્ઞાનવાળી થઈ શકે. એક કલાકમાં એક
કરો અગર કરી વિચારપૂર્વક વીશ પાનાં અને એક વર્ષમાં સાત હજાર પાનાં અગર અઢાર મેટાં પુસ્તક વાંચી શકે.”
એક-બે કલાકમાં તે શું ? એમ કહીને જેઓ પિતાને સમય અહીં-તહીં રખડવામાં, ટોળ-ટિખળ કરવામાં,
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સંકલ્પસિદ્ધિ
તથા લખાણને
ખાદી પહેરવાની
કે અમે દર
ગપ્પાં મારવામાં કે નિરર્થક વાદવિવાદ કરવામાં ગાળે છે, તેમણે ઉપરની હકીક્ત પર વારંવાર વિચાર કરવા જેવું છે.
કેટલાક લોકો કહે છે કે અમને સમય મળતું નથી, પણ તેઓ પિતાનું સમયપત્રક બરાબર ગોઠવે અને પિતાને સમય નિરર્થક ન જાય, તેની કાળજી રાખે તે અમુક સમય જરૂર મેળવી શકે અને તેને સદુપયોગ કરીને લાભાન્વિત થઈ શકે. વિદ્યાર્થી અવસ્થામાં મહાત્મા ગાંધીજીનાં વક્તવ્ય તથા લખાણોને પ્રભાવ અમારા મન પર ખૂબ જ પડ્યો હિતે અને તેથી અમને ખાદી પહેરવાની ઉત્કટ ઈચ્છા થઈ હતી. પણ તે માટે પાસે પૈસા ન હતા, એટલે અમે દર રવિવારે સવારે નવજીવન વેચવા જવાનો નિર્ણય કર્યો અને એ રીતે અમને સવાથી દોઢ રૂપિયે મળવા લાગ્યો. આ રીતે સાત-આઠ અઠવાડિયામાં અમે ૧૦ રૂપિયા જેટલી મૂડી ભેગી કરી હતી અને તેમાંથી ખાદી ખરીદીને પહેરણ તથા ટોપી શીવડાવ્યાં હતાં અને તે શરીર પર ધારણ કરીને ઊંડે આત્મસંતોષ અનુભવ્યો હતો. તાત્પર્ય કે જે મન પર લઈએ તે અમુક સમય કાઢી શકાય છે અને તેને સદુપયોગ કરી લાભાન્વિત થઈ શકાય છે.
બ્રયરનું કહેવું છે કે “જે લોકો સમયને અધિક દુwગ કરે છે, તે જ સમયના અભાવની સહુથી વધારે ફરિયાદ કરે છે.”
ખાયેલું આગ્ય પાછું મેળવી શકાય છે, ખયેલું ધન પણ પાછું મેળવી શકાય છે અને ખોયેલ અધિકાર
Page #162
--------------------------------------------------------------------------
________________
સમયનું મૂલ્ય
૧૪૭
પણ પાછો મેળવી શકાય છે, પરંતુ ખાયેલા સમય પાછે મેળવી શકાતા નથી. જે વિસા ગયા તે ગયા, જે રાત્રિએ ગઈ તે ગઈ. જો કોઇ ગયેલા દિવસ કે ગયેલી રાત્રિ પાછી લાવી શકતા હાય તે તે જોવાને અમે આતુર છીએ.
નાયલ પેટનના એ શબ્દો છે કે · મનુષ્યની જીંદગીના દરેક કલાકમાં તેનાથી અને તેવુ ખાસ કામ કરવાનુ હાય છે. આખી જિંદગીના ખીજા કોઇ પણ કલાકમાં તે કામ થઈ શકે એવું હાતુ નથી. એક કલાક ગયેા, તે ગયા જ.
"
આપણા જીવનમાં એક વર્ષે, એક માસ, એક પક્ષ, એક સપ્તાહ, અરે ! એક દિવસ ઉમેરવા ચાહીએ તેા ઉમેરી શકાય છે ખરો ? જે ઉમેરી શકાતા ન હેાય તે જીવનના કોઈ પણ દિવસ વેડફી નાખવેા, એ નરી મૂર્ખતા છે. અહી અમને એક લેાકકથા યાદ આવે છે.
કોઈ રાજરાણી કહી રહી છે :
ખોળે ભરી છે સુખડી, પાનનાં બીડાં હત્ય; જળહળ જ્યાતિ જગમગે, કેમ અલૂણા કથ ?
'
• હું સ્વામિન્ ! આપણી પાસે ખાવાને માટે વિવિધ પ્રકારની મીઠાઇઓ અને મેવા તૈયાર છે. વળી આપણા હાથમાં કેસર, કસ્તૂરી, અબર વગેરે સુગંધી મૂલ્યવાન પદાર્થોથી બનાવેલાં પાનનાં બીડાં મુખમાં મૂકવા માટે તૈયાર છે. તેમ આપણી ચારે ય બાજુ રિદ્ધિસિદ્ધિને અગમગાટ થઈ રહ્યો છે, છતાં તમે ઉદાસીન કેમ છે ?'
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સંકલ્પસિદ્ધિ ઉત્તરમાં રાજા પિતાના મસ્તક પર ઉગેલા એક શ્વેત વાળને દર્શાવતાં કહે છે :
સંદેશ લઈ આવીએ, મૃત્યુદૂત આ વાર; દુમન આવી પહોંચશે, જવું પડશે જમદ્વાર.
કહે રાણી ! તમે કહી એ વાત ઠીક છે, પણ આ મેવામીઠાઈમાં, આ તંબેલમાં ને આ રિદ્ધિસિદ્ધિમાં અમને રસ ક્યાંથી આવે? કારણ કે આ મૃત્યુને દૂત સંદેશ લાવ્યો છે, એટલે થેડી વારમાં જીવનને દુશ્મન-કાલ આવી પહેચશે અને અમારે યમદ્વારે જવું પડશે, એ નિશ્ચિત છે.”
એ સાંભળીને રાણી મસરથી કહે છે: દેઈશ જમને લાંચડી, કરીશ લાખ પસાય; આપીશ કરની મુદ્રિકા, (મમ) પિયુને કેણુ લઈ જાય?
સ્વામિજી ! એમાં તમે ગભરાઓ છે શું ? આપણી પાસે લક્ષ્મી ઘણી છે, તેથી જમને લાંચ આપીશ તથા તેના પર બીજી અનેક રીતે મહેરબાની કરીશ અને તેમ છતાં નહિ માને તે મારા હાથમાં રહેલી મણિયમ મુદ્રા આપી દઈશ, પણ તમને કઈ રીતે લઈ જવા નહિ દઉં. હું જોઉં છું કે તે તમને કેવી રીતે લઈ જાય છે ? - રાજા શાંત છે, શાણો છે, તે ઠાવકાઈથી કહે છેઃ ઘેલી થા મા સુંદરી, ઘેલા બેલ ન બેલ; જે જમ લેવત લાચડી, જગમાં મરત જ કેણુ?
Page #164
--------------------------------------------------------------------------
________________
સમયનું મૂલ્ય
૧૪૯
હે સુંદરી ! તું ઘેલી થા મા અને આ રીતે ઘેલાં વેણ બેલ મા. જે જમ કે લાંચ-રૂશ્વત લેતા હતા તે આ જગતમાં કોણ મરત? અર્થાત્ કઈ મરત જ નહિ.”
તાત્પર્ય કે મનુષ્યનું જેટલું આયુષ્ય હોય છે, તેટલું જ તેનું જીવન ટકે છે અને તે દરમિયાન તેણે પિતાના જે જે મનેર–સંકલ્પ હોય, તે સિદ્ધ કરી લેવાના છે. એટલે તેણે સમયને એ રીતે ઉપગ કરવો જોઈએ કે જેથી તેને એક પણ દિવસ, અરે તેની એક પણ પળ નકામી જાય નહિ.
કેટલાક મનુષ્ય પોતાના અલ્પ આયુષ્યમાં પણ ઘણું કામ કરી જાય છે અને કેટલાક મનુષ્ય દીર્ઘ આયુષ્ય મળવા છતાં કોંધપાત્ર કામ કરી શકતા નથી. શ્રીમછંકરાચાર્યનું આયુષ્ય માત્ર બત્રીશ વર્ષનું જ હતું, છતાં તેમણે હિંદુ ધર્મને પુનરુદ્ધાર કર્યો અને વિપુલ સાહિત્યનું સર્જન : કર્યું. સ્વામી રામતીર્થનું આયુષ્ય પણ બત્રીશ વર્ષનું જ હતું, છતાં તેમણે દેશ-વિદેશમાં ધર્મની જાગૃતિ આણી અને લાખો લોકોને અધ્યાત્મનો અપૂર્વ સંદેશ આપ્યો. શ્રી મદ્ રાજચંદ્રનો દેહવિલય પણ લગભગ બત્રીશ વર્ષે જ થયે, છતાં તેઓ એવું જીવન જીવી ગયા કે જે બીજાને માટે આદર્શ બન્યું છે. આજે તેમના ગ્રંથમાંથી લાખો લેકે આત્મશુદ્ધિની પ્રેરણાનાં પાન કરે છે.
બેકને કહ્યું છે કે કઈ પણ મનુષ્ય ઉમરમાં નાને હોય, પણ તેણે સમય ગુમાવ્યું ન હોય તે કલાકમાં તે
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સકસિદ્ધિ
મોટા હાય.’ આ પરથી કલાકાના ઉપયાગ કેવા કરવા ? તે
સમજી શકાય છે.
સમયનું મૂલ્ય સમજવા માટે આટલું વિવેચન પર્યાપ્ત નથી શું ?
જે સમયનુ બહુમૂલ્ય કરે છે, તેના જીવનનુ બહુમૂલ્ય થાય છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]. ચિત્તવૃત્તિઓની એકાગ્રતા
સિદ્ધિ, સફલતા કે વિજ્યની મુખ્ય ચાવી એકાગ્રતા (Concentration) છે. તમે મનમાં એક દઢ સંકલ્પ કર્યો હોય, તેને લગતી યેજના ઘડી હોય અને આશાવાદી બનીને તે માટે પુરુષાર્થ આદર્યો હોય, પણ તે પુરુષાર્થ જે એકાગ્ર ચિત્ત કરી શક્તા ન હ, તો તેમાં ધારેલી સિદ્ધિ, ધારેલી સફલતા કે ધારેલે વિજય મળવાને સંભવ બહુ ઓછો છે. ચાર્લ્સ બક્સટનને એ અભિપ્રાય છે કે “એકગ્રતાથી જ વિજય પ્રાપ્ત થાય છે.”
માની લે કે એક મોટું યુદ્ધ ચાલે છે, શત્રુપક્ષ ઘણે બળવાન છે અને તે સબળ શસ્ત્રોથી સુસજ્જ છે. તેને તમારે સામને કરવાનું છે, તે શું કરો ? તમારા સર્વ સાધને–સર્વ શક્તિ એકત્ર કરે કે નહિ? જીવનને જંગ જિતવા અથવા તે કઈ મહાન સંકલ્પને સિદ્ધ કરવા માટે પણ આ જ પ્રકારની તૈયારીઓ કરવાની જરૂર છે. ભારતના
Page #167
--------------------------------------------------------------------------
________________
પર
સકસિદ્ધિ
એક તત્ત્વચિંતકે કહ્યું છે કે ‘મનની એકાગ્રતા મનુષ્યની વિજયશક્તિ છે. તે મનુષ્યજીવનની સમસ્ત શક્તિઓને એકત્ર કરી માનસિક ક્રાંતિ ઉત્પન્ન કરે છે. ’
જે કામ એકાગ્રતાથી થાય છે, તે બહુ સારું થાય છે, તેમાં ભૂલા રહેતી નથી અથવા તે બહુ જ ઓછી રહે છે અને તેમાં ઝડપ પણ ઘણી આવે છે, જ્યારે વિક્ષિપ્ત ચિત્તે કરાયેલું કામ સારું થતું નથી, તેમાં ઘણી ભૂલે થાય છે અને તેની ગતિ પણ મદ હોય છે. એટલે જે કામ હાથ ધરીએ, તેમાં ચિત્તવૃત્તિએને એકાગ્ર કરવી અત્યંત જરૂરી છે. ચાર્લ્સ કિગ્સલીએ જણાવ્યુ છે કે ‘હું મારું દરેક કામ એમ વિચારીને કરું છું કે જાણે એ વખતે દુનિયામાં બીજી કોઈ વસ્તુ જ ન હાય.
"
નિશાનબાજો ગમે તેવા સૂક્ષ્મ નિશાનને તેડી પાડે છે, તેનું કારણ તેમની ચિત્તવૃત્તિએની એકાગ્રતા છે. પ્રો. સત્યપાલ કે જેઓ આધુનિક યુગના અર્જુન ગણાયા છે, તેમના ધનુવિદ્યાના પ્રયાગ। જેમણે જોયા હશે, તે આશ્ચર્ય પામ્યા વિના નહિ જ રહ્યા હોય. એક છૂટા લટકતા દોરાને પણ તે આણુ મારીને તેાડી પાડે છે. જો ચિત્તવૃત્તિએ ખરાખર એકાગ્ર થઈ ન હોય તો આવું પરિણામ આવી શકે જ નહિ. શતાવધાનના પ્રયાગામાં પણ આવી જ એકાગ્રતા અપેક્ષિત છે. એક માસ ગિતને અટપટો સવાલ રજૂ કરે, બીજો કાવ્ય સંભળાવે, તે ત્રીજો દુનિયાની ગમે તે ભાષા ખાલી જાય. આ રીતે એક પછી એક અનેક અટપટા
Page #168
--------------------------------------------------------------------------
________________
ચિત્તવૃત્તિઓની એકાગ્રતા
૧૫૩ પ્રશ્નો રજૂ થાય, તે ચિત્તની એકાગ્રતા વિના ગ્રહણ કેમ થઈ શકે ? જેનું ગ્રહણ (Reception) યથાર્થ નથી, તેનું ધારણ ( Retention) યથાર્થ થઈ શકતું નથી અને યથાર્થ ધારણના અભાવે તેનું યથાર્થ ઉદ્દબોધન (Reproduction) તે થાય જ ક્યાંથી? તાત્પર્ય કે શતાવધાની આ પ્રશ્નોના એક પછી એક ઉત્તર આપે છે, તેના મૂળમાં તેમની ચિત્તવૃત્તિઓની એકાગ્રતા જ ખરૂં કામ કરે છે.
અમારી પાસે જ્યારે કઈ પણ જિજ્ઞાસુ શતાવધાનના પ્રયોગ શીખવા આવે છે, ત્યારે અમે સહુથી પહેલાં તેની એકાગ્રતા કેવી છે? તે તપાસીએ છીએ અને તે માટે કેટલાંક નકકી કરેલાં કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. જે જિજ્ઞાસુ તેમાં ૭૦-૮૦ ટકા જેટલો સફળ થાય તે જ તેને આ પ્રયોગો શીખવવા કબૂલ થઈએ છીએ. જેનું મન બરાબર એકાગ્ર થઈ શકતું નથી, તે અવધાન પ્રયોગ કરી શકતા નથી.
શતાવધાનમાં એક સપ્તાનુસંધાનને પ્રયોગ આવે છે. તેમાં સાત વસ્તુઓનું મનની સાથે અનુસંધાન કરવાનું હોય છે. વધારે સ્પષ્ટ કહીએ તો ત્રણ વ્યક્તિઓ અવધાનકારની સામે ઉભી રહે, બે વ્યક્તિએ તેના બે કાનથી છેડે દૂર સીધી લીટીમાં ઊભી રહે અને બે વ્યક્તિઓ તેની પાછળ દોઢ-બે કુટના અંતરે ઊભી રહે. પછી સંચાલક એક—બે-ત્રણ એલે કે સામે ઊભેલી વ્યક્તિઓ પિતાના હાથમાં રહેલી કઈ પણ વસ્તુ બતાવે, કાનની સીધી લીટીમાં ઊભેલી વ્યક્તિએ અવધાનકારને જ્ઞાત એવી કઈ પણ ભાષાના બે શબ્દો બેલે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪
સંકલ્પસિદ્ધિ
અને પાછળ ઉભેલી બે વ્યક્તિઓ અવધાનકારના હાથમાં (આ વખતે હાથ પાછળ રાખેલા હોય છે) મૂકી તેને સ્પર્શ કરાવે અને લઈ લે. આ સાત વસ્તુય તેણે એક જ મીનીટમાં ગ્રહણ કરી લેવાની હોય છે અને પછી જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે તેને ઉત્તર આપવાનું હોય છે.
કેટલાક કહે છે કે “એક જ મીનીટમાં સાત વસ્તુઓનું મનમાં અનુસંધાન થાય જ કેવી રીતે ?” પરંતુ અદ્ભુત એકાગ્રતાને લીધે આવું કઠિન કાર્ય પણ સંપન્ન થઈ શકે છે.
વળી કણે દ્રિય દ્વારા કોઈ પણ શબ્દ પર ચિત્તવૃત્તિઓને એકાગ્ર કરવાથી તે ઘણે સૂમ થઈ જાય ત્યાં સુધી સાંભળી શકાય છે અથવા તે તે શબ્દ દૂર દૂર ચાલ્યા જાય ત્યાં સુધી તે શ્રવણુગોચર થાય છે. દાખલા તરીકે એક વૃક્ષ પર પક્ષી બેઠું બેઠું રૂદન કરે છે, તેના પર ચિત્તવૃત્તિઓને એકાગ્ર કરીએ તે તે ત્યાંથી ઉડીને બીજા વૃક્ષ પર જાય કે આકાશમાં ઉડ્ડયન શરૂ કરે તે ધ્યાન માત્રથી તેને આખો નકશે દોરી શકાય છે.
સાહિત્યકાર, સંગીતકાર, ચિત્રકાર, સ્થપતિ તથા અન્ય સર્વ કલાકારોને પણ એકાગ્રતાની અત્યંત જરૂર પડે છે. અન્યથા તેમની કૃતિઓમાં અભુતતા આવતી નથી કે આકર્ષણ જામતું નથી.
ન્યાયાધીશે કે જેમને અનેક આંટીઘૂંટીવાળા કે સાંભળવાના હોય છે અને તેને ફેંસલો કરવાનું હોય છે, તેમને પણ અનન્ય એકાગ્રતા કેળવવી પડે છે. અન્યથા તેઓ
Page #170
--------------------------------------------------------------------------
________________
ચિત્તવૃત્તિઓની એકાગ્રતા
૧૫. એકનું બીજું સમજે અને કેઈના બદલે કેઈને દંડી નાખે. તેમાં યે ખૂન વગેરેના ખટલા ચાલતા હોય, ત્યારે તે તેમણે અતિ ઉચ્ચ કેટિની એકાગ્રતા ધારણ કરવી પડે છે અને દરેકે દરેક મુદ્દો લક્ષ્યમાં રાખવું પડે છે. વળી સેંકડે પાનાના હેવાલ પરથી એક વ્યવસ્થિત વિચારસરણી પર આવવું અને સત્ય અનુમાન તારવી કાઢવું, તે પૂરી એકાગ્રતા વિના બની શકતું નથી.
સર્કસના ખેલમાં કેટલીક છોકરીઓ હાથમાં છત્રી લઈને તારના દેરડા પર ચાલે છે, ત્યારે તેઓ કેવી એકાગ્રતા રાખે છે, તે જોયું છે ને ? આપણે પણ પ્રવૃત્તિરૂપ તાર પર ચાલતાં એવી જ એકાગ્રતા રાખવી જોઈએ. પછી સિદ્ધિ કે સફલતા હાથવેંતમાં જ સમજવી.
જે વસ્તુને આપણને રસ (Interest) નથી, તેમાં આપણી ચિત્તવૃત્તિઓ એકાગ્ર થઈ શકતી નથી. દાખલા તરીકે એક વિદ્યાથીને ગણિતના વિષયમાં રસ નથી, તે જ્યારે ગણિતના શિક્ષક ગણિતને કોઈ પણ સિદ્ધાંત સમજાવતા હશે, ત્યારે તે ઝોકાં ખાતું હશે કે પિતાના પ્રિય વિષયે એટલે કે પતંગ, ક્રિકેટ કે સિનેમા આદિના વિચાર કરતો હશે.
પાંચ માણસે ભેગા થયા હોય અને જુદી જુદી બાબતો વિષે વાત કરી રહ્યા હોય, તેમાં આપણા રસની વાત આવે તો આપણું કાન તરત જ સરવા થાય છે અને તે વાત આપણે ધ્યાનથી એટલે કે ચિત્તવૃત્તિઓની એકાગ્રતાપૂર્વક સાંભળવા લાગીએ છીએ. તાત્પર્ય કે આપણને કઈ પણ
Page #171
--------------------------------------------------------------------------
________________
===
૧૫૬
સંકલ્પસિદ્ધિ કામમાં રસ ઉત્પન્ન થયા વિના તેમાં એકાગ્રતા જામતી નથી, એટલે કામ પ્રત્યે રસ હોવો એ પણ એટલી જ જરૂરી વસ્તુ છે. અહીં એ પણ જણાવી દઈએ કે આપણે આપણા મનમાં કઈ વસ્તુને દઢ સંકલ્પ કર્યો હોય અને તેને ભાવનારૂપી જલ સિંચતા રહીએ તે તે અંગેની પ્રવૃત્તિ કે તે અંગેના કામમાં આપણને રસ ઉત્પન્ન થયા વિના રહેતું નથી.
કઈ વ્યક્તિએ લાખો રૂપિયા મેળવવાનો સંકલ્પ કર્યો હોય તો તેને વ્યાપાર-રોજગાર કે હુન્નર-ઉદ્યોગની યેાજનામાં રસ પડ્યા વિના રહે ખરે? વળી સરકારી કાનુને આ બધી વસ્તુઓ પર ભારે અસર કરતા હોય છે, એટલે તેને એ કાનુનનો અભ્યાસ કરવામાં પણ સ્વાભાવિક રસ જાગે છે અને તે એને અભ્યાસ જરૂર કરે છે. | કઈ વ્યક્તિ ખૂબ બિમાર રહેતી હોય અને તેણે નીરોગી થવાને સંકલ્પ કર્યો હોય તે તેને ચિકિત્સા અને તેની વિવિધ પદ્ધતિઓમાં જરૂર રસ પડે છે અને તે માટે કણ કણ નિષ્ણાત છે? તેની શોધ તે અવશ્ય ચલાવે છે.
જે આપણું શક્તિ વિવિધ પ્રવૃત્તિઓમાં વિખરાઈ જતી હિય તે પણ આપણે આપણી ઈષ્ટ પ્રવૃત્તિમાં જોઈએ તેવા એકાગ્ર થઈ શકતા નથી અને તેનું ધારેલું પરિણામ આવી શકતું નથી. કાર્લાઇલે કહ્યું છે કે “એક જ વિષય પર પિતાની શક્તિઓ એકાગ્રતાપૂર્વક લગાવી દેવાથી નિર્બળમાં નિર્બળ પ્રાણી પણ કંઈક કરી શકે છે. જ્યારે બળવાનમાં બળવાન મનુષ્ય પણ પોતાની શક્તિઓને અનેક વિષયમાં વિખેરી નાખે તે તે કંઈ પણ કરી શક્તા નથી.”
Page #172
--------------------------------------------------------------------------
________________
ચિત્તવૃત્તિઓની એકાગ્રતા
૧પ૭ કેટલાક મનુષ્યો એમ માને છે કે અમે ધનવાન છીએ, લાગવગવાળા છીએ અને અધિકારસ્થાન પર હાઈએ તે ઘણું કરી શકીએ તેમ છીએ અને તેઓ અનેક સંસ્થાઓની જવાબદારી ગ્રહણ કરે છે. પણ તેઓ કઈ સંસ્થા પર પિતાની સમગ્ર શક્તિઓ એકત્ર કરી શકતા નથી, એટલે તેમાંની કેઈ પણ સંસ્થાની ઉન્નતિ કરી શકતા નથી. પરિણામે તેમની સામે ઉહાપોહ શરૂ થાય છે, તેમાંથી તીવ્ર વાદવિવાદ જાગે છે અને પછી તો પક્ષબળે પણ સ્થાનને ચીટકી રહેવાની દુર્ભાવના જાગે છે. પરિણામે એ સંસ્થા નબળી પડે છે અને યશને બદલે અપયશ સાંપડે છે.
એમને કહ્યું છે કે “જે જીવનમાં કઈ બુદ્ધિમાનીની વાત હોય તો તે એકાગ્રતા છે અને જે કઈ ખરાબ વાત હોય તે તે પિતાની શક્તિઓને વેરવિખેર કરી નાખવાની છે. બહુચિત્તતા ગમે તેવી હોય તેથી શું ?” તાત્પર્ય કે તેનું પરિણામ સિદ્ધિ કે સફલતામાં આવી શકતું નથી.
જિન એંજેલાએ કહ્યું છે કે “સંસારનું સંચાલન કરવાને હું બંધાયેલ નથી, પણ ઈશ્વરે મારા માટે જે કામ નિર્માણ કરેલું છે, તેમાં મારી બધી શક્તિઓ એકાગ્ર કરવા. બંધાયેલું છું.'
એન મેરેડિથના એ શબ્દો છે કે જે વ્યક્તિ જીવનમાં એક જ વાત શેધે છે, તે આશા રાખી શકે કે જીવન સમાપ્ત થતાં પહેલાં તે તેને પ્રાપ્ત થશે.”
આપણું અનુભવી પુરુષોએ પણ લગભગ આવાં જ વચને ઉચ્ચારેલાં છે. તેઓ કહે છે કે “ સવ
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સકસિદ્ધિ
સર્વે, સત્ર સથે જ નાચ—જે મનુષ્ય એક જ કાર્ય ને સારી રીતે સાધે છે, તે બધાં કાર્યને સારી રીતે સાધી શકે છે. અને જે બધાં કાર્યોને એક સાથે સાધવા જાય છે, તે એક પણ કાર્યને સાધી શકતા નથી.' આથી વધારે સ્પષ્ટ અને સુંદર ઉપદેશ બીજા કયા હાઈ શકે ?
મનુ ભગવાને કહ્યું છે કે ‘જૂઠ, કપટ, ચારી, વ્યભિચાર આદિ દુરાચારાની વૃત્તિઓને નષ્ટ કર્યા વિના ચિત્ત એકાગ્ર થવુ મુશ્કેલ છે અને ચિત્ત એકાગ્ર થયા વિના ધ્યાન તથા સમાધિના લાભ થવા મુશ્કેલ છે.’ તાત્પર્ય કે આધ્યાત્મિક ઉન્નતિ સાધવા માટે પણ ચિત્તની એકાગ્રતા અત્યંત જરૂરી છે અને તે દુરાચારની વૃત્તિઓના ત્યાગ કરીને પ્રાપ્ત કરવી જોઈ એ.
6
સુદર્શને કહ્યું છે કે જેની પાસે પાતાની શક્તિ નથી, તેને ભગવાન પણ શક્તિ આપતા નથી. શક્તિ પેાતાની અંદરથી આવે છે અને તેનું મુખ્ય સાધન એકાગ્રતા છે.’
છેવટે વાટસના એ શબ્દો ટાંકીને આ પ્રકરણ સમાપ્ત કરીશું કે ‘સટ્ટાની માફક ઉપર ઉપરથી અભ્યાસ કરા નહિ. એવા બધા અભ્યાસ વ્યર્થ જાય છે. કંઈક ચેાજના ઘડા, કંઈક હેતુ રાખો અને પછી તેને માટે એકાગ્રતાભર્યા પ્રયાસ કરી, જેથી તમને ધારી સફળતા મળી શકશે,
Page #174
--------------------------------------------------------------------------
________________
[૧૫] આત્મનિરીક્ષણ
પ્રિય પાઠકે ! એ વાત લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે આપણું ઉન્નતિને આધાર બાહ્ય સાધને ઉપર નહિ, પણ આપણું આંતરિક સ્થિતિ ઉપર છે, આપણું મનના સુગ્ય ઘડતર ઉપર છે, તેથી ઉન્નતિના ઉમેદવારોએ સહુથી પહેલાં પિતાની આંતરિક સ્થિતિ સુધારવાને–પિતાની માનસિક ભૂમિકાને ઉન્નત કરવાને પુરુષાર્થ આદરે જોઈએ. આત્મશ્રદ્ધા કે આત્મવિશ્વાસ, પુરુષાર્થ, આશાવાદ, વિચાર કરવાની ટેવ, જ્ઞાનપ્રિયતા, નિયમિતતા, સમયને સદુપયેગ, ચિત્તવૃત્તિની એકાગ્રતા એ બધી વસ્તુઓ આપણી આંતરિક રિથતિને સુધારનારી છે. આપણી માનસિક ભૂમિકાને ઉન્નત. કરનારી છે અને તેથી જ તે અંગે પૂર્વ પ્રકરણમાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. આત્મનિરીક્ષણ પણ તેમને જ
એક ગુણ છે, એટલે પ્રસ્તુત પ્રકરણમાં તે અંગે કેટલીક વિચારણા કરીશું.
આત્મનિરીક્ષણને સામાન્ય અર્થ એ છે કે આપણા
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સંકસિદ્ધિ
આત્માનું નિરીક્ષણ કરવું, આપણી જાતનું અવલોકન કરવું. આત્મા અષ્ટ છે, નજરે જોઈ શકાય તેવો નથી, પણ આપણામાં ચૈતન્યને જે પ્રવાહ વહી રહ્યો છે, તેના પરથી તેના અસ્તિત્વનું ભાન થાય છે. શાનું શ્રવણ કરતાં, તેના પર મનન કરતાં અને તેના પર ખૂબ ઊંડો વિચાર કરતાં એટલે કે નિદિધ્યાસન કરવાથી આ આત્માનો વિશિષ્ટ બંધ થાય છે. જે આત્મા પ્રશસ્ત ભાવમાં રમતા હોય તે સુંદર ગણાય છે અને અપ્રશસ્ત ભામાં રમતો હોય તે અસુંદર ગણાય છે. આપણે આત્મા સુંદર છે કે અમુંદર ? તે આત્મનિરીક્ષણ કરવાથી સમજી શકાય છે.
- આપણી જાતનું અવલોકન કરવું, એટલે આપણામાં સારી ટેવે કેટલી છે અને ખરાબ ટે કેટલી છે? તેને વિચાર કરે. મનુષ્ય આદતનું પૂતળું છે, એમાં તે કઈ શંકા જ નથી. જે તેની આદત–ટે સારી હોય તે એ ખરેખર ઉત્તમ મનુષ્ય છે અને તે આ જીવનમાં કંઈક પણ સુકૃત અવશ્ય કરી જવાને. જ્યારે ખરાબ આદતેનું પરિણામ તે ખરાબ જ આવવાનું. તેને માટે દુઃખ અને દુર્ગતિ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.
આત્મનિરીક્ષણનો વિશેષ અર્થ એ છે કે અણસમજ, પૂર્વગ્રહ, દ્વેષ કે પ્રમાદ આદિ માનસિક દેને લીધે સ્વીકૃત પ્રવૃત્તિ કે પ્રવૃત્તિઓમાં આપણાથી જે કંઈ ખલનાઓ, ત્રુટિઓ કે ભૂલ થઈ ગઈ હોય તેનું સેવન કરવું અને ફરી તેવી ખલનાઓ, ત્રુટિઓ કે ભૂલે ન થાય તેની તકેદારી
Page #176
--------------------------------------------------------------------------
________________
આત્મનિરીક્ષણ
૧૬:
રાખવી. હવે તમે જ કહેા કે ઉન્નતિ, પ્રગતિ, વિકાસ કે અભ્યુદયની સિદ્ધિ માટે આ વસ્તુ કેટલી જરૂરી છે?
આપણે ત્યાં રાજ વાસણા માંજવામાં આવે છે, ઘરમાંથી કચરા કાઢવામાં આવે છે તથા વસ્ત્રાને ધાવામાં આવે છે, તેનું કારણ એ છે કે તેમાં જે અશુદ્ધિ અસ્વચ્છતા-ગંદકી દાખલ થઈ ગઈ હાય, તે દૂર કરવી. જો થોડા દિવસ ટાટા-પ્યાલાને માંજવામાં ન આવે તે તે કાળા ઋણુક થઈ જાય છે અને નજરે જોવા ગમતા નથી. જો થાડા દિવસ ઘરમાંથી કરેા કાઢવામાં ન આવે તે તે ટુવડ થઈ જાય છે અને તેમાં રહેવાનુ દિલ થતું નથી. અને જો ઘેાડા દિવસ વસ્ત્રા ધાવાનું મુલતવી રાખીએ તો તે ખૂબ મેલાં થઈ જાય છે અને અગે અડાડવાના ઉત્સાહ થતા નથી. તાત્પર્ય કે અશુદ્ધિ-અસ્વચ્છતા-ગંદકી દૂર કરવા માટે શુદ્ધિ કે શેાધનની ક્રિયા જરૂરી છે અને તે દરેક સુન્ન મનુષ્ય અવશ્ય કરે છે. તો પછી આપણી આંતરિક સ્થિતિને શુદ્ધ-સ્વચ્છ-પવિત્ર રાખવા માટે શેાધનની જરૂર ખરી કે નહિ ?
આપણા કોઠામાં મલના ઘણા સંચય થઈ ગયા હોય તેા તેને દૂર કરવા માટે કુશળ વૈદ્યો વમન-વિરેચનના ઉપાય અજમાવે છે. એ જ રીતે આપણા અંતરમાં મિલન ભાવેાને ઘણા સંચય થઈ ગયા હૈાય તેા આત્મનિરીક્ષણરૂપી વમન વિરેચનના ઉપાય અજમાવવા જેવા છે. તેનાથી લાભ જરૂર થશે, નુકશાન તે કઈ પણ થવાના સંભવ નથી.
જેવી આપણા ચિત્તની વૃત્તિઓ હાય છે, તેવી જ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સકસિદ્ધિ
પ્રવૃત્તિઓ થાય છે, એટલે કોઈ પણ પ્રવૃત્તિને સુધારવી હોય તે પ્રથમ આપણી ચિત્તવૃત્તિઓમાં આંતરિક સ્થિતિમાં સુધારો થવા જોઈએ અને તે આત્મનિરીક્ષણથી જ થાય છે, તેથી ઉન્નતિના ઉમેદવારોને તેની ખાસ ભલામણ કરવામાં આવે છે.
એક વણિક જર-જવાહરથી ભરેલા મહેલ પેાતાની સ્ત્રીને સોંપીને વ્યાપાર અર્થે વિદેશ ગયા, પરંતુ તે સ્ત્રીએ મહેલની કંઈ પણ સારસંભાળ કરી નહિ, તેથી મહેલ પડીને ખંડેર જેવા થઈ ગયા. હવે તેના પતિ અડારગામથી આવ્યેા, ત્યારે મહેલની આવી હાલત જોઈ ને ખૂબ ક્રાધે ભરાયા અને પાતાની આજ્ઞામાં નિહ રહેનારી તથા પૂરેપૂરી પ્રમાદી એવી તે સ્ત્રીને કાઢી મૂકી.
પછી નવા મહેલ બંધાવી ખીજી સ્ત્રીને પરણ્યા અને પાછે વ્યાપાર અર્થે વિદેશ જવા રવાના થયા. તે વખતે તેણે પેાતાની નવપરિણીતા સ્ત્રીને કહ્યું કે આ મહેલને તુ બરાબર સાચવજે અને તેની સાસુફી કરજે. જો તેમાં પ્રમાદ થયા અને મહેલને કંઈ પણ નુકશાન પહોંચ્યું તેા તને મારી નાખીશ.' આથી તે સ્ત્રી દિવસમાં ત્રણ વખત મહેલનુ બારીક નિરીક્ષણ કરવા લાગી અને કંઈ પણ તૂટયુ-ફૂટયું જણાય કે તરત દુરસ્ત કરાવવા લાગી.
કાલક્રમે પેલા વિણક પરદેશથી કમાઈને આવ્યા, ત્યારે મહેલને હતા તેવા જોઈને અત્યંત પ્રસન્ન થયા અને તે સ્ત્રીને તેણે સર્વસ્વની સ્વામિની બનાવી.
તાત્પ કે પ્રથમ સ્ત્રીએ મહેલની સારસ ંભાળ બરાબર
Page #178
--------------------------------------------------------------------------
________________
આત્મનિરીક્ષણ કરી નહિ; તેથી મહેલ પડી ગયે, તેમ જે જિજ્ઞાસુઓઉન્નતિના ઉમેદવારે આત્મનિરીક્ષણ વડે પિતાના આત્માની, આંતરિક સ્થિતિની સારસંભાળ કરતા નથી, તેમને સંકલ્પ રૂપી મહેલ તૂટી પડે છે અને તેમને હતાશ થવાને વખત આવે છે, જ્યારે બીજી સ્ત્રીની માફક આત્મનિરીક્ષણ વડે પિતાના આત્માની–પિતાની આંતરિક સ્થિતિની બરાબર સાર– સંભાળ કરનાર જિજ્ઞાસુઓને-ઉન્નતિના ઉમેદવારોને સંકલ્પ અવશ્ય સિદ્ધ થાય છે અને તેમને સુખ, સંપત્તિ તથા ચશના અધિકારી બનાવી દે છે.
આપણી ભૂલો આપણને એમ ને એમ સમજાતી નથી. વળી અભિમાનની માત્રા અધિક હોય તે આપણને એમ જ લાગે છે કે “મારી ભૂલ થાય નહિ. હું જે કંઈ કરું છું, તે વિચારીને જ કરું છું. પરંતુ આત્મનિરીક્ષણ કરતા રહીએ તે એ ભૂલે આપણું ધ્યાનમાં આવે છે અને તેથી તેને સુધારી લેવાની તક સાંપડે છે. આમ થતાં આખી પરિસ્થિતિમાં મેટો ફેર પડી જાય છે.
એક શેઠને ત્યાં કઈ વાણેતર ટકતું નહિ. તેઓ એમ સમજતા કે “આજકાલના માણસ સ્વાથી–લુચ્ચા-પાજી હેય છે. તેમને કેઈ ભરેસે રાખવા જે જ નહિ.” પણ જ્યારે તેમણે આત્મનિરીક્ષણ કરવા માંડ્યું, ત્યારે જ ખ્યાલ આવ્યું કે “પોતાનું વાણોતર પ્રત્યેનું વર્તન ઘણું તુંડમિજાજી છે અને પોતે ગમે તેવી ગાળે બેસી જાય છે. એ દિવસથી જ તેમણે પિતાનું આ વર્તન સુધારી લેવાને તથા ગાળ નહિ
Page #179
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ બલવાને સંકલ્પ કર્યો. ત્યારપછી તેમની દુકાને જે વાણોતરગુમાસ્તા આવ્યા તે ટકીને રહ્યા, એટલું જ નહિ પણ શેઠ પ્રત્યે ભારે માન દર્શાવવા લાગ્યા અને પૂરા વફાદાર નીવડ્યા.
એક શેઠે ચાંદીને સટ્ટો કર્યો. શરૂઆતમાં કમાણું બહુ સારી થઈ, એટલે તેમને લાગ્યું કે હવે તે હું કોડ રૂપિયા જરૂર કમાઈ લઈશ અને તેમણે એ સટ્ટામાં યહમ ઝંપલાવી દીધું. તેમને ત્યાં એક વૃદ્ધ મુનીમ હતા, તેમને આ મ્યું નહિ. તેમણે કહ્યું : “શેઠજી! આ કંઈ ઠીક થતું નથી, તમારે આટલું બધું જોખમ ખેડવાની જરૂર શી?”
એ સાંભળી શેઠે કહ્યું: “તમે તમારું કામ સંભાળ. તમારે મને આ બાબતમાં કંઈ પણ કહેવું નહિ.” | મુનીમે કહ્યું: “શેઠજી! હું તે મારું કામ બરાબર સંભાળી રહ્યો છું અને આપને સાચી સલાહ આપવી, એ પણ મારું કામ છે. મેં વર્ષોથી આ પેઢીનું લુણ ખાધું છે, એટલે મને લાગી આવે છે અને તેથી તમને ચેતવવા માટે કહું છું કે આનું પરિણામ સારું નહિ આવે.”
આ સાંભળી શેઠને પિત્ત ઉછળે અને તેમણે કહ્યું: કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં! હું પણ તમને કહું છું કે જે તમે હવે પછી મારી વચ્ચે આવ્યા તે તેનું પરિણામ સારું નહિ આવે. તમે ઘરડા છે, એટલે આજે તે તમારું માન રાખું છું.” | મુનીમે કપાળે હાથ મૂક્યો અને ચૂપકીદી પકડી. આ શેઠ આત્મનિરીક્ષણ કરવા બિલકુલ ટેવાયેલા ન હતા, એટલે
Page #180
--------------------------------------------------------------------------
________________
આત્મનિરીક્ષણ
૧૬૫ પિતાની ભૂલ સમજ્યા નહિ. તેમણે ધૂમ સટ્ટો ખેડેયે જ રાખે
અને એક જ મહિનામાં બજારભાવ પિતાની વિરુદ્ધ જતાં પિતાનું સર્વસ્વ બેઈ બેઠા! કેવી કરુણાજનક સ્થિતિ ! પછી મુનીમના શબ્દો યાદ આવ્યા, પણ ત્યારે તો મુનીમને રાખવા જેવી એ સ્થિતિ રહી ન હતી.
કેટલાક મનુષ્યો સંકલ્પ કરે છે, તેને લગતી જનાઓ ઘડે છે અને આશાવાદી બની પ્રવૃત્તિઓ આદરે છે, પણ આત્મનિરીક્ષણ કરવાને ટેવાયેલા ન હોવાથી એમાં ઘણી ભૂલ થાય છે અને એ ભૂલેને સરવાળે મેટો થતાં તેમને જમ્બર ફટકે પડે છે, તેથી આત્મનિરીક્ષણ કરતાં રહેવું અત્યંત જરૂરી છે.
આત્મનિરીક્ષણ કરવા માટે દિવસ કે રાત્રિને કઈ પણ સમય પસંદ કરી શકાય કે જ્યારે મનને કંઇક નિરાંત હાયશાંતિ હેય–સ્વસ્થતા હોય. તે માટે ૪૦ થી ૬૦ મીનીટનો સમય પર્યાપ્ત લેખાય. કદી તેટલો સમય ફાજલ પાડી શકાય તેમ ન હોય તો ૩૦ મીનીટ જેટલે સમય તેને માટે નક્કી કરી શકાય. આ વખતે શેતરંજી, ગાદી, ખુરશી કે આરામખુરશી જે કંઈ અનુકૂળ હોય તેને ઉપયોગ કરી શકાય. |
આત્મનિરીક્ષણના પ્રારંભમાં પ્રથમ વિચાર પિતે જે સંકલ્પ કર્યો હોય, તેને કરે જોઈએ. વધારે સ્પષ્ટ કહીએ તે એ સંકલ્પ ધીમે ધીમે અક્ષરશઃ મનમાં બેલ જોઈએ અને તે કિયા ત્રણ વાર કરવી જોઈએ. આથી આપણું આંતરમન (Subconcious mind) ને એક પ્રકારનું
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬
સંકલ્પસિદ્ધિ
સૂચન (Suggestion) મળે છે અને તેનુ પરિણામ સુંદર આવે છે. જેમણે હિપ્નોટિઝમના પ્રયાગા જોયા હશે, તે આ પ્રકારના સૂચનનું વાસ્તવિક મૂલ્ય સમજી શકશે.
પછી તે અંગે જે ચેાજના ઘડી હાય, તેના પર વિચાર કરવા જોઈએ અને તેમાં કોઈ ક્ષતિ તેા રહી ગઈ નથી ? તેનું ચિંતન કરવું જોઈ એ. તે માટે તેનાં સર્વ અંગોપાંગા ખામત ક્રમશઃ વિચાર કરી લેવા જોઇએ. પછી તે અંગે જેને જવાબદારી સોંપી હાય, તે તેનું ખરાબર પાલન
કરે છે કે કેમ ? તેના વિચાર કરવા જોઈએ અને તેમાં કઈ ઉપેક્ષા, બેદરકારી કે વિશ્વાસભંગ જેવું જણાય તે તે અંગે ઘટતાં પગલાં લેવાના નિર્ણય કરવા જોઈ એ.
વળી આ જવાબદાર વ્યક્તિઓને પેતે જે હુકમે આપ્યા હાય, તેના ઉપર પણ વિચાર કરી જવા જોઈ એ અને તેમાં કઈ અણુઘટતુ તે થયું નથી ? તેની વિચારણા કરી લેવી જોઇએ. જો કે આવા હુકમા આપતાં પહેલાં પૂર વિચાર કરવા જરૂરી છે, છતાં પાછળથી એમ લાગે કે આમાં પૂરતા વચાર થયા નથી અને આ હુકમના અમલ થતાં નુકશાન થશે, તે તેમાં ઘટતી સુધારણા કરી લેવામાં જરા પણ સંકોચ રાખવા નહિ.
સાથે એ પણ વિચારી લેવું જોઈએ કે આ પ્રવૃત્તિ અંગે મારે જેટલા સમય આપવા જોઈએ તેટલા આપું છું કે નહિ ? જેટલી કાળજી રાખવી જોઈએ તેટલી રાખુ છુ
Page #182
--------------------------------------------------------------------------
________________
આત્મનિરીક્ષણ
૧૬૭
કે નહિ ? અહીં એ સ્પષ્ટતા પણ કરીઈએ કે આવે વિચાર માત્ર પેાતાની ધધાદારી પ્રવૃત્તિ અંગે જ નહિ, પણ જે સામાજિક–રાષ્ટ્રીય સંસ્થાની જવાબદારીએ પેાતે સ્વીકારેલી હાય, તે અંગે પણ કરવા ઘટે છે. જો એ સંસ્થાઓ માટે આપણે કંઇ પણ સમય આપી શકતા ન હેાઇએ કે જોઇએ તે કરતાં ઘણા અલ્પ સમય આપી શકતા હેાઇએ, તે એ આખતમાં સત્વર સુધારો કરી લેવા ઘટે છે અને એ માટે જે સમય આપી શકાય તેવી સ્થિતિ જ ન હોય તેા આપણે ખીજા કામગરા સારા લેાકેાને માટે તે સ્થાન ખાલી કરી આપવુ જોઇએ. જો આપણા આંગણામાં થોડાં ફૂલછેડ વાવીએ અને પછી તેને પાણી જ ન પાઇએ તેા તેની સ્થિતિ કેવી થાય ? ધંધાદારી, સામાજિક તથા રાષ્ટ્રીય સસ્થાઓની જવાબદારી અંગે પણ આ જ પરિસ્થિતિ સમજવી.
શાંત-સ્વસ્થ મને તથા તટસ્થ ભાવે આ પ્રકારનુ આત્મનિરીક્ષણ કરતાં સાચી પરિસ્થિતિનું ચિત્ર સ્પષ્ટ થાય છે અને જે ભૂલે આપણી દૃષ્ટિ મહાર કે ખ્યાલ બહાર રહી ગઈ હેાય છે, તે તરી આવે છે અને તે સુધારી લેવાનુ ખળ પણ પ્રાપ્ત થાય છે.
ખરી હકીકત તા એ છે કે જો આપણે આ રીતે રાજ એકાદ કલાક શાંત-સ્વસ્થ ચિત્તે બેસવાના તથા આત્મનિરીક્ષણ અંગે ચિંતન-મનન કરવાના મહાવરા પાડીએ તે આપણી આંતરિક શક્તિ જાગ્રત થાય છે અને તે આપણી ઝંખેલી વસ્તુનુ અદ્ભુત આકષ ણ કરે છે, એટલે કે તે
Page #183
--------------------------------------------------------------------------
________________
સંકલ્પ સિદ્ધિ
આપોઆપ આપણું સમીપ આવતી જાય છે અને એ રીતે આપણે સંકલ્પ સિદ્ધ થવામાં ઘણી સહાય મળે છે.
ખરેખર! આત્મનિરીક્ષણ એ એક એ અદ્દભુત આવી છે કે જેમાં અદષ્ટ આત્માનું તથા દષ્ટ એવી આપણી સર્વ પ્રવૃત્તિઓનું યથાર્થ પ્રતિબિમ્બ પડે છે અને તે આપણું ભાવી ઉન્નતિ માટે કરવી જોઈતી પ્રવૃત્તિઓનું ગ્ય માર્ગદર્શન પણ આપે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
[૧૬] મિત્રોની વૃદ્ધિ
જે સાચી સલાહ આપે, કાર્યમાં મદદગાર થાય અને સંકટસમયે સહાય કરે, તે મિત્ર કહેવાય છે. આવા મિત્રો જેટલા વધારે હોય તેટલું સારું. તેનાથી આપણે સંકલ્પ સિદ્ધ કરવામાં ઘણું સહાય મળે છે અને આપણે ગમે તેવાં કઠિન કાર્યો હાથ ધરવાને શક્તિમાન થઈએ છીએ.
જે મનુષ્ય એમ માને છે કે મારે મિત્રોની જરૂર નથી અને તે કોઈને પિતાના મિત્ર બનાવતું નથી, તે શત્રુઓ વડે શિકસ્ત પામે છે, હરીફેના હાથે હાર ખાય છે અને છેવટે નાશ પામે છે. તેથી જ પંચતંત્રમાં કહ્યું છે કે “જે મનુષ્ય મિત્રોની સંપ્રાપ્તિ કરે છે, તે આ જગતમાં સુખી થાય છે.”
કેટલાક મનુષ્ય એમ માને છે કે આપણે એક કે બે મિત્ર હોય તે બસ છે, પણ આ મંતવ્ય સુધારવા જેવું છે. ખાસ કરીને આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય, ઉન્નતિ સાધવી હોય તે મિત્રોની સંખ્યા વધારવી જોઈએ.
Page #185
--------------------------------------------------------------------------
________________
સ કપસિદ્ધિ
હિતાપદેશમાં કહ્યું છે કે ‘તમારે જિતવું હાય, સફલતા મેળવવી, હાય તા મિત્રા વધારો, પછી તે ભલે નાના કેમ ન હાય ? ’
૧૭૦
સિંહ અને ઊંદરને મિત્રતા થઇ, ત્યારે સિંહને એમ જ લાગતુ હતુ કે કયાં આ નાનકડા ઊંદરડા ! એ તે મને શું કામ લાગવાના હતા ? પણ તે એક દિવસ પારધીએ ગેાઠવેલા પાશમાં સપડાઇ ગયા અને બહુ બહુ પ્રયત્નેÈ કરવા છતાં ય તેમાંથી મુક્ત થઈ શકયા નહિ. તેની આ હાલત જોઈ ઊ ંદર મદદે આવ્યે અને તેણે પેાતાની તીવ્ર દૃષ્ટાવડે એ પાશના સર્વ અંધને કાપી નાખી તેને મુક્ત કર્યાં, ત્યારે જ સિંહને ભાન થયું કે મિત્ર ભલે નાના હોય તા પણ સમય આવ્યે ઘણા ઉપયાગી થઇ પડે છે અને કદી આપણા પ્રાણ પણ મચાવે છે.
સિસેરાએ હ્યુ છે કે આ જગતમાં એક મિત્રતા જ એવી વસ્તુ છે કે જેની ઉપયેાગિતા ખાબત બે મત નથી.’ એટલે કે દરેક મિત્ર એક યા મીજી રીતે અવશ્ય ઉપયાગી થાય છે.
6
એમસનના એવા અભિપ્રાય છે કે · જીવનમાં મિત્રતાથી અધિક અન્ય કોઈ પ્રસન્નતા નથી.’ તાત્પર્ય કે મિત્રાનુ મિલન થતાં સુખ-દુઃખની વાતા થાય છે, એક–બીજાને જોઈ હૈયું હર્ષ પામે છે અને ચિત્તની પ્રસન્નતાને પાર રહેતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તેા સુ ંદર વસ્ત્રાલંકારથી કે મીઠાં ભાજનથી જે આનંદ આવે છે, તેના કરતાં અનેકગણા વધારે
Page #186
--------------------------------------------------------------------------
________________
મિત્રોની વૃદ્ધિ
૧૭૧.
આનંદૅ મિત્રાના મળવાથી આવે છે, તેથી આપણુ જીવન કૃતકૃત્ય થતું લાગે છે. આવા મિત્રાથી વંચિત રહેવુ એ જીવનના સ` આનંદ ગુમાવી દેવા જેવું છે. ઇટાલિયન ભાષામાં એક કહેવત છે કે જો તમારે પચાશ મિત્રા હાય તે આછા છે અને એક દુશ્મન હેાય તે પૂરતા છે.’ એટલે મિત્રો અને તેટલા વધારવા અને દુશ્મન એક પણ ઊભે કરવા નહિ, એ ડહાપણભરેલી નીતિ છે.
મિત્રો કેવા મનાવવા જોઇએ ? તે સંબંધમાં ત્રણ મિત્રોની વાત જાણવા જેવી છે.
ત્રણ મિત્રોની વાત
6
એક રાજાનેા કારભારી પેાતાના કાર્ય માં કુશળ હતેા અને પેાતાની જવાબદારીએ બરાબર અદા કરતા હતા, પરંતુ તેને એક વખત એવા વિચાર આવ્યા કે રાજા ચારે રૂડે તે કહેવાય નહિ, માટે કોઇ એવે મિત્ર કરું કે જે મને આપત્તિના સમયમાં મદદ કરે.’ તેથી તેણે એક મિત્ર બનાવ્યે અને તેની સાથે ગાઢ મિત્રતા કેળવી, તે એટલી હદ સુધી કે હમેશાં તેને સાથે જ રાખે, સાથે જ હેરવે ફેરવે અને સાથે જ ખવડાવે—પીવડાવે.
એમ કરતાં કેટલાક વખત થયા, એટલે કારભારીને વિચાર આવ્યા કે એક કરતાં બે ભલા, માટે બીજો મિત્ર પણ બનાવુ.' એટલે તેણે બીજો મિત્ર પણ અનાર્થેા, પરંતુ તેને વાર-પર્વે જ મળવાનું રાખ્યું. હવે સમય જતાં એ કારભારીને ત્રીજો મિત્ર પણ થયા કે જે માત્ર જુહાર જ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સંકલ્પસિદ્ધિ
કરતે અને કેઈક વાર જ મળતો. આ ત્રણ મિત્રનાં નામે અનુક્રમે નિત્યમિત્ર, પર્વમિત્ર, અને જુહારમિત્ર રાખ્યાં.
હવે એક વખત કારભારીએ આ મિત્રની પરીક્ષા કરવા વિચાર કર્યો અને તે માટે એક પ્રપંચ રચ્યું. તેણે રાજાના કુંવરને પિતાને ત્યાં જમવા તે અને તેના જેવડી ઉમરના પુત્રની સાથે રમતગમતમાં લગાડી ઘરની અંદર ગુપ્ત ભેંયરામાં ઉતારી દીધે. પછી બીજા પુત્રની સાથે પિતાની સ્ત્રીને પિયર ભણી વિદાય કરી દીધી અને જેના પેટમાં વાત ન રહે તેવા એક નોકરને બોલાવીને કહ્યું કે “આજે રાજાના કુંવરને આપણે જમવા તેડ્યો હતો, પણ તેનાં ઘરેણાં જઈને મારી બુદ્ધિ બગડી, તેથી મેં એની ડોક મરડી નાખી. પણ હવે મને વિચાર આવે છે કે “રાજાને શું જવાબ આપે?” એટલે હું અહીંથી જતો રહું છું અને કઈ સ્થળે સંતાઈ રહીશ. માટે તું ખબરદાર રહેજે અને ઘરની સંભાળ રાખજે તથા રાજાના માણસો આવે તે છૂપો ભેદ પ્રકટ ન કરતાં ગમે તે બહાનાં કાઢીને જવાબ આપજે.” આટલી ભલામણ કરી કારભારી ઉપડ્યા અને સીધા નિત્યમિત્રને ત્યાં ગયા.
નિત્યમિત્ર કારભારીને હાંફળાફાંફળા આવેલા જોઈ વિચારમાં પડ્યો, પરંતુ તે કંઈપણ પ્રશ્ન પૂછે તે પહેલાં કારભારીએ જ કહેવા માંડ્યું કે “મિત્ર! આજે મારા હાથે એવું કામ બની ગયું છે કે જેથી રાજાની ખફામરજી મારા પર જરૂર ઉતરી પડશે. કદાચ તે મને પકડીને દેહાંતદંડની સજા પણ ફરમાવે, માટે મારું રક્ષણ કર.”
Page #188
--------------------------------------------------------------------------
________________
મિત્રોની વૃદ્ધિ
૧૭૩.
નિત્યમિત્રે કહ્યું : ‘ વાત
શુ બની છે, તે તે કહેા !”
કારભારીએ કહ્યું : વાત એમ બની છે કે આજે રાજકુંવરને મારે ત્યાં જમવા માટે એલાવ્યેા હતા, એટલે તે વિવિધ વસ્ત્રાભૂષણૈાથી સજ્જ થઈને આવ્યા હતા, પરંતુ તેનાં અતિ મૂલ્યવાન આભૂષણે જોઈને હું લલચાયા અને તેની ડાક મરડી નાખી. પછી તેનાં બધાં આભૂષણા ઉતારી લીધાં, પણ હવે મને રાજાના ડર લાગે છે, માટે મા મેલી થા.”
'
નિત્યમિત્રે કહ્યું : આ તા તમે ગજમ કર્યાં ! કઈ નહિ ને રાજકુંવરનુ ખૂન ? આવડા મેટો ગુના છૂપા કેમ રહે ?’ કારભારીએ કહ્યું : · ન થવાનું થઇ ગયું છે, મે મેટી મૂર્ખાઈ કરી છે, પણ અત્યારે ભલા થઈને મારું રક્ષણ કર. ’ નિત્યમિત્રે કહ્યું : ‘ તમારું રક્ષણ હું કેવી રીતે કરી શકું ?” કારભારીએ કહ્યું : તારા ઘરમાં સંતાડી દે, એટલે મારું રક્ષણ થઇ શકશે. ’
6
આ શબ્દો સાંભળી નિત્યમિત્રે કહ્યું: તમે પણ ઠીક છે. કારભારી ! કામ કરતાં વિચાર ન કર્યાં અને હવે મારા ઘરમાં આશ્રય લેવા છે ? એ કેમ બની શકે ? રાજાના માણસે
આ ઘડી છૂટચા સમજો. તે ગલીએ ગલીની તપાસ કરશે અને મકાને મકાન હૂઁઢી વળશે. તે વખતે તમે મારા ઘરમાંથી મળી આવેા, ત્યારે મારી હાલત શી થાય ? માટે કૃપા કરીને અહી’થી જલ્દી ચાલ્યા જાઓ અને ખીજા કોઇ સ્થળે આશ્રય લે.” મે તને અત્યાર સુધી કેટલી બધી.
કારભારીએ કહ્યું :
:
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સંકલ્પસિદ્ધિ મદદ કરી છે? શું તે બધી ફેગટ ગઈ? તું આંખની શરમ પણ નહિ રાખે?”
નિત્યમિત્રે કહ્યું : “કારભારી સાહેબ! “જે રાખે શરમ, તેનું ફૂટે કરમ.” અને આ કામમાં તો મારાથી સહાય કરવાનું નહિ જ બની શકે, માટે અહીંથી શીધ્ર પલાયન કરે અને મને ભયમુક્ત કરે.”
કારભારીએ જોઈ લીધું કે આ તે પૂરે મતલબ મિત્ર છે અને તેને આંખની શરમ પણ આવે તેમ નથી, એટલે ત્યાંથી વિદાય લીધી. તે વખતે નિત્યમિત્રે બારણું બંધ કરી દીધું અને બે ડગલાં વળાવવા પણ ન ગયે. તે મનમાં સમજો કે ગળે વળગેલી બેલા માંડ છૂટી.
હવે કારભારીએ પર્વ મિત્રને ત્યાં જઈ બધી હકીકત જણાવી અને મદદ માટે માગણી કરી, ત્યારે પર્વમિત્રે કહ્યું :
આવા સમયે તમને હું મદદ કરી શક્યો હોત તે મને ઘણે આનંદ થાત, પણ દિલગીર છું કે મારા ઘરમાં તમને રાખી શકું તેવી જગા નથી. વળી હું બાળબચ્ચાંવાળો માણસ રહ્યો, એટલે મારે ચેતીને ચાલવું જોઈએ. હું તમને રક્ષણ આપવા માટે રાજ્યને ગુનેગાર ઠરૂં અને જેલમાં જાઉં તે પાછળ મારાં બૈરાં-છોકરાંનું શું થાય? માટે મહેરબાની કરીને બીજા કેઈ સ્થળે ગેઠવણ કરી લે તે સારું.”
કારભારીએ કહ્યું: “મારી મતિ મૂંઝાઈ ગઈ છે. હવે ક્યાં જવું તે સૂઝતું નથી, માટે અત્યારે તે તું રક્ષણ આપ”
પર્વ મિત્રે કહ્યું: “જે વાત સામાન્ય હેત તે હું તમને
Page #190
--------------------------------------------------------------------------
________________
મિત્રની વૃદ્ધિ
૧૭૫ જરૂર મદદ કરત, પરંતુ આ રાજ્યનો ગુને છે અને તેમાં પણ એક રાજકુંવરના ખૂનને સવાલ છે, એટલે આ વખતે મારાથી કંઈ બની શકશે નહિ.”
કારભારીએ કહ્યું : “તો મારે શું કરવું ? તેની કંઈ સલાહ આપો.”
પર્વામિત્રે કહ્યું: “હું તમને શું સલાહ આપું? મારું કહેવું છે એટલું જ છે કે કૃપા કરીને અહીંથી જલ્દી ચાલ્યા જાઓ અને સલામત સ્થાન શોધી કાઢે.”
“કારભારીએ જોયું કે આ મિત્ર પણ સ્વાર્થી જ છે, એટલે ત્યાંથી વિદાય લીધી. તે વેળા આંખની શરમ રાખીને પર્વ મિત્ર છેડે સુધી વળાવવા આવ્યું અને આંખમાંથી બે આંસુ સારતે બે કે “તમને હું રાખી શકતા નથી, માટે અત્યંત દિલગીર છું.”
કારભારીએ કહ્યું: “હેય, એમાં દિલગીર થવાની જરૂર નથી. હું મારું કરમ ગમે ત્યાં ફેડી લઈશ.” પછી તે જુહારમિત્રને ત્યાં ગયે અને તેને બધી હકીકતથી વાકેફ કરીને મદદ માટે માગણી કરી. એ સાંભળીને જુહારમિત્રે કહ્યું : મારું એવું સદ્ભાગ્ય કયાંથી કે આપને કામ આવી શકું? આવી વેળાએ તમે મને યાદ કર્યો, તેથી હું ઘણે ખુશી થયે છું ને તમને મારાથી બનતી બધી જ મદદ કરવા તૈયાર છું. હવેથી આ ઘર તમારું જ સમજે. તેમાં જરાય જૂદાઈ જાણશે નહિ.” પછી તે ડારમિત્ર કારભારીને ભેંયરામાં
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સકસિદ્ધિ
લઈ ગયા અને ત્યાં ખાવાપીવાની તથા ઉઠવા-બેસવાની સગવડ કરી આપી.
• સારા સારાને ભાવ ભજવે અને નરસા નરસાને ભાવ ભજવે.’ એ ન્યાયે કારભારીના નાકરે પેાતાના ભાવ ભજન્યા. તેણે ભેદને છૂપા રાખવાને બદલે રાજાની પાસે જઇને ખુલ્લા કરી દીધા કે જેથી રાજાને વહાલા થવાય.
6
રાજા આ હકીકત સાંભળીને અત્યંત ક્રોધાયમાન થયા અને પાતના માણસોને હુકમ કર્યા કે · એ કમખખ્ત કારભારી જ્યાં હાય ત્યાંથી શેાધી કાઢો અને સત્વર મારી પાસે હાજર કરા.’ એટલે રાજાના માણસા છૂટવા અને કારભારીની શોધ કરતાં કરતાં નિત્યમિત્રને ત્યાં જઈ પહોંચ્યા. ત્યારે નિત્યમિત્રે કહ્યું : ‘તે મારે ત્યાં આવ્યા હતા ખરા અને અ શ્રયની માગણી પણ કરી હતી. પરંતુ રાજ્યના ગુનેગારને આશ્રય આપું તેવા મૂર્ખ હુ નથી. મેં એને રેકડું પરખાવ્યું કે અહીં આશ્રય નહિ મળે. તે ઘણા ભાગે પમિત્રને ત્યાં ગયા હશે, માટે ત્યાં તપાસ કરી. ’
રાજાના માણસા પમિત્રને ત્યાં ગયા, ત્યારે તેણે કહ્યું : તમને મારા પર શક આવતા હાય તા મારું ઘર તપાસી લેા. બાકી એ સંબધી હું કંઈ જાણતા નથી.’
6
:
પછી રાજાના માણસે ભાળ મેળવીને જીહારમિત્રને ત્યાં ગયા અને દમ ભીડાવીને પૂછવા લાગ્યા કે · જે હેાય તે સાચુ કહી દેજો, નિહ તેા પિરણામ ઘણું માં આવશે. ' પરંતુ જીહારમિત્રે જરા પણ આનાકાની કર્યાં વગર કહ્યું : · એ મારે ત્યાં નથી. તમારે તપાસ કરવી હાય તેા ખુશીથી કરા.’
Page #192
--------------------------------------------------------------------------
________________
મિત્રોની વૃદ્ધિ
૧૭૭ રાજાના માણસેએ ફેરવી ફેરવીને બે-ત્રણ વાર પૂછ્યું, છતાં જવાબ એકને એક મળે, એટલે તેમને હેમ ટળે, અને ત્યાંથી ચાલતા થયા.
આ રીતે કારભારીનો પત્તે નહિ મળવાથી રાજાએ ઢંઢરે પીટાવ્યું કે જે કઈ કારભારીને પકડી લાવશે, તેને રાજ્ય તરફથી મોટું ઈનામ આપવામાં આવશે.”
કારભારીને જે કામ કરવું હતું, તે થઈ ગયું હતું.. ત્રણે ય મિત્રો પરખાઈ ગયા હતા, એટલે તેણે જુડારમિત્રને કહ્યું : “તું આ ઢંઢરે ઝીલી લે અને રાજાની પાસે જઈને કહે કે “હું કારભારીને પત્તો મેળવી આપું, પણ તમે ધારે છે તેવી રીતે કારભારી ગુનેગાર નથી, કારણ કે અખંડ, આયુષ્યમાન કુમારશ્રી સહિસલામત છે અને આપની આજ્ઞા થતાં જ અહીં આવી શકે છે.”
જુહારમિત્રે તેમ કર્યું, એટલે રાજાએ કારભારી અને કુમારને પોતાની આગળ રજૂ કરવાનો હુકમ કર્યો. જુહારમિત્રે તે બંનેને રાજાની આગળ રજૂ કર્યા. આ જોઈને રાજા ઘણો જ ખુશ થયા અને તેને મોટું ઇનામ આપ્યું. પછી તેણે કારભારીને પૂછ્યું કે આ બધું શું છે?” એટલે કારભારીએ અથથી ઇતિ સુધી બધી હકીક્ત કહી સંભળાવી. આથી રાજાએ તેને દીર્ધદષ્ટિવાળે જાણીને ભારે શાબાશી આપી અને તેના પગારમાં મોટો વધારે કરી આપ્યું. પછી કારભારીએ નિત્યમિત્ર અને પર્વ મિત્રને સદંતર ત્યાગ કર્યો અને જુડારમિત્રની મિત્રતા કાયમ રાખી સુખી થયે. ૧૨
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સંક૯પસિદ્ધિ
મૂર્ખ મિત્રે ભેગા થાય તે ગાળ દઈને ગમ્મત કરે છે કે કોઈની આઘી–પાછી કરવામાં આનંદ માને છે, માટે મિત્રે હંમેશાં ડાહ્યા કરવા. પંચતંત્રમાં કહ્યું છે કે “મૂર્ખ મિત્ર કરતાં દાને દુશ્મન સારે.” તાત્પર્ય કે મૂની મિત્રતા કદી પણ કરવી નહિ. અફગાન લેકે કહે છે કે “મૂર્ખને મિત્ર કરે એ રીંછને ગળે લગાડવા બરાબર છે.”
પિોર્ટુગીઝ ભાષામાં એક કહેવત છે કે “જે જરા સરખી વાતમાં મિત્રતાને તેડી નાખે છે, તે વાસ્તવમાં મિત્ર જ નથી.” એટલે જેની સાથે મૈત્રી બાંધી, તે ઠેઠ સુધી નભાવવી જોઈએ.
કબીરે કહ્યું છે કેમિત્ર તો અસા કીજિએ, ઢાલ સરીખા હેય; દુઃખમેં તે આગે રહે, સુખમેં પિછે હાય.
હર્બર્ટે કહ્યું છે કે “કેઈને મિત્ર બનાવતાં પહેલાં તેની સાથે પાંચ શેર મીઠું (નમક) ખાઓ. તાત્પર્ય કે કોઈને પણ પૂરતા પરિચયમાં આવ્યા પછી જ મિત્રતા બાંધવી. એકાદ વાર મેળાપ થયે, ચાપાણી સાથે કર્યા કે કોઈને મિત્ર બનાવી લેવાથી પસ્તાવાનો વખત આવે છે. 1 એકવાર નાટક જેમાં બે માણસેને વાતચીત થઈ અને મિત્ર બન્યા. નાટક પૂરું થયું ત્યારે તેમાંના એકે કહ્યું કે
મારું ઘર નજીક છે, માટે હવે ચા પીને જ જાઓ” બીજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને તેની સાથે ગયે. ઘેર જઈને પહેલાએ પોતાની સ્ત્રીને કહ્યું “ચા બનાવી નાખ.” અને ગુપ્ત ઈશારે કર્યો.
Page #194
--------------------------------------------------------------------------
________________
મિત્રોની વૃદ્ધિ
૧૭૮ સ્ત્રીએ કહ્યું: “દૂધ નથી. તમે બહાર જઈ હોટેલમાંથી દૂધ લઈ આવો.”
અને તે હાથમાં તપેલી લઈ બહાર ગયે. પાછળ સ્ત્રીએ ચેનચાળા કરવા માંડ્યા અને તેની સાથે સેફા ઉપર બેસી ગઈ. ડી વારે પેલો ખાલી તપેલીમાં પાછા આવ્યું અને બંનેને સેફા પર સાથે બેઠેલા જોઈને કહેવા લાગ્યું કે “આ શું ? મેં તે તમને સારા માણસ જાણ્યા હતા, પણ તમે તે ખરા નીકળ્યા ! કંઈ નહિ ને મારી સ્ત્રી પર કુદૃષ્ટિ કરી? હમણાં હાક મારીશ તે પચીશ માણસ ભેગા થશે અને તમને ફૂટી નાખશે.”
બીજે માણસ સમજી ગયો કે “આ તે મારી પૂરેપૂરી બનાવટ થઈ છે અને મને જરૂર માર પડશે.” એટલે તેણે ધીમેથી કહ્યું : “ગરબડ કરશે નહિ. લે, આ સો રૂપિયાની નોટ રાખો.”
પહેલે ખરેખર ધૂર્ત હતો અને આ રીતે ઘણુને ફસાવતે, એટલે તેણે કહ્યું: “અમે પૈસા ઘણું જોયા છે. તમારી નેટ તમારી પાસે રાખો. હું હમણાં જ માણસને લાવું છું.”
બીજાએ હાથ જોડ્યા અને કહ્યું: “મહેરબાની કરીને ધાંધલ કરશે નહિ. હું તમને બીજી સો રૂપિયાની નોટ આપું છું.'
અને પેલાએ બંને નેટ ખીસ્સામાં મૂકીને કહ્યું : ચૂપચાપ ચાલ્યા જાવ, ફરી આવું કરતા નહિ.”
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦
સંકલ્પસિદ્ધિ
પેલાએ છૂટકારોને દમ ખેંચે, પણ તે દિવસથી મનમાં ગાંઠ વાળી કે કેઈની સાથે એકદમ મિત્રતા બાંધવી નહિ.”
સારા માણસોની મિત્રતા કરીએ તે આપણી ઉન્નતિ જરૂર થાય છે. તેમની પાસેથી નવું નવું જાણવાનું મળે છે, સાચી સલાહ પણ મળે છે અને આપણા કામકાજને ટેકો પણ મળે છે. કફ્યુશિયસે કહ્યું છે કે તમારાથી ચડિયાતા હોય તેની મિત્રતા કરે.”
જેવો સંગ તે રંગ’ એ પ્રસિદ્ધ જાય છે અને તે મિત્રોની બાબતમાં પૂરેપૂરો લાગુ પડે છે. એટલે કે જે મનુષ્ય મૂખની સાથે મિત્રતા રાખે છે, તે મૂર્ખ બને છે અને સુજ્ઞ, સમજુ કે શાણુની મિત્રતા રાખે છે, તે સુજ્ઞ, સમજુ કે શાણે બને છે. આ દૃષ્ટિએ મિત્રતા સારા માણસની જ કરવી અને તે સારા પ્રમાણમાં કરવી.
મહાત્મા ગાંધીજીએ એક સ્થળે કહ્યું છે કે “મિત્રતા ત્યાગથી ટકે છે.” એટલે કે જે માણસ ભેગ આપી શકે,
તે જ લાંબા સમય સુધી મિત્રતા જાળવી શકે છે. જ્યાં | માત્ર સ્વાર્થ હોય ત્યાં મિત્રતા લાંબે વખત ટકતી નથી.”
છેવટે અમારે એટલું જ કહેવાનું છે કે “શુભ ભાવનાથી મિત્રો વધારો અને કઈ પણ ભોગે તેમની મિત્રતા જાળવી રાખે, એટલે તમારે માટે ઉન્નતિનાં દ્વાર આપોઆપ ખુલ્લી જશે.”
Page #196
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] નીચેગીપણું
જેમ છિદ્રવાળી નૌકા વડે સમુદ્ર તરી શકાતા નથી, તેમ રાગી શરીર વડે જીવનયાત્રા સલ થઈ શકતી નથી. અન્ય શબ્દોમાં કહીએ તે આજે એક રાગ, કાલે બીજો રોગ, એમ વારંવાર રોગના હુમલા થતા હોય તે આપણા શરીરની ભારે ખાનાખરાબી થાય છે, તેનું સર્વાં સત્ત્વ ચૂસાઇ જાય છે અને અકાળે મરવાના વખત આવે છે. આ સ્થિતિસયેાગમાં આપણા સંકલ્પે। સિદ્ધ થાય શી રીતે ?
કોઇક કવિએ ઠીક જ કહ્યુ છે કે મને નચનયોર્ન હિજિન્નિતિ-મનુષ્યની બે આંખા મીડાઈ જાય, એટલે ધન, માલ, મિલકત, હાથી, ઘેાડા, સ્વજન, પરિજન આદિ કઈ પણ તેવુ નથી.’ તાત્પર્ય કે આ બધી જીવનની લીલા છે અને તે જીવનના લીધે જ વિસ્તાર પામે છે, એટલે જીવન ટકી રહે, તાજ તેના ઉપભાગ થઈ શકે છે.
વૈદિક ઋષિઓએ પ્રાથના કરી હતી કે ‘હે પરમાત્મન્ ! અમારા સો સિદ્ધ કરવા માટે તુ અમને આયુષ્ય આપ.’
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સંકલ્પસિદ્ધિ એને અર્થ એમ સમજવાને કે જે જીવન ટકે અને આપણે દીર્ધાયુ થઈએ, તે જ આપણા મહાન સંકલ્પ સિદ્ધ કરી શકીએ અને એ રીતે આપણા જીવનને ધન્ય બનાવી શકીએ, અન્યથા નહિ. ભૂદેવ આપણને ધનવાન, પુત્રવાન , વગેરે થવાનો આશીર્વાદ આપે છે, તેની સાથે આયુષ્યમાન થવાને આશીર્વાદ પણ આપે છે, તે એજ હેતુથી કે આપણું જીવન લાંબો સમય ટકે અને આપણું હાથે કઈ સારાં કામો થવા પામે.
આપણે રોજનો અનુભવ એમ કહે છે કે જેને નીરોગી રહેતાં આવડે, તેનું જીવન લાંબે સમય ટકે છે અને તે જ જીવનને ખર આનંદ ભોગવી શકે છે.
વર્તમાન દુનિયામાં ચીન-રશિયા વગેરે દેશનાં ૧૫૦ વર્ષથી વધારે આયુષ્યવાળા માણસોની નેંધ થયેલી છે અને ખુદ આપણું દેશમાં પણ ૧૦૦ વર્ષથી વધારે આયુષ્યવાળા અનેક માણો વસે છે. તે બધાયે નીરોગી હોવાના કારણે જ આટલું લાંબુ આયુષ્ય ભોગવી શક્યા છે.
હિમાલયમાં ૩૦૦ થી ૪૦૦ વર્ષના આયુષ્યવાળા ગીઓ હોવાના હેવાલ વર્તમાનપત્રોમાં અનેક વાર પ્રસિદ્ધ થયા છે અને તે પ્રામાણિક પુરુષના હાથે પ્રસિદ્ધ થયા છે, એટલે તે સત્ય હશે કે કેમ? એ શંકાને સ્થાન નથી. આ
ગીઓના અતિ દીર્ઘ જીવનનું રહસ્ય ગમે તે હોય, પણ એક વાત નિશ્ચિત છે કે તેઓ નીરોગી હોવાને લીધે જ આટલું લાંબું જીવન જીવી શક્યા છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
નિરોગીપણું
૧૮૩ રેગ અને વૃદ્ધાવસ્થા એ બે માનવજીવનના શત્રુ છે, પણ મનુષ્ય ધારે તે એ બંને શત્રુઓ પર વિજય મેળવી શકે છે. આપણું ષિમુનિઓએ આયુર્વેદમાં તેના ઉપાયો બતાવ્યા છે. આધુનિક માનસશાસ્ત્રીઓ કહે છે કે મનુષ્ય જે | પિતાના સંકલ્પબળને બરાબર ઉપગ કરે તો તેને વૃદ્ધાવસ્થા આવે જ નહિ, એટલું જ નહિ પણ તે મૃત્યુને ય થંભાવી શકે. “અમે અમુક કાર્ય કર્યા પહેલાં નહિ જ મરીએ” એ દઢ સંકલ્પ કરનારા પિતાનું કાર્ય પૂરું કર્યા પછી જ મર્યા છે.”
મૃત્યુ પર વિજય મેળવી શકાય કે નહિ? એને ઉત્તર ! અત્યાર સુધી નકારમાં મળે છે, આમ છતાં કેટલાય વૈજ્ઞાનિકો આ બાબતમાં દીર્ઘ ચિંતન કરી રહ્યા છે અને તે માટે જરૂરી પ્રેગો પણ આદરી રહ્યા છે. અમારે તો અહીં એટલું જ કહેવાનું છે કે મૃત્યુને આપણે ભલે જિતી ન શકીએ, પણ આપણે તેને હસતાં મુખડે ભેટી શકીએ, એવી તૈયારી તે જરૂર કરી શકીએ. તેમાં પહેલી શરત નીરોગી રહેવાની છે.
પુરુષ ૭૨ કલા શીખે અને સ્ત્રી ૬૪ કલા શીખે, પણ નીરોગી રહેતાં ન શીખે તે એ બધી કલાએ નિરર્થક સમજવી. એક શરીર વસ્ત્રાલંકારથી સજજ થએલું હોય, પણ તેમાં ની રેગિતા ન હોય, સ્વાચ્ય ન હોય, તો તેને સુંદર શી રીતે કહેવાય?
લ્યુથરે કહ્યું છે કે “શરીર એ આત્માનું પવિત્ર મંદિર છે, આમ છતાં લેકે પ્રાયઃ તેની પરવાહ કરતા નથી, બલકે,
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સંકલ્પસિદ્ધિ તેને દુરુપયોગ કરે છે. સ્વચ્છ, ભરાવદાર, સુગઠિત, શીઘ પૂર્વ સ્થિતિને પ્રાપ્ત કરનાર, સંકટને સામને કરવાને તૈયાર અને સુદઢ એવું શરીર પ્રાપ્ત કરવું, એ ઈશ્વરની અપૂર્વ ભેટ છે અને દ્રવ્યને ઉત્તમ ખજાને છે.”
આ બાબતમાં એકજિયાસ્ટિકસના શબ્દો પણ વિચારવા એગ્ય છે. તે કહે છે: “શરીરથી અત્યંત દુઃખી રહેનાર ધનિકની અપેક્ષાએ નીરોગી અને બળવાન ગરીબ વધારે સારે છે. આરોગ્ય અને ઉત્તમ શરીર–સંપત્તિ સુવર્ણના ઢગલાથી શ્રેષ્ઠ છે અને સુદઢ શરીર અપાર ધનરાશિથી ચડિયાતું છે. નીરોગી શરીરની સામે ધનિક્તાની કઈ કિંમત નથી. નિત્ય બિમાર-રેગી રહેવાની અપેક્ષાએ મરણ વધારે સારું છે.”
પ્રસિદ્ધ તત્વચિંતક એમર્સનને અભિપ્રાય પણ લગભગ આવે જ છે. તે કહે છે: “આરોગ્ય સહુથી શ્રેષ્ઠ છે. મને કેવળ એક જ દિવસ માટે આરોગ્ય આપો તો હું તેની સામે ચક્રવર્તીએના વૈભવને પરિહાસ કરીશ?
આ પરથી નીગી રહેવું કેટલું મહત્વનું છે, તે સમજી શકાશે.
જેમ ૧ માંથી ૧ જાય તો શૂન્ય રહે છે, તેમ શરીરમાંથી આરોગ્ય જાય તે શૂન્ય રહે છે. પછી તેને ધન, સંપત્તિ અધિકાર, યશ કઈ પણ આનંદ આપી શક્તા નથી. રેગમાંથી કેમ છૂટવું ? એ જ તેના જીવનને એક મહાપ્રશ્ન બની રહે છે અને તેના ઉકેલમાં જ તેને આનંદ આવે છે. તાત્પર્ય કે આપણું શરીર નીરોગી રહે, તંદુરસ્ત રહે, સ્વાથ્યથી ભરપૂર
Page #200
--------------------------------------------------------------------------
________________
નિરોગીપણુ
૧૮૫
રહે તે જ ધન, સંપત્તિ, અધિકાર યશ કામના છે, અન્યથા તેની પાછળ દોડવાના કોઈ અર્થ નથી.
6
મહાત્મા ગાંધીજીએ કહ્યુ છે કે ઈશ્વરીય નિયમે પાળવાથી જ શરીર નીરોગી રહી શકે છે, શૈતાનીય નિયમે પાળવાથી નહિ. જ્યાં સાચુ આરેાગ્ય છે, ત્યાં જ સાચું સુખ છે.’
’
ઇશ્વરીય નિયમે એટલે પ્રાકૃતિક નિયમ (Natural laws). તે આપણે ખરાખર પાળીએ તે આપણુ શરીર નીરોગી રહી શકે છે. પરંતુ આપણે તે નિયમેા પાળવાની દરકાર કરીએ છીએ ખરા ? આપણા મનમાં મોટા ભાગે સેતાન સવાર થાય છે અને તે જેમ ચલાવે તેમ ચાલીએ છીએ. પછી નીરોગી અવસ્થાની આશા શી રીતે રાખી શકીએ ?
6
૫. શિવદત્તજી શર્મા કહે છે કે · રોગ અને નિલતા પ્રાય: પ્રકૃતિના નિયમાનું ઉલ્લંઘન કરવાથી આવે છે. પ્રકૃતિના નિયમે। અનુસાર ચાલવાથી નથી તેા કોઈ રાગ થતા કે નથી કોઇ પ્રકારની નિ`લતા આવતી. બલ્કે આરેાગ્ય, અળ, બુદ્ધિ અને આયુની નિરંતર વૃદ્ધિ થતી રહે છે. તેને વૃદ્ધાવસ્થાનું કષ્ટ પણ થતુ નથી. અથવા તો એમ કહેવુ જોઈએ કે તેને વૃદ્ધાવસ્થા આવતી જ નથી.’
પ્રકૃતિના નિયમ કઠિન નથી, એ તદૃન સીધાસાદા છે, પણ તે આપણે ખરાખર સમજી લેવા જોઇએ અને તેને ચીવટથી અનુસરવુ જોઈ એ, તેને સારાંશ અહીં આપવામાં પાવે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
(૧) પ્રાતઃકાલમાં વહેલું ઉઠવુ, પ્રભુસ્મરણ કરવું અને થોડા વ્યાયામ કે ઘેાડાં આસના કરવાં. પછી બહાર નીકળી પ્રાતઃવાયુનું સેવન કરવુ'. પ્રભુસ્મરણથી આપણા મનમાં પવિત્રતાના વાસ થાય છે, વ્યાયામથી શરીર સુદૃઢ બને છે અને આસનથી અનેક જાતના રાગે! દૂર થાય છે તથા શરીરમાં સ્થૂલતા આવતી નથી. તેજ રીતે પ્રાતઃવાયુનું સેવન કરવાથી આપણા શરીરમાં શુદ્ધ પ્રાણવાયુ વધારે પ્રમાણમાં દાખલ થાય છે અને તેથી એક પ્રકારની તાજગી આવે છે.
૧૮૬
(૨) પ્રાતઃકાલની એક ક્રિયા શૌચ અથવા મલત્યાગની છે. તે ખરાખર થાય તે શરીર નીરોગી અને પ્રસન્ન રહે છે. પરંતુ અદ્ધકાતા એટલે કબજિયાતના રોગ લાગુ પડથી હાય તા એ ક્રિયા બરાબર થતી નથી. તે માટે ઘણીવાર બેસવુ પડે છે તથા બે કે ત્રણ વાર શૌચાલયના ઉપયેગ કરવા પડે છે. આવા મનુષ્યાએ શૌચના સમય પહેલાં એક કલાકે એકાદ લેટો પાણી પી જવું જોઈ એ અને પછી સૂઇને પેટને ગાળ ચક્કરમાં ઘુમાવવાના પ્રયત્ન કરવા જોઇએ. એથી આંતરડાંમાંથી મળ છૂટો પડે છે અને દસ્ત સાફ આવી જાય છે. સાંજે પણ આટલું પાણી પીવાથી અને પેટને ઊંચું-નીચું કરવાથી સાંજની શૌચક્રિયા બરાબર થાય છે.
શાકભાજી વધારે વાપરવાથી, મેંદા વગેરેના ત્યાગ કરવાથી, તેમજ તળેલાં અને ભારે પદાર્થોં વર્જ્ય કરવાથી કબજિયાત થતી અટકે છે. આમ છતાં ઔષધની જરૂર જણાય
Page #202
--------------------------------------------------------------------------
________________
નિગીપણું
૧૮૭ તો ત્રિફળા ચૂર્ણ, હિમજી હરડે કે હરડેનું ચૂર્ણ રાત્રે સૂતી વખતે વાપરવાથી લાભ થાય છે.
જે મળત્યાગ વખતે પેટમાં ગડગડાટ થાય, ચૂંક આવે, દુર્ગધી વાયુ છૂટે, અને મલ બંધાઈને ન આવતાં ઘણો ત્રુટક કે પાતળે થાય તે સમજવું કે પાચનક્રિયામાં કંઈક ખામી છે અને તે તરત સુધારી લેવાનો પ્રયત્ન કરવા જોઈએ.
જીભ પર છાલાં પડે, મોઢામાં દુર્ગધી જણાય તો પણ પેટની અવ્યવસ્થા જ સમજવી અને દસ્ત સાફ આવે તે પ્રયત્ન કરે.
જુલાબથી એક, બે કે વધારે દસ્તો આવી પેટ સાફ થઈ જાય છે ખરું, પણ તેનો ઉપયોગ કવચિત્ જરૂર પ્રમાણે જ કરવો. એના કરતાં એનિમા લે તે વધારે ફાયદાકારક છે. | (૩) સદા નીરોગી રહેવા ઈચ્છનારે નિત્ય સ્નાન કરવું જોઈએ, પરંતુ બે લોટા આમ અને બે લેટા તેમ ઢાળી દેવાથી સ્નાન થતું નથી. તે વિધિપૂર્વક કરવું જોઈએ, એટલે કે હાથ, પગ, મોં, માથું, ગરદન, છાતી, પેટ, કમ્મર તથા સાથળના ભાગો બરાબર સાફ કરવા જોઈએ. સ્નાન માટે હાલ વિવિધ પ્રકારના સાબુઓને ઉપયોગ થાય છે, પરંતુ આગળના જમાનામાં લોકો ઉવટ્ટણ (ઉદ્વર્તન) બનાવીને સ્નાન વખતે તેનો ઉપયોગ કરતા, તેથી શરીર ઘણું સ્વચ્છ થતું અને સુગંધિત રહેતું. અમારા અનુભવ મુજબ જે ઉત્તમ પ્રકારનું ઉવણ વાપર્યું હોય તે તેની સુગંધ શરીરમાંથી ૨૪ કલાક સુધી તે જતી જ નથી.
Page #203
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ
સ્નાન પછી જો પ્રાણાયામની ક્રિયા કરવામાં આવે તે શરીરનુ નાડીતંત્ર સુધરે છે અને અનેક પ્રકારના રોગા નાબૂદ થાય છે. તે માટે આસન બિછાવીને પૂર્વાભિમુખ બેસવું. પછી સાત વાર સોડ ું મંત્ર દીર્ઘ શ્વાસોચ્છ્વાસ પૂર્વક મનમાં લવા અને ત્યારબાદ સૂર્ય ભેદન આદિ પ્રાણાયામની પાંચથી માંડીને દશ-ખાર આવૃત્તિએ કરવી. પ્રાણાયામથી અમે દમ તથા હૃદય ઢૌલ્યના રાગમાં ગણા ફાયદો થતા નિહાળ્યે છે. ખાસ કરીને તેનાથી રક્તાભિસરણની ક્રિયાને સારા વેગ મળે છે અને મંદાગ્નિ વગેરે રાગે! દૂર થાય છે. પ્રાણાયામ અંગેની વિશેષ હકીક્ત તે માટેના ખાસ ગ્રંથેામાંથી તથા તે વિષેના જાણકારો પાસેથી મેળવવી.
૧૮૮
(૫) ત્યારબાદ દુગ્ધપાન આદ્ઘિ અનુકૂળતા મુજબ કરવાં. હાલ તે ચાના મેટા પ્રચાર છે. કેટલાક તેની જગાએ કોફી કે ગરમ મસાલાને પણ ઉપયાગ કરે છે. તેના પેાતાની તબિયતની અનુકૂળતા મુજબ ઉપયાગ કરવા.
(૬) સમય થતાં ભેાજન કરવું. તેને સમય વારવાર અદ્દલવાથી પાચનક્રિયામાં અવ્યવસ્થા ઊભી થાય છે, એટલે અને ત્યાં સુધી રાજના સમયે જ ભાજન કરી લેવાની તૈયારી રાખવી. આપણે ત્યાં કહેવત છે કે • સે કામ મૂકીને નાવુ અને હજાર કામ મૂકીને ખાવું' એટલે અને ત્યાં સુધી તેમાં અનિયમિતતા થવા દેવી નહિ. કામ તેા પછી પણ થઇ શકે છે.
જે ભાજન લેવું, તે પાતાની પ્રકૃતિને અનુકૂળ લેવુ
અને તેનું પ્રમાણુ સાચવવું. એટલે કે ભૂખ કરતાં ઘેાડુ
Page #204
--------------------------------------------------------------------------
________________
નિગીપણું
ઓછું ખાવું, પણ કદી ઠાંસીને જમવું નહિ. અકરાંતિયાપણું આયુષ્ય ઘટાડે છે અને કેટલીક વાર અકાળે મૃત્યુનો ભેટો કરાવે છે.
વધારે પડતાં તીખા તમતમતાં પદાર્થો વાપરવાથી જઠર તથા આંતરડાં બગડે છે અને જઠર તથા આંતરડાં બગડ્યા કે સમસ્ત પાચનક્રિયામાં અવ્યવસ્થા ઊભી થાય છે, માટે તેમાં સંયમ જાળવે.
અવસ્થા અનુસાર ભેજનમાં કેટલાક ફેરફાર કરવો જરૂરી બને છે, તે માટે ખાસ લક્ષ્ય રાખવું. જુવાનીમાં જે ખોરાક પચતો હોય, તે વૃદ્ધાવસ્થામાં પચતો નથી, એટલે તે અંગે. જરૂરી ફેરફાર કરી લેવા.
ખેરાક જેટલો સાદો અને સાત્વિક, તેટલું નીરોગીપણું વધારે. પરંતુ આજે આ સિદ્ધાંત તરફ દુર્લક્ષ્ય થયું છે અને સ્વાદ પર જ વિશેષ ધ્યાન અપાવા લાગ્યું છે. આપણું કઈ પણ ભેજનસમારંભની વાનીઓ જુઓ, એટલે તેને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. આ પરિસ્થિતિ સુધારણું માગે છે અને તે આપણે સમજપૂર્વક કરવી જોઈએ.
(૭) બપોરે આ રીતે ભેજન કર્યા પછી ત્રણ વાગ્યે ચા વગેરે વાપરવાની ખાસ આવશ્યકતા ગણાય નહિ, પણ. આજે તે એ રિવાજ થઈ પડે છે અને ઘણાખરા મનુષ્ય આ વખતે ચા વગેરે વાપરે છે. આરોગ્યની દષ્ટિએ તેમાં મેટી હાનિ છે, એવું અમે માનતા નથી, પણ જેઓ ડી. ડી વારે ચાના કપ ઢીંચ્યા જ કરે છે, તે સાયંકાળનું
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સંકસિદ્ધિ ભજન બગાડે છે અને વખત જતાં મંદાગ્નિને ભેગા થઈ પડે છે.
એક વિચારકે ઠીક જ કહ્યું છે કે “આપણું મેટું એ ટપાલની પિટી નથી કે તેમાં નિરંતર કંઈને કંઈ નાખ્યા જ કરીએ. એ તે ચેતનરાયનું એક મંદિર છે અને મંદિરમાં જેમ નિયત સમયે પૂજા-આરતી વગેરે થાય છે, તેમ શરીરને પણ નિયત સમયે જ ભેજન વગેરે આપવું જોઈએ.”
જે પાચનશક્તિમાં ખામી લાગતી હોય તે સાયંકાળનું ભોજન છેડી દેવું જોઈએ અને તે વખતે ફળરસ, દૂધ, ચા આદિને જ ઉપયોગ કરવો જોઈએ.
રાત્રે મેડા ભેજન કરવાથી ખાધેલું બરાબર પચતું નથી, એટલે તે બને તેટલું વહેલું કરી લેવું જોઈએ. જે લેકો રાત્રિએ બિલકુલ ભજન કરતા નથી, તે ઘણું રેગથી બચી જાય છે.
(૮) કામની ગોઠવણ એવી હેવી જોઈએ કે વચ્ચે છેડે આરામ પણ મળે. એકધારું લાંબા વખત સુધી કામ ખેંચવાથી શ્રમ વધારે લાગે છે અને આયુષ્ય ઓછું થાય છે. | (૯) રાત્રિના બીજા પ્રરે શુભ સંકલ્પપૂર્વક નિદ્રા ધીન થવું જોઈએ. એ વખતે જે શુભ સંકલ્પ કર્યો હોય તેની ગુપ્ત માનસ પર ઘણું અસર થાય છે અને તેનું પરિ સુમ સુંદર આવે છે. હવે તે નિદ્રા વખતે પણ પ્રશિક્ષણ આપવાના પ્રયોગો થયા છે અને ગુપ્ત મનની શક્તિઓને વિસ્તાર ઘણો મોટો માનવામાં આવ્યું છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
નિરોગીપણ
૧૯૧
(૧૦) જે મનુષ્ય ઘસઘસાટ ઉંઘી શકે છે, તેને પૂરતા આરામ મળી જાય છે અને તે જ્યારે જાગે છે, ત્યારે તેનામાં અજબ સ્મૃતિ હાય છે. જે એક યા બીજા કારણે ખરાખર ઊંઘી શકતા નથી, તેમનુ શરીર બગડે છે અને મન પણુ નબળુ પડે છે, પરંતુ ઝેરી દવાના પ્રયોગ કરીને ઊંઘવું અને અમે હિતાવહુ લેખતા નથી. તે માટે સંખ્યાગણના, ૐકારનું ધ્યાન, ગરમાગરમ દૂધ પીવું આદિ જે કેટલાક પ્રયેગા છે, તેની અજમાયશ કરવા જેવી છે.
(૧૧) ચિત્તને સદા પ્રસન્ન રાખવાથી આરેાગ્ય ઉપર ઊંડી અસર થાય છે, એટલે કે તે ખરાખર જળવાઇ રહે છે. હવે તા હાસ્યના પ્રયોગથી પણ રેગે મટાડવાનું શરૂ થયેલ છે.
એક માણસને તાવ આવ્યા હતા અને તે પથારીમાં પડયા હતા. તેને માટે તેની પત્નીએ એક પ્યાલામાં પીવાની દવા કાઢી, પણ વચ્ચે કંઇ કામ આવવાથી તે એ ખ્યાલે ત્યાંને ત્યાં મૂકી ઓરડામાં ગઈ. એ વખતે એક વાનર ત્યાં આવ્યે અને તેમાં સુંદર ગુલાબી રંગનું પ્રવાહી જોઈ તેને ગટગટાવી ગયા. પરં'તુ તરત જ તેનું મેનું કટાણું થયું, કારણ કે એ દવા ઘણી કડવી હતી. એટલે તે પાતાનું પેટ ફૂટવા લાગ્યા.
આ જોઈ ને પેલા દરદીને ઘણુ હસવું આવ્યું. ત્યાર બાદ તેની પત્ની આરડામાંથી બહાર આવી અને હસવાનું કારણુ પૂછ્યું. પણ તે વાત કહે તે પહેલાં હસવું આવી જાય. આમ છતાં તેણે ઘણા પ્રયત્ને પોતાનું હસવું ખાળીને એ વાત
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સકસિદ્ધિ
તેની પત્નીને કહી. પરંતુ એ વખતે પેલા દદીના તાવ ઉતરી ગયા હતા અને તેનુ કારણ તેણે કરેલ મુક્ત હાસ્ય હતું.
શરીર અને મનને અન્યોન્ય સબંધ છે, એટલે કે શરીરની અસર મન પર થાય છે અને મનની અસર શરીર પર થાય છે. વધારે સ્પષ્ટ કરીએ તે જેએ લાંબા સમય માંદા રહે છે, તેના સ્વભાવ ચીડિયા થઈ જાય છે અને તેને કોઈ માખતના ઉત્સાહ રહેતેા નથી.
તેજ રીતે મન પર વિવિધ પ્રકારના આધાતા થતાં શરીર ઢીલું પડી જાય છે અને ઘણી વાર હૃદય પર પણ ભારે અસર થાય છે. તાત્પર્ય કે મનને શાંત-સ્વસ્થપ્રસન્ન રાખવા માટે શરીરની નીરાગીતા જાળવી રાખવાની જરૂર છે અને તે ઉન્નતિના ઉમેદવારે એ જરૂર જાળવી રાખવી જોઈએ.
Page #208
--------------------------------------------------------------------------
________________
[૧૮] સંકલ્પશક્તિ દ્વારા રોગનિવારણ
નીરોગી રહેવાના પ્રયત્નો કરવા છતાં કઈ રોગ ઉત્પન્ન થાય, તે તેથી ગભરાવાની જરૂર નથી. જે ગભરાયા તે એ રેગ તમારા માથે ચડી બેસશે અને તમારા મનનાં નહિધારેલી વ્યથા-નહિ ધારેલે સંતાપ પેદા કરશે.
“અરેરે ! મને રેગ કયાંથી લાગુ પડે? હવે મારું શું થશે? એની વેદના મારાથી સહેવાતી નથી! અરે ! કેઈ તે મારા માટે કંઈક કરે!” આ કે આ પ્રકારના શબ્દ તમે ભલા થઈને હરગીઝ ઉચ્ચારશે નહિ, કારણ કે આથી રેગનાં મૂળ ઊંડા જશે અને તે વૃદ્ધિ પામવા લાગશે.
“સુખસમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી” એ આપણું નીતિકારોએ આપણને આપેલી સોનેરી. શિક્ષા છે અને તેને અનુસરવામાં જ આપણું શ્રેય છે. જરા હિંમત રાખે, ટટાર થાઓ અને રેગને સામને કરવાની. તૈયારી કરે, એટલે રેગના પગ ડગમગવા લાગશે. ભયથી સંવેદનની માત્રા વધી જાય છે અને નિર્ભયતાથી સંવેદના
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સંકલ્પસિદ્ધિ પારે શૂન્ય પર આવી જાય છે, એટલી વાત જે તમારા મનમાં બરાબર ઉતરે અને તમે નિર્ભયતા ધારણ કરે તે રેગ સામે અર્ધો જંગ જિલી ગયા સમજજે.
વાઘ કરતાં વાઘને ડર આપણને વધારે હચમચાવી મૂકે છે. જેમને વાઘને ડર નથી, તે એની સામે લડવા તૈયાર થાય છે, એટલું જ નહિ પણ તેની સાથે બાથંબાથ આવી તેને નીચે પટકે છે કે તેના કાન આંબળી તેને મહાત કરે છે.
શિયાળાની સવારે ઠંડા પાણીથી ન્હાવું હોય તે આપણું મનમાં એ ભય ઉત્પન્ન થાય છે કે “આ પાણીથી તે શે ન્હવાય? પણ હિંમત કરો અને ન્હાવા બેસી જાઓ તો કંઈ થતું નથી. વળી એ વખતે એ વિચાર જોરથી કરવા લાગે કે આમાં તે કંઈ ઠંડી લાગતી જ નથી, તે તમને ઠંડીને અનુભવ નહિ જ થાય. આપણામાં એક કહેવત છે: ‘ટાઢ ટાઢ કરીએ નહિ અને ટાઢનાં માર્યા મરીએ નહિ” તેમાં પણ આવી નિર્ભયતા કેળવવાને જ હેતુ છે.
અત્યારે તે ઘણે તાપ છે. બહાર શી રીતે નીકળાય! લૂ લાગી તે આવી બન્યું સમજો !” એવા વિચાર કરનાર ઘરની બહાર નીકળી શકતો નથી. પરંતુ એ જ વ્યક્તિ જે એ વિચાર કરે કે “છેડો તાપ છે, તેથી શું થઈ ગયું? એની મને કંઈ અસર થવાની નથી. હજારે માણસે અત્યારે અવરજવર કરી રહ્યા છે અને પોતપોતાનું કર્તવ્ય અજાવી રહ્યા છે, તે મારે ડરવાનું શું પ્રજન છે?” તે તે
Page #210
--------------------------------------------------------------------------
________________
સંકલ્પશક્તિ દ્વારા રેગનિવારણ
૧૯૫ ઘર છોડીને બહાર નીકળી પડશે અને હસતા મુખડે પોતાનું કામ કરીને પાછો આવશે.
રેગની બાબતમાં પણ એમ જ સમજવાનું છે. જે તેનાથી ડરી ગયા, હિંમત હારી ગયા, તે તેનું દર્દ ઘણું લાગવાનું અને એ રેગને આપણું શરીરમાં પ્રસરવાની પૂરતી ભૂમિકા મળી રહેવાની.
હવે તો વૈજ્ઞાનિક પ્રયોગથી એ વસ્તુ સિદ્ધ થઈ ચૂકી છે કે સર્વ રેગેનું મૂળ આપણું મનમાં છે, આપણી મનોદશામાં છે. દાખલા તરીકે અત્યંત સ્વાર્થીપણું, લેભ અને ઈર્ષા આપણું મનમાં જેર કરી રહ્યા હોય તે આપણું કાળજા અને બળ પર અસર થવાની, એટલે કે તેને લગતે કેઈને કેઈ રેગ ઉત્પન્ન થવાનો. જે આપણું મનને કબજે તિરસ્કાર અને ક્રોધે લીધે હેય તે મૂત્રાશયને લગતા રોગ પેદા થવાના, અથવા તે અથવા તે પેદા થયા હોય તે તે ઘણા વધી જવાના. એ જ
જ મને લગત રીતે ભય, ચિંતા અને વ્યાકુલતાનું પ્રમાણ વધી જાય તે તરત જ હૃદય પર અસર થવાની. થોડા વખત પહેલાં અમેરિકાના એક શહેરમાં ભયંકર અકસ્માત થ હતો અને તેમાં અગિયાર વ્યક્તિઓ છૂદાઈને મરી ગઈ હતી. આ દશ્ય જોતાં જ એક પ્રેક્ષકનું હૃદય ત્યાંને ત્યાં બેસી ગયું હતું અને તેની જીવનયાત્રા પૂરી થઈ ગઈ હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ મહામાત્ય પંડિત જવાહરલાલ નહેરૂના અવસાનના સમાચાર ઘણું આઘાતજનક હતા. એ સમાચાર સાંભળીને ત્રણ વ્યક્તિએનાં તરત જ મૃત્યુ થયાં હતાં.
Page #211
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ
મૃત્યુભયના વિચારથી એક કેદીના કાળા વાળ રાતારાત સફેદ બની ગયાની નાંધ થયેલી છે. ઘણા માણસને ચહેરા ભયથી સફેદ પુણી જેવા થઈ જાય છે પીળા પડી જાય છે, એ કોણ નથી જાણતું ?
અથવા તે
૧૯૬
વળી એવું પણ જોવામાં આવ્યું છે કે નિરાશા અને ચિંતાથી આંતરડાંના રાગા થાય છે, ધનનાશના સતાપ નિલતા, ક્ષય તથા મૂત્ર સબંધી રોગો પેદા કરે છે અને દરિદ્રતાના દુઃખમય વિચારોથી અજીર્ણ અને મંદાગ્નિ ઉત્પન્ન થાય છે.
એ વાત પણ ખ્યાલમાં રાખો કે ત્વચાના ધર્માં પર લાગણીની અસર થાય છે અને અત્યંત માનસિક પરિશ્રમ કરવાથી ચામડી ફાટી જાય છે. તે જ રીતે જો મનેાવૃત્તિમાં વિલક્ષણ ફેરફારો થાય તેા ત્રણ, નાસુર, ફેફરૂં (અપસ્માર–વાઇ) અને ઉન્માદ ( ગાંડપણ) ઉત્પન્ન થાય છે. તથા કામવૃત્તિને વેગ અત્યંત વધી જાય અને મનુષ્ય અતિ સ્રીસંગ કરવા લાગે તેા તેની પ્રાણવાહિની નાડીઓ નબળી પડી જતાં તેને લકવા લાગુ પડે છે.
:
ૉ. એમારગેટ્સે ઘણા પ્રયાગા પછી જાહેર કર્યુ છે કે ભય, ચિંતા, ક્રાધ, ઈર્ષ્યા, દ્વેષ અને ઉદાસીનતાથી પરસેવામાં, થૂંકમાં, શ્વાસમાં તથા રક્તમાં વિષ ઉત્પન્ન થાય છે અને પ્રેમ, દયા, સ ંતેષ, આન, પ્રસન્નતા તથા આરગ્યના વિચારોથી નીરોગી અને બળવાન બનાવનારાં તત્ત્વ પેદા થાય છે.' એટલે જે મનુષ્યે સદા નીરોગી રહેવું હાય
Page #212
--------------------------------------------------------------------------
________________
આપણે આપણી
લઈએ અને છાએ, તેવીજ
સંકલ્પશક્તિ દ્વારા રેગનિવારણ
૧૯૭ તેણે, ચિંતા, ક્રોધ, ઈર્ષા, દ્વેષ તથા ઉદાસીનતાના વિચારે છેડીને પ્રેમ, દયા, સંતોષ, આનંદ, પ્રસન્નતા તથા આરોગ્યના જ વિચાર કરવા જોઈએ.
ઓરિસન સ્વેટ માર્ડને કહ્યું છે કે આપણે વ્યાધિનું ચિંતન કરીને કદી પણ આરોગ્ય મેળવી શકીશું નહિ. અપૂર્ણતાને વિચાર કરીને કદી પૂર્ણતા મેળવી શકીશું નહિ. તેમજ અસ્વસ્થતાને વિચાર કરીને કદી પણ સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીશું નહિ.
આપણે આપણું મનમાં નિરંતર આરોગ્ય અને સ્વસ્થતને ઉચ્ચ આદર્શ રાખવો જોઈએ અને આપણે જેવી રીતે અપરાધ કરવાની લાલચની સામે થઈએ છીએ, તેવી જ રીતે આપણે અશાંતિમાં પ્રત્યેક વિચારની–શાંતિના પ્રત્યેક શત્રુની સામે યુદ્ધ કરવું જોઈએ. તમારી પ્રકૃતિની જે સ્થિતિ તમે ઈચ્છતા ન હ તે વિષે કદી પણ વાતચીત કે ચર્ચા કરશે નહિ, તમારી વેદનાઓનો વિચાર કરશે નહિ, કિંવા રોગનાં ચિહા તપાસશે નહિ. વૈદ્ય જણાવે છે કે, જે માણસ પિતાની પ્રકૃતિને અભ્યાસ કર્યા કરે છે, પિતાની જાત વિષે વિચાર કર્યા કરે છે અને પિતાના રોગનાં લક્ષણે તપાસ્યા કરી રોગનું લેશ પણ ચિન્હ જણાતાં ગભરાઈ ઉઠે છે, તે કદી પણ નીરોગી રહી શકતો નથી.
એટલે ખરી જરૂર વિચાર–પરિવર્તનની છે, આપણી ભાવનાઓમાં પલટો લાવવાની છે, આપણુ આરોગ્યવિષયક સંકલ્પને વધારે દઢ બનાવવાની છે. જે તમે ભય, ચિંતા,
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૮
સંક૯પસિદ્ધિ
ખેદ આદિ અશુભ વિચારે દૂર કરીને આરેગ્ય, આનંદ, પ્રસન્નતા આદિના શુભ વિચાર કર્યા કરે અને નિત્ય એવી ભાવના ભાવે કે “મારે રેગ દૂર થઈ રહ્યો છે, હવે હું સારે થઈ રહ્યો છું, તદ્દન સારે થઈ રહ્યો છું તે તમારે રેગ અવશ્ય દૂર થઈ જવાને તથા તમે આરોગ્ય અને આનંદમય જીવન અવશ્ય જીવી શકવાના.
કેઈ એમ કહેતું હોય કે “માત્ર વિચારે કરવાથી કે ભાવના ભાવવાથી રોગ છેડે જ હટે?” તો એ ગંભીર ભૂલ છે. વિચારોની–ભાવનાઓની અસર જેમ આપણું મન પર થાય છે, શરીર પર થાય છે, તેમ સ્વાથ્ય ઉપર પણ થાય છે અને તે જ કારણે વિચાર-ભાવના–સંકલ્પના બળથી ગમે તેવા જાલીમ રેગોને પણ દૂર હટાવી શકાય છે.
એક વૃદ્ધ સ્ત્રી ઘણ વર્ષથી લકવાથી પીડાતી હતી. એવામાં ધરતીકંપ થયે અને બધા લોકો પોતપોતાને જાન બચાવવા ભાગવા લાગ્યા. ત્યારે એ વૃદ્ધાના મનમાં પણ પિતાને જાન બચાવવાનો વિચાર પ્રબળ વેગથી ઉત્પન્ન થયે અને તેથી તેના સૂકાઈ ગયેલા અંગમાં રૃતિ આવી અને તે બિછાના પરથી ઉઠીને બીજાની સાથે ભાગવા લાગી. તે દિવસ પછી ફરી તેને લકવાની બિમારી થઈ નહિ. એ વૃદ્ધાના શરીરમાં નવ રક્તપ્રવાહ વહેવા લાગે. જે વિચારમાં બળ ન હોય, તાકાત ન હોય, તે આવું પરિણામ કદી આવી શકે ખરું?
આમ તે આપણે ઘણું ઘણું જાણીએ છીએ. આપણને
Page #214
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ દ્વારા રેગનિવારણ
૧૯૯ કેઈ આફ્રિકાની નદીઓ વિષે, અમેરિકાના શહેરે વિષે કે એકિમેના જીવન વિષે પૂછે તે તેના સડસડાટ જવાબ આપી શકીએ છીએ. તે જ રીતે આપણને કેઈ ચતુરંગી ક્રિકેટ મેચ વિષે, કેઈ નાટક-સીનેમા વિષે કે નટ–નટીઓના પોશાક વિષે પૂછે, તો તેને ઉત્તર આપવામાં વિલંબ કરતા નથી. પણ કેઈ આપણને આપણું મન વિષે તથા તેના સ્વરૂપ વિષે પૂછે તે નીચું જોઈએ છીએ કે માથું ખણીએ છીએ. મન વિષેનું આપણું આ અજ્ઞાન આપણું અંતરમાં છૂપાઈ રહેલી મહાન શક્તિઓને આપણને સાક્ષાત્કાર થતાં અટકાવે છે, એટલું જ નહિ પણ જે માર્ગ સરલ છે, સચોટ છે, ઈષ્ટ પરિણામને લાવનારે છે, તેના વિષે આપણને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે અને જે માર્ગ ખરેખર વિષમ છે, વધારે ખર્ચાળ છે તથા છેવટે કંટાળો આપનાર છે, તેના તરફ દોટ મૂકાવે છે.
આજે આપણને કેઈ ના સો રોગ છે કે ડોકટરની પાસે દોડીએ છીએ અને તે જે દવા, ઇંજેકશન કે ટીકડીઓ વગેરે લખી આપે તેનો ઉપયોગ કરીને રેગનું નિવારણ કરવાની આશા રાખીએ છીએ. જે તેમાં સફળ ન થયા તો કોઈ હેમિપાથ કે બાયોકેમિકલ દવાવાળાને શોધી કાઢીએ છીએ, અથવા તે વૈદ્ય-હકીમને આશ્રય લઈએ છીએ, પણ આપણી જાત પર શ્રદ્ધા રાખીને સાદા ઉપચારથી તેને મટાડવાને પ્રયત્ન કરતા નથી ! આ તે આપણે કેવો વ્યાહ!
Page #215
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ
આપણું બાપ-દાદાઓ પ્રકૃતિની વધારે નજીક હતા, તેથી આરોગ્યભર્યું આનંદમય જીવન ગાળતા હતા. તેમને રિગ ભાગ્યેજ થતું અને થાય તે ઘરગથ્થુ સાદા ઉપચારથી મટી જતું. કેઈ અસાધારણ બિમારી સિવાય તેઓ વૈદ્ય, હકીમ કે ડોકટર પાસે જતા નહિ. એ રીતે તેમને રેગનિવારણ અંગે એક કુટુંબનું બાર મહિનાનું ખર્ચ દશવીશ રૂપિયાથી વધારે ભાગ્યે જ આવતું, જ્યારે આજે તે સામાન્ય સ્થિતિના માણસને પણ દર વર્ષે રૂપિયા ત્રણસો-ચારસે કે તેથી પણ વધુ ખર્ચ આવે છે અને તેમ છતાં પૂરું આરોગ્ય તે પ્રાપ્ત થતું જ નથી. - આ બધી પરિસ્થિતિનો ખ્યાલ કરીએ છીએ, ત્યારે એમજ થાય છે કે આપણે દરેક બાળકને શાળાના અભ્યાસ દરમિયાન પ્રાકૃતિક ચિકિત્સા તથા માનસપચારનું જ્ઞાન ને ફરજિયાત આપવું જોઈએ, જેથી તેઓ ઓછા ખર્ચે અને 'ઓછી મહેનતે પિતાની શરીર સુખાકારી જાળવી શકે અને વધારે તંદુરસ્ત-વધારે શક્તિશાળી પ્રજાને પેદા કરી શકે.
આપણુ મનનું સ્વરૂપ પ્રકટ અને ગુપ્ત એમ બે પ્રકારનું છે, એ વાત અમે પૂર્વે પાંચમા પ્રકરણમાં સ્પષ્ટ કરી ગયા છીએ. તેમાં પ્રકટ મન કરતાં ગુપ્ત મનનું પ્રમાણ ઘણું મોટું છે-આશરે નવગણુંઅને તે રેગનિવારણની બાબતમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે, એ ભૂલવાનું નથી. ત્યાં અમે એ વસ્તુ પણ સ્પષ્ટ કરી છે કે આ મન પર સૂચન (Suggestion) za $2441 (Imagination) at otell
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૧
સંકલ્પસિદ્ધિ દ્વારા રેગનિવારણ ઘણું અસર થાય છે. તાત્પર્ય કે આપણું શરીરમાં કઈ પણ રોગ ઉત્પન્ન થાય તે રેગાકાંત ભાગને ઉદ્દેશીને કે સ્પર્શ કરીને “તું રંગરહિત થઈ જા, તું રેગરહિત થઈ જા” એવાં સૂચન આપીએ તે ગુપ્ત મન પિતાના કામે લાગી જાય છે અને રોગો સામે લડવાની પિતાની શક્તિને ઉપગ કરી એ રોગને દૂર કરી દે છે. તે જ રીતે “હું નિરામય છું, નીરોગી છું, હવે તદ્દન ગરહિત થઈ ગયે છું” એવી કલ્પના કરવાથી પણ રેગ ઉઠવા માંડે છે અને આપણને આરોગ્યની પુનઃ પ્રાપ્તિ થાય છે. આ ચિકિત્સાને આપણે મનમય ચિકિત્સા કે માનસપચાર કહી શકીએ.
રેગનિવારણ માટે આ પદ્ધતિ સહુથી સહેલી છે અને તે માટે કોઈ પણ જાતને ખર્ચ થતો નથી, એટલે આપણે તેની મંગલમયતામાં વિશ્વાસ રાખીને તેને જ આશ્રય લઈએ, એ સર્વથા ઈચ્છવા ગ્ય છે.
મહાત્મા ગાંધીજીએ જણાવ્યું છે કે “હું તમને બધાને આગ્રહપૂર્વક કહું છું કે આજથી તમારી બધી કુવાસનાઓ અને કુપ્રવૃત્તિઓનું દમન કરીને પવિત્ર જીવન વ્યતીત કરવાને સંક૯પ કરે.” આવું જીવન વ્યતીત કરનારને કઈ પણ રેગને ભય રહેતો નથી. આપણા જે સાધુ-સંતે આ પ્રકારનું જીવન ગાળે છે, તેમને કદી રેગની શિકાયત કરવી પડતી નથી. મુખ્ય વાત કુવાસનાઓને જિતવાની છે. કુવાસનાઓ જિતાઈ કે કુપ્રવૃત્તિઓ તે આપોઆપ બંધ થઈ જવાની. મૂળ છેદાઈ ગયા પછી થડ ઊભું રહે ખરું?
Page #217
--------------------------------------------------------------------------
________________
સકલ્પસિદ્ધિ
એક વાર એક મહાત્માને કોઈ પણ કારણસર તાવ ચડી આવ્યા, ત્યારે તેમણે એક કપડાના કકડાને ગાંઠ વાળી, તેમાં તાવ અંધાઈ ગયા છે એવી પ્રબલ કલ્પના કરી અને ન: ન: જ્ઞ: તુ જા, જા, જા. એવા શબ્દો ઉચ્ચાર્યા કે તે તાવ તદ્ન ઉતરી ગયા. આમાં તમે સકલ્પબળ સિવાય બીજી કઈ શક્તિની કલ્પના કરી શકે?
૨૦૨
આ ખામતને અમને પણ કેટલાક અનુભવ થયેલા છે. એક વાર અમદાવાદમાં નાનકડા પાયે સધ સંમેલન ચેાજાયું. તેમાં અમારે એક ભાષણ કરવાનું હતું. સમય અપેારના ચારના હતા. પણ તેજ દિવસે સવારના અમને તાવ આન્યા. અગિયાર વાગ્યે મિત્રો અમને મળવા આવ્યા અને અમને ૧૦૪ ડીગ્રી તાવ ચડેલા જોઇને ચિંતા વ્યક્ત કરવા લાગ્યા. તેમાંના એકે કહ્યું : ‘ આપણે સર્વ ધર્મ સંમેલનના કા વાહકોને સમાચાર આપી દો કે · ધીરજલાલભાઈ તબિયત સારી નહિ હેાવાથી આજે આવી શકશે નહિ.
:
અમે કહ્યું : · એવા સમાચાર આપવાની જરૂર નથી. અમારા તાવ ૩-૩૦ મીનીટે ખરાખર ઉતરી જશે અને અમે ૪-૦ વાગતાં સભામાં હાજર રહી અમને સોંપાયેલા વિષય અંગે અમારું ભાષણ ખરાખર કરીશુ.’
6
મિત્રોને લાગ્યું કે · આ વધારે પડતી વાત થઈ રહી છે. કદાચ તાવ વધારે હાવાથી તેની અસર નીચે આવા શબ્દો ખેલાઈ ગયા હશે. એટલે તેમણે કહ્યું : ‘- આજે તે જવાનું બંધ જ રાખા.’કદાચ તાવ ઉતરી જાય તેા પણ નબળાઈને લીધે ત્યાં ભાષણ કરવાને પરિશ્રમ લેવા યાગ્ય નથી.”
Page #218
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ દ્વારા રોગનિવારણ
૨૦3. અમે કહ્યું: “એ કદી બની શકે નહિ. અમારા જીવનમાં આજ સુધી તબિયતના કારણે કેઈ સભા કે સમારોહમાં અમે ગેરહાજર રહ્યા નથી કે અમને ઑપાયેલું કામ કર્યા વિના જંપ્યા નથી. આ તાવ તે જરૂર ઉતરી જવાને અને અમે નિર્ધારિત સમયે અમારું ભાષણ અવશ્ય કરવાના.”
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે તે દિવસે અમે બરાબર, ૩-૩૦ વાગતાં તાવમાંથી મુક્ત થયા હતા, નિર્ધારિત સમયે સભામાં પહોંચ્યા હતા અને લગભગ વીશ મીનીટ સુધી ઊભા ઊભા બેલ્યા હતા.
| શુભ સંકલ્પને લીધે તથા ચિત્તને સદા પ્રસન્ન રાખવાથી અમે અમારું આરોગ્ય એકંદર સારી રીતે સાચવી શક્યા છીએ અને આજે શઠ વર્ષની ઉંમરે પણ એક યુવાન જેટલું કામ કરી શકીએ છીએ.
પ્રિય પાઠકે ! તમે પણ સંક૯પબળથી તમારા. તમામ રાગેનું નિવારણ કરીને આરોગ્યમય આનંદી જીવન જીવવાનો પ્રયત્ન કરે તો તેમાં તમને ધારેલી સફળતા જરૂર મળશે.
Page #219
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ] સંકલ્પશક્તિ દ્વારા ધનપ્રાપ્તિ
આપણે જીવનવ્યવહાર સારી રીતે ચલાવવા માટે ધનની જરૂર પડે છે. જે આપણી પાસે ધન એટલે દ્રવ્ય કે પૈસે પૂરતા પ્રમાણમાં ન હોય તે આપણે સારું રહેઠાણ, સારું ખાનપાન, સુઘડ પિશાક કે આનંદ-પ્રમેદની સામગ્રી મેળવી શકીએ નહિ. વળી વસ્ત્રાલંકારથી સ્ત્રીને રાજી રાખવી હિય, મિત્રોની સંખ્યા વધારવી હેય કે પાંચમાં પૂછાવું હિય, તે પણ પૂરતા ધન વિના તેમ કરી શકીએ નહિ.
જેમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી, જેમની આવક ઘણી ઓછી છે કે જેઓ ઘણા પ્રયત્ન માંડ માંડ પિતાનું પેટ ભરી શકે છે, તેમની હાલત ખરેખર! ઘણી કફેડી છે. માન-આદર તે દૂર રહ્યા, પણ તેમને કઈ ભાવ સરખો ય પૂછતું નથી. “વસુ વિના નર પશુ” એ કહેવતમાં તેનું યથાર્થ પ્રતિબિંબ પડેલું છે. તેથી જ આપણું નીતિકારેએ કહ્યું છે કે “જે તમારે આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય, ઉન્નતિ સાધવી હોય તે પૂરતા પ્રમાણમાં ધનપ્રાપ્તિ કરે.”
Page #220
--------------------------------------------------------------------------
________________
સમ્રુસિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ
અમે તેમાં એટલું ઉમેરીએ છીએ કે ' સંકલ્પશક્તિ તેમાં ઘણી સહાય કરે છે.’
નિર્ધનતા, દરિદ્રતા કે રકતાના સતત વિચારાથી. જેમનાં મન દુષિત થયેલાં છે તથા જેમણે એમ જ માની લીધેલુ છે કે ૮ આ જીવનમાં આપણે ઊંચા આવી રહ્યા !? તેમના ગળે અમારાં આ વચને નહિ ઉતરે, પણ અમે ફરીને ભારપૂર્વક કહીએ છીએ કે તમે સંકલ્પશક્તિની · સહાયથી પૂરતા પ્રમાણમાં ધનપ્રાપ્તિ કરી શકે છે.’
૨૦૫.
જેએ ધંધા-રાજગારમાં આગળ વધ્યા, વ્યાપારી ક્ષેત્રે ઝળકી ઉઠચા કે મેાટા ઉદ્યોગપતિની ખ્યાતિ પામ્યા, તેમના જીવનના ઊંડા અભ્યાસ કરશે! તે ત્યાં તમને સંકલ્પ, આત્મશ્રદ્ધા અને પુરુષાર્થના ચમત્કાર જ નજરે પડશે. જો કોઈ ધંધા-રાજગાર કરવા હોય તે પ્રથમ મનમાં એવા સંકલ્પ કરવા પડે છે કે ‘હુ આ ધંધા–રાજગાર કરીશ.’ ત્યાં આત્મશ્રદ્ધા એમ કહે છે કે આ ધંધા-રોજગારમાં હુ જરૂર ફ્ાવીશ. ’ અને પુરુષાર્થ ના આશ્રય લેતાં તથા પ્રાથમિક કેટલીક મુશ્કેલીઓ આળગતાં ધંધા-રાજગારની જમાવટ થવા લાગે છે તથા તેમાંથી યશ્રેષ્ઠ ધનપ્રાપ્તિ થઈ શકે છે.
'
એટલી વાત લક્ષ્યમાં રાખા કે કેઈ ધંધા-રાજગાર નાના નથી. જો તેને ખીલવવામાં આવે તે તે મેટા થઈ શકે છે અને તેના દ્વારા મનમાની ધનપ્રાપ્તિ કરી શકાય છે. · ધૂળ-માટીના ધંધામાં તે શું? ’ એમ કહેનારને અમે જણાવવા ઇચ્છીએ છીએ કે ઘાઘા વગેરે સ્થળેથી લાલ માટી
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સંકસિદ્ધિ મુંબઈ મંગાવીને ધંધો કરનારા લખપતિ બન્યા છે; દરજી કામની નાની દુકાન ખેલનારાઓ મોટા સ્ટોરના સ્વામી બન્યા છે; અને ગ્રાહકોને દૂધ પૂરું પાડનારા પણ આગળ વધીને મોટા દુકાનદાર તથા ભેંસના તબેલાઓના માલિક થયા છે.
વ્યાપારી ક્ષેત્રમાં ઝળકવા માટે પણ સંકલ્પબળ, આત્મશ્રદ્ધા તથા પુરુષાર્થ એ મુખ્ય સાધન છે. તે જ રીતે ઉદ્યોગને મોટા પાયે ખીલવ હેય તે તે દઢ સંકલ્પ, અડગ આત્મશ્રદ્ધા તથા પ્રચંડ પુરુષાર્થ વિના બની શકતું નથી. બીરલા, ટાટા, શાહુબ્રધર્સ, શેઠ કરતુરભાઈ લાલભાઈ વગેરેએ ઉદ્યોગના ક્ષેત્રમાં જે નામના પેદા કરી છે, તે તેમના દઢ સંકલ્પ, તેમની અડગ આત્મશ્રદ્ધા અને સુંદર વ્યવસ્થાશક્તિને આભારી છે.
એન્ડ્રયુ કાર્નેગી કે જેઓ સામાન્ય સ્થિતિમાંથી આગળ વધીને કોડપતિ થયા અને માનવજાતિના હિત માટે રૂપિયા ત્રીશ કોડથી પણ વધુ રકમની સખાવતે કરી ગયા, તેમણે ધનપ્રાપ્તિની બાબતમાં કહ્યું છે કે “મારા તે કેવલ ત્રણ જ સિદ્ધાંત છેઃ પહેલે-ઈમાનદારી; બીજે પરિશ્રમ અને ત્રીજે ચિત્તની એકાગ્રતા.” તાત્પર્ય કે જે કામ કરવું, તે પૂરી ઈમાનદારીથી–પૂરી પ્રામાણિકતાથી કરવું. તેમાં કઈ જાતની ઘાલમેલ કરવી નહિ કે કોઈ જાતને દગોફટકો કરે નહિ. વળી તે માટે પૂરતી મહેનત કરવી અને તે ધારેલા સમયે પૂરું કરવું. તે સાથે આ કામ કરતી વખતે ચિત્તને પૂરેપૂરું એકાગ્ર રાખવું.”
Page #222
--------------------------------------------------------------------------
________________
સંક૫સિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ
૨૭ આપણે ત્યાં આજે આ ત્રણે ય વસ્તુની મેટી ખામી દેખાય છે અને તેનું જ એ પરિણામ છે કે આપણે જોઈએ તેટલા આગળ વધી શકતા નથી. કેટલાક તે એમજ માને છે કે “ઈમાનદારી બતાવવા જઈએ—પ્રામાણિક્તાનું પૂછડું પકડીએ તો રખડી પડીએ. ઘાલમેલ કે દફટકે કર્યા વિના તો કમાઈ શકાય જ નહિ.” આ કેટલે ઓટો–ખરાબ વિચાર છે ! શું આ રીતે તમે તમારી શાખ બાંધી શકે ખરા? અને ગ્રાહકોને તમે કેટલી વાર છેતરી શકો ? વળી જે ગ્રાહકોને તમે છેતરે છે, તે શું બીજી વાર તમારી સાથે કામ પાડવાના ખરા? કંઈક તો વિચાર કરે ! તમે ખોટું કરીને સારાની આશા કદી પણ રાખી શકો નહિ.
બંગભંગની ચળવળ ચાલી, ત્યારે અમદાવાદની મીલેને ધતિટાની વરદીઓ મેટા પ્રમાણમાં મળી. ત્યારે આ મીલેએ વધારે નફે કરવાની દાનતથી તેમને સાવ હલકે માલ પૂરો પાડે અને પરિણામે ત્યાંના લોકોની શ્રદ્ધા ઉઠી જતાં એ આખી યે ચળવળને ભારે ફટકો પડ્યો.
આજે દેશમાં મોટા બંધ બંધાઈ રહ્યા છે, રસ્તાઓ તૈયાર થઈ રહ્યા છે અને સરકારી તથા જાહેર જનતાના ઉપગની કેટલીક ઈમારતો તૈયાર થઈ રહી છે, પણ દગાર માનસ તેની શરતો મુજબ માલ વાપરતું નથી, પરિણામે એ બધાયે કામે તકલાદી બને છે અને આપણું કોડો રૂપિયા બરબાદ થાય છે.
ઘઉંમાં કાંકરા ભેળવવા, આટામાં એક ભેળવવો, ઘીમાં
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સકસિદ્ધિ
વેજીટેખલ ભેળવવુ, દૂધમાં પાણી નાખવું, એ તો આજે સામાન્ય થઇ પડ્યું છે. વળી ૫ કીલેાનાં સ્થાને ૪૫ કીલે। આવું કે ૧૬ મીટરના તાકાની છાપ મારીને ૧પા મીટરના તાકા આપવા એવા વ્યવહાર પણ ઘણા સ્થળે જોવામાં આવે છે. અને દિલગીરીની વાત તો એ છે કે આ જાતની અપ્રામાણિકતા કરનારને એમ લાગતુ નથી કે પાતે કોઈ ગંભીર ગૂનો કે મેાટી ભૂલ કરી રહ્યો છે. આ દગાખારી તથા અપ્રામાણિકતાનું પરિણામ એ આવ્યું છે કે લેાકેાની વ્યાપારી સમાજ પરથી શ્રદ્ધા ઉડી ગઇ છે અને તે કોઇ સાથે વિના સાચે લેવડદેવડ કરી શકતા નથી. આ પરિસ્થિતિ તાત્કાલિક સુધારણા માગે છે. જો તેમાં સુધારણા થશે તો જ વ્યાપારીઓએ ગુમાવેલા વિશ્વાસ ક્રીથી સ્થાપિત થશે અને વાતાવરણ વિમલ બનશે.
જેએ ધંધા-રોજગારમાં પ્રવેશ કરે છે, તેમને તો અમે એન્ડ્રયુ કાર્નેગીના ઉપર્યુક્ત ત્રણ સિદ્ધાંતોનું પાલન કરવા માટે ખાસ આગ્રહ કરીશું, જેથી તેએ પેાતાને ધંધા-રોજગાર દિન-પ્રતિનિ વધારે સારા સ્વરૂપે કરી શકે અને યથેષ્ટ ધનપ્રાપ્તિ દ્વારા જીવનના આનંદ માણી શકે.
અનેક પ્રકારની વૈજ્ઞાનિક શોધા કરીને કીડો રૂપિયા કમાનાર શ્રીમાન્ એડિસને કહ્યુ છે કે પૈસાદાર બનવું હાય તો એક ખૂણામાં બેસી જાએ અને તમારી નજરે નાની– મેટી જે વસ્તુ ચડે તેના સંબંધી વિચાર કરવા માંડેા. જે તમે એના પરથી પૈસા કમાઇ ન શકો તો જાણજો કે તમારા મગજમાં ફેસ્ફરસનું એક કણ પણ નથી. ’
Page #224
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ
૨૦૯ “શું કરીએ? ક્યાં જઈએ ? કંઈ ધંધે સૂઝતો નથી.” વગેરે ઉદ્દગાર કાઢનારાઓએ આ શબ્દો પર ખૂબ વિચારે કરવા જેવો છે. કુદરતે આપણને મગજ આપ્યું છે, સમર્થ મન આપ્યું છે, છતાં આપણે વિચાર ન કરીએ અને મૃઢ. બની બધું જોયા જ કરીએ, એ કેવી કરુણ પરિસ્થિતિ ! શ્રી કપૂરચંદ નેમચંદ મહેતા કે જેઓ આજે સીનેમા લાઈનમાં અગ્રણી છે અને એ ધંધામાંથી લાખો રૂપિયા કમાય છે, તેઓ જ્યારે મુંબઈ આવ્યા, ત્યારે તેમની કેડે માત્ર આઠ આના ચડાવેલા હતા. પણ તેમણે અહીં આવીને જે કામ મળ્યું, તે કરવા માંડયું અને એ રીતે પોતાના પગ સ્થિર કર્યા. ત્યારબાદ તેમની નજર સીનેમા લાઈન પર ગઈ અને તેમણે એ લાઈનમાં ઝંપલાવ્યું તથા છેડા જ સમયમાં સારી પ્રગતિ કરી. અનુક્રમે તેઓ આજની સ્થિતિએ પહોંચ્યા.
શેઠ દેવકરણ મૂળજી કે જેમના નામની આલિશાન ઈમારત આજે મુંબઈ-પ્રીન્સેસ સ્ટ્રીટમાં ખડી છે અને જેમનું નામ ઉદાર સખાવતને લીધે ઘણું પ્રસિદ્ધ થઈ ચૂકયું છે, તેઓ પણ તદ્દન સામાન્ય સ્થિતિમાં જ મુંબઈ આવ્યા હતા અને ટોપીની ફેરી કરતા હતા. એમ કરતાં કાપડના વેપાર તરફ વળ્યા, મીલેની એજન્સી મેળવી અને યથેચ્છ ધનપ્રાપ્તિ કરી.
તાત્પર્ય કે તમને પ્રારંભમાં કંઈ પણ સૂઝતું ન હોય તો જે ધંધા-રોજગાર મળે તેને સ્વીકારી લે અને તમારી ગાડી ચાલતી કરે. પરંતુ તમારી આંખો સદા ઉઘાડી રાખો. ૧૪
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સંક૯૫સિદ્ધિ અને જ્યારે પણ તક મળે, ત્યારે તેને ઝડપી લઈને આગળ વધે.
અમેરિકાને ધનકુબેર રેકફેલર કહે છે કે “લખપતિ બનવા માટે પ્રતિદિન બે કલાક વ્યાયામ કરવાની, રમવાની અને ત્યાર પછી આખો દિવસ એકાગ્રતાથી કામ કરવાની જરૂર છે.”
રેજ બે કલાક વ્યાયામ કરવાથી તથા રમવાથી તબિયત સારી રહે છે, માનસિક સ્કૂતિ વધે છે અને ત્યાર બાદ એકાગ્રતાથી કામ કરતાં પરિણામ ઘણું સારું આવે છે. રેકફેલર પોતે પ્રાતઃકાલમાં વહેલા ઉઠતા, વ્યાયામ કરતા અને ટેનિસ વગેરે રમત રમતા. આપણું ધંધાદારીઓવ્યાપારીઓ આ પરથી કંઈ બોધપાઠ લેશે ખરા?
અહીં ક્લસરીની કેટલીક શિખામણે ધ્યાનમાં લેવા લાયક છે. તેમણે કહ્યું છેઃ
જે ધનવાન થવું હોય તે સંતેષી બનશે નહિ. સંતેષ ઉન્નતિને શત્રુ છે.”
તમને એક મહિનામાં જે વેતન મળે, તેથી બીજા માસમાં વધારે વેતન મળે, એવી કશીશ કરે.”
તમારા પરિશ્રમ અને ઈમાનદારીથી માલીકને ખુશ કરે. જે તે તમારી કદર નહિ કરે તે બીજા લેકે તમારી કદર કરશે.”
રૂપિયા-પૈસાની ખાતર કદી હલકું કામ કરે નહિ.” પલેવરે કહ્યું છેઃ
Page #226
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ
૧૧
'
મારા ખ્યાલમાં તેા ધનવાન થવાના એ સિવાય કઈ રસ્તા નથી કે યુવાન આદમી ઈમાનદાર, મહેનતુ, નશાથી દૂર રહેનાર, કરકસરથી ખર્ચ કરનાર, તેમ જ માલિક અને પેાતાની જાત પ્રત્યે વફાદાર હાય.’
૮ ખર્ચીમાં કસર કરીને થાડા રૂપિયા બચાવતા જાઓ. અને તમે તમારી પુંજીને જો કોઈ નફાકારક ધંધામાં શકવા માગતા હૈ। તેા તેનાથી એક ઉમદા જાગીર ખરીદ્યો.'
વિલિયમ વાલ્ડ્રૉફ સ્ટારના શબ્દો પણ લક્ષ્યમાં રાખેા કે જો તમે ધનવાન બનવા ચાહે તે દાર અને તમાકુથી દૂર રહેા. જે મનુષ્યનું મગજ સાફ નથી, તે ધનાઢય થઈ શકતા નથી અને દારૂ તથા તમાકુ પીનારાઓનુ મગજ સાફ રહી શકતુ નથી, એ એક હકીકત છે.’
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જે મનુષ્ય વ્યસનાથી દૂર રહેવાના દૃઢ સંકલ્પ કરે છે, તે વ્યસનાથી દૂર રહી શકે છે અને એ રીતે પેાતાને માટે ઉજ્જવલ ભાવીની ભૂમિકા તૈયાર કરે છે.
હજી થાડુ વિશેષ. જેએ પોતાના ધંધા ધીરે ધીરે વિસ્તારે છે, તેના પાયા મજબૂત થાય છે અને તેમને આર્થિક મુંઝવણા અનુભવવી પડતી નથી. જ્યારે ધંધાને ઝડપથી વધારવા જતાં તેના પાયા કાચા રહી જાય છે અને આર્થિક મુશ્કેલીએ સારા પ્રમાણમાં વેઠવી પડે છે. વળી એમ કરતાં એ આખાયે ધંધા છેડી દેવા વખત આવે છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સકસિદ્ધિ
ઉતાવળા સો બાવરા, ધીરા સેા ગંભીર' એ ઉક્તિ તેા
તમે સાંભળી છે ને ?
અમે પૂર્વે આ ગ્રંથમાં આઠ પ્રકરણા દ્વારા આર્ડ ખાખતા કહી છે :
'
(૧) આશાવાદી અનેા.
(૨) વિચાર કરવાની ટેવ પાડો.
(૩) જ્ઞાનના સંચય કરે.
(૪) નિયમિતતા કેળવેા.
(૫) સમયનું મૂલ્ય સમજો. (૬) ચિત્તવૃત્તિઓને એકાગ્ર રાખો. (૭) આત્મનિરીક્ષણ કરતા રહે. (૮) મિત્રો વધારો.
એ આઠેય ખાખતા ધનપ્રાપ્તિ માટે અતિ ઉપયોગી છે, એટલે તેનુ ફરી એક-એ વાર વાંચન કરી લેવું જોઈએ.
તમે ગમે તે સ્થિતિમાં હા પણ મનથી એવા દઢ સંકલ્પ કરો કે ‘હું ધનપ્રાપ્તિ અવશ્ય કરીશ' અને તમારા એ સંકલ્પને ભાવનાનેા પુટ આપી વધારે ને વધારે દૃઢ અનાવતા જાએ તે તમે ચેાગ્ય સમયમાં ધનપ્રાપ્તિ જરૂર કરી શકશે.
–એક વાર તમે ધનપ્રાપ્તિ માટે દૃઢ સકલ્પ કર્યાં અને તેને ભાવનાના પુટ આપવા લાગ્યા કે ધનપ્રાપ્તિના માર્ગો તમારા અંતરમાં આપોઆપ સ્ફુરવા લાગશે. પરંતુ તે માટે તમારે રોજ અર્ધા કલાક શાંત-સ્વસ્થ ચિત્તે બેસવાની ટેવ પાડવી પડશે.
Page #228
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ
૨૧૩ –જે ધંધામાં કંઈ ગૂંચ ઊભી થાય તો તેનાથી ગભરાઈ ન જતાં તેના પર શાંત-સ્વસ્થ ચિત્તે વિચાર કરવા માંડો અને તેને ઉકેલ પણ તમને લાધી જશે.
–મુખ્ય વાત એ છે કે જે તમે તમારી ઉન્નતિ માટે બાહ્ય સાધનો ઉપર નહિ, પણ આંતરિક સાધન ઉપર શ્રદ્ધા રાખશે અને તેનો યોચિત ઉપયોગ કરતા રહેશે, તે તમારી ઉન્નતિ ઘણું ઝડપથી થશે અને તે સર્વતોમુખી હશે.
આજથી થોડા વર્ષ પહેલાં શ્રી એલ. અડેલે મહાન પુરુષોના વિચારો” નામને એક લેખસંગ્રહ બહાર પાડ્યા હતા, તેમાં એક પ્રકરણનું મથાળું આવું હતું? It is sometimes hard- એ કેટલીક વખત અઘરું હોય છે – But it always pays – પરંતુ તે દરેક વખતે લાભ કરે છે” – આ પ્રકરણમાં તેમણે જે ૨૪ સૂત્રો આપ્યા હતા, તે કંઈ પણ ટીકા-ટિપ્પણ વિના પાઠકેની જાણ માટે રજૂ કરીએ છીએ : (૧) માફી માગવી. (૨) નવે નામે કામ શરુ કરવું. (૩) સલાહ લેવી. (૪) ભૂલને સ્વીકાર કરે. (૫) મશ્કરી ખમી ખાવી. (૬) ઉદારતા રાખવી. (૭) ફત્તેહને પચાવવી. (૮) ભૂલ થવા ન દેવી.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સંકસિદ્ધિ
(૯) કામને ચીવટથી વળગી રહેવું. (૧૦) બુદ્ધિને અનુસરવું. (૧૧) થયેલ ભૂલને લાભ લે. (૧૨) વાટ વસમી દેખાય ત્યારે તેનાથી દૂર જવું. (૧૩) ઠપકે વહેરી લે. (૧૪) ગેરરીતિને સામને કરે. (૧૫) વિસરવું અને ખમવું. (૧૬) વિચારવું અને પછી કરવું. (૧૭) ડું લખે ઘણું કરી માનવું. (૧૮) ઉભરાતા મિજાજને કાબૂમાં રાખ. (૧૯) ઉચ્ચ ધારણ જાળવવું. (૨૦) આફતમાંથી સાર કાઢ. (૨૧) વ્યાજબી ઠપકો ખાઈ લે. (૨૨) આફત આવે હસી લેવું. (૨૩) આબરૂ કરતાં ચારિત્રને મૂલ્યવાન ગણવું. (૨૪) દેખાવ અને સાચાને વિવેક કરે.
સ્વ. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ “વ્યાપાર-કૌશલ્ય” નામના ગ્રંથમાં આ સૂત્ર પર વિવેચન કરેલું છે, તે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવું.
છેવટે અમારે એટલું જ કહેવાનું છે કે “વાતવાતમાં નશીબનાં નગારાં ન વગાડતાં શુભ સંક૯પપૂર્વક કઈ પણ પ્રામાણિક ધંધાને સ્વીકાર કરી તેમાં મસ્યા રહેશે તો એક દિવસ તમારા પર ધનને વરસાદ જરૂર વરસશે.
Page #230
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
સંકલ્પશક્તિ દ્વારા સર્વકાર્યસિદ્ધિ
સકલ્પશક્તિ એ ખરેખર એક અજાયખ શક્તિ છે. તેની અસર આપણા મન ઉપર, શરીર ઉપર, સ્વાસ્થ્ય ઉપર થાય છે, તેમ અન્ય મનુષ્ય, પ્રાણીએ તથા ભૌતિક પદાર્થો ઉપર પણ થાય છે. અને તેથી જ સંકલ્પશક્તિ દ્વારા સ કાર્યા સિદ્ધ થવાની પૂરેપૂરી શકયતા છે.
એક મનુષ્ય સંકલ્પશક્તિ દ્વારા પેાતાનું ચારિત્ર સુધારવા ઇચ્છતા હાય તા સુધારી શકે છે. માની લે કે તેને જૂહુ ખેલવાની ટેવ પડી ગઈ છે અને તેથી તે હાલતાં-ચાલતાં કે વિના મતલએ પણ જૂઠ્ઠું બોલે છે. પર ંતુ તે મનથી એવા દૃઢ સંકલ્પ કરે કે ‘હવે હું જૂહું નહિ જ ખેલું ' અને સાવધાની રાખે તે તે જૂહુ ખેલવાની ટેવ છેાડી શકે છે. તે જ રીતે જો ચારી કરવાની ટેવ પડી ગઇ હાય અને જ્યાં જાય ત્યાંથી કંઇ ને કંઈ ઉઠાવી લેતા હાય કે માટી ચારીએ કરતા હાય, પણ મનમાં એવા દૃઢ સંકલ્પ કરે કે ' હવે હુ ચારી નહિ જ કરું.' અને પૂરી સાવધાની રાખે તે એ ચારીની ટેવમાંથી છૂટી શકે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ
વ્યસનાની બાબતમાં પણ તેમ જ સમજવું. પહેલી ક્ષણે મનુષ્યને ભલે એમ લાગતુ હાય કે તેના વિના તે મારાથી રહેવાશે જ નિહ, મને કંઇ થઇ જશે, મારાથી એ નહિ બની શકે. પણ તે દૃઢ સંકલ્પ કરે તે વ્યસનરૂપી અલા તેના ગળેથી છૂટી જાય છે અને તે નિર્વ્યસની બની શકે છે.
૨૧૬
બંગાળના સુપ્રસિદ્ધ નેતા શ્રી ચિત્તરંજનદાસને સીગારેટનું ભારે વ્યસન હતું. એક સીગારેટ પૂરી થતી ત્યાં તે બીજી સીગારેટ આંગળીએ પર ચડતી. પણ તેઓ મહાત્મા ગાંધીજીના સહવાસમાં આવ્યા અને તેમણે એક વાર કહ્યું : - દાસબાપુ ! જે આપણે દેશને ગુલામીમાંથી મુક્ત કરવા હાય તા આપણે પ્રથમ વ્યસનની ગુલામીમાંથી મુક્ત થવુ જોઈ એ. શુ તમે સીગરેટ છેાડી શકતા નથી ? '
આ વચનેા પર દાસબાપુએ માત્ર એક મીનીટ વિચાર કર્યાં અને હાથમાંની સીગરેટ તેડીને ફેંકી દેતાં કહ્યું: ‘ જાએ આજથી ડી.’ અને તેમણે ફરી કાઇ વાર સીગારેટ પીધી નહિ.
અફીણનું વ્યસન ભારે ગણાય છે, કારણ કે તે એક વાર શરૂ કર્યા પછી સહેલાઇથી છૂટતું નથી અને અનુક્રમે થોડુ ઘેડું વધારવું પડે છે. પરંતુ સંકલ્પબળ મજબૂત હોય તે એ વ્યસન પણ છૂટી જાય છે. અમારે અનુભવ એવા છે કે આવા વ્યસનીએની તલપ બુઝાવવા પ્રારંભમાં તેમને સફરજન ખવડાવવાં જોઇએ, પછી તેનું પ્રમાણ ઘટાડી અને છેવટે બધ કરી દેવા જોઇએ.
Page #232
--------------------------------------------------------------------------
________________
સંકલ્પ સિદ્ધિ દ્વારા સર્વ કાર્યસિદ્ધિ
૨૧૭ | દારૂનું વ્યસન દૈત્ય જેવું ગણાય છે, કારણ કે તે મનુષ્યની ખૂબ જ ખાનાખરાબી કરે છે અને તેના કુટુંબને પણ દુઃખી થવાનો વખત આવે છે. તેની તલપમાં માણસે પિતાની સખ્ત પરિશ્રમની કમાણી હોમી દે છે, કરજ કરે છે અને છેવટે રસ્તાના રઝળતા ભિખારી થઈ જાય છે. આવા હરેડ વ્યસનીઓ પણ સંકલ્પશક્તિને શરણે જાય તે તેમને ઉદ્ધાર જરૂર થાય છે.
વ્યભિચાર પણ એક વ્યસન જ છે. મનુષ્યને એક વાર તેની આદત પડી, પછી તે છૂટતી નથી. વૃદ્ધાવસ્થા આવે, અરે! લાકડાં ભેગા થવાની તૈયારી હોય તે પણ વ્યભિચારી મનુષ્ય કેઈ સુંદર સ્ત્રીનું ચિંતન કરે છે અને તેની સાથે ભેગ ભેગવવા તૈયાર થાય છે. એ આદતમાંથી છૂટવાને ! એક જ રસ્તો છે અને તે શુભ સંકલ્પ. જે તે મનમાં એ સંકલ્પ કરી લે કે આજથી મારે મોટી એટલી માતા, સમાન એટલી બહેને અને નાની એટલી પુત્રીઓ છે, હવે હું કદી પણ તેમની સામે કુદષ્ટિ કરીશ નહિ.” તે તે વ્યભિચારના વ્યસનમાંથી મુક્ત થઈ શકે છે.
આવા મનુષ્યએ વ્યભિચારની ખરાબી કરતાં યે બ્રહ્મચર્યને મહિમા વિશેષ ચિંતવવો જોઈએ અને જેઓ બ્રહ્મચર્ય પાળે છે, તેની વારંવાર પ્રશંસા કરવી જોઈએ. એમ કરતાં તેમના મનમાં બ્રહ્મચર્યને મહિમા વસી જશે અને તેમનું મન વ્યભિચાર કરવા તરફ ઢળશે નહિ.
કેટલાક કહે છે કે “તમે સ્ત્રીઓનાં અંગોપાંગની અશુચિ વિચારે, એટલે તમને તેના તરફ આકર્ષણ રહેશે નહિ અને
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૮
સંકલ્પ સિદ્ધિ
તેની સાથે સમાગમ કરવાની ભાવના થશે નહિ” પણ અનુભવે જણાયું છે કે “સ્ત્રીઓનાં અંગોપાંગની અશુચિ વિચારવા જતાં તેની રમણીયતા જ મન આગળ વિશેષ તરવરવા લાગે છે અને તેથી વ્યભિચારની વૃત્તિ ઘટવાને બદલે વધારે જોર પકડે છે. એટલે આવા વ્યસનોથી મુક્ત થવાને સાચો રસ્તો એ જ છે કે તેના પ્રતિપક્ષને એટલે કે બ્રહ્મચર્યને વિચાર જ વિશેષ કરે.
આ જ સિદ્ધાંત અન્યત્ર લાગુ કરીએ તે જેમણે ક્રોધમાંથી મુક્તિ મેળવવી હોય તેમણે નિરંતર ક્ષમાને વિચાર કરે; માન કે અભિમાનમાંથી મુક્તિ મેળવવી હોય તે નમ્રતાને વિચાર કરે; માયા કે કપટમાંથી મુક્તિ મેળવવી હોય તે સરલતાને વિચાર કરે; અને લેભમાંથી મુક્તિ મેળવવી હોય તે સંતેષને વિચાર કરવો.
ગશા પ્રતિપક્ષની ભાવનાને સ્વીકાર કર્યો છે અને આપણે અનુભવ પણ એ સિદ્ધાંત સત્ય હોવાની સાક્ષી પૂરે છે.
ટૂંકમાં આપણી મનસૃષ્ટિમાં ભાવનાની ભવ્યતા પ્રકટાવવી હોય, પવિત્રતાની સુગંધ ફેલાવવી હોય કે દિવ્ય ભાનું સામ્રાજ્ય સ્થાપવું હોય તે સંકલ્પશક્તિની સહાયથી આપણે તેમ કરી શકીએ છીએ.
જેઓ કુવાસનામાંથી મુક્તિ મેળવવા ઈચ્છે છે અને પિતાના ચિદાનંદ સ્વરૂપને પ્રકટ કરવાની તાલાવેલી સેવે છે, તેમણે કઈ એકાંત સ્થાનમાં આસન જમાવીને આ વિરાટ
Page #234
--------------------------------------------------------------------------
________________
સકસિદ્ધિ દ્વારા સર્વકાર્ય સિદ્ધિ
૨૧૯
વિશ્વનું ચિ ંતન કરવું અને તે ધીમે ધીમે દિવ્ય ભાવાથી ઉભરાઈ રહ્યુ છે એવી ભાવના કરવી. પછી પાતે એ દિવ્ય ભાવામાં સ્નાન કરી રહ્યો છે અને પવિત્ર-પવિત્રતર-પવિત્રતમ થઈ રહ્યો છે, એવી પનામાં મગ્ન થવું. આ કલ્પનાની આપણા ગુપ્ત મન (Subconcious mind) પર ઘણી અસર થાય છે અને તેથી તેમાં ભરાઈ રહેલી કુવાસનાએ અદૃશ્ય થવા લાગે છે.
સત્સંગ, ભજન, કીર્તન, પ્રાર્થના, પૂજા એ બધાના મૂળ ઉદ્દેશ તેા એ જ છે કે સદ્વિચારાનુ પાષણ થાય, આપણા મનમાં શુભ સંકલ્પા જાગે અને તેના આધારે આપણે ભવસાગર તરી જવાને સમર્થ થઈ એ.
શરીર અને સ્વાસ્થ્ય પર સકલ્પશક્તિની કેવી અસર થાય છે, તે અમે પાછલાં પ્રકરણેામાં જણાવેલું છે, એટલે તે અંગે અહીં વિશેષ વિવેચન કરવાની આવશ્યકતા નથી, પણ તે અંગે એક ખાસ પ્રયાગ બતાવીએ છીએ, જેની પાકાએ ખાસ નોંધ લેવી ઘટે છે.
એક ચાંદીના પ્યાલામાં સેાઇસ પાણી ભરે, પછી એ પ્યાલાને ડાખા હાથની હથેળીમાં મૂકે અને તેના સામે દૃષ્ટિ રાખી આ અમૃતના પ્યાલે છે, એવી ૧૫ મીનીટ સુધી ભાવના કરે. અને આ અમૃતરસ પીવાથી મારા દરેક રાગને નાશ થશે એવા દૃઢ સંકલ્પ કરી તેને ગટગટાવી જાએ, તેા તમારા શરીરમાં રહેલા નાના—માટા વ્યાધિસિહુને જોઈ ને હરણુ નાસે તેમ–નાશી જશે અને તમે તદ્દન
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સંકલ્પસિદ્ધિ
તંદુરસ્ત બની જશે. વળી આ રીતે અમૃતની ભાવનાથી ભાવિત કરેલું પાણી તમે તમારાં બિમાર બાળકને કે મિત્રને પાશે તે તેના સ્વાસ્થમાં તમને ઘણો સુધારે માલુમ પડશે. મહાપુરુષે સ્વાથ્યને સંકલ્પ કરીને જે જળ આપે છે, તે પીવાથી સુંદર સ્વાથ્ય જરૂર પ્રાપ્ત થાય છે.
કોઈ મનુષ્યનું તમારે અત્યંત ભલું કરવું હોય તે તેના માટે શુભ સંકલ્પ કર્યા જ કરે અને તેનું જરૂર ભલું થશે. એ જ રીતે અશુભ સંકલ્પ કરશે તે તેનું અનિષ્ટ થશે, પણ સુજ્ઞ મનુષ્ય એ પ્રેગ કદી પણ કરે નહિ, કેમકે અશુભ સંકલ્પ કરતાં આપણું મન પર તેની અશુભ અસર થાય છે અને તે આપણને અનેક રીતે નુકશાન પહોંચાડે છે.
તમે કઈ વ્યક્તિને મળવા ગયા હો અને તેની પાસેથી અમુક કામ કરાવવા ઈચ્છતા હે તે તમારા મનમાં દૃઢ સંકલ્પ કરે કે “તમે મારું કામ કરશે જ–તમે મારું કામ કરશે જ? જે તમારી સંપશક્તિને વિકાસ થયે હશે તે એનું પરિણામ જરૂર તમારા લાભમાં જ આવશે.
એક વ્યાપારીને એક અધિકારી સાથે કામ પડ્યું, પણ તે દાદ દેતો ન હતો અને પરિણામે પાંચથી સાત લાખ રૂપિયાનું કેન્સેકટનું કામ અટકતું હતું. એવામાં એ વ્યાપારીને એવી એક વ્યક્તિને ભેટો થયે કે જેણે પિતાની સંકલ્પ શક્તિ સારા પ્રમાણમાં ખીલવેલી હતી. તેણે વ્યાપારીની બધી હકીક્ત સાંભળીને કહ્યું કે “તમે મને માત્ર એ વ્યક્તિને
Page #236
--------------------------------------------------------------------------
________________
સંકલ્પસિદ્ધિ દ્વારા સર્વકાર્યસિદ્ધિ
૨૨૧ મેળાપ કરાવે, એટલે તમારું કામ થઈ જશે. આથી તે વ્યાપારી કેઈક બહાનું કાઢી આ વ્યક્તિને તે અધિકારી પાસે લઈ ગયે. ત્યાં થોડી વાતચીત થઈ અને તે બંને પાછા ફર્યા. પછી બીજા દિવસે પેલો વ્યાપારી અધિકારી પાસે ગયો કે તેણે કંઈ પણ પ્રશ્ન ર્યા વિના કેકટ પર સહી કરી દીધી અને વ્યાપારીનું કામ બની ગયું. આ વ્યાપારીએ સંકલ્પશક્તિવાળા ભાઈને એક મેટર તથા ૪૦૦૦૦ ની ભેટ કરી. તાત્પર્ય કે સંકલ્પશક્તિની અસર અન્ય. મનુષ્ય ઉપર પણ ઘણું ભારે થાય છે. - કેટ-કચેરીના મામલામાં પણ સંકલ્પશક્તિવાળે જિતે. છે અને તેનાથી તેને ઘણું ફાયદો થાય છે.
આ રીતે બીજાં પણ અનેક કાર્યો સંકલ્પશક્તિથી સિદ્ધ કરી શકાય છે.
વાઘ-સિંહ વગેરે ઘણું હિંસક પ્રાણી છે. વન–જંગલમાં કદાચ તેમનો ભેટો થઈ જાય તો આપણાં હાજા ગગડી જાય છે અને હવે આપણું આવી બન્યું એવી ભીતિ આપણું હદયમાં ઉત્પન્ન થાય છે. પરંતુ સંકલ્પશક્તિ ખીલેલી હોય. અને તેની સામે તમે થોડીવાર એકી ટશે જોયા કરે છે એ પ્રાણી દૂર હઠી જશે અને તમને કશી પણ ઈજા કરશે નહિ.
હાથી, ઘેડા, બળદ, ગાય, પાડા, ભેંસ વગેરે ઉપર પણ સંકલ્પશક્તિથી અસર ઉપજાવી શકાય છે અને તે આપણુ પર હુમલો કરી શક્તા નથી.
સર્કસના ખેલે તો તમે જોયા જ હશે. ચાર-પાંચ.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૨
સંકલ્પસિદ્ધિ સિંહ અને એક-બે વાઘની વચ્ચે ઉભું રહીને જે મનુષ્ય તેમની પાસેથી કામ લેતો હશે, તેની સંકલ્પશક્તિ કેટલી મજબૂત હશે? તેને એવો આત્મવિશ્વાસ હોય છે કે આ સિંહ તથા વાઘ મારું કહ્યું બરાબર માનશે અને તેમની પાસેથી હું ધાર્યું કામ લઈ શકીશ. કેઈક વાર સિંહ તથા વાઘ ખીજાય છે અને તેની સામે પજે ઉગામે છે, છતાં આ મનુષ્ય તેનાથી જરાયે ડરતે નથી. એ તે પૂર્વવત્ તેના સત્તાવાહી અવાજે કહ્યા જ કરે છે કે “તું આ કામ કર, તે કામ કર વગેરે” અને તે પ્રાણુઓ તે મુજબ કામ કરવા લાગે છે.
ઝેરી જંતુઓના દંશ વગેરે ઉપર પણ સંકલ્પશક્તિથી ફાયદો થતે જોવામાં આવ્યું છે. યેગની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા મહાપુરુષને સર્પ વગેરેના ઝેરની કંઈ અસર થતી નથી, તેમાં તેમનું અસાધારણ સંકલ્પબળ જ કારણભૂત છે.
પ્રાણુઓને હિપ્નોટિઝમની અસર થાય છે, તેમ સંકલ્પબળની પણ અસર થાય છે અને તેથી તેમના સ્વભાવ વગેરેમાં પણ કેટલુંક પરિવર્તન લાવી શકાય છે. સંભવ છે કે હવે પછીનાં શેડાં વર્ષોમાં આપણને આ સંબંધી ઘણું વધારે જાણવા મળશે.
સંકલ્પની અસર વૃક્ષ-વેલીઓ વગેરે ઉપર પણ થાય છે અને ભૌતિક પદાર્થો ઉપર પણ થાય છે. એક રાજાએ કેટલાક સૈનિકોને એવી આજ્ઞા કરી કે જ્યારે આ ઘેઘુર વડલાનાં બધાં પાન સૂકાઈ જશે, ત્યારે તમને સ્વદેશ જવાની રજા મળશે. એટલે તે દિવસથી દરેક સેનિક એમ વિચાર
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૩
સંકલ્પસિદ્ધિ દ્વારા સર્વકાર્યસિદ્ધિ કરવા લાગ્યું કે, આ વડનાં બધાં પાંદડાં સૂકાઈ જાઓ અને તે ડા દિવસમાં જ સૂકાઈ ગયાં.
થોડા વખત પહેલાં રશિયાની તાસ એજન્સીએ આપેલા ? સમાચાર મુંબઈના એક દૈનિક પત્રમાં નીચે મુજબ પ્રકટ થયા હતા :
રશિયામાં શ્રીમતી નેલી મીખેઈલેવા નામની એક ચાલીશ વર્ષની સ્ત્રી પોતાના સંકલ્પબળથી ટેબલ ઉપરના પાઉંના ટૂકડાને ખસેડે છે, તે વાંકી વળે કે તેના ઉઘાડા મેઢામાં પાઉંના ટૂકડા એની મેળે જઈ પડે છે, ઘડિયાળના પિન્ડયુલમને ચાલતું બંધ કરે છે, પ્લાસ્ટીકના કેસે ખસેડી દે છે અને એક આઉંસવાળું ત્રાજવાનું બીજું ખાલી પલ્લું નમાવી દે છે. આ પ્રયોગ વખતની એક દસ્તાવેજી ફીલ્મ પણ ઉતરી છે.
પરંતુ આ સમાચારથી આપણને ભાગ્યે જ આશ્ચર્ય થશે, કેમકે આપણા દેશમાં ત્રાટક કિયાથી ટેબલ પર રહેલા કાચના પ્યાલાને તોડી નાખનારા, ઘડિયાળને બંધ કરી દેનારા, વાસણને ચક્કર ચક્કર ફેરવનારા તથા પુષ્પને મૂળ રંગ બદલી નાખનારા પડ્યા છે અને તે કવચિત્ જાહેરમાં પણ દેખાવ દે છે. વળી આપણે ત્યાં એમ પણ કહેવાયું છે કે સંકલ્પશક્તિ વડે મોટા ખડકમાં પણ ફાટ પાડી શકાય છે અને તોફાન તથા ગાજવીજેને પણ રેકી શકાય છે. વળી જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ પણ કરી શકાય છે.
ટૂંકમાં સંકલ્પશક્તિ એ ખરેખર ! એક અજાયબ શક્તિ છે અને તેના વડે સર્વ કાર્યની સિદ્ધિ થઈ શકે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સંકલ્પસિદ્ધિ - સંકલ્પશક્તિ વધારવા માટે નીચેના પ્રયોગ અજમાવી જેવા જેવા છે -
(૧) કઈ પણ કામ નિયત સમયે શરૂ કરવું અને નિયત સમયે પૂરું કરવું.
(૨) વિદને આવવા છતાં કામને છેવું નહિ.
(૩) બાગ-બગીચામાં ફરવા ગયા હોઈએ ત્યાં વૃક્ષોની લીલી ઘટા સામે એકી ટશે જોયા કરવું. આ પ્રકિયા ૧૦ મીનીટ સુધી ચાલુ રાખવી.
(૪) બંને ભૃકુટિઓની વચ્ચે એક કાળું ટપકું કરવું અને દર્પણમાં મુખ જોઈ પેલા કાળા ટપકાં પર દૃષ્ટિ સ્થિર કરવી. ૩-૪ મીનીટથી વધારીને આ સમયને ૧૦ મીનીટ કરવો. આંખમાં ઝળઝળિયાં આવી જાય તે લૂછીને ફરી પણ પ્રયાસ કરે. પણ અનુકમે આગળ વધવાનું રાખવું. : (૫) કઈ પણ કામ નિર્ભય બનીને કરે.
(૬) દૃષ્ટિને સ્થિર કરતાં શીખો. બે ત્રણ મીનીટથી માંડીને દશ મીનીટ સુધી એ ક્રિયા ચાલુ રાખો.
નિયમિત પ્રયાસ કરવાથી સંકલ્પશક્તિ વધે છે અને તેનાં પરિણામો ઉપર જણાવ્યું તેમ ઘણું આશ્ચર્યકારી આવે છે.
સર્વ પાઠકે સંકલ્પશક્તિના ગ્ય વિકાસ વડે પિતાનું અભીષ્ટ પ્રાપ્ત કરે, એવી મંગલ ભાવના સાથે આ ગ્રંથનું લેખનકાર્ય પૂર્ણ કરીએ છીએ.
સમાપ્ત
Page #240
--------------------------------------------------------------------------
________________
શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહનું વિશાળ સાહિત્યસર્જન
ચરિત્રો * ૧ વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર (એક લાખ ચાલીશ હજાર નકલો) * ૨ વીર વિઠ્ઠલભાઈ (પ્ર. ચરોતર એજ્યુ. સોસાયટી). * ૩ મહારાજા સયાજીરાવ ગાયકવાડ (બે લાખ નકલો) ૪ ૪ શ્રીમંત રાજર્ષિ સયાજીરાવ ગાયકવાડ (શ્રીસયાજીવિજય પ્રેસ) ૪ ૫ શ્રી પાદલિપ્તસૂરિ
(પ્ર. જેન-ભાવનગર) ૬ શ્રી રામ
(વિદ્યાથી વાંચનમાળા શ્રેણ–૧) 9 શ્રી કૃષ્ણ ૮ ભગવાન બુદ્ધ ૯ ભગવાન મહાવીર ૧૦ વીર હનુમાન ૧૧ સતી દમયંતી ૧૨ ચક્રવતી ચંદ્રગુપ્ત ૧૩ રાજા ભર્તુહરિ ૧૪ ભક્ત સુરદાસ ૧૫ નરસિંહ મહેતા ૧૬ મીરાંબાઈ ૧૭ લેકમાન્ય ટિળક ૧૮ આદ્યકવિ વાલ્મીકિ
(વિ. વાં. શ્રેણુ–૨) ૧૯ મહર્ષિ અગત્સ્ય
X આવી નિશાનીવાળાં પુસ્તકો અલભ્ય છે. ૧૫
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦ દાનેશ્વરી ક ૨૧ મહારથી અર્જુન ૨૨ વીર અભિમન્યુ
૨૩ પિતૃભક્ત શ્રવણુ ૨૪ ચેલા
૨૫ મહાત્મા તુલસીદાસ ૨૬ શ્રી રામકૃષ્ણ પરમહંસ ૨૭ સ્વામી વિવેકાનંદ
૨૮ સ્વામી રામતી
૨૯ શ્રીમદ્ રાજચંદ્ર ૩૦ ૫. મદનમાહન માલવિય ૩૧ મહામુનિ સિ ૩૨ દ્રૌપદી
૩૩ વીર વિક્રમ
૩૪ રાજા ભાજ ૩૫ મહાકવિ કાલિદાસ ૩૬ વીર દુર્ગાદાસ
૩૭ મહારાણા પ્રતાપ
૩૮ સિકીમને સપૂત
૩૯ દાનવીર જગડૂ ૪૦ સિદ્ધરાજ જયસિંહ
૪૧ જગત શેઠ
૨૨૬
૪૨ વીર વિઠ્ઠલભાઈ
૪૩ શ્રી એની બેસન્ટ
૪૪ શ્રી ગજાનન
૪૫ શ્રી કાર્તિકેય સ્વામી ૪૬ શ્રી હ
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
""
""
( વિ. વાં. શ્રેણી–૩ )
,,
..
""
""
""
""
""
""
""
""
..
""
( વિ. વાં. શ્રેણી—૪)
,,
""
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૭
(વિ.
વાં. શ્રેણ–૫)
૪૭ રસકવિ જગન્નાથ ૪૮ ભક્ત નામદેવ ૪૯ છત્રપતિ શિવાજી ૫૦ સમર્થ સ્વામી રામદાસ ૫૧ ગુરુ નાનક પર મહાત્મા કબીર ૫૩ ગૌરાંગ મહાપ્રભુ ૫૪ શ્રી ત્રિભુવનદાસ ગજજર ૫૫ શ્રી વિજયધર્મસૂરિ પ૬ બાબુ રાજેન્દ્રપ્રસાદ પ૭ મહારાજા કુમારપાળ ૫૮ રણજિતસિંહ ૫૯ શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ૬૦ મહાદેવ ગોવિંદ રાનડે ૬૧ દાદાભાઈ નવરોજી ૬૨ શ્રી ગોપાળકૃષ્ણ ગોખલે ૬૩ શ્રી જવાહરલાલ નહેરુ. ૬૪ શ્રી સુભાષચંદ્ર બોઝ ૬૫ તારામંડળ ૬૬ મહાદેવી સીતા ૬૭ કર્મદેવી અને મેવાડની વીરાંગનાઓ ૬૮ સર ટી. માધવરાવ ૬૯ ઝંડુ ભટ્ટજી ૭૦ સ્વ. હાજી મહમ્મદ ૭૧ વીર લધાભા ૭૨ શ્રી ઋષભદેવ ૧૭૩ વીર કુલ
(વિ.
વાં. શ્રેણ-)
શ્રેણ-૭)
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૮
૭૪ મહામંત્રી મુંજાલ ૭૫ શ્રી જયકૃષ્ણભાઈ ૭૬ શ્રી સયાજીરાવ ગાયકવાડ ૭૭ મહાવીરપ્રસાદ દ્વિવેદી ૭૮ મહાકવિ નાનાલાલ ૭૯ અબ્દુલ ગફારખાન ૮. સોરઠી સંત ૮૧ કવિ નર્મદ
વાં. શ્રેણી-૮) ૮૨ જમશેદજી તાતા ૮૩ પં. વિષ્ણુ દિગંબર
(વિ. વાં. શ્રેણી–૯)
ભોગોલિક ૮૪ સૌંદર્યધામ કાશ્મીર
(વિ. વાં. શ્રેણી-૬ ) ૮૫ દ્વારકા ૮૬ મહેસૂર ૮૭ નેપાલ
વાં. શ્રેણી-૭) ૮૮ અમરનાથ ૮૯ બદરી–કેદારનાથ ૯૦ અનુપમ છલુરા
વાં. શ્રેણ-૮) ૯૧ પાવાગઢ
વાં. શ્રેણી–૯) ૯૨ અજંતાની ગુફાઓ
પ્રવાસવર્ણન x ૯૩ કુદરત અને કલાધામમાં વીસ દિવસ ૪ ૯૪ અચલરાજ આબુ ૪ ૯૫ પાવાગઢનો પ્રવાસ
* આ નિશાનીવાળાં પુસ્તકો અલભ્ય છે.
છે કે
Page #244
--------------------------------------------------------------------------
________________
×
X
૯૬ કોયડાસંગ્રહ ભાગ પહેલા
ખીજે
૯૭
""
૯૮ ગણિત–ચમત્કાર ૯૯ ગણિત–રહસ્ય ૧૦૦ ગણિત-સિદ્ધિ
.
૧૦૧ સ્મરણ–કલા
""
માનવિજ્ઞાન
સામાન્ય વિજ્ઞાન
૨૨૯
ગણિત
× ૧૦૨ રમૂજી ટૂચકા
× ૧૦૩ આલમની અજાયબી
× ૧૦૪ વિમાની હુમલા અને તેમાંથી બચવાના ઉપાયે
કિારકથાઓ
× ૧૦૫ કુમારેાની પ્રવાસકથા × ૧૦૬ વિમલશાહ
× ૧૦૭ વસ્તુપાળ—તેજપાળ × ૧૦૮ સિકીમની વિરાંગના × ૧૦૯ નેકીને રાહ
× ૧૧૨ સુરાનાં ગુફામ'દિશ
( કુમાર ગ્રંથમાળા )
(સયાજી બાળ સાહિત્યમાળા )
કાવ્યા
× ૧૧૦ અજંતાનેા યાત્રી ( ખંડકાવ્ય) આ કાવ્યને સંસ્કૃત અનુવાદ થયેલા છે. × ૧૧૧ જલમંદિર પાવાપુરી ( ખંડકાવ્ય ) શિલ્પ-સ્થાપત્ય
× આ નિશાનવાળાં પુસ્તકા અલભ્ય છે.
..
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સંકલન
૪ ૧૧૩ શ્રી મહાવીર–વચનામૃત આ ગ્રંથનો હિંદી તથા અંગ્રેજી અનુવાદ થયેલો છે.
જેનધર્મવિષયક ૪ ૧૧૪–૨૧૫ બાળ ગ્રંથાવલી-છ શ્રેણી.
(૧૨૦ પુસ્તકનું સંપાદન, તેમાં ૧૦૨ નું લેખન) ૪ ૨૧૬-૨૩૫ ધર્મધ-ગ્રંથમાળા ૨૦ પુસ્તકો ૪ ૨૩૬-૨૪૭ જૈન શિક્ષાવલી પહેલી શ્રેણી ૧૨ પુસ્તકો x ૨૪૮-૨૫૯ , , બીજી , ૧૨ પુસ્તકો x ૨૬૦-૨૭૧ , ,, ત્રીજી , ૧૨ પુસ્તક ૨૭ર-ર૯૧ જૈન ચરિત્રમાળા ૨૦ પુસ્તકો ૨૯૨–૨૯૪ ધાર્મિક પ્રશ્નોત્તરી ભાગ ૧ થી ૩ ૨૯૫–૨૯૬ જિનેંદ્ર કાવ્યસંગ્રહ ભાગ ૧-૨ ૨૯૭-૨૯૮ જૈન ધર્મનો સામાન્ય પરિચય ભાગ ૧-૨ ૨૯૯ જૈન ધર્મસાર
આ પુસ્તકનો હિંદી તથા અંગ્રેજી અનુવાદ થયેલે છે. ૪ ૩૦૦ જૈન તત્વપ્રવેશક ગ્રંથમાળા ભાગ બીજે ૩૦૧ શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ પહેલે
, ભાગ બીજો
, ભાગ ત્રીજો ,, પ્રબોધટીકાનુસારી ૪ ૩૦૫ જિનોપાસના x ૩૦૬ જીવવિચાર–પ્રકાશિકા યાને જૈન ધર્મનું પ્રાણિવિજ્ઞાન * ૩૦૭ નવ તત્વદીપિકા યાને જૈન ધર્મનું અદ્ભુત તત્ત્વજ્ઞાન
* આ નિશાનીવાળાં પુસ્તકે અલભ્ય છે.
૪ ૩૦૨
૩૦૩
૪ ૩૦૪
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩
x ૩૦૮ સતી નંદયંતી (ત્રિઅંકી નાટક) ૮ ૩૦૯ શ્રી શાલિભદ્ર ( , ) * ૩૧૦ રાજનગર સાધુસંમેલન * ૩૧૧ જૈનોની શિક્ષણસમસ્યા ૪ ૩૧૨ તપવિચાર
૩૧૩ દક્ષિણમાં દિવ્ય પ્રકાશ ૪ ૩૧૪–૩૩૮ પ્રકીર્ણ ચરિત્રો, વિશેષાંક આદિ
આધ્યાત્મિક ૩૩૯ મંત્રવિજ્ઞાન ૩૪૦ મંત્રચિંતામણિ ૩૪૧ નમસ્કારમંત્રસિદ્ધિ (બે આવૃત્તિ) ૩૪૨ સંકલ્પસિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અદ્ભુત કલા
૪ આ નિશાનીવાળાં પુસ્તકો અલભ્ય છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
ગુજરાતે ગૌરવ લેવા જેવા ગણિત સંબંધી ત્રણ સુંદર ગ્રંથા
જેમાં
ગણિતની ગેબી સૃષ્ટિને ભેદ સુંદર રીતે ખેાલવામાં આવ્યા છે તથા અનેક પ્રકારના ચમત્કારિક પ્રયાગા અને ઉપયાગી મમતાના સંગ્રહ આપવાનાં આવ્યા છે. વિશેષમાં બુદ્ધિને કસે તેવા વિશ્વભરના ચૂંટી કાઢેલા કાયડાઓને ઉત્તમ સંગ્રહ રજૂ કરવામાં આવ્યા છે. ભારતભરમાં આ જાતનાં પુસ્તકનુ પ્રકાશન પહેલ્લું જ છે. પત્રાએ તથા વિદ્વાનેાએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરેલી છે.
આ ગ્રંથાની રચના
જાણીતા લેખક તથા સુપ્રસિદ્ધ ગણિતન શતાવધાની પંડિત
શ્રી ધીરજલાલ ટાકરશી શાહે
ઘણા અનુભવ પછી સુગમ શૈલિમાં કરેલી છે.
*
*
આખા સેટ રૂપિયા પંદરમાં જ મળે છે, તે આજે જ વસાવી લે.
દરેક ગ્રંથનુ છૂટક મૂલ્ય રૂપિયા પાંચ છે.
પ્રાપ્તિસ્થાન :
પ્રજ્ઞા પ્રકાશન મંદિર
લધાભાઈ ગુણપત ખીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ . મુંબઈ, અમદાવાદ, તથા ભાવનગરના જાણીતા ગ્રંથ-વિક્રેતાઓ પાસેથી મળી શકશે.
વિશેષ વિગત માટે આગળ જી આ :
Page #248
--------------------------------------------------------------------------
________________
૧. ગણિત-ચમત્કાર
સુધારા-વધારા સાથેની બીજી આવૃત્તિ. ઊંચા ઓફસેટ કાગળ, પૃ. ૨૧૬, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂા. ૫-૦૦, રજી. પોસ્ટેજનો ખર્ચ રૂા. ૧-૧૦ આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણ આપવામાં આવ્યાં છે –
ખંડ પહેલે ૧ આઠ અંકની કરામત ૨ નવ અંકની કરામત ૩ સંખ્યાઓનું બંધારણ ૪ ચમત્કારિક સંખ્યાઓ ૫ સંખ્યાના પીરામીડ ૬ સરવાળાની કેટલીક રીતે ૭ બાદબાકીનો તાળો ૮ ગુણાકારની વિરાટુ શક્તિ ૯ ગુણાકારની બે અનોખી રીતે ૧૦ ગુણાકારના કેટલાક પ્રયોગ ૧૧ ભાગાકારની વિશેષતા ૧૨ ભાગાકારની પૂતિ ૧૩ સર્વતોભદ્ર યંત્રો ૧૪ મનનો ધારેલો આંક કહેનારાં યંત્રો ૧૫ સિદ્ધાંકના ત્રણ પ્રયોગ ૧૬ ગંજીફાના ચાર પ્રયોગો ૧૭ દશ ચમત્કારિક પ્રયોગ ૧૮ અંક-વિનોદ
- ખંડ બીજે ૧ ગણિતજ્ઞાનની પૂર્તિ કરનારા સો કોયડાઓ ૨ ઉત્તરે આ પુસ્તક માટે વિદ્વાનોએ ઘણો ઊંચો અભિપ્રાય આપે છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨ ગણિત-રહસ્ય ટૂંક સમયમાં જ બીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. ઊંચા ઓફસેટ કાગળ, પૃ. ૨૨૪, પાકું બાઈન્ડીંગ. મૂલ્ય રૂા. ૫-૦૦ રજી. પિસ્ટેજને ખર્ચ રૂા. ૧-૧૦ આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણો આપવામાં આવ્યાં છેઃ ૧ આમુખ ૨ અંકસ્થાન ૩ શૂન્યનું સામર્થ્ય ૪ ગણિતની વિશિષ્ટ પ્રજ્ઞા ૫ મોટી સંખ્યાઓ યાદ રાખવાની રીત ૬ અંકસ્મૃતિને એક વિલક્ષણ પ્રયોગ ૭ સંખ્યાનો ચમત્કાર ૮ એકી-બેકીના આકર્ષક પ્રયોગો ૯ સમરિક સંખ્યાઓને સરવાળો ૧૦ ત્રણ ક્રમિક સંખ્યાઓનું શોધન ૧૧ અજ્ઞાત સંખ્યાઓનું જ્ઞાત સંખ્યામાં પરિણમન ૧૨ ઉત્તરની અચૂક આગાહી ૧૩ હજાર વિકલ્પનો એક જ ઉત્તર ૧૪ ધારેલો પ્રશ્ન કહેવાની રીત ૧૫ પ્રકીર્ણ પાંચ પ્રયોગો
કેયડાઓ વર્ગ પહેલે વર્ગ બીજે વર્ગ ત્રીજો ઉત્તરો
આ ગ્રંથની પ્રસ્તાવના સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક અને ગણિતના મર્મ શ્રીમાન કે. કે. શાહે લખેલી છે. સન્માનનીય શ્રી મોરારજી દેસાઈ આદિ અનેક મહાનુભાવોએ આ ગ્રંથ માટે ઊંચો અભિપ્રાય દર્શાવેલો છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
૩ ગણિત સિદ્ધિ
ટૂંક સમયમાં જ ખીજી આવૃત્તિ પ્રકટ થઈ છે. ઊંચા ઓફસેટ કાગળ, પૃ. ૨૧૨, પાર્ક બાઈન્ડીંગ. મૂ. રૂા. ૫-૦૦. જી. પાસ્ટેજના ખર્ચ રૂા. ૧-૧૦ આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણા આપવામાં આવ્યાં છે ઃ—
૧ ઉપક્રમ
૨ દશના પાયા
૩ સરવાળાની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ
૪ સરવાળામાં ઝડપ કેમ આવે ?
૫ સરવાળાની ટૂંકી અને સહેલી રીતેા ૬ સરવાળાની ચકાસણી
છ સરવાળાને એક સુંદર પ્રયાગ ૮ બાદબાકી અંગે કેટલું ક ૯ બાદબાકીના ત્રણ પ્રયાગા ૧૦ ગુણાકારની પ્રાથમિક ભૂમિકા ૧૧ ગુણાકારની ટૂંકી અને સહેલી રીતેા – ૧
૧૨
૨
૧૩
૩
,,
"
૧૪ મહુ મેટા ગુણાકાર કરવાની સહેલી રીત
""
""
,,
,,
૧૫ ગુણાકાર અંગે વિશેષ ૧૬ ગુણાકારની ચકાસણી
,,
૧૭ ભાગાકારની મૂળ ભૂમિકા ૧૮ ભાગાકારની ટૂંકી અને સહેલી રીતે ૧૯ ભાગાકાર અંગે વિશેષ
૨૦ ભાગાકારના સંક્ષેપ અને ચકાસણી ૨૧ ગણિત અને ગણતરી
હિસાખેામાં ઝડપ તથા ચાકસાઈ લાવવા માટે આ ગ્રંથ ઘણા જ ઉપયાગી છે.
તમારાં બાળકોને બુદ્ધિમાન બનાવવા માટે તથા ઉત્તમ પ્રકારનું મનેરંજન મેળવવા માટે પણ આ પુસ્તકે ઘણાં ઉપયાગી હાઇ આજે જ મેળવી લ્યેા. સારા પ્રસંગે મિત્રાને આ પ્રથાની ભેટ આપે. તમારાં પુસ્તકાલયાને આ ગણિતથાથી અવશ્ય શણગાર .
Page #251
--------------------------------------------------------------------------
________________
વિદ્યાભૂષણ ગણિતદિનમણિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહની મનનીય કૃતિ
મંત્રવિજ્ઞાન
* આ ગ્રંથ વૈશ્વિક, પૌરાણિક, તાંત્રિક તેમજ જૈન સાહિત્યના મળી ૬૦ જેટલા મનનીય ગ્રંથાના આધારે ઘણા અભ્યાસ અને અનુભવપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે.
* તેનાં ૩૫ પ્રકરણેામાં મંત્રના તથા ઉપયોગ સુધીની તમામ
સ્પર્શ કરવામાં આવ્યા છે.
સ્વરૂપથી માંડીને સિદ્ધિ ભૂમિકાઓને સપ્રમાણ
પરિશિષ્ટ વિભાગમાં આપેલા ૫ લેખા પણુ ઘણા મનનીય છે.
* આ ગ્રંથ છપાઈ, સુઘડતા તથા આંધણીમાં સુંદર છે.
પૃષ્ઠ સંખ્યા ૩૭૬, મૂલ્ય રૂા. ૭–૫૦, રજી. પો. ખર્ચ રૂા. ૧-૨૫.
મુખ્ય પ્રાપ્તિસ્થાન :
પ્રજ્ઞા પ્રકાશન મંદિર
લધાભાઈ ગુણપત ખીલ્ડી'ગ, ચીંચબંદર, સુબઈ-૯. અમદાવાદ તથા મુંબઈના જાણીતા મુકસેલા પાસેથી મળી શકશે.
Page #252
--------------------------------------------------------------------------
________________
મંત્રસૃષ્ટિનાં અવનવાં રહસ્યોને પ્રકટ કરતે મંત્રવિજ્ઞાનની પૂર્તિ કરનારે અજોડ ગ્રંથ
મંત્રચંતામણિ * આ ગ્રંથ વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ
શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે ઘણું પરિશ્રમે તૈયાર કરેલ છે અને તેમાં પિતાના અનુભવે ઉપરાંત અનેક મંત્રપ્રયોગ પણ આપેલા છે. છે આ ગ્રંથ ઊંચા મેપથીલે કાગળ પર સુંદર રીતે છપાયેલે
છે, તથા પાકા બાઈન્ડીગમાં દ્વિરંગી પૂંઠા સાથે તૈયાર થયેલ છે. પૃષ્ઠ સંખ્યા ૩૭૬. છે. આ ગ્રંથનું મૂલ્ય રૂા. ૭-૫૦ છે. રજી.પિ. ખર્ચ રૂા.૧-૨૫.
વી. પી. થી મોકલાય છે. છે આ ગ્રંથમાં ૩ ખંડે તથા ૩૩ પ્રકરણે અપાયેલાં છે,
તે પરથી તેનું મહત્ત્વ સમજી શકાશે. * આ ગ્રંથમાં વેદો, ઉપનિષદો, પુરાણ, તંત્રગ્રંથ, તેમજ
જૈન ધર્મના મળી આશરે ૮૫ જેટલા ગ્રંથની સાક્ષીઓ આપવામાં આવી છે, તેમજ તેનું સંકલન ઘણું કાળજીથી કરેલું છે.
મુખ્ય પ્રાપ્તિસ્થાન :
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બિલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯૦ અમદાવાદ તથા મુંબઈના જાણીતા બુકસેલરે સાસેથી મળી શકશે.
Page #253
--------------------------------------------------------------------------
________________
હવે પછી પ્રકટ થશે-મંત્રશાસને એક અદભુત ગ્રંથ
મંત્રદિવાકર
લેખક : વિદ્યાભૂષણ ગણિતદિનમણિ શતાવધાની
પંડિત શ્રી ધીરજલાલ શાહ આ ગ્રંથમાં અનેક જાતના અનુભવસિદ્ધ મંત્રપ્રગ રજૂ કરવામાં આવશે, જેમાં વિવિધ રોગ મટાડવાના, વિષ ‘ઉતારવાના, લક્ષ્મી વધારવાના, જિત મેળવવાના તથા બીજા પણ એવાજ પ્રગને સમાવેશ થશે. ઉપરાંત કેટલાક મહત્વના યંત્રે તથા તંત્રપ્રયોગો પણ આપવામાં આવશે કે જેના આધારે મનુષ્ય સુખ, સંપત્તિ, આરોગ્ય, યશ વગેરેની પ્રાપ્તિ કરી શકે તથા અચિંત્ય કામ કરવાને શક્તિમાન થાય.
આ ગ્રંથની છપાઈ, સુઘડતા, બાંધણ તથા પૃષ્ઠસંખ્યા મંત્રવિજ્ઞાન તથા મંત્રચિંતામણિ જેટલી જ રહેશે, એટલે કે ૩૭૬ પૃષ્ઠની હશે. તેનું મૂલ્ય રૂા. ૭-૫૦ રહેશે. પિસ્ટેજ ખર્ચ અલગ.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯
Page #254
--------------------------------------------------------------------------
________________
હવે પછી પ્રકટ થશે માનવમનની અજાયબીઓ
લેખક : વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ
દુનિયાની અજાયબીઓ અંગે તે તમે ઘણું ઘણું વાંચ્યું હશે, પણ માનવમનની અજાયબીઓ વિષે તમે શું જાણે છે? તેમાં એવી એવી અજાયબ શક્તિઓ પડેલી છે કે જેના વિકાસથી તમે અનેક આશ્ચર્યકારી કાર્યો કરી શકે તથા ઈચ્છાનુસાર ધન-દોલત કમાઈ શકે.
એક વાર આ ગ્રંથ હાથમાં લીધા પછી તેને હેઠે મૂકવાનું મન નહિ જ થાય.
સેંકડે રૂપિયા ખર્ચવા છતાં તમને આવી સામગ્રી અન્યત્ર નહિ મળે.
ઊંચા મેખલી કાગળ, લગભગ ૩૫૦ પૃષ્ઠ, પાકું પૂંઠું છતાં મૂલ્ય રૂા. ૭–૨૦. પિસ્ટેજ અલગ.
તેનું પ્રકાશન અને ૧૯૬ન્ના નવેમ્બર માસમાં થશે.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯,
Page #255
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ સંખ્યા ૨૪૦ – ૧૨ = ૨૫૨
પંડિત શ્રી ધીરજલાલ શાહે કૃત
સ્મરણુકલા અંગે
શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈના અભિપ્રાય
સામાન્ય જનતાને ચમત્કાર, મંત્રસિદ્ધિ કે યાગપ્રક્રિયા લાગે એવી સ્મરણકલાની શતાવધાનની કલા પાછળ શાસ્ત્રીય સિદ્ધાંતા રહેલા છે, એમ જ્યારે શ્રી ધીરજલાલે અમને સમજાવ્યું, ત્યારે તેમની હૃદયવિશુદ્ધિ માટે મને ખૂબ માન ઉત્પન્ન થયું. આપણા દેશમાં વિદ્યા–કલાને ગુપ્ત રાખવાની એક પ્રથા પડી ગઈ છે. કાં તે કલાકાર કલાચાર બને છે, કાં કલાની આસપાસ ગૂઢ રહસ્યભયું વાતાવરણ ઉત્પન્ન કરી પેાતાની મહત્તા વધારવા મથે છે. આને પરિણામે આપણી કેટલીક કલાએ અને કેટલાય હુન્નરા બગડી ગયા અને નાશ પણ પામ્યા. શ્રી ધીરજલાલે મરણકલાનું ઊંડું અવગાહન કયું છે અને તેના પરિણામે તેએ પાતાના ગુરુપદની મહત્તા ટીક હીક વધારી શકાયા હોત, પરંતુ તેમણે તેમ ન કરતાં પેાતાના અભ્યાસ અને પેાતાની તપશ્ચર્યાંનાં ફૂલ આ ‘સ્મરણુકા’ નામના અપૂર્વ ગ્રંથમાં પ્રકટ કરી ગુજ્જર જનતા સમક્ષ ખુલ્લાં મૂકી દીધાં છે અને સ્મરણકલાની વિધ વિધ કુંચી ગુજ્જર જનતાના હાથમાં મૂકી દીધી છે. આ ગ્રંથને ઠીક ઠીક વિચાર કરીને હું અપૂર્વ કહું છું. મને યાદ છે ત્યાં સુધી સ્મરણુકલા વિષે આવા કોઈ ગ્રંથ ગુજરાતીમાં પ્રસિદ્ધ થયા નથી.
મૂલ્ય રૂપિયા ૫=૦૦ રજી. પેસ્ટેજ ખર્ચ રૂ. ૧=૨૫ મુખ્ય પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત ખીલ્ડીંગ, ચીચંદર, સુબઈ–૯. વી. પી. થી મેાકલવામાં આવે છે.
Page #256
--------------------------------------------------------------------------
________________ - a bad be વિદ્યાભૂષણ ગણિતદિનમણિ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ કૃત મનનીય સાહિત્ય મંત્ર-વિજ્ઞાન રૂા. 7-50 મંત્ર-ચિંતામણિ રૂા. 7-50 ગણિત–ચમત્કાર - રૂા. પ-૦૦ ગણિત-રહસ્ય રૂા. 5-00 ગણિત-સિદ્ધિ રૂા. પ-૦૦ મરણ-કલા રૂા. 5-00 સંક૯પ-સિદ્ધિ રૂા. 5-00 હવે પછી છે પાશે માનવમનની અજાયબીઓ રૂા. 7-50 મંત્ર-દિવાકર 1 રૂા. 7-50 આજે જ આ પુસ્તકો મંગાવી લ્યો અને તેનું | અયન શરૂ કરો. પિસ્ટેજ ખર્ચ અલગ સમજવું. મુખ્ય પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯, જાણીતા ગ્રંથવિક્રેતાઓ પાસેથી પણ મળી શકશે. આવરણ * દીપક મિટરી : અમદાવાદ-૧