________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૮ જ્ઞાનતત્ત્વ દ્રવ્યને આધારે છે એવો યથાર્થ નિર્ણય કર્યો; યથાર્થ નિશ્ચય કરીને, તેની (ચૈતન્યની) સિદ્ધિને અર્થે, એટલે (જ્ઞાન-દર્શન) સ્વભાવ ચેતનને આધારે છે તેથી પૂર્ણ પર્યાય પ્રગટ કરવાને “તેની સિદ્ધિને અર્થે (-કેવળજ્ઞાન પ્રગટાવવા અર્થે) ” એટલે જ્ઞાયકચૈતન્ય પૂર્ણ છે. એ પૂર્ણસ્વરૂપ દ્રવ્ય (પૂર્ણ) ના આધારે છે એવો જે નિર્ણય કર્યો. એ નિર્ણયની પર્યાયમાં, જીવ પૂર્ણ ચૈતન્ય ને ચેતન છે. એવી પૂર્ણ પર્યાયની પ્રસિદ્ધિ કરવા, એટલે (હુજી) પૂર્ણ પર્યાયમાં આવ્યો નથી. હજી તો યથાર્થ નિર્ણય સમ્યગ્દર્શનાદિ થયું છે. આહા.... હા ! સમજાણું કાંઈ ?
આહા..હા ! (શું કહે છેઃ ) પણ જયારે સમ્યગ્દર્શન - જ્ઞાનમાં એમ થયું (જણાયું ) કે આ ચૈતન્ય પૂર્ણ છે, પૂર્ણદ્રવ્યના આધારે છે. તો એની પર્યાય (પણ) પૂર્ણ થવી જોઈએ. જેવી પૂર્ણ વસ્તુ છે, પૂર્ણ ગુણ છે તો એવી જ (પૂર્ણ) પર્યાય પણ થવી જોઇએ; તેથી આવો નિર્ણય કરનારે “તેની સિદ્ધિને અર્થે” એ પૂર્ણ છે છે તો એની પૂર્ણ પર્યાયમાં પ્રાપ્તિને માટે (કેવળજ્ઞાન પ્રગટાવવા અર્થે) “પ્રશમના લશે (-ઉપશમ પ્રાપ્ત કરવાના હેતુથી) ” – દ્રવ્ય અને ગુણ જ પૂર્ણ (છે). ભાઈ ! માર્ગ કંઈક જુદી જાત છે! આ તો અંતરના મારગની વાતો છે! લોકો બહારથી કહ્યું છે ને..! આ વ્યવહાર કર્યો – આ કર્યા ને આ કર્યા! પંચ – કલ્યાણક કર્યા ને. લાખ્ખો રૂપિયા ખર્ચા ને. ગજરથ કાઢયા. એમાં શું તું (છો ) ! એમાં ક્યાં આત્મા આવ્યો ?! એ (બધું ) થાય છે તેને જ્ઞાનની પર્યાય ( જાણે છે ) જ્ઞાયકને એમ (એને) આત્મા સાથે સંબંધ છે, એમ (જ્ઞાની) જાણનારો રહે છે, એ (આત્મા) જાણનારો રહે છે. ઈ (એ) જેવું પૂર્ણ સ્વરૂપ (પોતાનું) છે એવી પૂર્ણ પર્યાયની પ્રાપ્તિના અર્થે - છેને? એની સિદ્ધિના અર્થે પૂર્ણ ભગવાન ચૈતન્યને આધારે અસ્તિપણે, સત્તાપણે, હોવાપણે છે. એવા ચૈતન્યની ચેતનાના આધારે રહેલો ભગવાન (આત્માની) પૂર્ણ પર્યાયની પ્રસિદ્ધ અર્થે વસ્તુ પૂર્ણ છે તો એની પ્રાપ્તિ પર્યાયમાં પૂરી થવા અર્થે – તેની સિદ્ધિને અર્થે - કેવળજ્ઞાન પ્રગટાવવા અર્થે “પ્રશમના લ” (“ઉપશમ પ્રાપ્ત કરવાના હેતુથી) શેયતત્ત્વ જાણવાનો ઈચ્છક (જીવ) સર્વપદાર્થોને દ્રવ્ય-ગુણ -પર્યાય સહિત જાણે છે”).-પ્રશમના લક્ષે (કહ્યું , દ્રવ્યના લક્ષ એમ ત્યાં ન કીધું. “પ્રશમવિષય” એમ શબ્દ છે. પાઠમાં. પ્રશમ” વિષય છે જેનો. (કારણકે) ઉપશમ પ્રાપ્ત કરવાના હેતુથી. પ્રશમ-વીતરાગતા પ્રાપ્ત કરવાના હેતુથી, આમ (શા માટે ) કહ્યું? કે ઉપેય – ઉપાય છે. પણ એનો (ઉપાયનો) ઉ૫ય તો સિદ્ધપદ છે. એથી ઉપાયે ચૈતન્યગુણ ન ચેતનના આધારે છે એવો નિર્ણય કર્યો. પર્યાયમાં પૂર્ણ થવા અર્થે) પૂર્ણ ગુણની, પૂર્ણ દ્રવ્યની પ્રતીતિ આવી અને (દ્રવ્યગુણ) પૂર્ણ છે એવું જ્ઞાન પણ પર્યાયમાં આવ્યું પણ પર્યાય પૂર્ણ થઇ નથી; એથી પૂર્ણપર્યાયને પ્રગટ કરવા માટે.... છે? તેની સિદ્ધિને અર્થે એટલે એનો અર્થ એ પૂર્ણ છે તેની સિદ્ધિને અર્થે (અર્થાત્ ) પૂર્ણ પર્યાયની પ્રાપ્તિને અર્થ (એટલે કે) જેવું દ્રવ્ય ચેતન પૂર્ણ છે, એવો ચૈતન્યગુણ પૂર્ણ છે, એવી પર્યાય પૂર્ણ (થાય) – કેવળજ્ઞાન થાય તેને અર્થે (જ્ઞયતત્ત્વ જાણવાની ઈચ્છક (જીવ) સર્વ પદાર્થોને દ્રવ્યગુણ-પર્યાય સહિત જાણે છે).” એમ (એ રીતે) ત્રણેય (એક-) પૂરા થઇ જાય. આહા.... હા.! આવો મારગ ) હવે.. (આવો) માર્ગ જ સાંભળવા મળે નહીં. અરે રે! ( બિચારા જીવો શું કરે?!) આવી રીત છો !!
આહા... હા! “પ્રશમના લ” (કીધું), દ્રવ્યના લક્ષે એમ ન કીધું. (એટલે કેઃ) ઉપય જે છે વીતરાગતા - વીતરાગતા - વીતરાગતા એને પ્રાપ્ત કરવા માટે (સાધકનું) લક્ષ ત્યાં છે. પૂર્ણ વીતરાગતા અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com