________________
૨૦૨
ચંદ્રગુપ્તનું
[ પંચમ
અમુક ભાગ ત્યાં રહેવા પણ જતું હતું તે આપણે કહી ગયા છીએ. ત્યાં સૂતાં સૂતાં તેને એક રાત્રીના સ્વપ્નાં આવ્યાં હતાં. બીજે દિવસે પરેઢીયે ઉઠીને આ ચૌદે ૧૪૧સ્વપ્નાં પિતાના ધર્મગુરૂ શ્રીભદ્રબાહુવામી ત્યાં પધાર્યા છે એમ સમાચાર મળવાથી વાંદવા ગયો,૧૪૨ ત્યારે તેમને તેણે કહી સંભળાવ્યાં હતાં. એટલે તેનાં ફળ-પરિણામ વિશેષ ગુરૂ મહારાજે રાજાને કહી બતાવ્યાં. આ ઉપરથી પિતાના ભાવિ વિષે કાંઈક નિરધાર તે બાંધી શક હતે. પછી થોડાજ અરસામાં શ્રી ભદ્રબાહસ્વામીને પોતાના દિગંત વ્યાપી
જ્ઞાનના૧૪૩ આધારે, એમ આગાહી દેખાઈ કે બાર વર્ષ દુષ્કાળ બહુજ નિકટમાં પડવા સંભવ છે, તે હકીકત તેમણે રાજાના કાને નાંખી એટલે ચંદ્રગુપ્તને સંસારની અસારતા વિશેષ પ્રકારે જણાઈ. તેટલામાં ૧૪૪શ્રી ભદ્રબાહુસ્વામીએ દુષ્કાળની અસર પોતાના શિષ્ય સમુદાયને ઓછી લાગે તે હેતુથી દક્ષિણપથના સુકાળ વર્તતા પ્રદેશમાં જવા ઇચ્છા દર્શાવી. એટલે જે શિષ્યો વિહારને શ્રમ ઉઠાવવાને અશક્તિવાન હતા તેમને ત્યાંજ રહેવા દઈ, અમુક ગણ્યા ગાંઠયાને સાથે લઈને૧૪૫ પિતે દક્ષિણ તરફ વિહાર કરવાને
ત્યાંના પાટલિપુત્રમાં રાજગાદી હતી. બાકી અવતિને રાજા ખરે પણ ગાદી ત્યાં નહીં તેથી “રાજા” લખ્યું હોય એમ ધારી શકાય છે જુઓ હરિકૃત: બૃહત કથાકેષ ૯૩૧નું; પંદરમા સૈકાનું રચેલું રત્નનદિનું ભદ્રબાહુ ચરિત્ર પૃ. ૩૮, જો કે ૧૮૩૮ માં દેવચંદ્ર લખેલ રાજાવલિકથામાં “ પાટલિપુત્રને રાજા ' એમ લખ્યું છે. . (૧૪૧ ) શ્વેતાંબરી પુસ્તકોમાં ૧૪ સ્વપ્ના કહ્યાં છે જ્યારે દિગંબરીમાં સેળ લખ્યા છે. તેની સંપૂર્ણ હકીકત અને અર્થ માટે જુઓ તે તે આમ્નાયના ગ્રંથ: વળી જુઓ એપિ. કર્ણા. પુ. ૨ પૃ. ૩૮.
(૧૪૨ ) જુએ ઉપરમાં પૃ. ૧૫૦
( ૧૪૩ ) છેલ્લાજ શ્રુતકેવલી હતા. જુઓ પૃ. ૧૫૧ ટી. નં. ૭૦. | ( ૧૪૪ ) ઉપરના વાકયમાં એમ લખ્યું છે કે,
સ્પષ્નફળ સાંભળીને તથા ગુરૂ મહારાજે કહી સંભળાવેલી આગાહીથી ચંદ્રગુપ્તને સંસારની અસારતા જણાઈ. અને હવેના વાક્યમાં એમ જણાવાય છે કે શ્રી ભદ્રબાહુએ દક્ષિણમાં જવા ઇચ્છા દર્શાવી ત્યારે સંસારની અસારતા જણાઈ. આ પ્રમાણે બને ઠેકાણેની હકીક્ત જુદી લખવી પડી છે. કેમકે આ બે બનાવો સુરતમાંજ બન્યા છે કે વચ્ચે કાંઇક શેડો સમય ગયે છે તે નકકીપણે કહી શકાય તેમ નથી. જે લાગલાજ અને પ્રસંગો બનવા પામ્યા હોત, તો તુરતજ’ કે તે કોઈ બીજો શબ્દ વાપરત, પણ એમ સમજાય છે કે, આ પ્રમાણે હકીકત બની રહી હતી, ત્યારે કુમાર બિંદુસાર
કિશોર અવસ્થા વટી જવાની હદે આવી પહોંચ્યા હતા અને તેર વરસમાં પ્રવેશ કર્યો–કે પછી પૂરાં થયે-પુખ્તવય ગણાય એમ જે ધોરણ તે સમયે પ્રચલિત હતું, તેની રાહ જોઈ કુમારને રાજ્યની લગામ સેંપીને પછી દીક્ષા લેવી. આવા વિચારમાં બે ચાર છ માસના સમય સુધી તે થંભી ગયો હતો, ખરી સ્થિતિ કેમ હતી, તે હું તારવી શકતું નથી. માટે મેં પાછલી સ્થિતિ-થડે વખત થંભી જવાની-કલ્પીને “તેટલામાં” શબ્દને પ્રયોગ કરવાનું વ્યાજબી ધાયું છે. ( સરખા બિંદુસાર વૃત્તાંતે, તેની ઉમર અને આયુષ્યવાળે પારિગ્રાફ )
( ૧૫ ) J. N. I. P. 1855-As a result of this prophecy, a large body of Jainas ( numbering about 12000 ) came to the south, where several of them (including Bhadrabahu ) diod by the holy vow of salokhana-Chandragopta, who followed the Sangha, renouncing everything, remained for twolve years at Belagola, and finally himself died by the same rite–જે. ન. ઈ. પૃ. ૧૭૫. આ ભવિષ્યવાણું (દુષ્કાળ પડવાને છે તે ) ઉપરથી, આશરે બાર હજાર જૈનેનું ( સાધુઓ જ માત્ર તેમાં હતા કે શ્રાવકો પણ હતા તે જણાવ્યું નથી) એક મોટું ટેળું દક્ષિણમાં આવ્યું (તેમાં ભદ્રબાહુ પણ હતા) જ્યાં તેઓ સંલેખણાવત લઈને મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્ત પણ જે સઘળું ત્યાગ