________________
૩
હજાર વર્ષના ઇતિહાસ, સાદી, સરળ અને રસમય ભાષામાં આપેલે છે. ભારતવષઁના પ્રાચીન ઇતિહાસના આવા માટા ગ્રંથ કાઇ પણ ભાષામાં નથી....પ્રાચીન સમયમાં પ્રવતી રહેલા વૈશ્વિક બૌદ્ધ અને જૈનધમ સબંધી તે વખતે ચાલતી, રાજા, અમાત્ય અથવા પ્રધાન મ`ડળની વ્યવસ્થા અને ખંદીખાનાં, ગ્રામ્ય સુધારણા, પંચાયત, વિદ્યાલય, વ્યાપાર, ખેતી, વિગેરે સંસ્થાએ સબંધી હકીકત વિસ્તારપૂર્વક આપેલી છે. અને તે ઘણી બોધક છે. એટલે આ ગ્રંથ ઘણા શ્રમ લઈ તથા ઘણાં પુસ્તકેાના અસલ આધાર શિલા અને તામ્રલેખા સિકકા વિગેરે જોઈ આધારભૂત ગણી શકાય તેવા બનાવ્યા છે. તે સર્વ રીતે ઉત્તેજનને પાત્ર છે એમ મને લાગે છે. જન સમાજના વિદ્વાનેાના, : વિદ્યાલયાના અને રાજામહારાજાએના આશ્રય વગર આવા મેટા ગ્રંથ પ્રસિધ્ધિમાં મૂકવા અશકય છે. તેથી તેની સારી સંખ્યામાં નકલા લેવાનું આશ્વાસન આપી તેમના તરફથી ગ્ર ંથકર્તાને ઉત્સાહ અને ઉત્તેજન મળશે તેવી આશા છે.
વાદરા
ગાવિંદભાઇ હા. દેસાઈ
બી. એ. એલ. એલ. મી. નાયબ દિવાન
(૯)
ડૉ. ત્રિ. લ. શાહે અનેક નવાં દૃષ્ટિબીંદુએ આધાર સાથે આ પુસ્તકમાં રજુ કર્યાં હાય એમ જણાય છે. અશેાક અને ચ'દ્રગુપ્ત સંધી તેમનાં મંતવ્ય ઇતિહાસની દુનીઆમાં વિપ્લવ કરાવે એવાં છે. પુસ્તકના વિસ્તાર પણ ખૂખ છે. આશા રહે છે કે આધાર સ્થળાના નિર્દેશ પણ તેમાં થશેજ. સ'પૂર્ણ' અનુક્રમણીકાની એટલીજ આવસ્યકતા ગણાય. આ પુસ્તક પ્રગટ થતાં એક અગત્યની જરૂરીઆત પૂરી પાડવાનું ધારી શકાય છે. ઇતિહાસના શૈાખ વધત જાય છે. એવા સમયમાં, આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં માટી ખાટ પૂરી પાડશે એવાં ચિન્હ સદર હસ્તપત્રમાં સ્પષ્ટ જણાય છે.
લાહાર સ્ટીટ—મનહર બિલ્ડીંગ
મુંબઈ
માતીચંદ ગિરધરલાલ કાપડીઆ બી. એ. એલ. એલ. બી. સેાલીસીટર
( ૧૦ )
ઇતિહાસના અનભીનને પણ પ્રથમ દૃષ્ટિએ જ વધાવી લેવા ચેાગ્ય લાગે, એવું આ ગ્રંથ પ્રકાશનનું સાહસ છે. ઇતિહાસ પ્રત્યેની લેાકરૂચી અણુખીલી ને વિદ્યા વિકાસ કરતી સંસ્થા પ્રમાદ, પક્ષપાત અથવા નિર્ધનતાના ભાગ થઇ પડી છે, તેવા સ ંજોગેાની વચ્ચે આવા ગ્રંથનુ જોખમ લેનાર પ્રથમ ક્ષણેજ સહુના અભિનંદન માગી લ્યે છે. આ સાહસ પાછળ ગ્રંથકારના જીવનની પચીસ વર્ષની પ્રખર સાઘના છે. ટીપ્પણ્ણા, સમયાવલી, વંશાવલી, વિષય શોધી કાઢવાની ચાવી વગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદ્વદભાગ્ય બનાવ્યો છે, ને બીજી બાજુ ભાષાશૈલી સરળ, ઘરગથ્થુ, કંઈક વાર્તા કથનને મળતી રાખવાથી, ગ્રંથ વિદ્વતાને એક ખૂણે જ ન પડી જાય તેવા બન્યા છે,
મુંબઈ
જન્મભૂમિ ( દૈનિક પત્ર )