________________
પરિચ્છેદ ]
૨૬૫
તિસ્સાનું ૭૨ મરણ નીપજયાને અને રાજા ઉત્તીયને ગાદીએ આવ્યાને નવમું વરસથી ચાલતું હતું. ( ૪ ) દશરથ૭૪–આને જન્મ કઈ રાણીને પેટે અને ક્યારે થયો તે ચોકકસ કરવાને કાંઈ સાધન નથી. પણ અનુમાન કરી શકાય છે કે તે કુમાર કુણાલથી કઈ નાના પુત્રને કુંવર હશે અને મહારાજા અશકે, કુણાલના અંધ થવાથી, તેમજ કુમાર મહે કે સાધુ પણું લેવાથી, પિતાની પાછળ
લેખથી સ્પષ્ટ સમજાય છે કે, અશોક પછી તે ગાદીએ બેઠો છે. તેમ બીજી બાજુ એ પણ નિર્વિવાદિત છે કે (ાઓ સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન) અશોક પછી મુખ્ય ગાદીએ તો પ્રિયદર્શિન ઉર્ફ સંપ્રતિજ બેસેલ છે. વળી એમ પણ જણાયું છે કે, શુંગવંશી સમ્રાટોએ પાટલિપુત્ર ઉ૫ર ચડાઈ કરીને મૌર્યવંશને નાશ પણ કર્યો હતો. આ સર્વ સંગને વિચાર કરતાં એજ સમાધાન ઉપર જવું પડે છે કે, દશરથ રાજાથી મૌયવંશની કોઈ જુદીજ શાખા નીકળી હોય.
તો વળી પ્રશ્ન એ થાય છે કે, અશક અને દશરથનો સંબંધ શું હોઈ શકે છે જુઓ નીચેની ટી. નં. ૯૨ ) પતે નાગાર્જુન ગુફાના દાનમાં પિતાને અશોકના પૌત્ર તરીકે ઓળખાવે છે. તો તે તેને કુણાલને પુત્ર કહેવાય અને તે પોતે જ યુવરાજ કરે. એટલે અશેકના પછી તો તે મુખ્ય ગાદી ઉપર બિરાજે; પણ તેમ તે થયું નથી અને તેને બદલે મુખ્ય ગાદી ઉ૫ર તે પ્રિયદશિન આવ્યું છે. કદાચ તેને કુણાલને પુત્રએટલે કે યુવરાજ પ્રિયદર્શિનથી નાને પુત્ર ગણો તો, તે અશોકનો પૌત્ર તો જરૂર કહેવાયજ: પણું પ્રિયદર્શિન રાજયના અમલે મગધના સૂબા તરીકે ( નાગાર્જુન ગુફા મગધ દેશમાં આવી છે તેથી) રહેવાથી, તે પોતાને “ અશોકના પૌત્ર ” તરીકે ઓળખાવવાને બદલે
પ્રિયદર્શિનના ભાઇ ” તરીકે ઓળખાવત. પણ તેમ ન કરતાં જ્યારે તે પોતાને “અશોકના પૌત્ર" તરીકે જ ઓળખાવે છે ત્યારે તેને અશોકેજ મગધની ગાદી ઉપર નીમ્યો હોવો જોઈએ, એમ સહજ નિર્ણય કરી જવાય છે. ( વિશેષ માટે જુઓ પુસ્તકના અંતે જેડેલું પરિ- શિષ્ટ તથા નીચેની ટી. નં. ૭૩ ) :
( ૭૩ ) ડે. ભાંડારકર રચિત અશોક પૃ. ૭ ( grandson of Asoka અશોકનો પૌત્ર) જ, બો.
૩૪
ગાદી વારસ તરીકે તે મગધપતિ થાય એમ ઇચ્છા ધારી રાખી હશે. પણ કુદરતના ગર્ભમાં અનેક તાજુબીઓ ભરેલી પડી હોય છે; તેમ જ્યારે તેને ઉત્તરાધિકારી તે કુણાલ પુત્ર–સંપ્રતિ૭ થયો, ત્યારે કુમાર દશરથને ઉંચે દરજજો સાચવવાને, મહારાજા અશોકે પિતાના ( Regent તરીકેના ) વહીવટ દરમ્યાન તેને મગધ પ્રાંતને સુબે નીમી ( મ. સં. ૨૨૩ = ઇ. સ. પૂ. ૩૦૪) ઍ. જે. એ. સે. પુ. ૨૦ પૃ ૩૬૭ : જે સાલમાં પ્રિયદર્શિનને રાજયાભિષેક થયો, તેજ સાલમાં દશરથને મગધની ગાદી મળી હોય, તો જેટલા વર્ષ પ્રિયદર્શિનના રાજય અમલને થયા ગણાય, તેટલાજ દશરથના રાજયને પણું થયા કહેવાય. એટલેજ નાગાર્જુનની ગુફામાં જે પિતાના રાજયે ૨૬ મા વર્ષે દાન દીધાના સમયને આંક દર્શાવ્યા છે, તે પ્રિયદર્શિન રાજાના રાજયના સમયને મળતો થાય છે. જેથી, દશરથ અને પ્રિયદર્શિન અને એકજ હોવા જોઈએ, એમ અનેકનું માનવું થયું છે અને થાયજ. પણ વિશેષ અભ્યાસથી જણાય છે કે તે તો પ્રિયદર્શિનના કાકાનો દિકરો થાય છે. સવાલ એ થાય છે કે દશરથ કુમારે જે “ પિતાના રાજયે આટલા વરસે ” એવા શબ્દ વાપર્યા હોય તો, પછી તે સૂઓ ન કહેવાય. પણ સ્વતંત્ર રાજાજ કહેવાય. અને તેમને જુદા પ્રાંત કાઢી આપીને સમ્રાટ અશોકેજ તેને ગાદી ઉપર સ્થાપિત કર્યો કહેવાય. (વળી જુઓ ઉપરની ટીકા નં. ૭૨ તથા આ પુસ્તકના અંતે જોડેલું પરિશિષ્ટ )
( ૭૪ ) જુઓ ઉપરની ટીકા નં. ૭૨
( ૭૫ ) જુએ આ પુસ્તકના અંતે તેમનું સ્વતંત્ર પરિશિષ્ટ
( ૭૬ ) કુણાલપુત્ર પ્રિયદર્શિનનું ટૂંકું નામ જૈન ગ્રંથમાં “ સંપતિ ” આપેલ છે.
( ૭ ) મુખ્ય શાખાની ગાદી (વિશેષ માટે જુઓ દ્વીતીય પરિચ્છેદે ) મગધના પાટલિપુત્રમાંથી અવંતિદેશમાં વિદિશા અને ઉજેની લઈ જવામાં આવી હતી; અને મગધના સૂબાની રાજધાની પાટલિપુત્ર તરીકે ચાલુ જ રાખી હતી. આ શાખાને શુંગ વંશી સમ્રાટે પાટલિપુત્રને નાશ કરી મગદ્યને પોતાના રાજ્યનેઅવતિમાં તે વખતે ગાદી હતી તેથી અવંતિ રાજ્યને -એક ભાગ ગણાવ્યો હતો, એટલે ત્યારથી આ શાખા