________________
પણ શરૂઆત નથી હોતી એવું માનવું જ પડે કેમકે આત્મા અને કર્મનો પરસ્પરનો સંયોગ પણ અનાદિકાલીન છે.
કર્મના સંયોગથી વાસિત આત્મા સંસારમાં જ રહી શકે અને જો આવો સંયોગ અનાદિથી પ્રવર્તે છે તો સંસાર પણ અનાદિથી પ્રવર્તે જ છે તેમ માન્ચે જ છૂટકો !
અનાદિકાલીન આત્માને અનાદિથી જે સંસાર મળ્યો છે તે કેવો છે ? (૧) દુઃખરૂપ છે. (૨) દુઃખ ફલક છે. (૩) અને દુઃખાનુબંધી છે.
સંસારની પ્રત્યેક ગતિમાં જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થા રહેલાં જ છે તેથી આ સંસાર અનાદિથી દુઃખરૂપ = દુઃખથી ભરેલો છે.
અહીં, અવચૂરિકાર મહાપુરુષે નોંધ્યું છે કે “તેષા. સુવાત્' જન્મ, મરણ અને ઘડપણ એ દ્રવ્ય દુઃખના પર્યાયો છે અને તે સંસારમાં સર્વત્ર રહેલા હોવાથી સંસાર દુઃખરૂપ છે. એક જન્મ પૂરો થયા પછી બીજા જન્મમાં પણ જન્મ, મરણ અને ઘડપણની પરંપરા ચાલતી રહે છે માટે આ સંસાર દુઃખફલક = જેનું ભવિષ્ય પણ દુઃખ જ છે તેવો છે. વળી, અશાતા વેદનીય કર્મ તો એક કે બે જ નહીં, અનેક જન્મોની પરંપરા સુધી આત્મા સાથે નિરંતર સંલગ્ન રહેતાં હોવાથી આ સંસાર દુઃખાનુબંધી = દુઃખની સાયકલવાળો છે. મૂત્રમ્ | एयस्स णं वोच्छित्ती सुध्धधम्माओ । सुध्धधम्मसंपत्ती पावकम्मविगमाओ । पावकम्मविगमो तहाभव्वत्ताइभावाओ ।
23
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।