________________
દર્દીને કુપથ્ય ખવડાવો તેમાં જે કરૂણા દેખાય છે તે ફક્ત આભાસ માત્ર છે, વાસ્તવિક નથી. તે જ રીતે અયોગ્યને શાસ્ત્રજ્ઞાન - સંયમ વિગેરે પ્રદાન કરવામાં ક્યાંય કરૂણા નથી, જે છે તે કરૂણાનો આભાસ છે.
આ વિધાન પણ ત્રિલોકપતિ અરિહંતે જ કરેલું છે.
અરિહંતની આજ્ઞા એવી છે કે બહુમાનપૂર્વક તેને આરાધો તો તે પરમ કલ્યાણને કરનારી બને છે. અપરિણત કે અતિપરિણત જીવોને તે તારતી નથી, પરિણત જીવોને જ તે તારે છે, પરિણત જીવોને જિનાજ્ઞા પ્રત્યે અપરંપાર બહુમાન છે, તેઓ સાનુબંધ પણે મોક્ષને સાધનારી તેવી શુભક્રિયાઓને આરાધનારા છે..
| ઇતિ “પંચસૂત્ર પ્રકાશ' ગુજરાતી વિવરણ //
204
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।