Book Title: Mulshuddhi Prakaranam Part 01
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 18
________________ મૂળશુદ્ધિ ભાગ-૧ આદ્રકુમારકથા પ્રાકૃત હોવાથી પુલ્લિગ નિર્દેશ; “હવત્તિ' એ ક્રિયાનું બીજીવાર પ્રહણ તો “આદિ અન્તનું ગ્રહણ કરતાં મધ્યમનું ગ્રહણ થાય છે.” એ ન્યાય દર્શાવવા માટે છે. અત્યારે “જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ” આ ન્યાયને આશ્રયી પ્રથમ સમક્તિના ભૂષણોને ગાથા વડે કહે છે. कोसल्लया मो जिणसासणम्मि, पभावणा तित्थनिसेवणा य । । भत्ती थिरत्तं च गुणा पसत्था, सम्मत्तमेए हु विभूसयंति ॥८॥ ગાથાર્થ – જિનશાસનમાં કુશલતા, પ્રભાવના, તીર્થસેવા, ભક્તિ અને સ્થિરતા આ પ્રશસ્ત ગુણો સમક્તિને વિભૂષિત કરે છે. આ કુશળતા જેમ અભયકુમાર વડે આકુમારના પ્રતિબોધ માટે કરાઈ, તે પ્રમાણે કરવી જોઈએ. તે સમક્તિની શોભા માટે થાય છે. જો કે સૂત્રમાં કથા ન કહી છતાં મુગ્ધજનના બાળજીવોના ઉપકાર માટે કહેવાય છે. (“આદ્રકુમારની કથા . આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધ નામનો દેશ છે, તે દેશ સેંકડો આશ્ચર્યોથી યુક્ત, આનંદમાં રહેનારા લોકોથી ભરપુર, દુઃખે ધારણ કરી શકાય તેવા ધર્મના અગ્રેસર જિનેશ્વર અને ગણધરના ચરણસ્પર્શથી પવિત્ર, ધન-ધાન્ય, સમૃદ્ધિથી ઘણો જ મનોહર છે. ત્યાં રાજગૃહ નામનું નગર છે. તે નગર નગરયોગ્ય ગુણોનો રાજા = ગુણોનું સ્થાન, પૃથ્વીરૂપી સ્ત્રીનું તિલકસમાન, દશેદિશામાં પ્રકાશ કરનારું-પ્રસિદ્ધિ પામેલું છે. જે નંદનવન જેમ મોટા વૃક્ષોથી અલંકૃત હોય, તેમ મોટા ઘરોથી કે મોટા કિલ્લાથી અલંકૃત; વિજયદ્વારને જેમ પાછળ અર્ગલાઆગળો હોય તેમ ખાઈથી પરિવરેલ; મેરુની જેમ કલ્યાણનું સ્થાન; કૈલાસનું શિખર જેમ શિવશંકરનું સ્થાન છે, તેમ આ દેવમંદિરોનું સ્થાન છે. દેવલોકની ભૂમિ દેવ સમૂહથી સુશોભિત હોય છે, તેમ અનેક દેવ દેવીના સમૂહથી શોભિત (પ્રભુ, તપસ્વીઓના પ્રભાવથી ત્યાં દેવો આવતા જ હોય છે.) ગગન જેમ ચિત્રા નક્ષત્રથી શોભિત હો તેમ આશ્ચર્યથી શોભિત; મહાકુલ જેમ ઘણાં સ્વજનોથી યુક્ત હોય તેમ ઘણાં સજ્જનોથી વ્યાપ્ત, ઘણું કહેવા વડે શું... ? શ્રેષ્ઠ રાજમાર્ગ, ચૌટા, સંઘાટક, ત્રણ-ચાર રસ્તાથી સુંદર રીતે વિભક્ત થયેલું, હાટ, પરબ, સભા, ઉપવન, સરોવર, વાવડી, કૂવાથી રમ્ય એવા દેવનગરી સરખા તે શ્રેષ્ઠ નગરને ગર્વિષ્ઠ રાજારૂપી હસ્તિનો નાશ કરવામાં સિંહસમાન બાહ્ય ઉપદ્રવ અને આંતરિક ઉપદ્રવને શાંત કરવા પૂર્વક શ્રેણિકરાજા પરિપાલન કરે છે. આ શ્રેણિક મહારાજા મહાવિદેહની જેમ શ્રેષ્ઠ વિજયથી યુક્ત, માનસરોવરની જેમ સદા રાજારૂપી રાજહંસોથી સેવાયેલો. વિષ્ણુની જેમ સુદર્શન ચક્ર (સમક્તિ દર્શન) ધારણ કરનારો, અરુણોદય વખતે લાલ ઘેરાવો થાય છે તેમ રક્ત-અનુરાગી મંત્રી પુરોહિત ઇત્યાદિના મંડલવાળો, બ્રહ્માની ઉત્પત્તિ કમલમાંથી થઈ હોવાથી કમલના સ્થાનવાળા છે તેમ (કમલા-લક્ષ્મી)નું સ્થાન, ચંદ્રની જેમ સર્વ લોકોના નેત્રોને આનંદ આપનાર છે. આ શ્રેણિકને સુનંદા અને ચલ્લણા નામની બે રાણીઓ છે. આ રાણીઓ પ્રિય બોલનારી,

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 244